પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી વિદ્વત પરિષદના પ્રમુખ પ્રોફેસર રામ યત્ન શુક્લના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પ્રોફેસર શુક્લાના અવસાનને શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જગત માટે અપૂર્વીય ખોટ ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"કાશી વિદ્યાપરિષદના પ્રમુખ પ્રો. રામ યત્ન શુક્લનું નિધન એ શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જગત માટે એક અપૂર્વીય ખોટ છે. તેમણે સંસ્કૃત ભાષા અને પરંપરાગત ગ્રંથોના જતનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ!"