WHOના ડીજીએ જાહેર આરોગ્યમાં નવીનતાની શક્તિનો ઉપયોગ કરવા બદલ પ્રધાનમંત્રી અને ભારત સરકારની પ્રશંસા કરી
"તમારી સર્વોપરિતા પરંપરાગત દવાઓના ઉપયોગમાં નોંધપાત્ર ફેરફાર લાવશે", ડીજીએ પ્રધાનમંત્રીને કહ્યું
પ્રધાનમંત્રીએ PMએ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસને ને ગુજરાતી નામ 'તુલસીભાઈ' આપ્યું
"આયુષનાં ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે"
"આયુષ સેક્ટર 2014માં 3 અબજ ડૉલર કરતાં પણ ઓછું હતું તે વધીને 18 અબજ ડૉલરથી વધુનું થયું છે"
"ભારત ઔષધિય વનસ્પતિઓનો ખજાનો છે, તે એક રીતે આપણું 'ગ્રીન ગોલ્ડ' છે"
“છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ દેશો સાથે 50થી વધુ એમઓયુ નક્કી થયા છે. આપણા આયુષ નિષ્ણાતો ભારતીય માનક બ્યુરોના સહયોગથી ISO ધોરણો વિકસાવી રહ્યા છે. આ આયુષ માટે 150થી વધુ દેશોમાં વિશાળ નિકાસ બજારને ખોલશે”
"વિશેષ આયુષ ચિહ્ન સમગ્ર વિશ્વના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદનોનો વિશ્વાસ અપાવશે"
"દેશભરમાં આયુષ ઉત્પાદનોને પ્રોત્સાહન, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સરકાર આયુષ પાર્ક્સનું નેટવર્ક વિકસાવશે"
"ભારત લોકોને આયુષ ઉપચાર માટે ભારતમાં મુસાફરી કરવાની સુવિધા આપવા માટે એક વિશેષ આયુષ વિઝા શ્રેણી રજૂ કરવા જઈ રહ્યું છે"
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.
"આગામી 25 વર્ષનો અમૃતકાળ પરંપરાગત ઔષધિઓનો સુવર્ણકાળ સાબિત થશે"
"આગામી 25 વર્ષનો અમૃતકાળ પરંપરાગત ઔષધિઓનો સુવર્ણકાળ સાબિત થશે"

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગેબ્રેયસસ આ પ્રસંગે હાજર હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ.મનસુખ માંડવિયા, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી મુંજપરા મહેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે 5 પૂર્ણ સત્ર, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમ આયોજિત કરાયા છે. આ સમિટ રોકાણની સંભાવનાને ઉજાગર કરવામાં મદદ કરશે અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉદ્યોગને વેગ આપશે. તે ઉદ્યોગના નેતાઓ, શિક્ષણવિદો અને વિદ્વાનોને એકસાથે લાવવામાં મદદ કરશે અને ભાવિ સહયોગ માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.

ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસે મહાત્મા ગાંધીનાં રાજ્ય અને દેશમાં હાજર રહેવાની ખુશી વ્યક્ત કરી હતી જેને તેમણે 'વિશ્વનું ગૌરવ' ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની શરૂઆત પાછળ 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભારતની ફિલસૂફી પ્રેરક શક્તિ છે. તેમણે કહ્યું કે આ કેન્દ્રની સ્થાપના ઐતિહાસિક છે અને તે ગેમ ચેન્જર સાબિત થશે. તેમણે માહિતી આપી હતી કે આ કેન્દ્રને પુરાવા, ડેટા અને ટકાઉપણું અને પરંપરાગત દવાઓના ઉપયોગના ઑપ્ટિમાઇઝેશનની કાર્યસૂચિને આગળ વધારવા માટે નવીનતાના એન્જિન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ડીજીએ જાહેર આરોગ્યમાં નવીનતાની શક્તિનો ઉપયોગ કરવા બદલ પ્રધાનમંત્રી અને ભારત સરકારની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય હૉસ્પિટલોમાં ડેટા અને સંકલિત માહિતી શેરિંગ સિસ્ટમના ઉપયોગની પ્રશંસા કરી. તેમણે પરંપરાગત દવામાં સંશોધન માટે ડેટાના સંગ્રહની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલયની પ્રશંસા કરી હતી. આયુષ ઉત્પાદનોમાં વધતી વૈશ્વિક માગ અને રોકાણની નોંધ લેતા ડીજીએ કહ્યું કે આખું વિશ્વ ભારતમાં આવી રહ્યું છે અને ભારત સમગ્ર વિશ્વમાં જઈ રહ્યું છે. તેમણે સામાન્ય રીતે સ્વાસ્થ્ય અને ખાસ કરીને પરંપરાગત દવાઓમાં નવીનતા ઇકોસિસ્ટમમાં લાંબા ગાળાના રોકાણ પર ભાર મૂક્યો હતો; ઈનોવેટર્સ, ઉદ્યોગ અને સરકાર દ્વારા પરંપરાગત દવાઓને પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ અને સમાનતાની રીતે વિકસાવવી અને આ પરંપરાઓ વિકસાવનાર સમુદાયનાં હિતનું રક્ષણ કરવાથી પણ જ્યારે આ દવાઓ બજારમાં લાવવામાં આવે ત્યારે લાભ મળવો જોઈએ, જેમાં બૌદ્ધિક સંપત્તિનાં ફળની વહેંચણીનો સમાવેશ થાય છે. ડીજીએ પ્રધાનમંત્રીનો આભાર માનીને સમાપન કર્યું હતું. “આ મહત્વપૂર્ણ પહેલને ઉત્તેજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જે હું માનું છું કે માત્ર કેન્દ્ર જ નહીં પરંતુ તમારી સર્વોપરિતા પરંપરાગત દવાઓના ઉપયોગમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે, " એમ ડબ્લ્યુએચઓના ડીજીએ પ્રધાનમંત્રી મોદીને જણાવ્યું હતું. તેમણે મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથની પણ પરંપરાગત દવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી હતી. તેમણે આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં WHOના 75 વર્ષના થવાના સુખદ સંયોગની પણ નોંધ લીધી હતી.

શ્રી પ્રવિંદ કુમાર જુગનાથે પરંપરાગત દવાનાં ક્ષેત્રમાં ભારત અને ગુજરાતની આપેલાં યોગદાન બદલ પ્રશંસા કરી હતી. તેમણે તેમના દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતનાં સમર્થનની પણ નોંધ લીધી. ભારત સાથે સમાન વંશની નોંધ લેતા, મોરેશિયસના પ્રધાનમંત્રીએ તેમના દેશમાં આયુર્વેદને આપવામાં આવતા મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે મોરેશિયસમાં આયુર્વેદિક હૉસ્પિટલની સ્થાપના વિશે માહિતી આપી અને પ્રથમ લૉકડાઉન દરમિયાન પરંપરાગત દવાઓનાં દાન માટે ભારતનો આભાર માન્યો હતો. "આ એકતાના ઘણા બધા કાર્યો પૈકીનું એક હતું જેના માટે અમે ભારત સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હંમેશા આભારી છીએ", એમ શ્રી પ્રવિંદ કુમાર જુગનાથે કહ્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વૈશ્વિક આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનો વિચાર તેમને મહામારીના સમયે આવ્યો હતો જ્યારે આયુષે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવા માટે મજબૂત ટેકો પૂરો પાડ્યો હતો અને આયુષ ઉત્પાદનોમાં રસ અને માગમાં વધારો જોવા મળ્યો હતો. મહામારીને પહોંચી વળવા માટેના ભારતીય પ્રયાસોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ આધુનિક ફાર્મા કંપનીઓ અને રસી ઉત્પાદકો દ્વારા દર્શાવવામાં આવેલા વચનની નોંધ લીધી જો તેઓને યોગ્ય સમયે રોકાણ મળે. "કોણ કલ્પના કરી શકે છે કે આપણે આટલી જલદી કોરોનાની રસી વિકસાવી શકીશું?", તેમણે પૂછ્યું હતું.

