ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બહેન આનંદી બેન, મુખ્યમંત્રી વિજયરૂપાણીજી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલજી અને અહિં ઉપસ્થિત તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

અનેક ચહેરાઓ 12-15 વર્ષ પછી જોઈ રહ્યો છું. અહિં એવા પણ ચહેરાઓ દેખાઈ રહ્યા છે જેમણે પોતાની યુવાની ગુજરાત માટે હોમી દીધી હતી. કેટલાય નિવૃત્ત અધિકારીઓ જોવા મળી રહ્યા છે જેમણે પોતાના સમયમાં ગુજરાતને ઘણું બધું આપ્યું અને તેના લીધે જ આજે ગુજરાતનો દિવડો અન્યોને પણ પ્રકાશ આપી રહ્યો છે.
તો હું ખાસ તો ગુજરાત સરકારનો એટલા માટે આભારી છું કે ભવન તો બરાબર છે, કોઇપણ ત્યાં આગળ રિબીન કાપી શકતું હતું, પરંતુ મને આપ સૌના દર્શન કરવાનો મોકો મળી ગયો.

સૌથી પહેલા તો આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણેશની કૃપા દેશવાસીઓ પર બનેલી રહે. રાષ્ટ્ર નિર્માણના પ્રત્યેક સંકલ્પ સિદ્ધ થાય. આ પાવન પર્વ પર આપ સૌને અને દેશવાસીઓને પણ અને ખાસ કરીને આજે ગુજરાતનો કાર્યક્રમ છે તો ગુજરાતના લોકોને અનેક અનેક મંગલકામનાપાઠવું છું.

અને ગણેશ ચતુર્થીની સાંજે પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ એક બહુ મહત્વપૂર્ણ કાર્ય આપણે કરીએ છીએ અને જૈન પરંપરામાં આ ખૂબ જ શ્રેષ્ઠ સંસ્કાર છે ‘મિચ્છામી દુક્કડમ’. મનથી, વચનથી, કર્મથી, ક્યારેય પણ, કોઈને પણ દુઃખ પહોંચાડ્યું હોય તો ક્ષમા યાચનાનું આ પર્વ માનવામાં આવે છે ‘મિચ્છામી દુક્કડમ’. તો મારા તરફથી પણ ગુજરાતના લોકોને, દેશના લોકોને અને હવે તો વિશ્વના લોકોને પણ‘મિચ્છામી દુક્કડમ’.

 

મને ખુશી છે કે ભગવાન સિદ્ધિ વિનાયકના પર્વ પર આપણે એક અન્ય સિદ્ધિનો ઉત્સવ ઉજવવા માટે અહિં એકત્રિત થયા છીએ. ગરવી ગુજરાત સદન ગુજરાતના કરોડો જનોની ભાવનાઓ, પરંપરા અને સંસ્કૃતિને અનુકૂળ સૌની સેવા માટે તૈયાર છે. હું આપ સૌને, ગુજરાત વાસીઓને આની માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
અત્યારે તમે એક તો ફિલ્મ જોઈ ગુજરાત ભવનની, પરંતુ હું હમણાં ત્યાં જઈને આવ્યો છું. થોડા સમય પહેલા ગુજરાત સંસ્કૃતિની અનુપમ ઝલક પણ અહિં આપણને જોવા મળી છે અને એક રીતે કલાકારોએ ઓછા સમયમાં અને ઓછી જગ્યામાં શાનદાર રજૂઆત કરી છે.

સાથીઓ, ગુજરાત ભવન બાદ હવે ગરવી ગુજરાત સદનની ઉપસ્થિતિ અનેક પ્રકારની નવી સુવિધાઓ લઇને આવશે. હું આ ઈમારતના નિર્માણ સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું, જેમણે નિર્ધારિત સમય પહેલા આ શાનદાર ઈમારતનું નિર્માણ કર્યું છે.

બે વર્ષ પહેલા સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી, ઉપ-મુખ્યમંત્રીજીએ આનો શિલાન્યાસ કર્યો હતો અને આજે સપ્ટેમ્બરના પ્રારંભમાં જ તેનું ઉદઘાટન કરવાનો મને મોકો મળ્યો છે. મને ખુશી છે કે સમય પર પ્રોજેક્ટ પૂરા કરવાની આદત સરકારી સંસ્થાઓમાં, સરકારી એજન્સીઓમાં વિકસિત થઇ રહી છે.

