મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે 1 જાન્યુઆરી, ર૦૧૦થી પ્રવર્તમાન મોંધવારી ભથ્થાના દરમાં આઠ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

કર્મયોગીઓને આ ભથ્થું એપ્રિલ-ર૦૧૦થી રોકડમાં ચૂકવાશે તથા તા.૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-ર૦૧૦ સુધીની મોંધવારી ભથ્થા તફાવતની રકમ કર્મયોગીના સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરવામાં આવશે.

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હાલમાં મોંધવારી ભથ્થાનો દર ૨૭ ટકા છે તે વધીને ૩૫ ટકા તા. 1 જાન્યુઆરી - ર૦૧૦થી થશે. આજ ધોરણે રાજ્યના પેન્શનરોને અપાતા મોંધવારી ભથ્થાના હંગામી વધારાના માસિક દરમાં પણ આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

કર્મચારીઓને મોંધવારી ભથ્થામાં આઠ ટકાના વધારાના આ નિર્ણયથી વાર્ષિક રૂા. ૬૮૭ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે આ ઉપરાંત પેન્શનરો માટેના મોંધવારી ભથ્થાના હંગામી દરમાં આઠ ટકાના વધારાથી વાર્ષિક રૂ. ૨૪૭ કરોડનો ખર્ચ પણ રાજ્ય સરકાર વહન કરશે.

આમ આ સ્તુત્ય નિર્ણયથી કુલ રૂ. ૯૩૪ કરોડનો લાભ રાજ્ય સરકારના ૪,૯૧,૦૦૦ કર્મયોગીઓ તથા ૩,રપ,૦૦૦ પેન્શનર્સ મળી સમગ્રતયા ૮,૧૬,૦૦૦ વર્તમાન અને નિવૃત્ત કર્મયોગીઓ મેળવશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru

Media Coverage

In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 એપ્રિલ 2026
April 30, 2026

Investment Magnet India: PLI Triumphs, FTA Deals & Defence Milestones — How PM Modi’s Vision is Reshaping the Nation