India will move forward with faster speed and greater confidence: PM Modi
Today, youth of India has the confidence of becoming a job giver instead of being a job seeker: PM
Our aim to transform India into a tax compliant society: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીવી ચેનલ ટાઇમ્સ નાઉ દ્વારા આયોજિત ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં મુખ્ય સંબોધન કર્યું હતું.

શ્રી મોદીએ કહ્યું કે, ‘વિશ્વનું સૌથી યુવા રાષ્ટ્ર ભારત, નવા દાયકા માટે એક્શન પ્લાન પણ તૈયાર કરી રહ્યું છે અને યુવા ભારત ધીમું થવાના મૂડમાં નથી.’

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે આ ભાવના સ્વીકારી છે અને છેલ્લા મહિનામાં નિર્ણય લેવામાં સદી ફટકારી છે.

તેમણે એમ પણ કહ્યું કે આ ફેરફારોથી સમાજના દરેક સ્તરે નવી શક્તિ ઉભી થઈ છે, આત્મવિશ્વાસથી ભરેલી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘આજે દેશના ગરીબ લોકોને વિશ્વાસ છે કે તેઓ તેમના જીવનધોરણમાં સુધારો કરી શકે છે, તેમની ગરીબી દૂર કરી શકે છે અને ખેડુતોને ખેતીમાં તેમની આવક વધશે તેવો વિશ્વાસ છે.’

5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી – નાના શહેરો અને નગરો પર ધ્યાન કેન્દ્રિત:

તેમણે કહ્યું કે “ભારતે આગામી પાંચ વર્ષમાં તેની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. “લક્ષ્ય નિર્ધારિત કરવું અને તેના તરફ પ્રયત્નો કરવા વધુ સારા છે. આ લક્ષ્ય સરળ નથી પણ તેને હાંસલ કરવું અશક્ય પણ નથી,”

તેમણે કહ્યું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે, દેશની નિકાસમાં વધારાની સાથે દેશમાં ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકારે આ તરફ અનેક પહેલ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રયત્નોની વચ્ચે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉતાર-ચડાવની સાથે ઉભરતી અર્થવ્યવસ્થા હોવાને કારણે વધુ પડકારોનો સામનો કરવો પડે છે.

 તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રથમ વખત સરકારે નાના શહેરોના આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમને નવા વિકાસ કેન્દ્ર બનાવ્યા છે.

કર પ્રણાલીમાં સુધારો:

પ્રધાનમંત્રીએ કહ્યું, “દરેક સરકાર ટેક્સ પ્રણાલીમાં સુધારો લાવવામાં ખૂબ જ ખચકાતી રહી છે. વર્ષોથી આમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. હવે અમે પ્રક્રિયા કેન્દ્રિત કર પદ્ધતિ તરફથી નાગરિક કેન્દ્રિત કર પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છીએ. ભારત એવા પસંદગીના દેશોમાં જોડાઇ જશે, જ્યાં કરદાતાઓનું ચાર્ટર લાગુ કરવામાં આવ્યું છે. ચાર્ટર સ્પષ્ટપણે કરદાતાઓના અધિકારની વ્યાખ્યા કરશે. “

પ્રધાનમંત્રીએ દરેક ભારતીયને કરવેરામાંથી બચવાના પ્રયત્નો કરતાં હોય તો આત્મનિરીક્ષણ કરવા વિનંતી કરી અને પ્રામાણિક કરદાતાઓ વિષે વિચારવા કહ્યું. તેમણે તમામ નાગરિકોને જવાબદાર નાગરિક બનવા અને તેમના વેરા ભરવાની વિનંતી કરી.

તેમણે મીડિયાને સમૃદ્ધ ભારતના નિર્માણમાં રચનાત્મક ભૂમિકા ભજવવા વિનંતી કરી.

તેમણે કહ્યું, “જ્યારે દરેક વ્યક્તિ પોતાની ફરજો પૂરી કરશે, તો પછી કોઈ સમસ્યા જ નહીંરહે. ત્યારે દેશને નવીતાકાત, નવી ઊર્જા મળશે. આ દાયકામાં આ ભારતને નવી ઊંચાઇ પર લઈ જશે.”

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Green energy boost as renewables account for 20% generation in July

Media Coverage

Green energy boost as renewables account for 20% generation in July
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on positive thoughts and constructive habits
August 31, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared Sanskrit Subhashitam emphasising the importance of cultivating positive thoughts and constructive habits. It reminds us that sustained focus and repeated practice shape the tendencies of the mind and, ultimately, influence our actions and conduct:

“यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।

अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।। “

The Prime Minister posted on X:

यद् यदेव प्रसक्तं हि वितर्कयति मानवः।

अभ्यासात् तेन तेनास्य नतिर्भवति चेतसः।।