ભારતના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મુલાકાત દરમિયાન, તેઓએ વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સામાજિક સમરસતા, ભાઈચારો વધારવા અને દેશભરમાં શિક્ષણમાં સુધારો કરવા માટે ગ્રાન્ડ મુફ્તીના પ્રશંસનીય પ્રયાસોની નોંધ લીધી હતી.
X (એક્સ) પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:
“ભારતના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદ સાહેબ સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. સામાજિક સમરસતા, ભાઈચારો વધારવા અને શિક્ષણમાં સુધારો કરવાના તેમના પ્રયાસો નોંધપાત્ર છે.
@shkaboobacker”
Had a very good interaction with Sheikh Abubakr Ahmad Sahab, Grand Mufti of India. We exchanged views on a wide range of issues. His efforts to further social harmony, brotherhood and improve education are noteworthy.@shkaboobacker pic.twitter.com/HSxmCe2aUG
— Narendra Modi (@narendramodi) February 16, 2026