અનેજ્યારે હું ગુજરાતમાં હતો તો હું ડંકાની ચોટ પર કહેતો હતો કે જેનો શિલાન્યાસ હું કરું છું તેનુંઉદઘાટન પણ હું જ કરીશ અને તેમાં અહંકાર નહોતો, સાર્વજનિક કટિબદ્ધતા રહેતી હતી તેમાં અને તેના કારણે મારા તમામ સાથીઓને આ કાર્યો માટે એકત્રિત થઇને રહેવું પડતું હતું અને તેના પરિણામો પણ મળતા હતા અને આ કાર્ય સંસ્કૃતિને માત્ર આપણે અપનાવેલી જ નથી રાખવાની પરંતુ દરેક સ્તર પર આનો વિસ્તાર થવો ખૂબ જરૂરી છે.
સાથીઓ, આ ભવન ભલે સુક્ષ્મ ભારતનું મોડલ હોય, પરંતુ તે ન્યુ ઇન્ડિયાની તે વિચારધારાનું પણ પ્રત્યક્ષ પ્રમાણ છે, જેમાં આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને, આપણી પરંપરાઓને આધુનિકતાની સાથે જોડીને આગળ વધવાની વાત કરીએ છીએ. આપણે મૂળ સાથે જોડાયેલા રહેવા માંગીએ છીએ, આકાશને આંબવા માંગીએ છીએ.

અને આ ભવનમાં જે રીતે જણાવવામાં આવ્યું કે ઇકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ, વોટરરિસાયકલીંગ જેવી આધુનિક પદ્ધતિઓનો ભરપુર પ્રયોગ છે તો બીજી બાજુ રાણીની વાવનું પણ ચિત્ર છે. તેમાં જ્યાં સૂર્યઊર્જા ઉત્પાદનની વ્યવસ્થા છે, ત્યાં જ મોઢેરા સૂર્ય મંદિરને પણ જગ્યા મળેલી છે. ઘન કચરા વ્યવસ્થાપનની આધુનિક ટેકનોલોજીની સાથે જ આ ઈમારતમાં કચ્છની લિંપણ કલાના નમૂનાને પણ ત્યાં જગ્યા આપવામાં આવી છે જેમાં પશુઓના કચરાને કલાનું રૂપ આપવામાં આવે છે.

ભાઈઓ અને બહેનો, ચોક્કસપણે આ સદન ગુજરાતની કળા અને હસ્તકલા, હસ્ત શિલ્પની માટે અને ગુજરાતનાવારસાને પ્રોત્સાહન આપવા માટેખૂબ જ મહત્વનું સિદ્ધ થઈ શકે છે. દેશની રાજધાનીમાં જ્યાં દુનિયાભરના લોકોનું, વેપારીઓનું, કારોબારીઓનું આવાગમન થાય છે, ત્યાં આગળ આ પ્રકારની સુવિધા હોવી એખૂબ જ ઉપયોગી છે.

એ જ રીતે ગુજરાતી સંસ્કૃતિ પર આધારિત પ્રદર્શનો માટે સદનના કેન્દ્રીય આર્કિએમનો ઉપયોગ કરવાનો વિચાર પણખૂબ જ અભિનંદનનેપાત્ર છે.

હું મુખ્યમંત્રીજીને આગ્રહ કરીશ કે અહિં ગુજરાત પ્રવાસન સાથે જોડાયેલી જે વ્યવસ્થા છે તેને વધુ સશક્ત બનાવવામાં આવે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને ફૂડ ફેસ્ટીવલ જેવા આયોજનોના માધ્યમથી દિલ્હીના, દેશભરના પર્યટકોને ગુજરાતની સાથે જોડવામાં આવી શકે તેમ છે.

એક સમય હતો ગુજરાતનું ખાણું તો ખાસ કરીને ઉત્તર ભારતના લોકો, તેમને તો પસંદ જ નહોતું આવતું, કહેતા હતા અરે યાર બહુ ગળ્યું હોય છે અને કહેતા હતા કે યાર, કારેલામાં પણ તમે ગળપણ નાખો છો? પરંતુ અત્યારના સમયમાં હું જોઈ રહ્યો છું, લોકો પૂછે છે ભાઈ ગુજરાતનું ખાવાનું, અચ્છા ક્યાં મળશે? ગુજરાતી થાળી ક્યાં સારી મળે છે? અને ગુજરાતના લોકોની ખાસિયત છે, જ્યારે તેઓ ગુજરાતમાં હોય છે તો શનિવાર અને રવિવારે સાંજે જમવાનું નથી બનાવતા, બહાર જાય છે અનેજ્યારે ગુજરાતમાં હોય છે તો ઈટાલિયન શોધે છે, મેક્સિકન શોધે છે, સાઉથ ઇન્ડિયન ડિશ શોધશે. પરંતુ ગુજરાતની બહાર જાય છે તો ગુજરાતી વાનગી શોધે છે અને અહિયાં ખમણને પણ ઢોકળા કહેવાય છે અને હાંડવાને પણ ઢોકળા કહે છે. આ છે તો એક જ પરિવારના, હવે જો ગુજરાતના લોકો સરસ મજાનું બ્રાન્ડિંગ કરે, આ વસ્તુઓને પહોંચાડે તોલોકોને ખબર પડે કે ભાઈ ખમણ અલગ હોય છે, ઢોકળા અલગ હોય છે અને હાંડવો અલગ હોય છે.

નવા સદનમાં ગુજરાતમાં રોકાણને આકર્ષિત કરવા માટે, ગુજરાતમાં ઉદ્યોગો માટે, એક મહત્વનું કેન્દ્ર બને તેના માટે નવી વ્યવસ્થા કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે આ સુવિધાઓ વડે ગુજરાતમાં રોકાણના ઇચ્છુક ભારતીય અને વિદેશી રોકાણકારોને વધુ સુવિધા મળશે.

