પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથ મંદિરે મહાપૂજા અને કુંભાભિષેક કર્યો હતો.
પ્રધાનમંત્રીએ આ અવસર પર પોતાની ભાવના વ્યક્ત કરતાં કહયું કે આ મહાન સૌભાગ્ય પ્રાપ્ત કરવું એ તેમના જીવનની સૌથી ભાવનાત્મક અને અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યાને 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસર પર મહાદેવની પ્રાર્થના કરવી એ એક અવિસ્મરણીય અનુભવ છે, અને ઉમેર્યું હતું કે દર્શન અને પૂજન એ અપાર આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત છે.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
"સોમનાથની આ ભવ્ય અને પાવન ધરા પર મહાદેવના ચરણોમાં મહાપૂજા અને કુંભાભિષેકનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરવું જીવનની અત્યંત ભાવપૂર્ણ અને અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે. ઈશ્વર રૂપી જનતા જનાર્દનનું સ્મરણ કરતા મહાદેવના દર્શન અને પૂજનનો આ અલૌકિક અવસર, હૃદયને અનંત આધ્યાત્મિક ઊર્જા, શ્રદ્ધા અને શિવમય ચેતનાથી અભિભૂત કરી ગયો છે."
सोमनाथ की भव्य और दिव्य पावन धरा पर महादेव के चरणों में महापूजा और कुंभाभिषेक का परम सौभाग्य प्राप्त करना जीवन के अत्यंत भावपूर्ण और अविस्मरणीय क्षणों में से एक है। ईश्वर रूपी जनता जनार्दन का स्मरण करते हुए महादेव के दर्शन और पूजन का यह अलौकिक अवसर, हृदय को अनंत आध्यात्मिक ऊर्जा,… pic.twitter.com/SDmJcisPYo
— Narendra Modi (@narendramodi) May 11, 2026

"To be praying to Mahadev on the special occasion marking 75 years since the rebuilt Somnath Temple opened its doors is an experience I’ll never forget. The Darshan and Pujan of Mahadev is a source of boundless spiritual energy."
To be praying to Mahadev on the special occasion marking 75 years since the rebuilt Somnath Temple opened its doors is an experience I’ll never forget. The Darshan and Pujan of Mahadev is a source of boundless spiritual energy. pic.twitter.com/ZgjiQC0dzs
— Narendra Modi (@narendramodi) May 11, 2026


