નેશનલ લર્નિંગ વીક દરમિયાન નવા શિક્ષણથી 2047 સુધીમાં વિકસિત ભારતનું અમારું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ મળશે: પીએમ
પીએમએ નવીન વિચારસરણી અને નાગરિક-કેન્દ્રિત અભિગમને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
પીએમએ સિવિલ સર્વિસીસ પ્રશિક્ષણ સંસ્થાઓને વાતચીત કરવા, એકબીજા પાસેથી શીખવા અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા વિનંતી કરી
મહત્વાકાંક્ષી ભારતની પ્રગતિ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સફળતાપૂર્વક ઉપયોગ કરવાથી પરિવર્તનકારી બદલાવ થઈ શકે છે: પીએમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે 'કર્મયોગી સપ્તાહ' – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષમાં સરકારની માનસિકતા બદલવા માટે લેવામાં આવેલા પગલાંની ચર્ચા કરી હતી, જેની અસર અત્યારે લોકો અનુભવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, સરકારમાં કામ કરતા લોકોનાં પ્રયાસો અને મિશન કર્મયોગી જેવા પગલાઓની અસરને કારણે આ શક્ય બન્યું છે.

 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને એક તક તરીકે જુએ છે, ત્યારે ભારત માટે તે એક પડકાર અને તક બંને પ્રસ્તુત કરે છે. તેમણે બે એઆઈ વિશે વાત કરી હતી, એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજો મહત્વાકાંક્ષી ભારત. પ્રધાનમંત્રીએ બંને વચ્ચે સંતુલન જાળવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, જો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સફળતાપૂર્વક ઉપયોગ કરીને મહત્ત્વાકાંક્ષી ભારતની પ્રગતિને વેગ આપીશું, તો તેનાથી પરિવર્તનલક્ષી પરિવર્તન આવી શકે છે.

પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ડિજિટલ ક્રાંતિ અને સોશિયલ મીડિયાની અસરને કારણે માહિતીની સમાનતા એક સામાન્ય બાબત બની ગઈ છે. એઆઈ સાથે, ઇન્ફર્મેશન પ્રોસેસિંગ પણ એટલું જ સરળ બની રહ્યું છે, જે નાગરિકોને માહિતગાર બનાવે છે અને તેમને સરકારની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સશક્ત બનાવે છે. તેથી, સનદી અધિકારીઓએ પોતાને નવીનતમ તકનીકી વિકાસથી વાકેફ રાખવાની જરૂર છે જેથી વધતા જતા ધોરણોને પહોંચી વળવા માટે, જેમાં મિશન કર્મયોગી મદદરૂપ સાબિત થઈ શકે.

 

તેમણે નવીન વિચારસરણી અને નાગરિક-કેન્દ્રિત અભિગમને અનુસરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નવા વિચારો મેળવવા માટે સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ એજન્સીઓ અને યુવાનોની મદદ લેવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિભાગોને પ્રતિસાદ મિકેનિઝમની સિસ્ટમ રાખવા વિનંતી કરી.

પ્રધાનમંત્રીએ આઇજીઓટી પ્લેટફોર્મની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્લેટફોર્મ પર 40 લાખથી વધારે સરકારી કર્મચારીઓએ નોંધણી કરાવી છે. 1400થી વધુ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અને વિવિધ અભ્યાસક્રમોમાં પૂર્ણ થવાના 1.5 કરોડથી વધુ પ્રમાણપત્રો અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થયા છે.

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સિવિલ સર્વિસીસ તાલીમ સંસ્થાઓ સાઇલોમાં કામ કરવાનો ભોગ બની છે. તેમણે કહ્યું કે અમે તેમની વચ્ચે ભાગીદારી અને સહયોગ વધારવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તાલીમ સંસ્થાઓને સંચારની યોગ્ય ચેનલો સ્થાપિત કરવા, એકબીજા પાસેથી શીખવા, ચર્ચા કરવા અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા તથા સંપૂર્ણ સરકારી અભિગમ વિકસાવવા અપીલ કરી હતી.

મિશન કર્મયોગીની શરૂઆત સપ્ટેમ્બર 2020માં કરવામાં આવી હતી, જેમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે ભારતીય નૈતિકતામાં મૂળ ધરાવતી ભવિષ્ય માટે તૈયાર નાગરિક સેવાની કલ્પના કરવામાં આવી હતી. નેશનલ લર્નિંગ વીક (એનએલડબલ્યુ) સિવિલ સર્વન્ટ્સ માટે વ્યક્તિગત અને સંગઠનાત્મક ક્ષમતાના વિકાસ માટે નવી ગતિ પ્રદાન કરશે, જે "એક સરકાર" સંદેશનું સર્જન કરશે અને દરેકને રાષ્ટ્રીય લક્ષ્યાંકો સાથે સાંકળશે અને આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation

Media Coverage

India’s AI moment: Sarvam turns unicorn at $1.5 billion valuation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust: PM Modi at G7 Summit in Evian, France
June 16, 2026

राष्ट्रपति मैक्रों,
Your Excellencies,

नमस्कार!

