પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ભારત 140 કરોડ ભારતીયોના કૌશલ્ય અને પ્રતિભાને કારણે અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે અમારી સરકારે અંતરિક્ષ ક્ષેત્રમાં વિવિધ સુધારા હાથ ધર્યા છે, જેનાથી યુવાનો, ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સને નવા ક્ષેત્રોની શોધખોળ કરવા અને ભારતની અવકાશ યાત્રામાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા વર્ષોમાં દેશ અંતરિક્ષ ક્ષેત્રમાં વધુ ઊંચાઈઓ સર કરશે. શ્રી મોદીએ ભારતની અંતરિક્ષ યાત્રાને સશક્ત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
ભારતની અંતરિક્ષ યાત્રા અને ભારતના અવકાશ સ્ટાર્ટઅપ્સની સિદ્ધિઓ પર MyGovIndiaની Xthread પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ કહ્યું;
"140 કરોડ ભારતીયોના કૌશલ્યથી પ્રેરિત, આપણો દેશ અંતરિક્ષની દુનિયામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો છે. અને, આપણે હજી પણ આગળ વધીશું!
#NationalSpaceDay"
Powered by the skills of 140 crore Indians, our country is making remarkable strides in the world of space. And, we are going to do even more! #NationalSpaceDay https://t.co/zVMLD32F2W
— Narendra Modi (@narendramodi) August 23, 2025
"અમારી સરકારે અંતરિક્ષ ક્ષેત્રમાં અનેક સુધારા હાથ ધર્યા છે. યુવાનો, ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સને નવા ક્ષેત્રોની શોધખોળ કરવા અને ભારતની અંતરિક્ષ યાત્રામાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
#NationalSpaceDay"
Our Government has ushered in various reforms in the space sector, which have encouraged youngsters, private sector and Startups to explore new frontiers and contribute meaningfully to India’s space journey.#NationalSpaceDay https://t.co/rFnkl6Qtex
— Narendra Modi (@narendramodi) August 23, 2025


