માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની અલ્બેનીઝ આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 નેતાઓના સમિટ દરમિયાન મળ્યા હતા. 2020માં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધીના સંબંધોને ઉન્નત કર્યા પછી, બંને નેતાઓએ છેલ્લા પાંચ વર્ષમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઊંડા અને વૈવિધ્યસભર સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારતમાં તાજેતરના આતંકવાદી હુમલા અંગે પ્રધાનમંત્રી અલ્બેનીઝે ભારત સાથે એકજુટતા વ્યક્ત કરી હતી. નેતાઓએ આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવાનું વચન આપ્યું હતું.

બંને નેતાઓએ રાજકીય અને વ્યૂહાત્મક, સંરક્ષણ અને સુરક્ષા, ઊર્જા, વેપાર અને રોકાણ, આવશ્યક ખનિજો, ટેકનોલોજી, ગતિશીલતા, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીઓએ પરસ્પર લાભના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારો શેર કર્યા હતા.
બંને નેતાઓએ સ્વીકાર્યું કે હાઈ લેવલ કોન્ટેક્ટ્સની ફ્રીકવન્સીથી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત ગતિ મળી છે. તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈએ લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

Had a very good meeting with PM Albanese of Australia. This year, the strategic partnership between our nations completes 5 years and these years have witnessed transformative outcomes that have deepened our cooperation.
— Narendra Modi (@narendramodi) November 21, 2025
During our talks today, emphasised three key sectors,… pic.twitter.com/SjPixu4iek


