વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા
કાકરાપાર અણુ વિદ્યુત મથક પર બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટરનું લોકાર્પણ કર્યું: કેએપીએસ-3 અને કેએપીએસ-4
નવસારીમાં પીએમ મિત્રા પાર્કના નિર્માણની કામગીરી શરૂ
સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
માર્ગ, રેલ શિક્ષણ અને પાણી પુરવઠાની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
"નવસારીમાં હોવું એ હંમેશાં એક મહાન લાગણી હોય છે. વિવિધ પરિયોજનાઓના ઉદઘાટન અને લોકાર્પણથી ગુજરાતની વિકાસયાત્રા વધુ મજબૂત બનશે"
"મોદીની ગેરંટી શરૂ થાય છે જ્યાંથી અન્ય લોકો પાસેથી આશાનું અસ્તિત્વ સમાપ્ત થાય છે"
"ગરીબ હોય કે મધ્યમ વર્ગ, ગ્રામીણ હોય કે શહેરી, અમારી સરકારનો પ્રયાસ દરેક નાગરિકનું જીવનધોરણ સુધારવાનો છે"
"આજે દેશનાં નાનાં શહેરોમાં પણ ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે"
"આજે, વિશ્વ ડિજિટલ ઇન્ડિયાને ઓળખે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં નવસારી ગુજરાતમાં રૂ. 47,000 કરોડથી વધુની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં વીજ ઉત્પાદન, રેલ, રોડ, ટેક્સટાઇલ, શિક્ષણ, પાણી પુરવઠો, કનેક્ટિવિટી અને શહેરી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં આ તેમનો ત્રીજો કાર્યક્રમ છે અને તેમણે દિવસની શરૂઆતમાં ગુજરાતનાં પશુપાલક (પશુપાલકો) અને ડેરી ઉદ્યોગનાં હિતધારકોની સાથે હોવાનું યાદ કર્યું હતું. તેમણે મહેસાણાના વાલીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હવે હું અહીં નવસારીમાં વિકાસનાં આ મહોત્સવમાં સહભાગી થઈ રહ્યો છું." આ પ્રસંગે ઉપસ્થિત લોકોને તેમનાં મોબાઇલ ફોનમાં ફ્લેશલાઇટ ચાલુ કરવા અને વિકાસનાં આ મહાન પર્વનો હિસ્સો બનવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ટેક્સટાઇલ, ઇલેક્ટ્રિસિટી અને શહેરી વિકાસનાં ક્ષેત્રોમાં વડોદરા, નવસારી, ભરૂચ અને સુરત માટે રૂ. 40,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં આજનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે નાગરિકોને અભિનંદન આપ્યાં હતાં.

 

મોદી કી ગેરંટીને લઈને ચાલી રહેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ પોતાના દ્વારા આપવામાં આવેલી ગેરન્ટીની પૂર્ણતાની નિશ્ચિતતા પર ભાર મૂક્યો હતો, જે હકીકત ગુજરાતની જનતાને લાંબા સમયથી ખબર છે. તેમણે 'ફાઇવ એફ'ને યાદ કર્યું, જેના વિશે તેઓ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન વાત કરતા હતા - ફાર્મ, ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરેન. તેમણે જણાવ્યું હતું કે, તેનું લક્ષ્ય ટેક્સટાઇલ્સની સંપૂર્ણ સપ્લાય અને વેલ્યુ ચેઇન રાખવાનું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે સિલ્ક સિટી સુરતનું નવસારી સુધી વિસ્તરણ થઈ રહ્યું છે." આ ક્ષેત્રમાં સૌથી વધુ ઉત્પાદન અને નિકાસકારો સાથે સ્પર્ધા કરવાની ભારતની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો. ગુજરાતનાં ટેક્સટાઇલ ઉદ્યોગની ભૂમિકા પર પ્રકાશ પાડતાં પ્રધાનમંત્રીએ સુરતમાં ઉત્પાદિત ટેક્સટાઇલ્સની વિશિષ્ટ ઓળખ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મિત્ર પાર્કનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાથી સંપૂર્ણ વિસ્તારનો ચહેરો બદલાઈ જશે, જ્યાં ફક્ત રૂ. 3,000 કરોડનું રોકાણ તેના નિર્માણમાં થશે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મિત્રા પાર્ક કટિંગ, વણાટ, જીનિંગ, ગારમેન્ટ્સ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને ટેક્સટાઇલ મશીનરી જેવી પ્રવૃત્તિઓ માટે વેલ્યુ-ચેઇન ઇકોસિસ્ટમ ઊભી કરશે, ત્યારે રોજગારીને પણ પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ પાર્ક કામદારો માટે મકાનો, લોજિસ્ટિક્સ પાર્ક, વેરહાઉસિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ તથા તાલીમ અને કૌશલ્ય વિકાસ માટેની સુવિધાઓથી સજ્જ હશે.

