પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર, 2017નાં રોજ સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીની ઉજવણી પર ‘યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા’ થીમ પર આયોજિત વિદ્યાર્થી સંમેલનને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રીએ તેમનાં એકાઉન્ટમાંથી શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને કહ્યું હતું કેઃ

“આવતીકાલે હું ‘યંગ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયા’ થીમ પર વિદ્યાર્થીઓનાં સંમેલનને સંબોધિત કરવા આતુર છું.

વિદ્યાર્થી સંમેલન 11 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. આ ઐતિહાસિક દિવસ છે, કારણ કે વર્ષ 1893માં આ જ તારીખે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ઐતિહાસિક સંબોધન કર્યું હતું.

ચાલુ વર્ષે આપણે સ્વામી વિવેકાનંદનાં શિકાગો સંબોધનની 125મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ અને સાથે સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીની ઉજવણી પણ કરી રહ્યાં છીએ.

સ્વામી વિવેકાનંદને યુવા શક્તિમાં દ્રઢ વિશ્વાસ હતો. તેઓ રાષ્ટ્રનિર્માણમાં યુવાનોનાં મહત્ત્વપૂર્ણ સ્થાનને સમજતાં હતાં.

સ્વામી વિવેકાનંદનાં આદર્શોથી પ્રેરિત થઈને અમે આપણી યુવા પેઢીનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને સાકાર કરવા સતત કામ કરી રહ્યાં છીએ.”

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India important market for AI & OpenAI, should be among leaders of AI revolution: CEO Sam Altman

Media Coverage

India important market for AI & OpenAI, should be among leaders of AI revolution: CEO Sam Altman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 ફેબ્રુઆરી 2025
February 06, 2025

Appreciation for PM Modi’s Vision Modi's Leadership Rooted in Stability and Growth