એમએસએમઇ આપણા દેશની આર્થિક વૃદ્ધિમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે, અમે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને તેને મજબૂત કરવા માટે કટિબદ્ધ છીએઃ પ્રધાનમંત્રી
છેલ્લાં 10 વર્ષમાં ભારતે સતત સુધારા, નાણાકીય શિસ્ત, પારદર્શકતા અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છેઃ પ્રધાનમંત્રી
સુસંગતતા અને સુધારાની ખાતરી, આ એક એવું પરિવર્તન છે, જેણે આપણા ઉદ્યોગમાં નવો વિશ્વાસ લાવ્યો છે: પ્રધાનમંત્રી
આજે વિશ્વનો દરેક દેશ ભારત સાથે પોતાની આર્થિક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે: પ્રધાનમંત્રી
આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરે આ ભાગીદારીનો મહત્તમ લાભ લેવા માટે આગળ આવવું જોઈએ: પ્રધાનમંત્રી
અમે આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધાર્યું અને આપણા સુધારાની ગતિને વધુ ઝડપી બનાવી: પ્રધાનમંત્રી
અમારા પ્રયત્નોથી અર્થવ્યવસ્થા પર કોવિડની અસર ઓછી થઈ, ભારતને ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવવામાં મદદ મળીઃ પ્રધાનમંત્રી
આરએન્ડડીએ ભારતની ઉત્પાદન સફરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેને આગળ વધારવાની અને તેને વેગ આપવાની જરૂર છેઃ પ્રધાનમંત્રી
સંશોધન અને વિકાસ મારફતે આપણે નવીન ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ, તેમજ ઉત્પાદનોનું મૂલ્ય સંવર્ધન કરી શકીએ છીએઃ પ્રધાનમંત્રી
એમએસએમઇ ક્ષેત્ર ભારતનાં ઉત્પાદન અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું. આ વેબિનારો MSMEsને વૃદ્ધિનું એન્જિન બનાવવા, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન, નિયમન, રોકાણ અને વ્યવસાય કરવામાં સરળતા જેવા વિષયો પર યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે સભાને સંબોધતા તેમણે કહ્યું કે ઉત્પાદન અને નિકાસ પર બજેટ પછીના વેબિનાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બજેટને સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ ગણાવતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ બજેટનું સૌથી નોંધપાત્ર પાસું તેના અપેક્ષિત પરિણામો છે. શ્રી મોદીએ કહ્યું કે ઘણા ક્ષેત્રોમાં સરકારે નિષ્ણાતોની અપેક્ષાઓ કરતાં વધુ પગલાં લીધાં છે. તેમણે એ પણ પ્રકાશિત કર્યું કે આ બજેટમાં ઉત્પાદન અને નિકાસ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