સાથીઓ, આવા વાતાવરણમાં જ્યારેસદનના આધુનિક ડાઈનીંગ હોલમાં લોકો બેસશે અને સામે ઢોકળા હોય, ફાફડા હોય, ખાંડવી હોય, પુદીના મુઠીયા હોય, મોહનથાળ હોય, થેપલા હોય, સેવ અને ટામેટાની ચાટહોય, ખબર નહિં શું-શું હોય… એક વાર એક પત્રકારે મારી પાસે સમય માંગ્યો હતો. ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને તેમની એક આદત હતી કે તેઓ બ્રેકફાસ્ટ પર સમય માંગતા હતા અને બ્રેકફાસ્ટ કરતા-કરતા તેઓ ઇન્ટરવ્યુ લેતા હતા. જો કે ઇન્ટરવ્યુ તો સારું થઇ જ ગયું, તેમાં તો મને ખબર છે શું બોલવાનું, શું નહિં બોલવાનું અને વધારે તો ખબર છે કે શું નહિં બોલવાનું. પરંતુ તે પછી પણજ્યારે તેમણે અહેવાલ લખ્યો તો લખ્યું – કે હું ગુજરાત ભવનમાં ગયો હતો, ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાત કરી, પરંતુદુઃખી છું કે તેમણે ગુજરાતી નાસ્તો ન કરાવ્યો, સાઉથ ઇન્ડિયન નાસ્તો કરાવ્યો. હું ઈચ્છીશ કે હવે કોઈને આવી નોબત ન આવે. ગુજરાત ભવનમાં તેની પોતાની ઓળખ બનવી જોઈએ. લોકો શોધતા આવવા જોઈએ.

ગુજરાતે વિકાસને, ઉદ્યમને, પરિશ્રમને હંમેશા મહત્વ આપ્યું છે. વિકાસ માટે ગુજરાતની તલપને લગભગ દોઢ દાયકા સુધી મુખ્યમંત્રી તરીકે મેંખૂબ નજીકથી જોઈ છે. વીતેલા 5 વર્ષોથી હું જોઈ રહ્યો છું કે ગુજરાતે વિકાસની પોતાની યાત્રાને વધુ ગતિમાન બનાવી છે. પહેલા આનંદીબેન પટેલે વિકાસની ગતિને નવી ઊર્જા આપી, નવું સામર્થ્ય આપ્યું અને પછીથી રૂપાણીજીએ નવીઊંચાઈઓને સ્પર્શવા માટે અનેક નવા પ્રયાસો કર્યા છે. તાજેતરના વર્ષોમાં ગુજરાતનો વિકાસ દર દસ ટકાથી વધુ રહ્યો છે.

સાથીઓ, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બન્યા પછીથી અને બંને સરકારોના પારસ્પરિક પ્રયાસો વડે ગુજરાતના વિકાસમાં આવનારી અનેક અડચણો દૂર થઇ છે. આવી જ એક અડચણ નર્મદા ડેમને લઇને હતી, અને હમણાં વિજયજીએ તેનું ખાસ્સું વર્ણન પણ કર્યું. આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ કે સમસ્યાનું સમાધાન થતા જ કેવી રીતે નર્મદાનું પાણી ગુજરાતના અનેક ગામડાઓની તરસને શાંત કરી રહ્યું છે, ખેડૂતોને લાભ પહોંચાડી રહ્યું છે.

સાથીઓ, સૌની યોજના હોય કે પછી સુજલામ સુફલામ યોજના, આ બંને યોજનાઓએ જે ગતિ પકડી છે, તેનાથી આજે ગુજરાતના લાખો પરિવારોને સુવિધા મળી રહી છે. ગુજરાતમાં પાણીની ઉપલબ્ધતાની ખાતરી થઇ રહી છે.

અને મને ખુશી છે કે જળ સંચયન હોય કે ગામડે-ગામડે જળ પહોંચાડવાનું અભિયાન, ગુજરાતે આમાં પોતાની એક મહારત હાંસલ કરી છે, યોજનાબદ્ધ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તેમાં ત્યાંના નાગરિકોની પણ ભાગીદારી છે. આ જન ભાગીદારી વડે થયું છે અને આવા જ પ્રયાસો દ્વારા આપણે 2024 સુધીમાં દરેક ઘરમાં પાણી પહોંચાડવામાં… હું આખા દેશની વાત કરી રહ્યો છું… આપણે સફળ થઈશું.

