પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ધ ઇન્ડિયા ટોય ફેરનું ઉદ્ઘાટન કરશે.

બાળકના માનસિક વિકાસમાં રમકડાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમજ બાળકોમાં હલનચલન અને જ્ઞાન સાથે સંબંધિત કુશળતાઓ ખીલવવામાં મદદરૂપ પણ થાય છે. પ્રધાનમંત્રીએ ઓગસ્ટ, 2020માં તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જણાવ્યું હતું કે, રમકડાંથી માનસિક વિકાસને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં વધારો થવાની સાથે બાળકોનાં સ્વપ્નોને પાંખો પણ મળે છે. બાળકનાં સર્વાંગી વિકાસમાં રમકડાઓના મહત્વ વિશે પ્રધાનમંત્રીએ અગાઉ ભારતમાં એનાં ઉત્પાદનને વેગ આપવા પર પણ ભાર મૂક્યો હતો. ધ ઇન્ડિયા ટોય ફેર 2021નું આયોજન પ્રધાનમંત્રીના આ વિઝનને સુસંગત રીતે થયું છે.

ફેર વિશે

ફેર 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ, 2021 સુધી યોજાશે. એનો ઉદ્દેશ તમામ પક્ષોને એકમંચ પર લાવવાનો છે, જેમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મ વિક્રેતાઓ, ગ્રાહકો, શિક્ષકો, ડિઝાઇનરો વગેરે ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે કાયમી જોડાણ સ્થાપિત કરવા અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે એકત્ર થશે. આ પ્લેટફોર્મ દ્વારા સરકાર અને ઉદ્યોગ આ મુદ્દાઓ પર ચર્ચા કરશે - ભારત કેવી રીતે રમકડાઓનું ઉત્પાદન અને સોર્સિંગ કરવા માટેનું કેન્દ્ર બની શકે? આ ક્ષેત્રમાં કેવી રીતે રોકાણને આકર્ષી શકાય? ભારતમાંથી રમકડાની નિકાસને વેગ કેવી રીતે આપી શકાય?

ઇ-કોમર્સ અનેબલ્ડ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1000થી વધારે પ્રદર્શકો તેમના ઉત્પાદનો પ્રસ્તુત કરશે. એમાં પરંપરાગત ભારતીય રમકડાં તેમજ આધુનિક રમકડાંઓ પ્રદર્શિત થશે, જેમાં ઇલેક્ટ્રોનિક રમકડાં, નરમ કે પોચાં રમકડાં, કોયડા અને રમતો સામેલ છે. ફેરમાં વિવિધ મુદ્દાઓ પર વેબિનારો યોજાશે અને પેનલ ચર્ચાનું આયોજન થશે, જેમાં રમકડાની ડિઝાઇન અને ઉત્પાદનમાં ક્ષમતા ધરાવતા પ્રસિદ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ સામેલ થશે. બાળકો માટે આ ફેર વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગીદાર થવાની તક છે, જેમાં પરંપરાગત રમકડાં બનાવવા પર કારીગરીનું પ્રદર્શન તથા ટોય મ્યુઝિયમ અને ફેક્ટરીઓની વર્ચ્યુઅલ મુલાકાતો સામેલ છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic

Media Coverage

Why The SHANTI Bill Makes Modi Government’s Nuclear Energy Push Truly Futuristic
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Gujarat meets Prime Minister
December 19, 2025

The Chief Minister of Gujarat, Shri Bhupendra Patel met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister’s Office posted on X;

“Chief Minister of Gujarat, Shri @Bhupendrapbjp met Prime Minister @narendramodi.

@CMOGuj”