રૂ. 800 કરોડથી વધારેનાં મૂલ્યનાં તાપી નદી બેરેજનાં શિલાન્યાસનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરતમાં પાણી પુરવઠા સાથે સંબંધિત સમસ્યાઓનું સંપૂર્ણપણે સમાધાન કરવામાં આવશે, ત્યારે પૂર જેવી સ્થિતિને અટકાવવામાં પણ મદદ મળશે.

રોજબરોજના જીવનમાં તેમજ ઔદ્યોગિક વિકાસમાં વીજળીનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ગુજરાતમાં 20-25 વર્ષ અગાઉનાં એ સમયનું ધ્યાન દોર્યું હતું, જ્યારે વીજળીમાં અવારનવાર કાપ મૂકવામાં આવતો હતો. શ્રી મોદીએ જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં હતાં, ત્યારે તેમની સામે રહેલાં પડકારો પર પણ પ્રકાશ પાડ્યો હતો તથા કોલસા અને ગેસની આયાતને મુખ્ય અવરોધો ગણાવ્યાં હતાં. તેમણે જળવિદ્યુત પેદા કરવાની લઘુતમ સંભાવનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રાજ્યને વીજળી ઉત્પાદનની કટોકટીમાંથી બહાર કાઢવાના સરકારના પ્રયાસોની ઊંડી સમજ આપતાં "મોદી હૈ તો મુમકીન હૈ"નું ઉદ્ગાર કાઢ્યું હતું, જેમાં તેમણે અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને સૌર અને પવન ઊર્જાના ઉત્પાદન તરફ આગળ વધવાનો ઉલ્લેખ કર્યો હતો, જે આજે ગુજરાતમાં મોટા પાયે વીજળી ઉત્પન્ન થાય છે.

 

વીજળીનાં પરમાણુ ઉત્પાદનનું વિસ્તૃત વિવરણ કરતાં પ્રધાનમંત્રીએ કાકરાપાર પરમાણુ ઊર્જા સ્ટેશન (કેએપીએસ) એકમ 3 અને એકમ 4 પર બે નવા સ્વદેશી દબાણયુક્ત હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) વિશે વાત કરી હતી, જેનું આજે દેશને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ રિએક્ટર આત્મનિર્ભર ભારતનાં ઉદાહરણો છે અને ગુજરાતનાં વિકાસમાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ વિકસતા આધુનિક માળખાગત સુવિધાઓ સાથે દક્ષિણ ગુજરાતના અભૂતપૂર્વ વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉપસ્થિત જનમેદનીને પ્રધાનમંત્રી સૂર્યાઘર યોજના વિશે જણાવ્યું હતું, જે ન માત્ર કુટુંબોનાં ઊર્જા બિલોમાં ઘટાડો કરશે, પણ આવક પેદા કરવાનું માધ્યમ પણ બનશે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેન આ વિસ્તારમાંથી પસાર થશે, કારણ કે આ વિસ્તાર દેશનાં મોટાં ઔદ્યોગિક કેન્દ્રો-મુંબઈ અને સુરતને જોડશે.

"નવસારીને હવે તેના ઔદ્યોગિક વિકાસ માટે માન્યતા મળી રહી છે." પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નવસારી સહિત સમગ્ર પશ્ચિમ ગુજરાત તેની કૃષિ પ્રગતિ માટે જાણીતું છે. આ વિસ્તારમાં ખેડૂતોને લાભ પ્રદાન કરવા માટે સરકારનાં પ્રયાસો વિશે બોલતાં શ્રી મોદીએ ફળોની ખેતીનાં ઉદય પર પ્રકાશ પાડ્યો હતો તથા નવસારીનાં કેરી અને ચીકુ (સાપોડિલ્લા)ની જગવિખ્યાત હાપુસ અને વલસરી જાતોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ રૂ. 350 કરોડથી વધારેની નાણાકીય સહાય મળી છે.