દેશમાં એક દાયકાથી વધારે સમયથી સતત સરકારી નીતિઓ જોવા મળી રહી છે, એ બાબત તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતે સુધારા, નાણાકીય શિસ્ત, પારદર્શકતા અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે કટિબદ્ધતા દર્શાવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાતત્યતા અને સુધારાની ખાતરીથી ઉદ્યોગમાં નવો વિશ્વાસ પેદા થયો છે. તેમણે ઉત્પાદન અને નિકાસમાં દરેક હિતધારકને ખાતરી આપી હતી કે, આ સાતત્યતા આગામી વર્ષોમાં પણ જળવાઈ રહેશે. હિતધારકોને સાહસિક પગલાં લેવા અને દેશના ઉત્પાદન અને નિકાસ માટે નવા માર્ગો ખોલવા પ્રોત્સાહિત કરતાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દુનિયાનો દરેક દેશ ભારત સાથે તેની આર્થિક ભાગીદારીને મજબૂત કરવા ઇચ્છે છે. તેમણે ઉત્પાદન ક્ષેત્રને આ ભાગીદારીનો સંપૂર્ણ લાભ લેવા અપીલ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સ્થિર નીતિ અને કોઈ પણ દેશનાં વિકાસ માટે વેપારનું વધુ સારું વાતાવરણ મહત્ત્વપૂર્ણ છે. થોડાં વર્ષો અગાઉ સરકારે જન વિશ્વાસ કાયદો રજૂ કર્યો હતો અને તેનું પાલન ઘટાડવા પ્રયાસો હાથ ધર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્તરે 40,000થી વધારે અનુપાલનને નાબૂદ કરવામાં આવ્યાં હતાં. જેનાથી વેપાર-વાણિજ્યમાં સરળતાને પ્રોત્સાહન મળ્યું હતું." આ કવાયત ચાલુ રહેવી જોઈએ એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે આવકવેરાની સરળ જોગવાઈઓ રજૂ કરી છે અને તે જન વિશ્વાસ 2.0 બિલ પર કામ કરી રહી છે. બિન-નાણાકીય ક્ષેત્રના નિયમનોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ તેને આધુનિક, લવચીક, લોકોને અનુકૂળ અને વિશ્વાસ-આધારિત બનાવવાનો છે. અને આ કવાયતમાં ઉદ્યોગની નોંધપાત્ર ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે હિતધારકોને એવી સમસ્યાઓને ઓળખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેમને ઉકેલવામાં લાંબો સમય લાગે છે, પ્રક્રિયાઓને સરળ બનાવવાના માર્ગો સૂચવે છે અને ઝડપી અને વધુ સારા પરિણામો હાંસલ કરવા ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં થઈ શકે છે તે અંગે માર્ગદર્શન આપે છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "વિશ્વ હાલમાં રાજકીય અનિશ્ચિતતાનો અનુભવ કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વ ભારતને વૃદ્ધિ કેન્દ્ર તરીકે જુએ છે. કોવિડ કટોકટી દરમિયાન, જ્યારે વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડ્યું હતું, ત્યારે ભારતે વૈશ્વિક વિકાસને વેગ આપ્યો હતો." તેમણે વધુમાં કહ્યું હતું કે, અખંડ ભારતનાં વિઝનને આગળ વધારીને અને સુધારાઓને વેગ આપીને આ લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો છે. આ પ્રયાસોથી અર્થતંત્ર પર કોવિડની અસર ઓછી થઈ છે, જે ભારતને સૌથી ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક બનવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે, "ભારત વૈશ્વિક અર્થતંત્ર માટે વૃદ્ધિનું એન્જિન રહ્યું છે અને પડકારજનક પરિસ્થિતિઓમાં પોતાની સ્થિતિસ્થાપકતાને સાબિત કરી છે. પુરવઠા શૃંખલામાં અવરોધો વૈશ્વિક અર્થતંત્રને અસર કરે છે અને વિશ્વને વિશ્વસનીય ભાગીદારોની જરૂર છે, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ઉત્પાદન કરે અને વિશ્વસનીય પુરવઠો સુનિશ્ચિત કરે. ભારત આ જરૂરિયાત પૂર્ણ કરવા સક્ષમ છે અને દેશ માટે નોંધપાત્ર તક પ્રસ્તુત કરે છે." તેમણે ઉદ્યોગને માત્ર પ્રેક્ષકો જ નહીં, પરંતુ સક્રિયપણે તેમની ભૂમિકા શોધવા અને તકો બનાવવાનો આગ્રહ કર્યો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભૂતકાળની સરખામણીમાં અત્યારે આ કામ વધારે સરળ છે, કારણ કે દેશમાં મૈત્રીપૂર્ણ નીતિઓ છે અને સરકાર આ ઉદ્યોગ સાથે ખભેખભો મિલાવીને સાથસહકાર આપી રહી છે. પ્રધાનમંત્રીએ દ્રઢ નિશ્ચય, વૈશ્વિક પુરવઠા શૃંખલામાં તકો શોધવા માટે ઉદ્દેશ્યપૂર્ણતા અને પડકારોનો સ્વીકાર કરવા માટે અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો દરેક ઉદ્યોગ સામૂહિકપણે એક ડગલું આગળ વધે, તો તેઓ નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી શકે છે.

