આદરણીય રાષ્ટ્રપતિ દિસાનાયકજી,
બંને દેશોના પ્રતિનિધિઓ,
મીડિયાના મિત્રો,
નમસ્કાર!
આયુબોવાન!
વનક્કમ!
આજે રાષ્ટ્રપતિ દિસાનાયકના હસ્તે મને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે. આ એવોર્ડ માત્ર મારું સન્માન જ નથી કરતો, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન પણ કરે છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મૈત્રીનું સન્માન છે.
હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ, શ્રીલંકાની સરકાર અને શ્રીલંકાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

મિત્રો,
પ્રધાનમંત્રી તરીકે શ્રીલંકાની આ મારી ચોથી મુલાકાત છે. વર્ષ 2019માં મારી છેલ્લી મુલાકાત અતિ સંવેદનશીલ સમયે થઈ હતી. તે સમયે મારો દ્રઢ વિશ્વાસ હતો કે શ્રીલંકાનો ઉદય થશે અને તે વધુ મજબૂત બનશે.
હું શ્રીલંકાના લોકોના સાહસ અને ધૈર્યને બિરદાવું છું અને આજે શ્રીલંકાને પ્રગતિના પથ પર પાછું ફરતું જોઈને મને આનંદ થાય છે. ભારતને એક સાચા મૈત્રીપૂર્ણ પડોશી તરીકેની ફરજો નિભાવવા બદલ ગર્વ છે. પછી તે 2019નો આતંકવાદી હુમલો હોય, કોવિડ રોગચાળો હોય કે પછી તાજેતરની આર્થિક કટોકટી હોય, અમે દરેક મુશ્કેલી દરમિયાન શ્રીલંકાના લોકોની સાથે મજબૂતીથી ઉભા રહ્યા છીએ.
મને મહાન તમિલ સંત થિરુવલ્લુવરના શબ્દો યાદ આવે છે. તેમણે કહ્યું:
"સેયર કરિયા યાવુલ નટ પિન્નાઆડુ પુલવિન્નાઈકરિયા યાવુલ કપુ
જેનો અર્થ છે કે, પડકારો અને દુશ્મનો વચ્ચે, એક સાચા મિત્ર અને તેની મિત્રતાની ઢાલથી વધુ મજબૂત ખાતરીથી વિશેષ બીજું કંઈ ન હોઈ શકે..
મિત્રો,
રાષ્ટ્રપતિ દિસાનાયકે રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની પ્રથમ વિદેશી મુલાકાત માટે ભારતની પસંદગી કરી હતી, અને મને તેમના પ્રથમ વિદેશી મહેમાન બનવાનું સૌભાગ્ય મળ્યું છે. આ આપણા વિશિષ્ટ સંબંધોની ઊંડાઈનું પ્રતીક છે.

આપણી પડોશી પ્રથમ પ્રથમ નીતિ અને વિઝન 'મહાસાગર'માં શ્રીલંકાનું વિશેષ સ્થાન છે. રાષ્ટ્રપતિ દિસાનાયકની ભારત મુલાકાત પછી છેલ્લાં ચાર મહિનામાં અમે અમારા સહકારમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
સમપુર સોલાર પાવર પ્લાન્ટ શ્રીલંકાને ઊર્જા સુરક્ષા હાંસલ કરવામાં મદદરૂપ થશે. મલ્ટિ-પ્રોડક્ટ પાઇપલાઇનનું નિર્માણ કરવા અને ત્રિંકોમાલીને ઊર્જાનાં કેન્દ્ર તરીકે વિકસાવવા માટે થયેલી સમજૂતીથી તમામ શ્રીલંકાવાસીઓને લાભ થશે. બંને દેશો વચ્ચેની ગ્રિડ ઇન્ટર-કનેક્ટિવિટી સમજૂતી શ્રીલંકા માટે વીજળીની નિકાસ માટે તકોનું સર્જન કરશે.