સાથીઓ, સિંચાઈ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અન્ય ક્ષેત્રોમાં પણ અભૂતપૂર્વ રોકાણ વીતેલા પાંચ વર્ષો દરમિયાન ગુજરાતમાં થયું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટના નિર્માણની ગતિ પણ વધી છે. અમદાવાદમાં મેટ્રો સહિત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રોજેક્ટ ઝડપથી પૂરા થયા છે. બરોડા, રાજકોટ, સુરત અને અમદાવાદના વિમાનમથકોને આધુનિક બનાવવામાં આવ્યા છે. તે સિવાય ધોલેરા વિમાનમથક અને એક્સપ્રેસ-વેની મંજૂરી દ્વારકામાં જે પ્રમાણે વિજયજીએ કહ્યું તેમ, ત્યાં એક પુલનું નિર્માણ વે-દ્વારકા માટે, રેલવે યુનિવર્સિટી, દરિયાઈ મ્યુઝિયમ, દરિયાઈ પોલીસ એકેડમી, ગાંધી મ્યુઝિયમ, એવા અનેક કાર્યો, જે ગુજરાતમાં આ પાંચ વર્ષોમાં થયા છે. સ્ટેચ્યુઑફ યુનિટીએ તો વિશ્વના પ્રવાસન નકશામાં ભારતને હજુવધારે સન્માન આપવામાંમદદ કરી છે. વિશ્વના ખ્યાતનામ મેગેઝીન, ખાસ કરીને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા, સ્ટેચ્યુઑફ યુનિટીની ચર્ચા જરૂરથી કરે છે અને હું હમણાં થોડા દિવસો પહેલા વાંચી રહ્યો હતો, મને ખુશી થઇ કે જન્માષ્ટમીના દિવસે 34 હજાર લોકો સ્ટેચ્યુઑફ યુનિટી, સરદાર સાહેબના દર્શન કરવા માટે લોકો પહોંચ્યા હતા. એક દિવસમાં 34 હજાર લોકોનું જવું એ પોતાનામાં જ એક બહુ મોટી વાત હોય છે.

સાથીઓ, સામાન્ય માનવીને સુવિધા પહોંચાડવા અને સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવા માટે પણ ગુજરાતે સરાહનીય કાર્ય કર્યું છે. વીતેલા 5-6 વર્ષોમાં ગુજરાતમાં મેડિકલઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે ગતિથી કામ થયું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં આધુનિક દવાખાનાઓ અને મેડિકલ કોલેજોની જાળ પાથરવામાં આવી રહી છે. તેનાથી યુવાનોને ગુજરાતમાં જ મેડિકલના શિક્ષણ અને રોજગારના અવસર પણ મળી રહ્યા છે.

સ્વાસ્થ્યની સાથે સાથે ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાને લાગુ કરવામાં પણ ગુજરાતઘણું આગળ રહ્યું છે. ગુજરાતની જનતાના જીવનને સરળ બનાવવાની આ ઝુંબેશને, જીવન જીવવાની સરળતાને આગળ વધારવા માટે તેની ગતિને આપણે વધારે ઝડપ આપવાની છે.

સાથીઓ, ભારતના જુદા-જુદા રાજ્યોની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક તાકાત જતેને મહાન બનાવે છે, શક્તિશાળી બનાવે છે. પરિણામે, દેશના દરેક ખૂણા, દરેક રાજ્યની તાકાતને, શક્તિઓને ઓળખીને આપણે આગળ વધારવાની છે. તેમને રાષ્ટ્રીય અને વૈશ્વિક મંચ પર અવસર આપવાનો છે. આ જ પારસ્પરિક તાકાત વડે આપણે તે સંકલ્પોને સિદ્ધ કરી શકીશું, જે આવનારા પાંચ વર્ષો માટે નક્કી કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં લગભગ દરેક રાજ્યના ભવન છે, સદન છે. તે ગેસ્ટ હાઉસના રૂપમાં જ સિમિત ન રહે, તેનું ધ્યાન રાખવું જોઈએ. રાજ્યોના આ સદન દિલ્હીમાં સાચા અર્થમાં રાજ્યોની બ્રાંડના રૂપમાં પ્રતિનિધિ હોય, દેશ અને દુનિયા સાથે સંવાદ કરનારા હોય અને તેના માટે કામ કરવું જરૂરી છે. આ ભવન પ્રવાસન અને વેપારના કેન્દ્રો બને, તે દિશામાં પણ કામ થવું જોઈએ.

સાથીઓ, દેશના કેટલાય એવા રાજ્યો છે કે જે સંપર્કની દૃષ્ટિએ થોડા દૂર છે. દેશ વિદેશના ઉદ્યોગપતિઓ, ઉદ્યમીઓને દિલ્હીથી ત્યાં પહોંચવામાં કેટલીય વાર સમય પણ લાગી જાય છે. જ્યારે સમય ઓછો હોય તો દેશની રાજધાનીમાં તે રાજ્યનું વેપાર કેન્દ્ર હોવું, સંસ્કૃતિને, કલાનેઅને હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે પણ ત્યાં સુવિધા ઉપલબ્ધ હોવી એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખથી લઇને પૂર્વોત્તર સુધી, વિંધ્યના આદિવાસી છેડાથી લઇને દક્ષિણના સમુદ્રી વિસ્તાર સુધી, આપણી પાસે દેશની સાથે વહેંચવા માટે અને દુનિયા સમક્ષ રજૂ કરવા માટે ઘણું બધું છે. હવે આપણે આને પ્રમોટ કરવા માટે આપણી સક્રિયતા વધારવી પડશે. એવામાં રાજ્યોના ભવનમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ પણ અહિં આવીને પર્યટનથી લઈને રોકાણ સુધીના બધા જ પ્રશ્નોના જવાબ મેળવી શકે.
હું ફરી એકવાર આપ સૌને ગરવી ગુજરાત માટેખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અને હું આશા રાખું છું કે ગુજરાતના વ્યંજનોનો સ્વાદ માણતા માણતા એ જરૂરથી યાદ રાખજો કે આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ અપાવવાની છે. મને વિશ્વાસ છે કે આ મિશનમાં પણ ગરવી ગુજરાત સદનઉદાહરણ બનશે.

