પ્રધાનમંત્રીએ PMNRF તરફથી સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના માલવીય નગરમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિને દુઃખદ ગણાવી હતી. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂપિયા 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. શ્રી મોદીએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઈજા પામેલા લોકોને રૂપિયા 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દિલ્હીના માલવીય નગરમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ દુઃખદ છે. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના. સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.

PMNRFમાંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 આપવામાં આવશે: PM @narendramodi"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees

Media Coverage

Foreign traveller calls India's Vande Bharat sleeper a “Five-Star Hotel on Rails”; and the Internet agrees
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 જુલાઈ 2026
July 18, 2026

From Solar Canals to Hydrogen Mobility: Hon’ble PM Modi’s Blueprint for a Sustainable & Self-Reliant India