આયુષ સેક્ટર દ્વારા કરાયેલી પ્રગતિનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે “આપણે આયુષ દવાઓ, સપ્લિમેન્ટ્સ અને સૌંદર્ય પ્રસાધનોનાં ઉત્પાદનમાં પહેલેથી જ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. 2014માં, જ્યાં આયુષ ક્ષેત્ર 3 અબજ ડૉલરથી ઓછું હતું, આજે તે વધીને 18 અબજ ડૉલરથી વધુ થઈ ગયું છે." તેમણે કહ્યું કે આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓનાં ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઘણાં મોટાં પગલા લીધાં છે. થોડા દિવસો પહેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એમ શ્રી મોદીએ માહિતી આપી હતી. વર્તમાન યુગ, યુનિકોર્નના યુગનું વર્ણન કરતાં પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે વર્ષ 2022માં જ ભારતમાંથી અત્યાર સુધીમાં 14 સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. "મને ખાતરી છે કે આપણાં આયુષ સ્ટાર્ટ-અપ્સમાંથી યુનિકોર્ન ખૂબ જ જલદી બહાર આવશે", એવી તેમણે આશા વ્યક્ત કરી. ઔષધીય વનસ્પતિઓનું ઉત્પાદન ખેડૂતોની આવક અને આજીવિકા અને તેમાં રોજગાર સર્જનનો વ્યાપ વધારવાનું સારું માધ્યમ બની શકે છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ સાથે ઔષધીય વનસ્પતિઓનાં ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો માટે બજાર સાથે સરળતાથી જોડાવા માટેની સુવિધાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ માટે સરકાર આયુષ ઈ-માર્કેટ પ્લેસના આધુનિકીકરણ અને વિસ્તરણ પર પણ કામ કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. "ભારત હર્બલ છોડનો ખજાનો છે, તે એક રીતે આપણું 'ગ્રીન ગોલ્ડ' છે", એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ આયુષ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે પાછલાં વર્ષોમાં કરેલા અભૂતપૂર્વ પ્રયાસોનું વર્ણન કર્યું. અન્ય દેશો સાથે આયુષ દવાઓની પરસ્પર માન્યતા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિવિધ દેશો સાથે 50થી વધુ એમઓયુ થયા છે. “આપણા આયુષ નિષ્ણાતો બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સાથે મળીને ISO ધોરણો વિકસાવી રહ્યા છે. આ આયુષ માટે 150થી વધુ દેશોમાં વિશાળ નિકાસ બજારને ખોલશે”, એમ તેમણે કહ્યું.

શ્રી મોદીએ એ પણ માહિતી આપી હતી કે FSSAI એ ગયા અઠવાડિયે તેના નિયમોમાં 'આયુષ આહાર' નામની નવી શ્રેણીની જાહેરાત કરી છે. આ હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા આપશે. તેવી જ રીતે, ભારત પણ એક વિશેષ આયુષ ચિહ્ન બનાવવા જઈ રહ્યું છે. આ ચિહ્ન ભારતમાં બનેલા ઉચ્ચતમ ગુણવત્તાવાળા આયુષ ઉત્પાદનો પર લાગુ કરવામાં આવશે. આ આયુષ ચિહ્ન આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી સજ્જ હશે. "આનાથી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદનોનો વિશ્વાસ મળશે," એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે દેશભરમાં આયુષ ઉત્પાદનોને ઉત્તેજન, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે સરકાર આયુષ પાર્ક્સનું નેટવર્ક વિકસાવશે. આ આયુષ ઉદ્યાનો ભારતમાં આયુષ ઉત્પાદનને નવી દિશા આપશે, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

