ભારત હંમેશા જ્ઞાનયોગના માર્ગ પ્રત્યે સમર્પિત રહ્યું છે, હજારો વર્ષ જૂના વેદો આજે પણ પ્રેરણા આપતા રહે છે: PM
ભગવાન સ્વામિનારાયણ આધ્યાત્મિક સાધના અને સેવા બંનેના પ્રતિક હતા: PM
પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી માટે જ્ઞાન ભારતમ્ મિશનમાં પ્રધાનમંત્રીએ સૌના સહયોગનો આગ્રહ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ અવસર પર બોલતા શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે આજે સૌ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના વિશેષ પ્રસંગના સાક્ષી બની રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દ્વિશતાબ્દીની ઉજવણી એ દરેક માટે આ પવિત્ર પ્રસંગનો ભાગ બનવા માટે ભાગ્યની ક્ષણ છે. આ પવિત્ર સમયગાળામાં તેઓ તમામ સંતોને વંદન કરે છે તેમ જણાવતાં, શ્રી મોદીએ દ્વિશતાબ્દી મહોત્સવ પર ભગવાન સ્વામિનારાયણના કરોડો અનુયાયીઓને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારત હંમેશા જ્ઞાનયોગના માર્ગ પ્રત્યે સમર્પિત રહ્યું છે તે બાબત પર ભાર મૂકતાં શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે હજારો વર્ષ જૂના વેદો આજે પણ પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે સંતો અને દ્રષ્ટાઓએ, તેમના સમયની જરૂરિયાતો મુજબ, વેદોના પ્રકાશમાં વ્યવસ્થાઓ વિકસાવી હતી. PMએ નોંધ્યું હતું કે વેદોમાંથી ઉપનિષદો આવ્યા, ઉપનિષદોમાંથી પુરાણો આવ્યા અને શ્રુતિ, સ્મૃતિ, કથાવાચન અને ગાયન દ્વારા આ પરંપરા શક્તિશાળી રહી છે.

PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિવિધ યુગોમાં, મહાન સંતો, દ્રષ્ટાઓ અને વિચારકોએ સમયની જરૂરિયાતો મુજબ આ પરંપરામાં નવા પ્રકરણો ઉમેર્યા છે. તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન સ્વામિનારાયણના જીવનના પ્રસંગો જનશિક્ષણ અને જનસેવા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે આ અનુભવને સરળ શબ્દોમાં સમજાવવામાં આવ્યો હતો, અને શિક્ષાપત્રી દ્વારા ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દ્વિશતાબ્દીની ઉજવણી શિક્ષાપત્રીમાંથી કયા નવા પાઠ શીખવામાં આવી રહ્યા છે અને તેના આદર્શો દૈનિક જીવનમાં કેવી રીતે જીવવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને સેવા બંનેનું પ્રતીક હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે તેમના અનુયાયીઓ સમાજ, રાષ્ટ્ર અને માનવતાને સમર્પિત અસંખ્ય અભિયાનો ચલાવી રહ્યા છે. તેમણે નોંધ્યું હતું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત પ્રોજેક્ટ્સ, ખેડૂતોના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાઓ અને પાણી સાથે જોડાયેલી પહેલો ખરેખર પ્રશંસનીય છે. શ્રી મોદીએ જણાવ્યું કે સંતો સતત સમાજસેવા પ્રત્યે પોતાની જવાબદારીઓ વિસ્તારતા જાય છે તે જોવું અત્યંત પ્રેરણાદાયક છે.

દેશ સ્વદેશી અને સ્વચ્છતા જેવા જન આંદોલનોને આગળ ધપાવી રહ્યો છે તે વાત પર ભાર મૂકતાં શ્રી મોદીએ કહ્યું કે ‘વોકલ ફોર લોકલ’ મંત્રનો ગુંજારો દરેક ઘરમાં પહોંચી રહ્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે જ્યારે આ પ્રયાસો આવા અભિયાનો સાથે જોડાય છે, ત્યારે શિક્ષાપત્રીની દ્વિશતાબ્દીની ઉજવણી વધુ યાદગાર બની જશે. તેમણે ધ્યાન દોર્યું હતું કે રાષ્ટ્રએ પ્રાચીન હસ્તપ્રતોના જાળવણી માટે જ્ઞાન ભારતમ્ મિશન શરૂ કર્યું છે અને તમામ પ્રબુદ્ધ સંસ્થાઓને આ કાર્યમાં વધુ સહયોગ આપવા વિનંતી કરી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતનું પ્રાચીન જ્ઞાન અને તેની ઓળખ સાચવવી જ જોઈએ, અને આવી સંસ્થાઓના સહયોગથી જ્ઞાન ભારતમ્ મિશનની સફળતા નવી ઊંચાઈઓ પર પહોંચશે.

દેશ હાલમાં સોમનાથ સ્વાભિમાન પર્વના ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી કરી રહ્યો છે તે તરફ ઈશારો કરતાં શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે સોમનાથ મંદિરના પ્રથમ વિનાશથી લઈને અત્યાર સુધી, દેશ આ ઉત્સવ દ્વારા હજાર વર્ષની યાત્રાની સ્મૃતિ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ સૌને આ ઉજવણીમાં જોડાવા અને તેના ઉદ્દેશ્યોને જન-જન સુધી પહોંચાડવા વિનંતી કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કરીને પોતાની વાત પૂરી કરી હતી કે અનુયાયીઓના પ્રયાસો દ્વારા ભારતની વિકાસયાત્રાને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મળતા રહેશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India is a significant player in Asia Pacific air traffic growth: IATA

Media Coverage

India is a significant player in Asia Pacific air traffic growth: IATA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting the welfare of all living beings and harmony with nature
June 08, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting that achieving the welfare of all living beings by striking a balance with nature has been the core spirit of our culture.

The Prime Minister noted that with this comprehensive vision, India is continuously moving forward on the path of progress and prosperity today.

The Prime Minister wrote on X:

"प्रकृति के साथ संतुलन बिठाकर समस्त जीवों का कल्याण हो, यही हमारी संस्कृति की मूल भावना रही है। इसी व्यापक दृष्टि से आज भारतवर्ष प्रगति और समृद्धि के पथ पर निरंतर आगे बढ़ रहा है।

यावच्चतस्रः प्रदिशश्चक्षुर्यावत् समश्नुते।
तावत् समैत्विन्द्रियं मयि तद्धस्तिवर्चसम्॥"

May we attain such prosperity that is endowed with the vast expanse of all four directions and the alert awareness of the eyes' vision - where, living in complete harmony with nature, the environment is preserved and the sustainable well-being of all life is ensured.