પૂર્વોત્તર ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી વિકાસ પહેલ (PM-DevINE) યોજના હેઠળ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ
સમગ્ર આસામમાં PMAY-G હેઠળ બાંધવામાં આવેલા લગભગ 5.5 લાખ ઘરોનું ઉદ્ઘાટન કર્યું
આસામમાં રૂ.1300 કરોડથી વધુની કિંમતની રાષ્ટ્રની મહત્વપૂર્ણ રેલવે યોજનાઓને સમર્પિત
"વિકસિત ભારત માટે પૂર્વોત્તરનો વિકાસ અનિવાર્ય છે"
"કાઝીરંગા નેશનલ પાર્ક અનોખો છે, દરેકે તેની મુલાકાત લેવી જોઈએ"
"વીર લચિત બોરફૂકન એ આસામની બહાદુરી અને નિશ્ચયનું પ્રતીક છે"
"વિકાસ ભી ઔર વિરાસત ભી' અમારી ડબલ એન્જિન સરકારનો મંત્ર રહ્યો છે"
“મોદી સમગ્ર પૂર્વોત્તરને તેમનો પરિવાર માને છે. એટલા માટે અમે વર્ષોથી પેન્ડિંગ એવા પ્રોજેક્ટ્સ પર પણ ફોકસ કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આસામના જોરહાટમાં 17,500 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યું અને શિલાન્યાસ કર્યો. આજના વિકાસ પરિયોજનાઓ આરોગ્ય, તેલ અને ગેસ, રેલ અને આવાસના ક્ષેત્રોને સમાવે છે.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદની માટે આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યમાં 200 વિવિધ સ્થળોએથી 2 લાખ લોકો જોડાયા હોવાનું પણ સ્વીકાર્યું હતું. શ્રી મોદીએ કોલાઘાટના લોકો દ્વારા હજારો દીવાઓ પ્રગટાવવાની પણ નોંધ લીધી અને કહ્યું કે લોકોનો પ્રેમ અને સ્નેહ તેમની સૌથી મોટી સંપત્તિ છે. તેમણે શિલાન્યાસ કરીને આસામના વિકાસને વેગ આપવાની ખાતરી આપી હતી અને આરોગ્ય, આવાસ અને પેટ્રોલિયમના ક્ષેત્રોને લગતી આશરે રૂ. 17,500 કરોડની રાષ્ટ્ર વિકાસ યોજનાઓને આજે સમર્પિત કરી હતી.

 

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની તેમની મુલાકાત વિશે વાત કરતાં, પ્રધાનમંત્રીએ તેને એક અનન્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ સંરક્ષણ ગણાવ્યું હતું અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની તેની જૈવવિવિધતા અને ઇકોસિસ્ટમના આકર્ષણને રેખાંકિત કર્યું હતું. તેમણે કહ્યું "70 ટકા એક શિંગડાવાળા ગેંડા કાઝીરંગામાં છે". તેમણે સ્વેમ્પ ડીયર, વાઘ, હાથી અને જંગલી ભેંસ જેવા વન્યજીવોને શોધવાના અનુભવ વિશે પણ વાત કરી. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે કેવી રીતે બેદરકારી અને ગુનાહિત સહયોગને કારણે ગેંડો દુલર્ભ બની ગયો અને 2013માં એક જ વર્ષમાં 27 ગેંડાના શિકારને યાદ કર્યો. સરકારના પ્રયાસોથી 2022માં આ સંખ્યા શૂન્ય પર લાવવામાં આવી હતી. કાઝીરંગાના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે આસામના લોકોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવાનું આહ્વાન કર્યું.

