પ્રધાનમંત્રી નાગપુરમાં

Published By : Admin | April 14, 2017 | 14:30 IST
PM Modi launches several development projects in Nagpur, Maharashtra
Boost to #DigitalIndia: PM Modi launches BHIM Aadhar interface for making payments
Despite facing several obstacles, there was no trace of bitterness or revenge in Dr. Babasaheb Ambedkar: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડો. બાબસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતીના પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કોરાડી થર્મલ પાવર સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઉદ્ઘાટન તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે પાવર સ્ટેશનના ઓપરેશન કન્ટ્રોલ રૂમની મુલાકાત પણ લીધી હતી.

તેમણે મનકાપુર ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નાગપુરમાં આઇઆઇઆઇટી, આઇઆઇએમ અને એમ્સ માટે શિલારોપણની ડિજિટલ તકતીનું અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની દીક્ષાભૂમિ પર સ્મૃતિ સ્વરૂપે ટપાલ ટિકિટ જાહેર કરી હતી. તેમણે લકી ગ્રાહક યોજના અને ડિજિ-ધન વ્યાપર યોજનાના વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ અંગૂઠાની છાપની બાયોમેટ્રિક ઓળખ પર આધારિત કેશલેસ પેમેન્ટ પદ્ધતિ ભીમ આધાર પણ લોન્ચ કરી હતી.

આ પ્રસંગે શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેમને આંબેડકર જયંતી પર નાગપુરમાં હોવાની ખુશી છે. તેમણે કહ્યું હતું કે, દીક્ષાભૂમિ પર પ્રાર્થના કરવાની તક મળવા બદલ તેઓ સન્માનની લાગણી અનુભવે છે.

તેમણે કહ્યું હતું કે, આંબેડકર પોતાનામાં કડવાશ કે બદલવાની ભાવના ધરાવતા નહોતા. તેમણે ઉમેર્યું હતું કે, આ બાબાસાહેબ આંબેડકરની ખાસિયત હતી.

કોરાડી પાવર સ્ટેશનના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીમાં ઊર્જા ક્ષેત્ર અતિ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રયાસ કરવા પ્રતિબદ્ધ છે.

ભારતને આઝાદી અપનાવનાર લોકોની ત્યાગ અને બલિદાનની ભાવનાને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ ભારતીયોને પોતાનું ઘર હોવું જોઈએ, જેમાં વીજળી, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભીમ એપથી સમગ્ર દેશમાં કેટલાક લોકોના જીવનમાં હકારાત્મક અસર થઈ છે. તેમણે કહ્યું હતું કે, ડિજિ-ધન આંદોલન ભ્રષ્ટાચારના વિષચક્ર સામે લડવાનું અભિયાન પણ છે.

 

Click here to read full text speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security