ઉભરતા પડકારોને હળવા કરવા માટે કૃષિ, ખાતર, શિપિંગ, ઉડ્ડયન, લોજિસ્ટિક્સ અને MSMEમાં દરમિયાનગીરીઓ અંગે ચર્ચા કરી
આવશ્યક ચીજવસ્તુઓના સ્થિર પુરવઠાની ખાતરી કરવા માટે LPG અને LNG માટે પુરવઠાનું વૈવિધ્યકરણ, ઇંધણ શુલ્કમાં ઘટાડો અને પાવર સેક્ટરના પગલાંની સમીક્ષા કરવામાં આવી
આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર કરવા અને સંગ્રહખોરી અને કાળાબજાર સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કિંમતો અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના પાલન પર સતત દેખરેખ રાખવા અને વાતચીત કરવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે
ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમ કે યુરિયા ઉત્પાદન જાળવી રાખવું અને DAP/NPKS પુરવઠા માટે વિદેશી સપ્લાયર્સ સાથે સંકલન કરવું
પ્રધાનમંત્રીએ સામાન્ય માણસ માટેની પાયાની જરૂરિયાતોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કર્યું
પ્રધાનમંત્રીએ દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ખરીફ તથા રવી સીઝનમાં તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે ચર્ચા કરી
પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે નાગરિકોને આ સંઘર્ષની અસરથી બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ
પ્રધાનમંત્રીએ ખોટી માહિતી અને અફવા ફેલાતી રોકવા માટે જનતા સુધી અધિકૃત માહિતીના સમયસર અને સરળ પ્રવાહની જરૂરિયાત પર ભાર મૂક્યો
કોલસાનો પૂરતો સ્ટોક અસ્તિત્વમાં છે જે આગામી મહિનાઓમાં વીજળીની જરૂરિયાતોને પૂરતા પ્રમાણમાં પૂરી કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પશ્ચિમ એશિયાના ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં વિવિધ મંત્રાલયો/વિભાગો દ્વારા લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરવા અને લેવામાં આવનારી વધુ પહેલો અંગે ચર્ચા કરવા માટે સુરક્ષા વિષયક કેબિનેટ સમિતિ (CCS) ની વિશેષ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ મુદ્દે આ બીજી વિશેષ CCS બેઠક હતી.

કેબિનેટ સચિવે પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાસ કરીને LNG/LPG ના પુરવઠા અને પૂરતી વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતગાર કર્યા હતા. વિવિધ દેશોમાંથી નવા પ્રવાહ સાથે LPG મેળવવા માટે સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) પણ વિવિધ દેશોમાંથી મેળવવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે સ્થાનિક ગ્રાહકો માટે LPGના ભાવ સમાન રહ્યા છે અને LPGની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે એન્ટી-ડાયવર્ઝન અમલીકરણ નિયમિતપણે હાથ ધરવામાં આવી રહ્યું છે.

પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનના વિસ્તરણ માટે પણ પહેલ કરવામાં આવી છે. 7-8 GWની ક્ષમતા ધરાવતા ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સને ગેસ પૂલિંગ મિકેનિઝમમાંથી મુક્તિ આપવી અને પીક સમર (ઉનાળાના મુખ્ય મહિનાઓ) દરમિયાન વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે થર્મલ પાવર સ્ટેશનો પર વધુ કોલસો પહોંચાડવા માટે રેકની સંખ્યા વધારવા જેવા પગલાં પણ લેવામાં આવ્યા છે.

વધુમાં, કૃષિ, નાગરિક ઉડ્ડયન, શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ અન્ય ક્ષેત્રોમાં ઉભરતા પડકારો માટે લેવામાં આવનારી પ્રસ્તાવિત દરમિયાનગીરીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

જરૂરિયાતને પહોંચી વળવા યુરિયા ઉત્પાદન જાળવી રાખવા, DAP/NPKS સપ્લાયર્સ માટે વિદેશી સપ્લાય સાથે સંકલન સાધવા જેવા વિવિધ પ્રયાસો ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારોને દૈનિક દેખરેખ, દરોડા અને કડક કાર્યવાહી દ્વારા ખાતરના કાળાબજાર, સંગ્રહખોરી અને ડાયવર્ઝનને રોકવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.

છેલ્લા એક મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના છૂટક ભાવ સ્થિર રહ્યા છે. કિંમતો અને આવશ્યક ચીજવસ્તુ ધારાના અમલીકરણ અંગે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સતત દેખરેખ અને સંપર્ક માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. કૃષિ ઉત્પાદનો, શાકભાજી અને ફળોના ભાવ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ઊર્જા, ખાતર અને અન્ય સપ્લાય ચેઈન માટે આપણા સ્ત્રોતોને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર બનાવવાના પ્રયાસો અને હોર્મુઝ સ્ટ્રેટ (strait of Hormuz) દ્વારા જહાજોના સુરક્ષિત માર્ગને સુનિશ્ચિત કરવા માટેની આંતરરાષ્ટ્રીય પહેલ અને ચાલુ રાજદ્વારી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

વિકસતી કટોકટી વચ્ચે અસરકારક માહિતી પ્રસારણ અને જાહેર જાગૃતિ લાવવા માટે કેન્દ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ઉન્નત સંકલન, રીઅલ-ટાઇમ સંચાર અને સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ સામાન્ય માણસ માટેની પાયાની જરૂરિયાતોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ખરીફ તથા રવી સીઝનમાં તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવતા પગલાં વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે નાગરિકોને આ સંઘર્ષની અસરથી બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ ખોટી માહિતી અને અફવા ફેલાતી રોકવા માટે જનતા સુધી અધિકૃત માહિતીના સરળ પ્રવાહ પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ તમામ સંબંધિત વિભાગોને ચાલુ વૈશ્વિક પરિસ્થિતિથી પ્રભાવિત નાગરિકો અને ક્ષેત્રોની સમસ્યાઓ દૂર કરવા માટે તમામ સંભવિત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released

Media Coverage

First multilingual Indian speech recognition model trained on 65 languages and dialects released
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets everyone on the occasion of Independence Day
August 15, 2026
PM remembers the courage, sacrifice, and unwavering commitment of the countless freedom fighters

Prime Minister Shri Narendra Modi today extended his warm greetings to the nation on the occasion of Independence Day. He noted that this national festival serves as a poignant reminder of the incredible courage, tireless struggle, and unparalleled dedication of our brave freedom fighters to the motherland, which ensured the end of colonial rule.

​The Prime Minister observed that their dreams continue to inspire us, urging citizens to adopt their ideals as we collectively work to realize the resolution of a Viksit Bharat.

​Shri Modi highlighted that, powered by 140 crore Indians, our nation is scaling new heights of progress across different sectors. He expressed his hope that this developmental journey will keep progressing at an even greater pace in the times to come.

​In a post on X, the Prime Minister wrote:

​"Warm greetings on the occasion of Independence Day.

​We remember with gratitude the countless freedom fighters whose courage, sacrifice and unwavering commitment ensured the end of colonial rule. Their dreams continue to inspire us as we work together to build a Viksit Bharat.

​Powered by 140 crore Indians, our nation is scaling new heights of progress across different sectors. May this journey keep progressing at an even greater pace in the times to come.

​सभी देशवासियों को स्वतंत्रता दिवस की असीम शुभकामनाएं।

​यह राष्ट्रीय पर्व हमें देश के वीर सेनानियों के अद्भुत साहस, अथक संघर्ष और मातृभूमि के प्रति अतुलनीय समर्पण का स्मरण कराता है।

​आइए, उनके आदर्शों को अपनाकर विकसित भारत के संकल्प को साकार करें।"