સ્વતંત્ર રહેવા માટે કાયમ સજાગ રહેવું અત્યંત જરૂરી

પ્રિય મિત્રો,

૧૫ ઓગષ્ટ ૧૯૪૭ નાં રોજ બંધારણીય સભાને સંબોધતા પંડિતજવાહરલાલ નહેરુએ આ શબ્દો કહ્યા હતા
:

મધરાતને ટકોરે, જ્યારે આ દુનિયા નિંદ્રાધીન હોય, ત્યારે ભારતભૂમિ જીવન અને સ્વાતંત્ર્ય પ્રતિ જાગૃત થશે.

પણ, ૨૫-૨૬ જુન ૧૯૭૫ની મધ્યરાત્રિએ આનાથી સાવ ઉલ્ટી ઘટના બની. જ્યારે આ દુનિયા હજી નિંદ્રાધીન હતી, ત્યારે વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આપખુદી વલણ દાખવીને સમગ્ર ભારતભરમાં કટોકટી લાદી દીધી.વાણી અને લોકશાહીનાં જે મૂળભુત સિધ્ધાંતોનાં પાયા ઉપર આ દેશનાં ઘડવૈયાઓએ ભારતનુંનિર્માણ કર્યું હતું તેજાણે અચાનક જ વાદળો તળે ઢંકાઈ ગયા. વિધિની વક્રોક્તિ જોવા જેવી છે કે આકામ કરનારવ્યક્તિ ન માત્રપંડિતનહેરુનાં પક્ષનાંસભ્ય હતા, પણ તેમનાં પરિવારનાં સભ્ય પણ હતા.

કટોકટીની ઘટનાને આજે ૩૭ વર્ષ વીતી ગયા છે, પણ એ બે વર્ષો દરમ્યાન જે બોધ શીખવા મળ્યો એ ન માત્ર આજે પ્રસ્તુત છે, પણ આવનારા વર્ષો સુધી એ પ્રસ્તુત રહેશે.

કટોકટીકાળ એ સત્તાનાં કેફથી ઉન્મત્ત બનેલી સંવેદનારહિત સરકારે દેશની પ્રજાઉપર કરેલ હુમલા સમાનહતો. જે પ્રજા પોતાને સત્તા ઉપર ચૂંટીને લાવી તેની સંવેદનાનાં તંતુથી આ સરકાર સાવ વિખૂટી પડી ચૂકી હતી. ગરીબી હટાવો નાં વચનો કાલ્પનિક અને ક્રૂર મજાક પૂરવાર થયા હતા. દેશ બેફામ મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યો હતો. સાવ મૂળભુત કહેવાય એવીચીજવસ્તુ મેળવવા માટે લાગતી લાંબી કતારો, અને બે છેડા ભેગા કરવા મથતા પરિવારોનાં દ્રશ્યોસામાન્ય બની ગયા હતા.ઉચ્ચ અધિકારીઓમાંભ્રષ્ટાચાર હાડોહાડ વ્યાપી ચૂક્યો હતો.

વાસ્તવમાંબન્યું એમ હતું કે, ૧૨ જુન ૧૯૭૫ નાં રોજ દેશનાં ન્યાયતંત્રએ એક ચૂકાદા દ્વારાખૂદ વડાપ્રધાનનાં નિર્વાચન ઉપર રોકલગાવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી આ કડવી દવા સરકાર પચાવી શકી નહી. ચૂંટણીઓમાં ભૂંડી રીતે હારવાનો ભય પણ સરકારને પજવતો હતો. આથી નિસહાય બનેલી સરકારે જનમતને કચડી નાંખવાનાં ઈરાદે કટોકટી લાદવાનો સરળ રસ્તો અપનાવ્યો.

કટોકટીકાળને ભારતીય ઈતિહાસનાં સૌથી અંધારિયા કાળમાનાં એક તરીકે લેખવો ઉચિત ગણાશે.વિરોધ પક્ષોનાં ટોચનાં તમામ નેતાઓ, ભલે એ ગમે તે પ્રદેશનાં હોય,તત્કાલ જેલમાં ધકેલવામાં આવ્યા.

સામાજિકઅને સ્વદેશાભિમાની સંગઠનોને પણ છોડવામાં આવ્યા નહિ. RSS ઉપર પ્રતિબંધમૂકવામાં આવ્યો. ધરપકડકરવામાં આવેલ મોટાભાગનાં લોકોRSSનાં સ્વયંસેવકહતા. કટોકટીનાં પ્રતિકારમાં RSSએ ભજવેલી ભૂમિકા દેશભરનાં વિભિન્ન રાજકિય વિચારસરણીઓવાળા દેશભક્તો માટે એક આધારસ્તંભ સમાન હતી. ઈન્દિરા ગાંધીને તો આ ‘અસ્થિરતા’પાછળ ‘RSSનો હાથ’ જ દેખાતો હતો અને એટલે જ RSSને આ અંધારિયા કાળમાં થયેલાં દમનનો સૌથીવધુઆઘાત સહન કરવો પડ્યો.

