Aviation cannot be about rich people. We have made aviation affordable and within reach of the lesser privileged: PM
PM Modi urges people to use water responsibly, and conserve every drop
From the days when handpumps were seen to be a sign of development, today the waters of Narmada River have been brought for the benefit of citizens: PM
Sursagar Dairy would bring enormous benefit to the people, says PM Modi

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાજકોટ ખાતે નવા આકાર પામનારા ગ્રીનફિલ્ડ એરપોર્ટ, અમદાવાદ- રાજકોટ નેશનલ હાઈવેનું 6 માર્ગીકરણ તથા રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવેના ચાર માર્ગીકરણની શિલારોપણ વિધિ કરી હતી.

તેમણે સંપૂર્ણ ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને મિલ્ક પેકેજીંગ પ્લાન્ટ તથા સુરેન્દ્રનગરના જોરાવરનગર અને રતનપુર ખાતે પીવાના પાણીના વિતરણ માટેની પાઈપ લાઈન રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

 

પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું કે સુરેન્દ્રનગર જીલ્લામાં એરપોર્ટની કલ્પના કરવી તે એક મુશ્કેલ બાબત છે. વિકાસના આવા કાર્યોથી નાગરિકોનું સશક્તિકરણ થતું હોય છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉડ્ડયન વ્યવસ્થા માત્ર અમીર લોકો સંબંધિ જ હોતી નથી. આપણે ઉડ્ડયન તંત્રને પોસાય તેવું અને સુવિધાથી વંચિત લોકો સુધી પહોંચાડ્યું છે.

પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું કે વિકાસની વ્યાખ્યા બદલાઈ છે. એવા પણ દિવસો હતા કે જ્યારે હેન્ડ પમ્પસને વિકાસની નિશાની તરીકે ઓળખવામાં આવતા હતા. આજે નર્મદા નદીનાં પાણી નાગરિકોના લાભાર્થે પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગર જીલ્લાને નર્મદાના પાણીથી ઘણો લાભ થશે. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને પાણીના દરેક ટીંપાની જાળવણી કરે. પ્રધાન મંત્રીશ્રીએ કહ્યું કે સૂરસાગર ડેરીથી લોકોને વિપુલ પ્રમાણમાં લાભ થશે. આ પ્રસંગે તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલને યાદ કરીને બહેતર અને સલામત માર્ગો માટે તેમણે કેવા પ્રયાસો કર્યા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Tata Motors supplies first batch of Ultra EV e-buses to Srinagar Smart City

Media Coverage

Tata Motors supplies first batch of Ultra EV e-buses to Srinagar Smart City
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર વિભાજનથી પ્રભાવિત થયેલા લોકોના સાહસને યાદ કર્યું
August 14, 2026
પ્રધાનમંત્રીએ પરિશ્રમ અને માનવ પ્રયાસોના સામર્થ્ય પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે આ પરિસ્થિતિઓમાંથી બહાર આવીને, લોકોએ શૂન્યમાંથી પોતાના જીવનનું પુનઃનિર્માણ કર્યું, વિપરીત પરિસ્થિતિઓને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી અને આપણા રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે અવલોકન કર્યું કે તેમની જીવનયાત્રા આપણને માનવીય જુસ્સાના સામર્થ્યની યાદ અપાવે છે. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે આ દિવસ આપણા રાષ્ટ્રમાં સદ્ભાવના અને ભાઈચારાને જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ દ્રઢ બનાવશે અને સામૂહિક રીતે 'વિકસિત ભારત'ના નિર્માણ તરફ કામ કરવા પ્રેરિત કરશે.

પ્રધાનમંત્રીએ તે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે તે ભયાનક સમયગાળામાંથી બહાર આવીને દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પોતાના સાહસ અને સામર્થ્ય દ્વારા તેમણે દર્શાવ્યું કે પ્રતિકૂળ સંજોગોમાં પણ સંકલ્પો કેવી રીતે સિદ્ધ થાય છે. શ્રી મોદીએ દરેકને રાષ્ટ્રીય સદ્ભાવના અને એકતાની ભાવનાને વધુ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું.

એક સુભાષિત શેર કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કઠોર પરિશ્રમ, પુરુષાર્થ અને સમર્પિત પ્રયાસો દ્વારા જ વિવિધ કળાઓ, વિજ્ઞાન, તકનીકી કૌશલ્યો, હસ્તકલા અને નવીનતાઓનો વિકાસ થાય છે, જે સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે તેથી, વ્યક્તિએ ભાગ્ય પર નિર્ભર ન રહેવું જોઈએ; તેના બદલે સાહસ, પરિશ્રમ અને સતત પ્રયત્નો સાથે પોતાના લક્ષ્યો તરફ સતત આગળ વધવું જોઈએ, કારણ કે માનવ પ્રયાસો જ ભાગ્યનું નિર્માણ કરે છે.

X પરની શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં પ્રધાનમંત્રીએ લખ્યું:

"આજે આપણે #PartitionHorrorsRemembranceDay મનાવી રહ્યા છીએ. આપણે વિભાજનથી પ્રભાવિત થયેલા તમામ લોકોના સાહસને યાદ કરીએ છીએ. ઈતિહાસની આ એક એવી ક્ષણ હતી જેણે અનેકના જીવન છીનવી લીધા... પરિવારો વિખેરાઈ ગયા, સ્વજનો ગુમાવ્યા હતા અને અપાર દુઃખ સહન કરવું પડ્યું.

સાથે જ, આમાંથી બહાર આવીને, લોકોએ શૂન્યમાંથી પોતાના જીવનનું પુનઃનિર્માણ કર્યું, વિપરીત પરિસ્થિતિને સિદ્ધિઓમાં પરિવર્તિત કરી અને આપણા રાષ્ટ્રની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમની જીવનયાત્રા આપણને માનવીય જુસ્સાના સામર્થ્યની યાદ અપાવે છે.

આ દિવસ આપણા રાષ્ટ્રમાં સદ્ભાવના અને ભાઈચારાને જાળવી રાખવાના આપણા સંકલ્પને વધુ દ્રઢ બનાવે અને સામૂહિક રીતે વિકસિત ભારતના નિર્માણ તરફ કામ કરવા પ્રેરિત કરે."

“વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર તે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાજંલિ, જેમણે તે ભયાનક સમયમાંથી બહાર આવીને દેશની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે પોતાની હિંમત અને શક્તિથી બતાવ્યું કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સંકલ્પો કેવી રીતે પૂર્ણ થાય છે.

उद्यमस्य प्रसादेन दृश्यन्ते विविधाः कलाः।

कातरा एव जल्पन्ति यद् भाव्यं तद् भविष्यति॥”

કઠોર પરિશ્રમ, પુરુષાર્થ અને સમર્પિત પ્રયાસો દ્વારા જ વિવિધ કળાઓ, વિજ્ઞાન, તકનીકી કૌશલ્યો, હસ્તકલા અને નવીનતાઓનો વિકાસ થાય છ, જે સફળતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેથી, વ્યક્તિએ ભાગ્ય પર નિર્ભર ન રહેવું જોઈએ; તેના બદલે સાહસ, પરિશ્રમ અને સતત પ્રયત્નો સાથે પોતાના લક્ષ્યો તરફ સતત આગળ વધવું જોઈએ, કારણ કે માનવ પ્રયાસો જ ભાગ્યનું ઘડતર કરે છે.