ફરી એકવાર આપ સૌને આ નવા ભવન માટે અભિનંદન, શુભકામનાઓ. અને સારું લાગ્યું, ઘણા મિશનના લોકો પણ અહિં આવેલા છે. તો, વચ્ચે વચ્ચે મિશનના લોકોને ગુજરાત ભવનમાં બોલાવતા રહેજો જરા તો એની મેળે જ તમારો કારોબાર વધતો રહેશે. તે કરતા રહેવું જોઈએ.

ખૂબ-ખૂબ આભાર, ખૂબ-ખૂબ શુભકામનાઓ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature

Media Coverage

IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of Prime Minister addresses the Indian Community in Paris
June 18, 2026

नमस्ते!

बों जू!

ऐसा लग रहा है, आप सब छुट्टी के मूड में हैं।

साथियों,

ये पेरिस शहर, Lights का शहर है, रंगों का शहर है, यहां Art है, Ideas हैं, और innovation की प्रेरणा भी है। इस शहर को भारत के अलग-अलग राज्यों से आए आप सभी लोग और भी खूबसूरत बना देते हैं। नए नए रंगों से भर देते हैं।

कोई तमिल है, कोई पंजाबी है, कोई गुजराती है, तो कोई मराठी है, और कोई बंगाली है। भारत के हर कोने का प्रतिनिधित्व यहां दिखाई देता है।

साथियों,

मैं जब 14 जून को नीस पहुंचा था तो सबसे पहले भारत इनोवेट्स कार्यक्रम में शामिल हुआ था। आज जब मैं फ्रांस से वापसी की तैयारी में हूं तो लग रहा है जैसे भारत कनेक्ट्स कार्यक्रम में आ गया हूं।

फ्रांस में रहने वाले आप लोगों ने 21वीं सदी के भारत-फ्रांस रिश्तों को जिस तरह कनेक्ट किया है, वो हमारी Strategic Partnership की बहुत बड़ी ताकत बन रही है। मैं आप सभी के लिए भारत से 140 करोड़ देशवासियों की शुभकामनाएं लेकर आया हूं। इस आत्मीय स्वागत के लिए, मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

आज मैं ऐसे समय में फ्रांस आया हूं जब कुछ ही दिन पहले हमारी सरकार के 12 वर्ष पूरे हुए हैं। चुने हुए प्रधानमंत्री के रूप निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चायवाले को यहां तक पहुंचा दिया।

साथियों,

बीते 12 वर्ष, 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं। 12 साल के इस कालखंड में भारत का GDP दोगुना हुआ है। Airports की संख्या दोगुनी हुई है। Universities की संख्या भी दोगुनी हो गई है। Highway Construction की स्पीड तीन गुना बढ़ गई। और Metro Network, चार गुणा बड़ा हो गया है।

मैं आपको कुछ और फैक्ट्स दूंगा, उससे आप अंदाजा लगा पाएंगे कि भारत किस स्पीड और कितने बड़े स्केल पर काम कर रहा है। पिछले 12 वर्षों में भारत का Defence Export 35 गुणा यानि Thirty Five Times बढ़ गया है।

औऱ एक फैक्ट सुनिए भारत में मोबाइल मैन्यूफैक्टरिंग यूनिट्स में, 100 गुणा की बढ़ोतरी हुई है। 100 times. भारत अब दुनिया का दूसरा सबसे बड़ा mobile phone manufacturer है। इसी गति, इसी प्रगति का नतीजा है कि आज भारत दुनिया की Fastest Growing Major Economy है।

साथियों,

आज भारत की कहानी सिर्फ Economic Progress की कहानी नहीं है। सिर्फ यहाँ अटक नहीं जाती है। ये Social Transformation की भी कहानी है।

पिछले 12 साल में देश में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। यानि एक ऐसी प्रगति जिसका लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंच रहा है। फ्रांस में जितने घर हैं, उससे भी अधिक पक्के घर बीते 12 वर्ष में हमने जरूरतमंदों के लिए बनाए हैं।

अब हर परिवार के पास, गरीब से गरीब क्यों न हो, Bank Account है। Financial Inclusion एक सरकारी कार्यक्रम नहीं, बल्कि सामाजिक परिवर्तन का अभियान बना है।

साथियों,

इन 12 वर्षों की उपलब्धियों में, एक उपलब्धि ऐसी भी है जिसे किसी आंकड़े से, या अंकों से, नहीं मापा जा सकता। वह है 140 करोड़ भारतीयों का आत्मविश्वास।