પ્રધાનમંત્રીએ આજે ​​વીર લચિત બોરફૂકનની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, “વીર લચિત બોરફૂકન આસામની વીરતા અને નિશ્ચયનું પ્રતીક છે”. તેમણે નવી દિલ્હીમાં 2002માં તેમની 400મી જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી અને સન્માન સાથે ઉજવવાનું પણ યાદ કર્યું અને બહાદુર યોદ્ધા સમક્ષ નમન કર્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું, "વિકાસ ભી ઔર વિરાસત ભી' વિકાસ તેમજ વારસો એ અમારી ડબલ એન્જિન સરકારનો મંત્ર રહ્યો છે. તેમણે કહ્યું કે આસામે માળખાકીય સુવિધાઓ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી છે. એઈમ્સ, તિનસુકિયા જેવી આરોગ્ય માળખાકીય સુવિધાઓ જોરહાટમાં મેડિકલ કોલેજ, શિવ સાગર મેડિકલ કોલેજ અને કેન્સર હોસ્પિટલ આસામને સમગ્ર ઉત્તરપૂર્વ માટે મેડિકલ હબ બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ પીએમ ઉર્જા ગંગા યોજના હેઠળ બરૌની - ગુવાહાટી પાઈપલાઈનનું સમર્પણ પણ કર્યું. તેમણે માહિતી આપી હતી કે ગેસ પાઈપલાઈન પૂર્વોત્તર ગ્રીડને રાષ્ટ્રીય ગ્રીડ સાથે જોડશે અને 30 લાખ ઘરો અને 600થી વધુ CNG સ્ટેશનોને ગેસ પહોંચાડવામાં મદદ કરશે, જેનાથી બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામના 30 થી વધુ જિલ્લાઓના લોકોને ફાયદો થશે.

ડિગબોઈ રિફાઈનરી અને ગુવાહાટી રિફાઈનરીના વિસ્તરણના ઉદ્ઘાટન વિશે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉની સરકારોએ આસામમાં રિફાઈનરીઓની ક્ષમતા વધારવાની લોકોની લાંબા સમયથી ચાલતી માંગની અવગણના કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન સરકારના પ્રયાસોથી આસામમાં રિફાઇનરીની કુલ ક્ષમતા હવે બમણી થશે જ્યારે નુમાલીગઢ રિફાઇનરીની ક્ષમતા ત્રણ ગણી થશે. તેમણે વધુમાં કહ્યું "કોઈપણ પ્રદેશનો વિકાસ ઝડપી ગતિએ થાય છે જ્યારે વિકાસ માટેના ઈરાદા મજબૂત હોય છે".

 

તેમણે 5.5 લાખ પરિવારોને અભિનંદન આપ્યા જેમને આજે પાકું મકાન મળ્યું છે. તેમણે કહ્યું કે આ ઘરો માત્ર ઘરો નથી પરંતુ તેમાં શૌચાલય, ગેસ કનેક્શન, વીજળી અને પાઈપવાળા પાણીના કનેક્શન જેવી સુવિધાઓથી સજ્જ છે. અત્યાર સુધીમાં 18 લાખ પરિવારોને આવા મકાનો આપવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે એ વાત પર ખુશી વ્યક્ત કરી કે આમાંથી મોટાભાગના ઘર મહિલાઓના નામે છે.

આસામની દરેક મહિલાનું જીવન સરળ બનાવવા અને તેની બચતમાં સુધારો કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં પ્રધાનમંત્રીએ ગઈકાલે મહિલા દિવસ પર ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓથી પણ મહિલાઓને ફાયદો થઈ રહ્યો છે. જલ જીવન મિશન હેઠળ, આસામમાં 50 લાખથી વધુ પરિવારોને પાઈપથી પાણીના જોડાણો મળ્યા છે. તેમણે 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.

 

2014 પછી આસામમાં થયેલા ઐતિહાસિક પરિવર્તનો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ 2.5 લાખથી વધુ ભૂમિહીન વતનીઓને જમીનના અધિકારો આપવા અને લગભગ 8 લાખ ચાના બગીચાના કામદારોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાનો ઉલ્લેખ કર્યો, જેના કારણે સરકારી લાભો સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આનાથી વચેટિયાઓ માટે તમામ દરવાજા બંધ થઈ ગયા.

"વિકસિત ભારત માટે પૂર્વોત્તરનો વિકાસ અનિવાર્ય છે", પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું, “મોદી સમગ્ર પૂર્વોત્તરને તેમનો પરિવાર માને છે. તેથી જ અમે વર્ષોથી પેન્ડિંગ પડેલા પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ,” તેમણે કહ્યું. 2014માં આસામમાં તેમણે સરાઈઘાટ પર બ્રિજ, ધોલા-સાદિયા બ્રિજ, બોગીબીલ બ્રિજ, બરાક વેલી સુધી રેલવે બ્રોડગેજનું વિસ્તરણ, મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક, જોગીઘોપા, બ્રહ્મપુત્રા નદી પર બે નવા પુલ અને ઉત્તરપૂર્વમાં 18 જળમાર્ગો જેવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સે પ્રદેશમાં નવી શક્યતાઓ ઊભી કરી છે. તેમણે UNNATI સ્કીમનો પણ ઉલ્લેખ કર્યો જે છેલ્લી કેબિનેટ બેઠકમાં વિસ્તૃત અવકાશ સાથે નવા સ્વરૂપમાં મંજૂર કરવામાં આવી હતી. કેબિનેટે જ્યુટ માટે એમએસપીમાં પણ વધારો કર્યો છે જેનાથી રાજ્યના શણના ખેડૂતોને ફાયદો થશે.