પરંપરાગત દવાઓની સંભવિતતાઓ વિશે વાત ચાલુ રાખતા, પ્રધાનમંત્રીએ કેરળનાં પ્રવાસનને વધારવામાં પરંપરાગત દવાઓની ભૂમિકાની નોંધ લીધી હતી. “આ સંભાવના ભારતના દરેક ખૂણામાં છે. 'હીલ ઈન ઈન્ડિયા- ભારતમાં ઉપચાર' આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે” એમ તેમણે કહ્યું હતું. આયુર્વેદ, યુનાની, સિદ્ધ વગેરે પર આધારિત સુખાકારી કેન્દ્રો ખૂબ જ લોકપ્રિય બની શકે છે, તેમણે જણાવ્યું હતું. આને આગળ વધારવા માટે, પ્રધાનમંત્રીએ ચાલુ રાખતા કહ્યું કે, સરકાર આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માગતા વિદેશી નાગરિકો માટે બીજી પહેલ કરી રહી છે. “ખૂબ જ ટૂંક સમયમાં, ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી રજૂ કરવા જઈ રહ્યું છે. આનાથી લોકોને આયુષ ઉપચાર માટે ભારતની મુસાફરી કરવાની સુવિધા મળશે” એમ પ્રધાનમંત્રીએ જાહેર કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કેન્યાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાયલા ઓડિંગાની સુપુત્રી રોઝમેરી ઓડિંગાની આયુષની સારવાર પછી આંખોની રોશની પાછી મેળવવાની આયુર્વેદની સફળતાની વાર્તા પણ વર્ણવી હતી. રોઝમેરી ઓડિંગા પ્રેક્ષકોમાં હાજર હતાં અને પ્રધાનમંત્રીએ તેમનો પરિચય કરાવ્યો ત્યારે સભાએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં. તેમણે આગળ કહ્યું કે 21મી સદીનું ભારત તેના અનુભવો અને તેનાં જ્ઞાનને વિશ્વ સાથે શેર કરીને આગળ વધવા માંગે છે. "આપણો વારસો સમગ્ર માનવતા માટે વારસો સમાન છે", તેમણે કહ્યું. પ્રધાનમંત્રી ભારપૂર્વક જણાવે છે કે આયુર્વેદની સમૃદ્ધિ પાછળનું એક મુખ્ય કારણ તેનું ઓપન સોર્સ મોડલ છે. આઈટી સેક્ટરમાં ઓપન સોર્સ ચળવળ સાથે આની સરખામણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્ઞાનના આદાનપ્રદાન દ્વારા આયુર્વેદ પરંપરા મજબૂતીથી મજબૂત થઈ છે. તેમણે આપણા પૂર્વજો પાસેથી પ્રેરણા લઈને ઓપન સોર્સની સમાન ભાવના સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી 25 વર્ષનો અમૃતકાળ પરંપરાગત દવાઓનો સુવર્ણકાળ સાબિત થશે.

પ્રધાનમંત્રીનું સંબોધન ખૂબ જ વ્યક્તિગત અને રસપ્રદ નોંધ પર સમાપ્ત થયું. ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસેસનાં  ભારત પ્રત્યેના પ્રેમ અને ભારતીય શિક્ષકો પ્રત્યેનો તેમનો આદર અને ગુજરાત પ્રત્યેના તેમના સ્નેહનું વર્ણન કરતા શ્રી મોદીએ તેમને ગુજરાતી નામ 'તુલસીભાઈ' આપ્યું હતું. તેમણે શ્રોતાઓને અને ખુશ થયેલા ડબલ્યુએચઓના ડીજીને ભારતીય પરંપરામાં તુલસીનાં શુભ અને ઉત્કૃષ્ટ દરજ્જાને સમજાવ્યો હતો અને તેમનો અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથનો તેમની હાજરી માટે આભાર માન્યો હતો.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
FTAs boost global demand for Indian talent, expand mobility options

Media Coverage

FTAs boost global demand for Indian talent, expand mobility options
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam highlighting the true resolve of a representative
April 29, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today highlighting the true resolve of a representative.

The Prime Minister remarked that as vigilant citizens of the country, it is our duty to ensure record voting to make democracy even stronger.

The Prime Minister wrote on X:

"देश के एक सजग नागरिक के रूप में हमारा कर्तव्य है कि हम लोकतंत्र को और अधिक सशक्त बनाने के लिए रिकॉर्ड मतदान सुनिश्चित करें। इस तरह हम न केवल भारतवर्ष के नवनिर्माण में अपनी सक्रिय भागीदारी निभा सकते हैं, बल्कि एक समर्थ और समृद्ध राष्ट्र की नींव को और मजबूत कर सकते हैं।

राज्ञो हि व्रतमुत्थानं यज्ञः कार्यानुशासनम्।

दक्षिणा वृत्तिसाम्यं च दीक्षितस्याभिषेचनम्॥"

From the perspective of the welfare of the people, continuously uplifting them, faithfully performing duties as a sacred responsibility, ensuring fair judgment, giving generously, treating everyone with equality, and keeping oneself pure, disciplined and dedicated with a consecrated spirit, this is the true resolve of a representative.