પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી મોહનલાલજીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે શ્રી મોહનલાલ જી શ્રેષ્ઠતા અને બહુમુખી પ્રતિભાનું પ્રતિક છે. "દાયકાઓના સમૃદ્ધ કાર્ય સાથે, તેઓ મલયાલમ સિનેમા, થિયેટરના અગ્રણી પ્રકાશ સ્તંભ તરીકે ઉભા છે અને કેરળની સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તમામ માધ્યમોમાં તેમની સિનેમેટિક અને નાટ્ય પ્રતિભા ખરેખર પ્રેરણાદાયક છે" શ્રી મોદીએ કહ્યું.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"શ્રી મોહનલાલ જી શ્રેષ્ઠતા અને બહુમુખી પ્રતિભાનું પ્રતીક છે. દાયકાઓ સુધીના સમૃદ્ધ કાર્ય સાથે, તેઓ મલયાલમ સિનેમા, થિયેટરના અગ્રણી પ્રકાશ સ્તંભ તરીકે ઉભા છે અને કેરળની સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ નોંધપાત્ર અભિનય કર્યો છે. તમામ માધ્યમોમાં તેમની સિનેમેટિક અને નાટ્ય પ્રતિભા ખરેખર પ્રેરણાદાયક છે.
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત થવા બદલ તેમને અભિનંદન. તેમની સિદ્ધિઓ આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહે તેવી પ્રાર્થના."
@Mohanlal
Shri Mohanlal Ji epitomises excellence and versatility. With a rich body of work spanning decades, he stands as a leading light of Malayalam cinema, theatre and is deeply passionate about the culture of Kerala. He has also delivered remarkable performances in Telugu, Tamil,… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/P0DkKg1FWL
— Narendra Modi (@narendramodi) September 20, 2025
ശ്രീ മോഹൻലാൽ ജി പ്രതിഭയുടെയും അഭിനയ വൈവിധ്യത്തിന്റെയും പ്രതീകമാണ്. പതിറ്റാണ്ടുകൾ നീണ്ട സവിശേഷമായ കലാസപര്യയിലൂടെ, മലയാള സിനിമയിലും നാടകത്തിലും പ്രമുഖ വ്യക്തിത്വമായി നിലകൊള്ളുന്ന അദ്ദേഹത്തിന്, കേരള സംസ്കാരത്തിൽ തീവ്രമായ അഭിനിവേശമുണ്ട്.തെലുങ്ക്, തമിഴ്, കന്നഡ, ഹിന്ദി സിനിമകളിലും… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/MJp4z96RlV
— Narendra Modi (@narendramodi) September 20, 2025