 

પ્રધાનમંત્રીએ લોકોના પ્રેમ અને સ્નેહ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે દરેક ભારતીય તેમનો પરિવાર છે. "લોકોનો પ્રેમ મોદી પર માત્ર એટલા માટે નથી કે તેઓ માને છે કે ભારતના 140 કરોડ નાગરિકો તેમનો પરિવાર છે, પરંતુ તેઓ રાત-દિવસ તેમની સેવા કરી રહ્યા છે", પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ આ માન્યતાને રજૂ કરે છે. તેમણે ‘ભારત માતા કી જય’ના નારા સાથે આજના વિકાસ પ્રોજેક્ટ માટે નાગરિકોને અભિનંદન આપીને સમાપન કર્યું હતું.

આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમા અને કેન્દ્રીય મંત્રી શ્રી સર્વનદા સોનોવાલ સહિતના લોકો હાજર હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તર ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી વિકાસ પહેલ (PM-DevINE) યોજના હેઠળ શિવસાગર ખાતે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને ગુવાહાટીમાં હેમેટો-લિમ્ફોઇડ સેન્ટર સહિતની યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે દિગ્બોઈ રિફાઈનરીની ક્ષમતા 0.65થી 1 MMTPA (વાર્ષિક મિલિયન મેટ્રિક ટન) સુધી વિસ્તરણ સહિત તેલ અને ગેસ ક્ષેત્રના મહત્વના પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ પણ કર્યો હતો. ગુવાહાટી રિફાઈનરી વિસ્તરણ (1.0 થી 1.2 MMTPA) સાથે કેટાલિટીક રિફોર્મિંગ યુનિટ (CRU); અને બેટકુચ્ચી (ગુવાહાટી) ટર્મિનલ ખાતે સુવિધાઓની વૃદ્ધિ: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ સહિતના પ્રોજેક્ટ સામેલ છે. 

 

પ્રધાનમંત્રીએ તિનસુકિયા ખાતે નવી મેડિકલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જેવા રાષ્ટ્રને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સમર્પિત કર્યા; અને 718 કિમી લાંબી બરૌની - ગુવાહાટી પાઈપલાઈન (પ્રધાનમંત્રી ઊર્જા ગંગા પ્રોજેક્ટનો ભાગ) લગભગ રૂ. 3,992 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કુલ રૂ. 8,450 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PMAY-G) હેઠળ લગભગ 5.5 લાખ ઘરોનું ઉદ્ઘાટન પણ કર્યું;

પ્રધાનમંત્રીએ ધૂપધારા-છાયગાંવ સેક્શન (નવા બોંગાઈગાંવ-ગુવાહાટી વાયા ગોલપારા ડબલિંગ પ્રોજેક્ટનો ભાગ) અને ન્યૂ બોંગાઈગાંવ-સોરભોગ સેક્શન (નવા બોંગાઈગાંવ-અઠથોરી ડબલિંગ પ્રોજેક્ટનો ભાગ) સહિત આસામમાં રૂ. 1300 કરોડથી વધુ મૂલ્યની મહત્ત્વની રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરી.

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event

Media Coverage

‘Modiji, Aap Ka Aura Hi Alag Hai’: Gen Z ‘Friends’ Click With PM At Vadodara Event
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the value and transformative power of knowledge
September 09, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting that wisdom teaches the art of living in harmony with society. He said that knowledge imparts wisdom and prosperity, fills the heart with joy and enhances one’s dignity.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”

The Subhashitam conveys that wisdom teaches the art of living in harmony with society. It grants knowledge and prosperity, fills the heart with joy, and raises one's dignity. Thus, wisdom is as precious as service to righteous governance, beloved by the heart, and a force that uplifts life.

The Prime Minister wrote on X;

“उपदिशति लोकवृत्तं वितरति वित्तं विनोदयति चित्तम्।

उत्तम्भयति महत्त्वं विद्या हृद्या सुराजसेवेव॥”