G-7 समिट में हमारे गर्मजोशी भरे स्वागत के लिए मैं राष्ट्रपति मैक्रों का हार्दिक आभार व्यक्त करता हूँ।

Friends,

आज का विश्व पहले से कहीं अधिक inter-connected और inter-dependent है। किसी भी देश की ऊर्जा सुरक्षा, खाद्य सुरक्षा, स्वास्थ्य सुरक्षा, साइबर सुरक्षा और आर्थिक समृद्धि केवल उसकी सीमाओं के भीतर तय नहीं होती। Mobility, data, capital, technology, ये सभी हमें आपस में जोड़ते हैं।

ऐसे समय में Partnerships का महत्व स्वाभाविक रूप से बढ़ जाता है। लेकिन साझेदारियाँ तभी सफल होती हैं जब उनके केंद्र में विश्वास हो। आज सबसे महत्वपूर्ण Strategic Asset कोई mineral, technology या market नहीं, बल्कि आपसी विश्वास है।

विश्वास कि टेक्नॉलजी और supply chains को हथियार के रूप में नहीं, global good के लिए इस्तेमाल किया जाएगा। विश्वास कि विकास के अवसर कुछ देशों तक सीमित नहीं रहेंगे। विश्वास कि वैश्विक संस्थान सभी देशों की आकांक्षाओं को पूरा करने में सक्षम होंगे।

Friends,

पिछली सदी में मानवता को दो विश्व युद्धों से गुज़रना पड़ा। अनेक बलिदानों के बाद विश्व समुदाय ने शांति, स्थिरता और समृद्धि की ओर बढ़ने के लिए व्यवस्थाएं विकसित की। इन व्यवस्थाओं का आधार भी trust ही था।

किन्तु अनेक दशकों से, अनेक पीढ़ियों के योगदान से बनाए गए विश्वास को आज चोट पहुँच रही है। कोविड ने हमें आईना दिखाया कि trust और solidarity के दावे कितने खोखले थे।

Today the world does not suffer from a shortage of resources; it suffers from a shortage of trust. And the future of our partnerships depends on building this trust.

अमेरिका के राष्ट्रपति रोनल्ड रेगन ने कहा था: Trust but Verify. यह आज के समय में भी प्रासंगिक है। भावी पीढ़ियों के प्रति हमारा दायित्व है कि हम नए युग के अनुरूप trusted rules based order का निर्माण करें।

Friends,

भारत ने सदैव विश्व को एक परिवार के रूप में देखा है। हमारे सभी प्रयास “सर्वजन हिताय, सर्वजन सुखाय” यानि, welfare and happiness for all के मूल सिद्धांत पर आधारित रहे हैं।

भारत का अनुभव दिखाता है कि विकास सबसे अधिक प्रभावी तब होता है जब वह लोगों की आकांक्षाओं से जुड़ा हो। यही सिद्धांत हमारी अंतरराष्ट्रीय साझेदारियों का भी आधार है। इसी सोच के साथ भारत ने International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure, ग्लोबल बायोफ्यूल्स एलायंस, Mission LiFE, और “एक पेड़ माँ के नाम” जैसी वैश्विक पहलों को आगे बढ़ाया है।

संकट के समय भारत ने First Responder के रूप में सभी देशों की सहायता करना अपना दायित्व समझा है। कोविड महामारी के दौरान भारत ने डेढ़ सौ से अधिक देशों को दवाइयाँ और vaccines उपलब्ध कराईं।

श्रीलंका में cyclone हो, अफगानिस्तान में भूकंप हो, मोज़ाम्बिक में floods हों, या क्यूबा और जमैका में hurricane, भारत ने सदैव "Humanity First" के सिद्धांत पर कार्य किया है। हमारी विकास साझेदारियाँ भी इसी भावना को प्रतिबिंबित करती हैं। हमारे प्रयास पार्टनर देशों में capacity building और कौशल विकास पर केन्द्रित रहे हैं।

भारत का मानना है: The true test of partnership is not what we build for others, but what we enable others to build for themselves.

Friends,

आज ग्लोबल साउथ की विश्व समुदाय से बहुत उम्मीदें हैं। किन्तु उनकी अपेक्षा सहारे की नहीं, साथ की है। वे वैश्विक विकास के लाभार्थी नहीं, उसके भागीदार बनना चाहते हैं।

हमें donor–recipient की सोच से आगे बढ़कर, equal पार्टनर्स के रूप में काम करना होगा। उनके पास-पास नहीं, साथ-साथ चलना होगा। साझेदारी को dependency के बजाय, dignity से जोड़ना होगा। इन प्रयासों से हम भावी पीढ़ियों के सतत विकास की मजबूत नींव रख सकेंगे।

Friends,

अंतरराष्ट्रीय साझेदारियाँ और वैश्विक एकजुटता तभी सार्थक बन सकती हैं, जब हम साझा चुनौतियों का मिलकर समाधान करें। भारत का दृढ विश्वास है कि विश्व के विभिन्न हिस्सों में चल रहे तनावों और युद्धों का स्थायी समाधान dialogue, diplomacy और अंतरराष्ट्रीय सहयोग के मार्ग से ही संभव है।

हम west asia में शांति प्रयासों में हुई प्रगति का स्वागत करते हैं। इस संघर्ष से west asia में हमारे मित्र देशों को जान-माल का नुकसान झेलना पड़ा है। होर्मुज़ स्ट्रेट में maritime ट्रेड में आई बाधा के कारण पूरे विश्व की अर्थव्यवस्था को नुकसान पहुंचा। भारत के कई civilians को जान गंवानी पड़ी। Global maritime ट्रेड के माध्यम से सभी देशों को आपस में जोड़ने वाले नाविकों की सुरक्षा हमारा दायित्व है। हमें यह सुनिश्चित करना होगा कि समुद्री मार्ग सुरक्षित रहें, और Seafarers बिना भय के अपना कार्य कर सकें।

Friends,

भारत इन विषयों पर सभी पार्टनर्स के साथ मिलकर काम करने के लिए पूरी तरह से तैयार है।

बहुत-बहुत धन्यवाद।