પ્રધાનમંત્રીએ યુવાનો, ગરીબો, ખેડૂતો અને મહિલાઓને સશક્ત બનાવવાની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે બાંયધરી ફક્ત યોજનાઓ બનાવવાથી આગળ વધે છે પરંતુ સંપૂર્ણ કવરેજની ખાતરી કરવા સુધી વિસ્તૃત છે.

આદિવાસી અને દરિયાકિનારાનાં ગામડાંઓની અગાઉની ઉપેક્ષાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સરકારે ઉમરગામથી અંબાજી સુધીનાં વિસ્તારમાં તમામ મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરી છે. રાષ્ટ્રીય સ્તરે પણ, 100 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓ, જે વિકાસના માપદંડોમાં પાછળ રહી ગયા હતા, તેઓ દેશના બાકીના ભાગો સાથે આગળ વધી રહ્યા છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદીની ગેરંટીની શરૂઆત થાય છે, જ્યાંથી અન્ય લોકો પાસેથી આશાનું અસ્તિત્વ બંધ થઈ જાય છે." તેમણે ગરીબો માટે પાકા મકાનો માટે મોદીની ગેરંટી, મફત રાશન યોજના, વીજળી, નળવાળું પાણી અને ગરીબો, ખેડૂતો, દુકાનદારો અને મજૂરો માટે વીમા યોજનાઓની ખાતરીઓ આપી હતી. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "આજે આ વાસ્તવિકતા છે, કારણ કે આ મોદીની ગેરન્ટી છે."

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાના મહત્વના મુદ્દાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ આ રોગને નાબૂદ કરવા માટે રાષ્ટ્રીય સ્તરે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના મુખ્યમંત્રીના દિવસો દરમિયાન સિકલ સેલ એનિમિયાને પહોંચી વળવા માટે રાજ્યના સક્રિય પગલાંની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ રોગનો અસરકારક રીતે સામનો કરવા માટે વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસોની પણ યાદી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, "અમે હવે સિકલ સેલ એનિમિયાથી મુક્તિ આપવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ કર્યું છે," પ્રધાનમંત્રી મોદીએ દેશભરના આદિવાસી વિસ્તારોમાંથી રોગને નાબૂદ કરવાના હેતુથી સરકારની વ્યાપક પહેલની રૂપરેખા આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, "આ મિશન હેઠળ, દેશવ્યાપી આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયા માટે સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે." તેમણે આદિજાતિ વિસ્તારોમાં આગામી મેડિકલ કોલેજોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ સર્વસમાવેશક વિકાસ માટે સરકારની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં કહ્યું હતું કે, "ગરીબ હોય કે મધ્યમ વર્ગ, ગ્રામીણ હોય કે શહેરી, અમારી સરકારનો પ્રયાસ દરેક નાગરિક માટે જીવનધોરણ સુધારવાનો છે." અગાઉના સમયમાં આર્થિક સ્થિરતાને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આર્થિક સ્થિરતાનો અર્થ એ થયો કે દેશ પાસે મર્યાદિત નાણાકીય સંસાધનો છે." આ સમયગાળા દરમિયાન ગ્રામીણ અને શહેરી વિકાસ પર વિપરીત અસર પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર વર્ષ 2014માં 11મા ક્રમથી આગળ વધીને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, એનો અર્થ એ થયો કે, અત્યારે ભારતનાં નાગરિકો પાસે ખર્ચ કરવા માટે વધારે નાણાં છે અને એટલે ભારત તેનો ખર્ચ કરી રહ્યું છે. એટલા માટે આજે દેશના નાના શહેરોમાં પણ ઉત્તમ કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે નાનાં શહેરી કેન્દ્રો અને 4 કરોડ પાકા મકાનોમાંથી હવાઈ સફરની સુલભતાનો ઉલ્લેખ કર્યો હતો.