आज का भारत और आज के भारत का युवा बहुत बड़े सपने देख रहा है। भारत का किसान नई संभावनाओं के साथ आगे बढ़ रहा है। भारत की महिलाएं नए नेतृत्व का परिचय दे रही हैं। इसलिए ये सिर्फ Achievements के 12 साल नहीं हैं, ये भारत की एस्पिरेशन्स को नई बुलंदी देने का कालखंड रहा है।

साथियों,

एक समय था जब दूर-दराज के गांवों तक आधुनिक सुविधाएं पहुंचाना वाकई बहुत मुश्किल भरा था। आज उन्हीं गांवों में बिजली भी है, इंटरनेट भी है, और डिजिटल सेवाओं की पूरी दुनिया भी है। आज एक क्लिक पर, कभी भी, कहीं भी बैंकिंग सेवाएं उपलब्ध हैं।

आज मोबाइल फोन, भारत के नागरिकों को अनेक सुविधाओं से कनेक्ट कर रहा है। हमारे किसान, हमारे मछुआरे, हमारे dairy farmers, हमारी महिलाएं, हमारे स्टूडेंट्स, सभी टेक्नोलॉजी के माध्यम से सशक्त हो रहे हैं, और अपने लिए नए अवसर बना रहे हैं।

साथियों,

आपने 125 करोड़ से अधिक Aadhaar IDs के बारे में सुना है। लेकिन आज भारत सिर्फ पहचान को डिजिटल नहीं बना रहा। आज करीब 90 करोड़ भारतीयों की Unique Digital Health IDs बनाई जा चुकी हैं। जिससे मेडिकल रिकॉर्ड सुरक्षित और accessible बन गए हैं। इससे हेल्थकेयर डिलीवरी और अधिक आसान और efficient हो रही है।

साथियों,

इन उपलब्धियों की सबसे बड़ी विशेषता यह है कि इनमें से अधिकांश चीजें कुछ वर्ष पहले तक कल्पना जैसी लगती थीं। कौन सोच सकता था कि गांव-गांव तक हाई-स्पीड इंटरनेट पहुंचेगा ? कौन सोच सकता था कि दूर-सुदूर के गांवों में भी QR code जीवन का हिस्सा बन जायेगा ? गांव में कोई बहन, ड्रोन से खेती करने में मदद करेगी, ये भी असंभव लगता था।

लेकिन आज यह सब, भारत के करोड़ों लोगों के जीवन का सामान्य हिस्सा बनता जा रहा है। और आपको गर्व होगा साथियों, यही नए भारत की पहचान है।

जो कभी सपना था, वह आज सच्चाई है। जो कभी नामुमकिन लगता था, वो आज मुमकिन हुआ है, औऱ ये करने के पीछे सबसे बड़ी ताकत क्या है? किसकी वजह से ये सब संभव हुआ है? यह मोदी के कारण नहीं, वो ताकत है- भारत का लोकतंत्र, भारत की डेमोक्रेसी। इस डेमोक्रेसी में सबका साथ है, सबका विकास है।

साथियों,

आज से 50 या 100 साल बाद जब भारत के इस कालखंड की समीक्षा होगी, तो ये बात उभरकर सामने आएगी कि इस कालखंड को भारत की Aspirations ने ड्राइव किया। यह भारत के एस्पिरेशन्स का नया युग है।

जहां बिजली पहुंची है, वहां लोग सिर्फ बिजली नहीं चाहते, वे Smart Living चाहते हैं। जहां ट्रेन पहुंची है, वहां लोग High-Speed Connectivity चाहते हैं। जहां हाईवे बने हैं, वहां लोग World-Class Expressways चाहते हैं। जहां इंटरनेट पहुंचा है, वहां लोग AI और Digital Innovation में नेतृत्व चाहते हैं।

यानि आज भारत के लोग अपने जीवन को भी Next Level पर ले जाना चाहते हैं, और भारत को भी Next Level पर ले जाना उनका मकसद है, उनका संकल्प है, उनके सपने है।

और साथियों,

यही Aspirations आज भारत की विकास यात्रा की सबसे बड़ी शक्ति हैं। मैं आपको भारत की Space Journey का उदाहरण दूंगा।

भारत ने चंद्रयान को चंद्रमा के South Pole पर उतारा। दुनिया ने इसे एक बहुत बड़ी उपलब्धि माना। लेकिन भारत इसे अपनी मंजिल मानकर रुका नहीं। आज देश गगनयान की तैयारी कर रहा है। भारत अंतरिक्ष में अपना Space Station बनाने की दिशा में आगे बढ़ रहा है।

हमारे Space Startups Global Space Economy में अपनी जगह बनाने के लिए पुरजोश काम कर रहे हैं, आगे बढ़ रहे हैं।

साथियों,

Green Energy के क्षेत्र में भी भारत की यही एस्पिरेशंस दिखाई देती है। Solar Power में भारत की उपलब्धियों की दुनिया भर में लगातार चर्चा हो रही हैं। लेकिन भारत अगली छलांग की तैयारी कर रहा है।