હાલમાં પીએલઆઈ યોજનાનો લાભ 14 ક્ષેત્રોને મળી રહ્યો છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ 750થી વધારે એકમોને મંજૂરી આપવામાં આવી છે. જેના પરિણામે રૂ. 1.5 લાખ કરોડનું રોકાણ થયું છે. જેનું ઉત્પાદન રૂ. 13 લાખ કરોડથી વધારે છે અને નિકાસ રૂ. 5 લાખ કરોડથી વધારે છે. આ દર્શાવે છે કે, જ્યારે તકો આપવામાં આવે ત્યારે ઉદ્યોગસાહસિકો નવા ક્ષેત્રોમાં કેવી રીતે આગેકૂચ કરી શકે છે. શ્રી મોદીએ ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવા બે અભિયાનો શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે વધુ સારી ટેકનોલોજી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડ્યો હતો તેમજ ખર્ચ ઘટાડવા કૌશલ્ય પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ હિતધારકોને વૈશ્વિક સ્તરે માગ ધરાવતાં નવાં ઉત્પાદનોની ઓળખ કરવા અપીલ કરી હતી. જેનું ઉત્પાદન ભારતમાં થઈ શકે છે તથા તેમને વ્યૂહાત્મક રીતે નિકાસની સંભવિતતા ધરાવતાં દેશોનો સંપર્ક કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "સંશોધન અને વિકાસે ભારતની ઉત્પાદન સફરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેને વધારે પ્રગતિ અને વેગ આપવાની જરૂર છે. સંશોધન અને વિકાસ મારફતે નવીન ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે અને વર્તમાન ઉત્પાદનોમાં મૂલ્ય સંવર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિશ્વ ભારતનાં રમકડાં, ફૂટવેર અને ચર્મ ઉદ્યોગની સંભવિતતાને ઓળખે છે તથા પરંપરાગત કળાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી શકે છે. ભારત આ ક્ષેત્રોમાં વૈશ્વિક ચેમ્પિયન બની શકે છે, જે નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ તરફ દોરી જશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વૃદ્ધિથી શ્રમ ઘનિષ્ઠતાવાળાં ક્ષેત્રોમાં રોજગારીની લાખો તકોનું સર્જન થશે અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પરંપરાગત કારીગરોને એન્ડ-ટુ-એન્ડ સહાય પૂરી પાડે છે તેનો ઉલ્લેખ કરીને તેમણે આ કારીગરોને નવી તકો સાથે જોડવાના પ્રયાસો હાથ ધરવા અપીલ કરી હતી. તેમજ તમામ હિતધારકોને આ ક્ષેત્રોમાં છુપાયેલી સંભવિતતાને વિસ્તૃત કરવા આગળ આવવા અપીલ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એમએસએમઇ ક્ષેત્ર એ ભારતનાં ઉત્પાદન અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ છે." વર્ષ 2020માં સરકારે 14 વર્ષ પછી એમએસએમઇની વ્યાખ્યામાં સુધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેણે એમએસએમઇમાં એ ભયને દૂર કર્યો હતો કે, જો તેઓ વૃદ્ધિ કરશે તો તેઓ સરકારી લાભો ગુમાવશે. તેમણે નોંધ્યું હતું કે, દેશમાં એમએસએમઇની સંખ્યા વધીને 6 કરોડથી વધારે થઈ ગઈ છે. જેનાથી કરોડો લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે. આ બજેટમાં એમએસએમઇની વ્યાખ્યાનું વિસ્તરણ વધારે કરવામાં આવ્યું છે. જેથી તેમની સતત વૃદ્ધિમાં વિશ્વાસ પેદા થઈ શકે. આનાથી યુવાનો માટે રોજગારની વધુ તકો ઉભી થશે, એમ કહીને તેમણે જણાવ્યું હતું કે એમએસએમઇને સૌથી મોટી સમસ્યા લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દસ વર્ષ અગાઉ એમએસએમઇને આશરે રૂ. 12 લાખ કરોડની લોન મળતી હતી. જે હવે વધીને આશરે રૂ. 30 લાખ કરોડ થઈ છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, આ બજેટમાં એમએસએમઇ લોન માટે ગેરેન્ટી કવર બમણું કરીને ₹20 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ₹5 લાખની મર્યાદાવાળા કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