ડિજિટલ ઇન્ડિયા પહેલની સફળતા અને અવકાશ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે દુનિયા ડિજિટલ ઇન્ડિયાને ઓળખે છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતગમતનાં ક્ષેત્રમાં નવા સ્ટાર્ટ-અપ્સ અને યુવાનોનાં ઉદય સાથે ડિજિટલ ઇન્ડિયાએ નાનાં શહેરોની કાયાપલટ કરી છે. તેમણે આવા નાનાં શહેરોમાં નવ-મધ્યમ વર્ગના ઉદભવ પર ભાર મૂક્યો હતો, જે ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ દોરી જશે.

પ્રધાનમંત્રીએ વિકાસ અને વારસાને પ્રાથમિકતા આપવા પર સરકારનાં ભાર પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે, આ ક્ષેત્ર ભારતનાં વિશ્વાસ અને ઇતિહાસનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે, પછી ભલે તે સ્વતંત્રતાની ચળવળ હોય કે રાષ્ટ્રનિર્માણ. તેમણે સગાવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારના રાજકારણને કારણે આ પ્રદેશના વારસા પ્રત્યેની ઉપેક્ષા અંગે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. ઊલટાનું પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની સમૃદ્ધ વિરાસતનો પડઘો આજે સમગ્ર વિશ્વમાં સંભળાય છે. તેમણે દાંડી મીઠા સત્યાગ્રહના સ્થળે દાંડી સ્મારકના વિકાસ અને સરદાર પટેલના યોગદાનને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો.

 

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષ માટે દેશનાં વિકાસનો રોડમેપ તૈયાર થઈ ગયો છે. પીએમ મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, "આ 25 વર્ષોમાં અમે એક વિકસિત ગુજરાત અને એક વિકસિત ભારત બનાવીશું."

આ પ્રસંગે ગુજરાત સરકારના કેટલાક સાંસદો, ધારાસભ્યો અને મંત્રીઓ સહિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શ્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.

પાર્શ્વ ભાગ

પ્રધાનમંત્રીએ વડોદરા મુંબઈ એક્સપ્રેસ-વેનાં વિવિધ પેકેજીસ સહિત કેટલીક વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. ભરૂચ, નવસારી અને વલસાડમાં બહુવિધ માર્ગ પરિયોજનાઓ; તાપીમાં ગ્રામીણ પીવાના પાણી પુરવઠા યોજના; ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજના, વગેરે. પ્રધાનમંત્રીએ નવસારીમાં પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્કનાં નિર્માણ માટે કામ શરૂ કરવાની શરૂઆત પણ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ભરૂચ-દહેજ એક્સેસ કંટ્રોલેડ એક્સપ્રેસવેના નિર્માણ સહિતની મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સ; વડોદરામાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર; સુરત, વડોદરા અને પંચમહાલમાં રેલવે ગેજ કન્વર્ઝન માટેના પ્રોજેક્ટ્સ; ભરૂચ, નવસારી અને સુરતમાં બહુવિધ માર્ગ પરિયોજનાઓ; વલસાડમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ, શાળા અને છાત્રાલયનું નિર્માણ તથા નર્મદા જિલ્લામાં અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીનાં કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કાકરાપાર અણુ વિદ્યુત મથક (કેએપીએસ) યુનિટ 3 અને યુનિટ 4 ખાતે બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ (પીએચડબલ્યુઆર) દેશને સમર્પિત કર્યા હતા. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઇએલ) દ્વારા રૂ. 22,500 કરોડથી વધારેનાં ખર્ચે નિર્મિત કેએપીએસ-3 અને કેએપીએસ-4 પ્રોજેક્ટ્સની સંચિત ક્ષમતા 1400 (700*2) મેગાવોટ છે અને તે સૌથી મોટી સ્વદેશી પીએચડબલ્યુઆર છે. તે આ પ્રકારના પ્રથમ રિએક્ટર્સ છે અને અદ્યતન સલામતી સુવિધાઓ સાથે વિશ્વના શ્રેષ્ઠ સાથે સરખાવી શકાય છે. આ બંને રિએક્ટર મળીને દર વર્ષે લગભગ 10.4 અબજ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરશે અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા અનેક રાજ્યોના ગ્રાહકોને લાભ આપશે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This is the New India that leaves no stone unturned for development: PM Modi
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!