Green Hydrogen में बड़े निवेश हो रहे हैं। Advanced Nuclear Energy पर तेजी से काम हो रहा है। आपने भारत के Fast Breeder nuclear Reactor से जुड़ी प्रोग्रेस के बारे में भी सुना ज़रूर होगा। ये भारत के न्यूक्लियर एनर्जी लैंडस्केप में क्रांतिकारी परिवर्तन करने का बहुत बड़ा अचीवमेंट हमारे सीसेन्टिस्टों ने किया है।

साथियों,

आज का भारत भविष्य का पूरा Ecosystem बना रहा है। भारत एक साथ हर उस क्षेत्र में निवेश कर रहा है, जो आने वाले दशकों की दिशा तय करेगा।

अभी आपने कुछ दिन पहले ही देखा है नीस में भारत इनोवेट्स का एक आयोजन किया। ये इवेंट भारत के डीप टेक सामर्थ्य को दुनिया तक पहुंचाने का एक और माध्यम था। इसमें भारत के 120 Deep-Tech Startups उपस्थित थे। Bharat Innovates में करीब एक हजार चार सौ B2B Meetings हुईं है। कई Startups के लिए Investment Commitments आगे बढ़ीं, Commercial Orders के लिए रास्ते खुले। French और European Universities तथा Incubators के साथ Engagements बढ़ रही हैं।

Student Exchanges, Joint Research, और Innovation Support के नए रास्ते बने। इसलिए Bharat Innovates सिर्फ एक Summit नहीं रहा। यह Innovation Diplomacy का एक नया मॉडल बना है।

और आज ही पेरिस में VivaTech इवेंट के जरिए, इस यात्रा को हमने और आगे बढ़ाया। नीस में हमने Ideas को Capital से जोड़ा और पेरिस में Indian Innovation को Global Scale से जोड़ा। आज दुनिया देख रही है भारत केवल भविष्य के लिए तैयार नहीं हो रहा है। भारत भविष्य को आकार दे रहा है।

साथियों,

एक समय था, जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे। आज व्यापार के साथ-साथ Trust यानि भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है।

हर देश Reliable Supply Chains चाहता है। हर देश Stable Partnerships चाहता है। हर देश ऐसे साथियों की तलाश में है, जिन पर लंबे समय तक भरोसा किया जा सके। और ऐसे समय में, भारत विश्व में एक Trusted Partner के रूप में उभर रहा है।

एवियां में G7 बैठक के दौरान मैंने trust based partnerships बनाने पर ज़ोर दिया। ग्लोबल साउथ के देशों के साथ equal पार्टनर्स के रूप में आगे बढ़ने का आह्वान किया। भारत का G7 समिट में संदेश था Global Governance तभी प्रभावी होगी जब वह Inclusive होगी। Global Growth तभी Sustainable होगी जब वह शेयर्ड होगी। और Global Technology तभी मानवता के लिए उपयोगी होगी जब वह Trusted होगी।

साथियों,

भारत और दुनिया के बीच व्यापारिक रिश्तों में नई ऊर्जा नज़र आ रही है। फ्रांस के साथ भारत का ट्रेड लगतार बढ़ रहा है। पिछले कुछ वर्षों में भारत ने दुनिया के अनेक देशों के साथ Free Trade Agreements किए हैं। यूरोपियन यूनियन हो, यूनाइटेड किंगडम हो दुनिया के हर देश, हर रीजन के साथ भारत समझौते कर रहा है।

अगले महीने से भारत और UK के बीच ट्रेड एग्रीमेंट भी लागू हो जाएगा। यह एग्रीमेंट भारत के farmers, workers और innovators को अनेक नए अवसर प्रदान करेगा।

साथियों,

आज दुनिया Uncertainty और Disruption के दौर से गुजर रही है। ऐसे समय में भारत और फ्रांस की साझेदारी विश्वास, स्थिरता और सहयोग का एक मजबूत स्तंभ बन रहा है।

इस वर्ष हमने भारत और फ्रांस के संबंधों को Special Global Strategic Partnership का दर्जा दिया था। नीस में मेरे मित्र President Macron और मैंने हमारे संबंधों को force for global good बनाने पर चर्चा की। Defence से लेकर space और नुक्लियर तक AI और क्रिटीकल मिनरल्स से लेकर high speed railway तक, हर क्षेत्र में हम मिलकर आगे बढ़ेंगे।

साथियों,

Solar energy हो, या AI के क्षेत्र में सहयोग हो, भारत और फ्रांस मिलकर ऐसे समाधान विकसित कर रहे हैं जो पूरी मानवता के हित में हैं। पिछले वर्ष पेरिस में और इस वर्ष दिल्ली में हमने AI Summit को Co-chair किया।

अब हम साथ मिलकर अगले वर्ष “तृष्णा” satellite को लॉन्च करने जा रहें हैं। यह “तृष्णा” satellite जो विश्व में फूड और वाटर सिक्युरिटी सुनिश्चित करने में योगदान देगा।

