પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સરદાર પટેલના વિઝન અને સંકલ્પે સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે સોમનાથને તેના તમામ ગૌરવ સાથે ફરીથી ઉભરતું જોવાનું સરદાર પટેલનું સ્વપ્ન હતું, જે ભારતની સભ્યતા ગૌરવ અને આધ્યાત્મિક સાતત્યના પ્રતીક તરીકે ફરીથઈ સ્થાપિત થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશ માટે સરદાર પટેલના વિઝનને પૂર્ણ કરવા માટે રાષ્ટ્ર હંમેશા પ્રતિબદ્ધ રહેશે.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

"સોમનાથ ખાતે, સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમના દ્રષ્ટિકોણ અને સંકલ્પે મંદિરના પુનર્નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમણે સોમનાથને તેના તમામ ગૌરવ સાથે ફરીથી ઉભું થતું જોવાનું સ્વપ્ન જોયું હતું, જે ભારતની સભ્યતા ગૌરવ અને આધ્યાત્મિક સાતત્યના પ્રતીક તરીકે ફરીથી સ્થાપિત કરવું હતું.

આપણે હંમેશા આપણા રાષ્ટ્ર માટે તેમના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ રહીશું."

"सोमनाथ में सरदार वल्लभभाई पटेल को भावभीनी श्रद्धांजलि अर्पित की। उनकी दूरदृष्टि और दृढ़ संकल्प ने मंदिर के पुनर्निर्माण में निर्णायक भूमिका निभाई थी। सरदार पटेल का सपना था कि भारत की सांस्कृतिक गौरवगाथा और आध्यात्मिक निरंतरता का प्रतीक सोमनाथ अपनी पूरी दिव्यता और भव्यता के साथ फिर से स्थापित हो।

हम राष्ट्र के लिए उनके विजन को साकार करने के प्रति सदैव प्रतिबद्ध रहेंगे।"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Second consignment of 37.5 tonnes HADR aid reaches flood-hit Nepal; India sends 47.5 tonnes of relief material in total

Media Coverage

Second consignment of 37.5 tonnes HADR aid reaches flood-hit Nepal; India sends 47.5 tonnes of relief material in total
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 28 ઓગસ્ટ 2026
August 28, 2026

India’s Growth Story, Grounded: Inclusion, Exports, and Infrastructure Under One Vision of PM Modi