Makar Sankranti greetings. May this day bring joy & prosperity in everyone's lives: PM
Wishing my Tamil friends a happy & blessed Pongal: PM Modi
On the special occasion of Magh Bihu, my greetings to the people of Assam: PM
Prime Minister conveys Uttarayan greetings to the people of Gujarat
Festivals celebrated across India add great colour & happiness in our lives. This diversity is India's greatest strength: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં વિવિધ તહેવારોના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે સમગ્ર ભારતમાં વિવિધ તહેવારોની ઉજવણી થઈ રહી છે. આ પવિત્ર તહેવારોની ઉજવણી કરતાં દરેક વ્યક્તિને મારી શુભેચ્છા!

મકરસંક્રાંતિની શુભકામનાઓ. આ પાવન પર્વ તમામના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપન્નતા લાવે.

મારી તમિલ મિત્રોને પોંગલની શુભકામનાઓ. என் தமிழ் நண்பர்கள் அனைவருக்கும் மகிழ்ச்சியான மற்றும் ஆசி நிறைந்த பொங்கல் வாழ்த்துகள்

માઘ બિહુના વિશેષ પ્રસંગે અસમના લોકોને મારી શુભેચ્છા. মাঘ বিহুৰ এই পৱিত্ৰক্ষণত, অসমবাসীলৈ মোৰ আন্তৰিক শুভেচ্ছা জনাইছো৷

ઉત્તરાયણ પર ગુજરાતના લોકોને શુભેચ્છા. આપ સૌને ઉતરાયણ પર્વની હાર્દિક શુભકામનાઓ!

સમગ્ર ભારતમાં ઉત્તરાયણ અને અન્ય ઘણાં તહેવારો આપણા જીવનમાં આનંદ-ઉત્સાહ અને ખુશીઓ ઉમેરે છે. આ વિવિધતામાં જ ભારતની એકતા રહેલી છે.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળના બહાદુર સહભાગીઓને શ્રદ્ધાંજલિ આપી
August 09, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કર્યા અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમની હિંમત અને દૃઢ નિશ્ચયને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કરીને તેમની હિંમત હંમેશા દરેક ભારતીય માટે પ્રેરણારૂપ રહેશે. મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી આપણા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.”