और साथियों,

यह सभी गवर्नमेंट टू गवर्नमेंट पहलो में आप सभी का योगदान बहुत महत्वपूर्ण है। ये आप हैं जो भारत और यूरोप के बीच सबसे मजबूत सेतु हैं। आप दोनों समाजों को समझते हैं। दोनों बाजारों को समझते हैं। आने वाले समय में Talent, Trade, Technology, Tourism और Investment के नए अवसरों को आगे बढ़ाने में आपकी भूमिका लगातार बढ़ने वाली हैं।

साथियों,

भारत और फ्रांस के रिश्तों को साझा इतिहास, साझा मूल्यों और साझा विश्वास ने आगे बढ़ाया है। विश्व युद्धों के दौरान फ्रांस की धरती पर बलिदान देने वाले भारतीय सैनिकों की स्मृतियां आज भी हमें जोड़ती हैं।

मुझे पहले नव शापेल में श्रद्धांजलि देने का अवसर मिला, पिछले वर्ष प्रेसिडेंट मैक्रों के साथ मार्सेय के वॉर मेमोरियल जाने का अवसर भी मिला। ये हमारी साझा विरासत है।

फ्रांस, भारतीयों के योगदान को संजोता भी है और सराहता भी है। भारतीय मूल की नूर इनायत खान हों, जिन्होंने फ्रांस की Resistance के लिए अपना जीवन बलिदान किया, या महाराजा रणजीत सिंह के साथ काम करने वाले जनरल जां फ्रांस्वा अलार हों ये सभी भारत और फ्रांस की साझा विरासत के प्रतीक हैं।

भारत के राज्य पुडुचेरी में भी फ्रेंच विरासत की झलक दिखाई देती है। वहां का Architecture, वहां की कला-संस्कृति और खान-पान सभी में हमारे संबंधों की महेक है।

साथियों,

इस समय फ्रांस समेत पूरी दुनिया में International Yoga Day की तैयारी भी चल रही है। इस अवसर पर मैं, फ्रांस में योग को आगे बढ़ाने वाले श्रीमान महेश घाट्राड्याल जी को भी आदरपूर्वक श्रद्धांजलि देता हूं। मैं पद्म पुरस्कार से सम्मानित, शार्लोत शोपां जी को भी प्रणाम करता हूं। जिन्होंने सौ वर्ष की आयु में भी, योग के माध्यम से फ़्रांस को भारत की विरासत से जोड़ा है। उनका जीवन यह सिद्ध करता है: Yoga does not add years to life, it adds life to years.

साथियों,

मैं फ्रेद नेग्री जी को भी आदरपूर्वक श्रद्धापूर्वक याद करता हूं। भारतीय विरासत को संरक्षित करने में उनका योगदान अतुल्य रहा है।

साथियों,

भारत और फ्रांस को कनेक्ट करने वाली एक और चीज है, और वो है फुटबॉल। इस वक्त यहां फुटबॉल फीवर पूरे जोर पर है। फ्रांस में इसकी दीवानगी, चप्पे-चप्पे पर दिखती है। लेकिन भारत में भी फुटबॉल का क्रेज़ सिर चढ़कर बोलता है।

खासतौर पर फ्रांस की टीम के फैन्स भारत में बहुत अधिक हैं। फ़्रांस ने इस वर्ल्ड कप की शुरुआत एक जोरदार जीत से शुरू की है। मैं फ्रांस की टीम को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

साथियों,

जाने से पहले, आप सभी के लिए कुछ और अच्छी खबरें भी लेकर के आया हूँ। वो आपके लिए हैं। पिछले वर्ष, मार्सेय में कॉन्सुलेट खोला गया, इससे काफी अधिक सुविधा मिल रही है। कुछ हफ्ते पहले, Indian Nationals के लिए French Airports पर Visa-free Transit की व्यवस्था शुरू हो गई है।

Students और Professionals की Mobility बढ़ाना हो, या Educational Qualifications की Mutual Recognition की बात हो, या फिर French Universities के भारत में Campus खोलना हो, इन सभी पर हम मिलकर आगे बढ़ रहें हैं।

अब फ्रांस में UPI के उपयोग का दायरा भी और बढ़ने जा रहा है। यानि भारत-फ्रांस कनेक्ट भी Instant और आपसी Payment भी Instant!

साथियों,

इन सभी पहलों से, हम भारत और फ़्रांस को और करीब ला रहें हैं। और मैं फिर कहूंगा इस साझेदारी की नींव, इस रिश्ते की असली ताकत आप सभी हैं। आप सब मेरे देशवासी हैं।

आज जब भारत तेज़ी से विकसित भारत के लक्ष्य की ओर बढ़ रहा है, तो मैं आप सभी से भारत के साथ और गहराई से जुडने का आग्रह करूंगा। इससे भारत की विकास यात्रा को नई शक्ति मिलेगी, और आपको अपनी पुरखों की धरती की सेवा करने का अवसर भी मिलेगा।

इन्हीं शब्दों के साथ आप सभी के प्रेम आपके उत्साह और इस आत्मीय स्वागत के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं।

भारत माता की जय!

बहुत बहुत धन्यवाद।