મને પ્રસન્નતા છે કે આજે શ્રીલંકામાં ધાર્મિક સ્થળો માટે 5,000 સોલાર રૂફટોપ સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવશે. શ્રીલંકા યુનિક ડિજિટલ આઇડેન્ટિટી પ્રોજેક્ટ માટે પણ ભારત ટેકો પૂરો પાડશે.
સાથીઓ,
ભારતે 'સબ કા સાથ સબ કા વિકાસ'નું વિઝન અપનાવ્યું છે. અમે અમારા ભાગીદાર દેશોની પ્રાથમિકતાઓને પણ મહત્વ આપીએ છીએ.
છેલ્લા 6 મહિનામાં જ અમે 100 મિલિયન ડોલરથી વધુની લોનને અનુદાનમાં પરિવર્તિત કરી છે. અમારી દ્વિપક્ષીય ‘ઋણની પુનર્ગઠન સમજૂતી' શ્રીલંકાના લોકોને તાત્કાલિક સહાય અને રાહત પ્રદાન કરશે. આજે અમે વ્યાજદર ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે. તે દર્શાવે છે કે આજે પણ ભારત શ્રીલંકાના લોકોની સાથે ઉભું છે.
પૂર્વીય પ્રાંતોના સામાજિક અને આર્થિક વિકાસ માટે આશરે 2.4 અબજ લંકાના રૂપિયા 2.4 અબજનું સહાય પેકેજ પૂરું પાડવામાં આવશે. આજે અમે ખેડૂતોનાં કલ્યાણ માટે શ્રીલંકાનાં સૌથી મોટાં વેરહાઉસનું ઉદઘાટન પણ કર્યું છે.
આવતીકાલે આપણે 'મહો-ઓમાનથઈ' રેલવે લાઈનનું ઉદઘાટન કરીશું અને 'મહો-અનુરાધાપુરા' સેક્શન પર સિગ્નલિંગ સિસ્ટમનો શિલાન્યાસ કરીશું. કંકેસાન્થુરાઇ બંદરના આધુનિકીકરણ માટેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.
શ્રીલંકામાં ભારતીય મૂળ ધરાવતા તમિલ સમુદાય માટે 10,000 મકાનોનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે. શ્રીલંકાના વધારાના 700 જવાનોને તાલીમ આપવામાં આવશે. તેમાં સંસદ સભ્યો, ન્યાયતંત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ, ઉદ્યોગસાહસિકો, મીડિયાકર્મીઓ તેમજ યુવા નેતાઓ સામેલ હશે.

મિત્રો,
આપણે માનીએ છીએ કે આપણે સુરક્ષાના હિતો વહેંચીએ છીએ. બંને દેશોની સુરક્ષા એકબીજા સાથે જોડાયેલી છે અને સહ-નિર્ભર છે.
ભારતનાં હિતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવા બદલ હું રાષ્ટ્રપતિ દિસાનાયકનો આભારી છું. અમે સંરક્ષણ ક્ષેત્રમાં થયેલી મહત્ત્વપૂર્ણ સમજૂતીઓને આવકારીએ છીએ. અમે હિંદ મહાસાગરમાં કોલંબો સિક્યોરિટી કોન્ક્લેવ અને સિક્યોરિટી કોઓપરેશન પર સંયુક્તપણે કામ કરવા પણ સંમત થયા છીએ.
મિત્રો,
ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના આધ્યાત્મિક સંબંધો છે.
મને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે, ભગવાન બુદ્ધના જે પવિત્ર અવશેષો 1960માં મારા ગૃહ રાજ્ય ગુજરાતના અરવલી પ્રદેશમાં મળી આવ્યા હતા, તેને દર્શાવવા માટે શ્રીલંકા મોકલવામાં આવી રહ્યા છે.
ભારત ત્રિંકોમાલીમાં થિરુકોનેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારમાં સહાયતા કરશે. ભારત અનુરાધાપુરા મહાબોધિ મંદિર સંકુલમાં પવિત્ર શહેર અને નુવારા એલિયામાં સીતા એલિયા મંદિરના નિર્માણમાં પણ સાથસહકાર આપશે.
