પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઝારખંડમાં રાંચીની મુલાકાત લીધી હતી. અહિં તેમણે આયુષ્માન ભારત યોજનાનાં પસંદ કરેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે ઝારખંડનાં રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી રઘુવર દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આજે સવારે પ્રધાનમંત્રીએ ઝારખંડનાં હઝારીબાગની મુલાકાત લીધી હતી. અહિં તેમણે કહ્યું હતું કે, આ ઝારખંડની એ જ ભૂમિ છે, જ્યાં આયુષ્માન ભારત યોજના શરૂ થઈ હતી, જેનાથી ઝારખંડનાં હજારો લોકો સહિત ભારતનાં લાખો લોકોને લાભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર, 2018નાં રોજ રાંચીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન ભારતની શરૂઆત કરી હતી અને તેને “ગરીબોની સેવા કરવા માટેની પરિવર્તનકારી પહેલ” ગણાવી હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)નો ઉદ્દેશ હોસ્પિટલની મુશ્કેલ મુલાકાતોમાં ગરીબો અને વંચિત સમુદાયો પર નાણાકીય ભારણ ઘટાડવાનો છે તેમજ ગુણવત્તાયુક્ત આરોગ્યલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દર વર્ષે કુટુંબદીઠ રૂ. 5 લાખનો આરોગ્ય વીમો પ્રદાન કરવાનો છે, જેનો 50 કરોડો લોકોને લાભ મળશે. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. આ યોજનાનાં લાભાર્થીઓની સંખ્યા લગભગ યુરોપિયન યુનિયનની વસતિને સમકક્ષ કે અમેરિકા, કેનેડા અને મેક્સિકોની કુલ વસતિ જેટલી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s healthcare sector seeing a fundamental digital transformation: Report

Media Coverage

India’s healthcare sector seeing a fundamental digital transformation: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 ફેબ્રુઆરી 2026
February 11, 2026

Empowering India: PM Modi's Policies Fueling Innovation, Jobs, and Sustainability