શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ મૈત્રીપાલા સિરિસેના 30 મે, 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં પધાર્યા હતા.

આજે દ્વિપક્ષીય બેઠકમાં રાષ્ટ્રપતિ સિરિસેનાએ પ્રધાનમંત્રીને દેશમાં તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં તેમનાં પક્ષને મળેલા મજબૂત જનાદેશ પછી પુનઃ પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા આપણા વિસ્તારમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે બંને દેશો વચ્ચેનાં સંબંધોને મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવાની એમની ઇચ્છા પુનઃ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ શપથગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેવા બદલ રાષ્ટ્રપતિ સિરિસેનાનો અભાર વ્યક્ત કર્યો હતો. તેમણે શ્રીલંકા સાથે મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા તેમની સરકારની પ્રતિબદ્ધતા જાળવી રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.

બંને નેતાઓએ જણાવ્યું હતું કે, તેઓ દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરનાં વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા માટે દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા પ્રતિબદ્ધ છે તથા માનવતા માટે આતંકવાદ અને કટ્ટરવાદ જોખમરૂપ છે એવો સ્વીકાર કર્યો હતો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost

Media Coverage

'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 01 ઓગસ્ટ 2026
August 01, 2026

Aatmanirbhar Bharat Delivers: Indigenous Power, Farmer Prosperity & Blue Economy