Inspired by Pt. Deendayal Upadhyaya, 21st century India is working for Antyodaya: PM Modi
Our government has given top priority to roads, highways, waterways, railways, especially regarding infrastructure: PM
Our government is working to reach the last person in the society, to bring the benefits of development to them: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને દેશને દીનદયાળ ઉપાધ્યાય સ્મારક અર્પણ કર્યું હતું. તેમણે ત્રીજી કૉર્પોરેટ ટ્રેન મહાકાલ એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી, જે 3 જ્યોતિર્લિંગ યાત્રાધામો – વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડે છે.

તેમણે 36 વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં 430 બેડ ધરાવતી સુપર-સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલ અને 14 વિકાસલક્ષી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત સામેલ છે.

વારાણસીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેમોરેયિલ સેન્ટરમાં એકત્ર થયેલા લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારનું નામ ‘પડાવ’ એનું મહત્ત્વ વધારે છે, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં સ્મૃતિ સ્થળ સાથે જોડાઈ ગયું છે. એને તબક્કાવાર રીતે વિકસાવવામાં આવશે, જ્યાં સેવા, ત્યાગ, ન્યાય અને જાહેર સેવાનો સમન્વય થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સ્મૃતિ સ્થળ અને અહીં નિર્માણ પામેલા બગીચા સાથે અહીં નિર્માણ થયેલી ભવ્ય પ્રતિમા દીનદયાળજીનાં સિદ્ધાંતો અને વિચારોને અનુસરવા આગામી પેઢીઓને સતત પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દીનદયાળ ઉપાધ્યાયજીએ આપણને અંત્યોદયને માર્ગ દર્શાવ્યો હતો, જેમાં સમાજનાં છેવાડાનાં માણસનાં ઉત્થાનની વાત થઈ છે. આ વિચારમાંથી પ્રેરણા મેળવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીનું ભારત અંત્યોદય માટે કામ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પવિત્ર પ્રસંગે આશરે રૂ. 1250 કરોડનાં પ્રોજેક્ટ શરૂ થયા છે, જેનાથી વારાણસી સહિત સંપૂર્ણ પૂર્વાંચલને લાભ થશે. તેમણે કહ્યું હતું કે, “આ તમામ પ્રોજેક્ટ છેલ્લાં 5 વર્ષ માટે કાશી સહિત સંપૂર્ણ પૂર્વાંચલની કાયાકલ્પ કરવાનાં દ્રઢ સંકલ્પનો ભાગ છે. આ વર્ષોમાં વારાણસી જિલ્લામાં આશરે રૂ. 25,000 કરોડનાં વિકાસલક્ષી કાર્યો પૂર્ણ થયા છે અથવા તેની કામગીરી ચાલી રહી છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર માર્ગો, રાજમાર્ગો, જળમાર્ગો, રેલવે, ખાસ કરીને માળખાગત સુવિધાને પ્રાથમિકતા આપી રહી છે. તેમણે કહ્યું હતું કે, “આ વિકાસલક્ષી કાર્યો દેશને પ્રગતિનાં પંથે લઈ જવાની સાથે રોજગારીની તકોનું સર્જન પણ કરશે, ખાસ કરીને પ્રવાસન-આધારિત રોજગારીને, જે કાશી અને એની આસપાસનાં વિસ્તારોમાં બહુ મોટી સંભવિતતા ધરાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ અહીં આવ્યાં હતાં અને તેમને દિવ્ય અનુભવ થયો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પવિત્ર પ્રસંગે કાશી-મહાકાલ એક્સપ્રેસ બાબા વિશ્વનાથનાં શહેરને ઓમકારેશ્વર અને મહાકાલેશ્વરને જોડશે. પ્રધાનમંત્રીએ આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમણે વર્ષ 2016નાં બીજા અર્ધવાર્ષિક ગાળામાં બીએચયુમાં સુપર-સ્પેશિયાલ્ટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેનું આજે તેમણે ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે,.

 “ફક્ત 21 મહિનામાં આ 430-બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે, જે કાશી અને પૂર્વાંચલનાં લોકોની સેવા કરવા તૈયાર થઈ ગઈ છે.” દીનદયાળજીના વિચારોને અનુરૂપ સ્વનિર્ભરતા અને સ્વયંસહાય તમામ યોજનાઓનાં કેન્દ્રમાં રાખવામાં આવે છે એવો અભિપ્રાય વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ અને સરકારની કાર્યશૈલીમાં આ વિચારોને લાવવા સતત પ્રયાસો થઈ રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, સરકાર સમાજનાં છેવાડાનાં માણસ સુધી પહોંચવા સતત કાર્યરત છે, જેથી વિકાસનાં મીઠા ફળનો લાભ તેમને પણ મળે. તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે સંજોગો બદલાયા છે અને સમાજનાં છેવાડાના માણસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India drives iPhone production: Apple exceeds iPhone production target under PLI scheme by 80%

Media Coverage

India drives iPhone production: Apple exceeds iPhone production target under PLI scheme by 80%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reflects on Navratri’s journey of unwavering faith
March 21, 2026

Prime Minister Shri Narendra Modi shared his reflections today on the spiritual significance of the holy festival of Navratri, highlighting the transformative power of faith in the Mother Goddess.Shri Modi shared a devotional hymn dedicated to the Goddess on this occasion.

The Prime Minister wrote on X:

"जगतजननी माता पर अटूट विश्वास उनके भक्तों में नई चेतना और स्फूर्ति का संचार करने वाला है।"