મિત્રો,
અમે માછીમારોની આજીવિકા સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમે સંમત થયા કે આપણે આ બાબતમાં માનવીય અભિગમ સાથે આગળ વધવું જોઈએ. અમે માછીમારો અને તેમની નૌકાઓને તાત્કાલિક મુક્ત કરવા પર પણ ભાર મૂક્યો છે.
અમે શ્રીલંકામાં પુનર્નિર્માણ અને સુલેહ વિશે પણ વાત કરી હતી. પ્રમુખ દિસાનાયકે મને તેમના સર્વસમાવેશક અભિગમનું મૂલ્યાંકન કર્યું. અમને આશા છે કે શ્રીલંકાની સરકાર તમિલ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે અને શ્રીલંકાના બંધારણનો સંપૂર્ણ અમલ કરવા તથા પ્રાંતીય પરિષદની ચૂંટણીઓ યોજવાની દિશામાં પોતાની પ્રતિબદ્ધતા પૂર્ણ કરશે.

મિત્રો,
ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત છે. અમે અમારા લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
ફરી એક વાર, હું રાષ્ટ્રપતિ દિસાનાયકના ઉષ્માભર્યા સ્વાગત માટે તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આપણે આપણી ભાગીદારીને નવી ઉંચાઈઓ પર લઈ જઈશું.
તમારો ખૂબ ખૂબ આભાર!
आज राष्ट्रपति दिसानायक द्वारा ‘श्रीलंका मित्र विभूषण’ से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है।
— PMO India (@PMOIndia) April 5, 2025
यह सम्मान केवल मेरा सम्मान नहीं है, बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है।
यह भारत और श्रीलंका के लोगों के बीच ऐतिहासिक संबंधों और गहरी मित्रता का सम्मान है: PM @narendramodi
भारत के लिए यह गर्व का विषय है कि हमने एक सच्चे पड़ोसी मित्र के रूप में अपने कर्तव्यों का निर्वाहन किया है।
— PMO India (@PMOIndia) April 5, 2025
चाहे 2019 का आतंकी हमला हो, कोविड महामारी हो, या हाल में आया आर्थिक संकट, हर कठिन परिस्थिति में, हम श्रीलंका के लोगों के साथ खड़े रहे हैं: PM @narendramodi
हमारी Neighbourhood First policy और Vision ‘MAHASAGAR’, दोनों में श्रीलंका का विशेष स्थान है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 5, 2025
भारत ने सबका साथ सबका विकास के विजन को अपनाया है।
— PMO India (@PMOIndia) April 5, 2025
हम अपने पार्टनर देशों की प्राथमिकताओं को भी महत्व देते हैं।
पिछले 6 महीनों में ही हमने 100 मिलियन डॉलर से अधिक राशि के loan को grant में बदला है: PM @narendramodi
भारत और श्रीलंका के बीच सदियों पुराने आध्यात्मिक और आत्मीयता भरे संबंध हैं।
— PMO India (@PMOIndia) April 5, 2025
मुझे यह बताते हुए अत्यन्त ख़ुशी है कि 1960 में गुजरात के अरावली में मिले भगवान बुद्ध के relics को श्रीलंका में दर्शन के लिए भेजा जा रहा है।
त्रिंकोमाली के थिरुकोनेश्वरम मंदिर के renovation में भारत…
अनुराधापुरा महाबोधी मंदिर परिसर में sacred city, और ‘नुरेलिया’ में ‘सीता एलिया’ मंदिर के निर्माण में भी भारत सहयोग करेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 5, 2025
हमने मछुआरों की आजीविका से जुड़े मुद्दों पर भी चर्चा की।
— PMO India (@PMOIndia) April 5, 2025
हम सहमत हैं, कि हमें इस मामले में एक मानवीय approach के साथ आगे बढ़ना चाहिए।
हमने मछुआरों को तुरंत रिहा किये जाने और उनकी Boats को वापस भेजने पर भी बल दिया: PM @narendramodi