સરકારે લોન સુલભ કરી છે અને નવા પ્રકારની લોન પ્રસ્તુત કરી છે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે લોકોને કોઈ પણ પ્રકારની ગેરન્ટી વિના લોન મળી રહી છે. જેની તેમણે અગાઉ કલ્પના પણ નહોતી કરી. છેલ્લાં 10 વર્ષમાં મુદ્રા જેવી યોજનાઓ, જે ગેરન્ટી વિના લોન પ્રદાન કરે છે, તેમણે લઘુ ઉદ્યોગોને પણ ટેકો આપ્યો છે. ટ્રેડ્સ પોર્ટલ લોન સંબંધિત ઘણી સમસ્યાઓનું સમાધાન કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ દરેક એમએસએમઇને ઓછા ખર્ચે અને સમયસર ધિરાણ મળી રહે તે સુનિશ્ચિત કરીને ધિરાણ વિતરણનાં નવા માધ્યમો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે મહિલાઓ, એસસી અને એસટી સમુદાયોમાંથી પ્રથમ વખતના પાંચ લાખ ઉદ્યોગસાહસિકોને ₹2 કરોડની લોન મળશે. પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકોને માત્ર ક્રેડિટ સપોર્ટની જ નહીં પરંતુ માર્ગદર્શનની પણ જરૂર છે અને તેમણે ઉદ્યોગને આ વ્યક્તિઓને મદદ કરવા માટે માર્ગદર્શક કાર્યક્રમ બનાવવાનો આગ્રહ કર્યો હતો.

રોકાણોને પ્રોત્સાહન આપવામાં રાજ્યોની ભૂમિકા પર ભાર મૂકીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેટલા વધુ રાજ્યો વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને પ્રોત્સાહન આપશે, તેટલા વધુ રોકાણકારોને તેઓ આકર્ષશે. તેમણે ધ્યાન દોર્યું હતું કે આનાથી સંબંધિત રાજ્યોને સૌથી વધુ ફાયદો થશે. તેમણે રાજ્યો વચ્ચેની સ્પર્ધાને પ્રોત્સાહન આપ્યું કે આ બજેટનો સૌથી વધુ ઉપયોગ કોણ કરી શકે છે. તેમણે નોંધ્યું હતું કે પ્રગતિશીલ નીતિઓવાળા રાજ્યો કંપનીઓને તેમના પ્રદેશોમાં રોકાણ કરવા આકર્ષિત કરશે.

 

તમામ સહભાગીઓ આ વિષયો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વેબિનારનો ઉદ્દેશ કાર્યવાહી કરી શકાય તેવા સમાધાનો નક્કી કરવાનો છે. તેમણે નીતિઓ, યોજનાઓ અને માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં સહભાગીઓના સહકારના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, તેનાથી બજેટ પછીનાં અમલીકરણની વ્યૂહરચનાઓ ઘડવામાં મદદ મળશે. તેમણે સહભાગીઓનું યોગદાન ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી માન્યતા વ્યક્ત કરીને સમાપન કર્યું હતું.

આ પ્રસંગે વિડિયો કોન્ફરન્સિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રીઓ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાશ્વભાગ

આ વેબિનાર સરકારી અધિકારીઓ, ઔદ્યોગિક અગ્રણીઓ અને વેપાર નિષ્ણાતોને ભારતની ઔદ્યોગિક, વેપાર અને ઊર્જા વ્યૂહરચનાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે એક સહયોગી મંચ પ્રદાન કરશે. આ ચર્ચાઓમાં નીતિગત અમલીકરણ, રોકાણની સુવિધા અને ટેકનોલોજીને અપનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેથી બજેટનાં પરિવર્તનકારી પગલાંનો સતત અમલ સુનિશ્ચિત થશે. વેબિનાર્સ ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને વિષયના નિષ્ણાતોને સાંકળી લેશે, જેથી બજેટની જાહેરાતોના અસરકારક અમલીકરણને વેગ મળે અને પ્રયાસોને સંરેખિત કરી શકાય.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Tirupati Begins First Mango Pulp Exports To UK Under India-UK FTA

Media Coverage

Tirupati Begins First Mango Pulp Exports To UK Under India-UK FTA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses anguish over the loss of lives due to tunnel collapse in Namchi, Sikkim
July 21, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today expressed anguish over the loss of lives due to the collapse of an under-construction tunnel in Namchi, Sikkim. He extended his deepest condolences to the bereaved families and prayed that those injured recover at the earliest.

The Prime Minister announced that an ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Shri Modi stated that the injured would be given Rs. 50,000.

In a post on X, the Prime Minister shared:

"Anguished by the loss of lives due to the collapse of an under-construction tunnel in Namchi, Sikkim. I extend my deepest condolences to the bereaved families. I pray that those injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"