PM Modi meets Directors and Deputy Secretaries, urges them to work with full dedication towards creation of New India by 2022
Silos are big bottleneck in functioning of the Government, adopt innovative ways to break silos, speed up governance: PM to officers

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત સરકારનાં વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં કામ કરતાં આશરે 380 નિદેશકો અને નાયબ સચિવો સાથે ચાર જૂથોમાં ચર્ચાવિચારણા કરી હતી. ઓક્ટોબર, 2017માં આ ચર્ચાવિચારણા અલગ-અલગ દિવસોમાં યોજાઈ હતી. આ ચર્ચાવિચારણાનો છેલ્લો તબક્કો 17 ઓક્ટોબર, 2017નાં રોજ યોજાયો હતો. દરેક ચર્ચાવિચારણા આશરે બે કલાક ચાલી હતી.

આ ચર્ચાવિચારણા દરમિયાન શાસન, ભ્રષ્ટાચાર, જાહેર સાહસો, સરકારી ઇ-માર્કેટપ્લેસ, સ્વાસ્થ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ, પરિવહન, રાષ્ટ્રીય સંકલન, જળ સંસાધનો, સ્વચ્છ ભારત, સંસ્કૃતિ, સંચાર અને પ્રવાસન જેવા વિષયો પર ચર્ચા થઈ હતી.

પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધી નવા ભારતનાં નિર્માણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવા અધિકારીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની કામગીરીમાં મોટો અવરોધ જૂની પરંપરાઓ છે. તેમણે અધિકારીઓને આ પરંપરાઓ તોડવા વિવિધ નવીન માર્ગો અપનાવવા અપીલ કરી હતી, જેનાં પરિણામે શાસનની વિવિધ પ્રક્રિયાઓમાં ઝડપ આવશે. આ જ રીતે તેમણે જણાવ્યું હતું કે, નિદેશક અને નાયબ સચિવનાં સ્તરે અધિકારીઓએ ટીમો બનાવવી જોઈએ, જેથી વધારે સારાં પરિણામો મળે.

આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલયનાં રાજ્ય કક્ષાનાં મંત્રી જિતેન્દ્ર સિંહ અને પ્રધાનમંત્રી કાર્યાલય અને કેબિનેટ સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતાં.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi