કલક્ત્તાની પ્રબુધ્‍ધ મહિલાઓના લેડીઝ સ્‍ટડી ગ્રુપના ડેલીગેશને મુખ્‍ય મંત્રીશ્રી સાથે સૌજન્‍ય મૂલાકાત કરી

ગુજરાતના વિકાસથી અત્‍યંત પ્રભાવિત

ગુજરાતનો અદભૂત વિકાસ કર્યો - ભારત પણ  આ જ નેતૃત્‍વની ઇન્‍તેજારમાં

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને આજે પશ્ચિમ બંગાળના કલક્ત્તા સ્થિત પ્રબુધ્‍ધ મહિલાઓના લેડીઝ સ્‍ટડી ગ્રુપના ૧૫ સભ્‍યોના પ્રતિનિધિ મંડળે સૈાજન્‍ય મુલાકાત લીધી હતી. આ લેડીઝ સ્‍ટડી ગ્રુપ ગુજરાતના વિકાસ મોડેલ અને વિશેષ કરીને નારી સશક્તિકરણ વિશેના રાજ્ય સરકારના અભિનવ આયામોનો અભ્‍યાસ કરવા ચાર દિવસના ગુજરાતે પ્રવાસે આવ્‍યું છે.

મુખ્‍ય મંત્રીશ્રી સમક્ષ ગુજરાતના વિકાસથી અત્‍યંત પ્રભાવિત થયા હોવાનું લેડીઝ સ્‍ટડી ગ્રુપના પ્રેસીડેન્‍ટ સુશ્રી શુભા કનોરિયાએ જણાવ્‍યું હતું  અને કલક્ત્તામાં આવીને લેડીઝ સ્‍ટડી ગ્રુપને ગુજરાતમાં રાજકીય ઇચ્‍છાશક્તિથી વિકાસની રાજનીતિની સાફલ્‍ય ગાથા વિશેનું પ્રેરક માર્ગદર્શન આપવા નિમંત્ર ણ આપ્‍યું હતું. મુખ્‍ય મંત્રીશ્રીએ કલક્ત્તાના પ્રવાસના આયોજન સાથે તેમના નિમંત્રણને સમાવી લેવાનો વિધેયાત્‍મક પ્રતિભાવ આપ્યો હતો. મુખ્‍ય મંત્રીશ્રી સાથે આ સૈજન્‍ય મુલાકાત દરમિયાન લેડીઝ સ્‍ટડી ગ્રુપની ૧૫ જેટલી બહેનોએ વિશાળ ફલક ઉપર શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના પ્રેરક કાર્યશૈલી અને વિકાસના વિવિધ પાસાઓ વિષયક રસપ્રદ પ્રશ્‍નોતરી કરી હતી. આ પ્રબુધ્‍ધ મહિલાઓએ સ્પષ્‍ટપણે જણાવ્‍યું કે, ગુજરાતને જે રીતે વિકાસનું નેતૃત્‍વ આપ્‍યું છે તેમ સમગ્ર ભારત પણ આપના નેતૃત્‍વની પ્રતિક્ષા કરી રહ્યું છે. ગુજરાત જેવી સુખ શાંતિ અને ખુશાલીની દેશના અન્‍ય પ્રદેશોમાં, અનુભૂતિ કરાવવા તેમણે મુખ્‍યમંત્રીશ્રી સમક્ષ અભિલાષા વ્‍યક્ત કરી હતી.

ગુજરાત એક્સપિરિયન્‍સમાં અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારના પહેલરૂપ નીતિવિષયક પગલા અને અભિયાનો, યુવાશક્તિનું કૈશલ્‍યવર્ધન, કૃષિ અને જળસંચય, કન્‍યા કેળવણીની સાફલ્‍યગાથા, પ્રવાસન વિકાસ, ચૂંટણી સુધારા, શાસન-વ્‍યવસ્‍થા, ગુડ ગવર્નન્‍સ, માતૃ-બાળકલ્‍યાણ, વોટ બેન્‍કની રાજનીતિએ દેશની કરેલી દુર્દશા, વિકાસમાં જનશક્તિની ભાગીદારી અને ભારતની મહાન વિરાસત વિશે દેશાભિમાનની ભવ્‍યતા ઉજાગર કરવા સહિતના અનેકવિધ પાસાઓ વિશે મુખ્‍ય મંત્રીશ્રીએ સવિસ્‍તર ભૂમિકા આપી હતી.

મુખ્‍ય મંત્રીશ્રીના પ્રેરણાત્‍મક ચિતંનનો અમૂલ્‍ય લાભ મળ્યો હોવાનું આ પ્રબુધ્ધ મહિલા પ્રતિનિધિમંડળે આભારસહ જણાવ્‍યું હતું. આ બેઠકમાં મુખ્‍યમંત્રીશ્રીના અધિક મુખ્‍ય સચિવશ્રી કે.કૈલાસનાથન અને સચિવશ્રી અરવિંદ શર્મા ઉપસ્‍થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From taxes to jobs to laws: How 2025 became India’s biggest reform year

Media Coverage

From taxes to jobs to laws: How 2025 became India’s biggest reform year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of Shri Biswa Bandhu Sen Ji
December 26, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the passing of Shri Biswa Bandhu Sen Ji, Speaker of the Tripura Assembly. Shri Modi stated that he will be remembered for his efforts to boost Tripura’s progress and commitment to numerous social causes.

The Prime Minister posted on X:

"Pained by the passing of Shri Biswa Bandhu Sen Ji, Speaker of the Tripura Assembly. He will be remembered for his efforts to boost Tripura’s progress and commitment to numerous social causes. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti."