કર્તવ્ય ભવન જાહેર સેવા પ્રત્યેની આપણી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી
પીએમએ પરિસરમાં છોડ પણ વાવ્યા; પર્યાવરણને અનુકૂળ બાંધકામ પર પ્રકાશ પાડ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, તેને જાહેર સેવા પ્રત્યેના અતૂટ સંકલ્પ અને સતત પ્રયાસોનું પ્રતીક ગણાવ્યું હતું.

 

તેમણે જણાવ્યું હતું કે કર્તવ્ય ભવન ફક્ત નીતિઓ અને યોજનાઓના ઝડપી વિતરણમાં મદદ જ નહીં કરે, પરંતુ રાષ્ટ્રના વિકાસને નવી ગતિ પણ આપશે.

શ્રી મોદીએ કહ્યું હતું કે કર્તવ્ય ભવન વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે, રાષ્ટ્ર આપણા શ્રમયોગીઓની અથાગ મહેનત અને નિશ્ચયનું સાક્ષી બન્યું છે જેમણે તેને આકાર આપ્યો છે. તેમણે તેમની સાથે વાતચીત કરતી વખતે ખુશી પણ વ્યક્ત કરી હતી.

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ઇમારત પર્યાવરણીય સંરક્ષણ પર સંપૂર્ણ ધ્યાન આપીને વિકસાવવામાં આવી છે.

 

આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કર્તવ્ય ભવનના પરિસરમાં એક છોડ પણ વાવ્યો હતો.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું;

“कर्तव्य पथ पर कर्तव्य भवन जन-जन की सेवा के प्रति हमारे अटूट संकल्प और निरंतर प्रयासों का प्रतीक है। यह ना केवल हमारी नीतियों और योजनाओं को लोगों तक तेजी से पहुंचाने में मददगार बनने वाला है, बल्कि इससे देश के विकास को भी एक नई गति मिलेगी। अत्याधुनिक इंफ्रास्ट्रक्चर की मिसाल बने इस भवन को राष्ट्र को समर्पित कर बहुत ही गौरवान्वित हूं।”

 

“कर्तव्य भवन विकसित और आत्मनिर्भर भारत के निर्माण के लिए हमारी प्रतिबद्धता को दर्शाता है। इसे गढ़ने वाले हमारे श्रमयोगियों की अथक मेहनत और संकल्प-शक्ति का आज देश साक्षी बना है। उनसे संवाद कर अत्यंत प्रसन्नता हुई है।”

 

“कर्तव्य भवन के निर्माण में पर्यावरण संरक्षण का पूरा ध्यान रखा गया है, जिसके लिए हमारा देश संकल्पबद्ध है। आज इसके प्रांगण में एक पौधा लगाने का भी सुअवसर मिला।” 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળના બહાદુર સહભાગીઓને શ્રદ્ધાંજલિ આપી
August 09, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કર્યા અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમની હિંમત અને દૃઢ નિશ્ચયને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કરીને તેમની હિંમત હંમેશા દરેક ભારતીય માટે પ્રેરણારૂપ રહેશે. મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી આપણા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.”