પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10 સપ્ટેમ્બર 2023ના રોજ, નવી દિલ્હીમાં G20 સમિટની બાજુમાં ફ્રેંચ રિપબ્લિકના પ્રમુખ H.E. શ્રી એમેન્યુઅલ મેક્રોન સાથે લંચ પર દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની યાદમાં 14 જુલાઈ 2023ના રોજ ફ્રેન્ચ રાષ્ટ્રીય દિવસના અવસરે પ્રધાનમંત્રીની જુલાઈ 2023માં પેરિસની મુલાકાત બાદ રાષ્ટ્રપતિ મેક્રોન ભારત મુલાકાત આવ્યા છે.

પ્રમુખ મેક્રોને ભારતના G20 પ્રેસિડન્સીની સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં ફ્રાન્સના સમર્થન માટે પ્રમુખ મેક્રોનનો આભાર માન્યો હતો.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની, ખાસ કરીને ‘હોરાઈઝન 2047’ રોડમેપ, ઈન્ડો-પેસિફિક રોડમેપ અને પ્રધાનમંત્રીની તાજેતરની મુલાકાત દરમિયાન બહાર આવેલા અન્ય પરિણામોના સંદર્ભમાં ચર્ચા અને સમીક્ષા કરી. તેઓએ સંરક્ષણ ક્ષેત્રે સહકાર, ઔદ્યોગિક અને સ્ટાર્ટઅપ સહકાર સહિત અવકાશ, એસએમઆર અને એએમઆર ટેક્નોલૉજી, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્રિટિકલ ટેક્નૉલૉજી, કનેક્ટિવિટી, ઊર્જા, આબોહવા પરિવર્તન, શિક્ષણ માટે સહ-વિકાસ માટે ભાગીદારી, , રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સહકાર અને લોકો-થી-લોકો સંપર્ક સહિત પરમાણુ ઊર્જાના ક્ષેત્રોમાં સહકાર માટેના ધ્યેયોના અમલીકરણની પણ ચર્ચા કરી..

બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સહિત મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને સુધારેલા બહુપક્ષીયવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેઓએ ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEC)ની જાહેરાતને આવકારી અને તેના અમલીકરણ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિજ્ઞા લીધી.

પ્રમુખ મેક્રોને ભારતના સફળ ચંદ્રયાન-3 મિશન પર પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ છ દાયકાના ભારત-ફ્રાન્સ અંતરિક્ષ સહયોગને યાદ કર્યો.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Join sports, playgrounds more important than PlayStation: PM to youth

Media Coverage

Join sports, playgrounds more important than PlayStation: PM to youth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Sree Narayana Guru on his birth anniversary
August 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to Sree Narayana Guru on his birth anniversary, today. Shri Modi described Sree Narayana Guru as a towering social reformer, spiritual leader and thinker who devoted his life to building a society rooted in dignity and compassion.

The Prime Minister posted on X:

Tributes to Sree Narayana Guru on his birth anniversary!

A towering social reformer, spiritual leader and thinker, he devoted his life to building a society rooted in dignity and compassion. His thoughts gave strength to countless people. Equally noteworthy was his focus on education and learning.