પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાર્વત્રિક નાણાકીય સુરક્ષા અને આરોગ્ય સંભાળની સુલભતા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતામાં એક મોટી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. #NextGenGST સુધારાના નવીનતમ તબક્કામાં જીવન અને આરોગ્ય વીમા ઉત્પાદનો પર નોંધપાત્ર કર રાહત રજૂ કરવામાં આવી છે, જે તેમને દરેક નાગરિક માટે વધુ સસ્તું અને સુલભ બનાવે છે.
X પર શ્રી નરેન્દ્ર ભરિંદવાલ દ્વારા લખાયેલા એક પોસ્ટના જવાબમાં, શ્રી મોદીએ કહ્યું:
“વર્ષોથી, અમે દરેક નાગરિક માટે નાણાકીય સુરક્ષા અને આરોગ્ય સંભાળની સુલભતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે.
આગામી પેઢીના GST સુધારા, જે જીવન અને આરોગ્ય વીમાને વધુ સસ્તું બનાવે છે, તે ‘૨૦૪૭ સુધીમાં બધા માટે વીમો’ ના અમારા મિશનમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
સાથે મળીને, આપણે સ્વસ્થ અને સમર્થ ભારત તરફ આગળ વધીએ છીએ.
#NextGenGST”
Over the years, we have strived to ensure financial security and healthcare access for every citizen.
— Narendra Modi (@narendramodi) September 4, 2025
The next-generation GST reforms, which make life and health insurance more affordable, mark another important milestone in our mission of ‘Insurance for All by 2047.’… https://t.co/QerLqYCiAg