કટોકટીકાળનું અન્ય એક નિર્દયી પાસુ હતું સેન્સરશીપ. વિરોધપક્ષનાં નેતાઓ ઉપરાંત અખબારઅને મિડિયા જગતને પણ આ એકહથ્થુ હકુમતનો વરવો ચહેરો જોવા મળ્યો. પ્રેસનાં સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવામાં આવી. જો પ્રેસને કાંઈપણ છાપવું હોય તો સરકારની પૂર્વમંજૂરી લઈને જ છાપી શકાતું. કટોકટીનાં બીજા દિવસે ઈન્ડિયન એક્સ્પ્રેસનું કોરુ પાનું કોણ ભુલી શકશે? પરિસ્થિતિ એટલી તો ખરાબ હતી કે કોંગ્રેસનાં જ જે લોકોનો લોકશાહીનાં રાજકારણ તરફી ઝુકાવ હતો તેમને પણ છોડવામાં આવ્યા નહિ. આ લોકોને તેમનાં પદ પરથી હટાવીને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા. જનવિરોધી કોંગ્રેસ સરકારનો વિરોધ કરવો એજાણેભયંકર રાષ્ટ્રિયગુનો હોય એવી સ્થિતીનિર્માણ પામી.

કટોકટીકાળ વખતે ભારતનાં લોકોએ ફરી બતાવી આપ્યું કે તેઓ આ પરિસ્થિતીને ચલાવીને બેસી રહે એમ નહોતા. કટોકટી લાગતાંવેંત જ તેના માટે અસંતોષનો ગણગણાટ ફેલાવા લાગ્યો. આ વિરોધે ત્યારબાદ કટોકટી વિરુધ્ધનાં એક વિરાટ અભિયાનનું સ્વરૂપ લીધુ, અને સ્વાતંત્ર્ય તથા લોકશાહીનાં મૂલ્યો ઉપર કુઠારાઘાત સમાન આ કટોકટીનો સજ્જડ વિરોધ થયો. મને યાદ છે, હજ્જારો લોકોએ ગિરફ્તારીનાં ભયને ફગાવી, હાથેહાથ મિલાવી, સરકાર વિરુધ્ધ મોરચો માંડ્યો. કટોકટી વિરુધ્ધની આ જંગમાં સમાજનાં તમામ વર્ગનાં લોકોએ ભાગ લીધો અને આ લડત તમામ દ્રષ્ટિએ એક સાચુ જનઅભિયાન બની રહી.

જુલ્મી અને એકહથ્થુ શાસનનો વિરોધકરવા માટે સમગ્રદેશનાં યુવાનો આગળ આવ્યા, જે કટોકટીવિરુધ્ધની આ ચળવળનું નોંધપાત્રપાસુ બની રહ્યું. ૧૯૪૨નાં સ્વાતંત્ર્યસંગ્રામની જેમ, ફરી એકવાર દેશમાં એવી પરિસ્થિતિનું નિર્માણથયું હતું કે તમામ વરિષ્ટ સામાજિકઅને રાજકિય આગેવાનોની ધરપકડકરવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં દેશનાં યુવાનો આગળ આવ્યા અને પ્રચંડ જુસ્સો, દૂરંદેશીતા, હિંમત અને પ્રતિબધ્ધતા દાખવીને તેમણે કટોકટીનો વિરોધ કર્યો.

શ્રી જયપ્રકાશ નારાયણને યાદ કર્યા વિના કટોકટીકાળ અંગેની વાત અધૂરી ગણાય. જેપી સમગ્ર દેશમાં ફેલાયેલી આ ચળવળનાં સુકાની હતા. લાગણીહિન કોંગ્રેસ સરકારમાં ધ્રુજારી  લાવી દેનાર જો કોઈ એક નેતા હોય તો એ જેપી હતા. જેપીએ આપણને એક નવી આશા આપી. આ એક એવો સિતારો હતો જે સમાજનાં વંચિત લોકોનાં દુખ સમાપ્ત કરવાની ક્ષમતા ધરાવતો હતો. તેમના એક આહવાને સમગ્ર દેશને આ જંગલરાજની વિરુધ્ધ સંગઠિત કરી દીધો હતો.

ભારતનાં લોકોનાં સામુહિક સામર્થ્યનાં કારણે આખરેબે વર્ષથી થોડા ઓછા સમયમાં શાસકોને પોતાની ભૂલસમજાઈ. ૧૯૭૭ માં નવેસરથી ચૂંટણીઓ યોજાઈ અને જે ઈન્દિરા ગાંધીને આજ દિન સુધી અજેય માનવામાં આવતા હતા તેમને મતદાતાઓએ સમગ્રપણે નકારી દીધા.

મને કહેતા આનંદ થાય છે કેકટોકટીવિરુધ્ધની આ લડતનેવેગઆપવા ગુજરાતે મહત્વની ભુમિકા ભજવી હતી. ગુજરાતની પરિસ્થિતિનું પ્રતિબિંબસમગ્રદેશમાં જોવા મળતું હતું.નવનિર્માણઆંદોલનથકી વિદ્યાર્થીજગતનુંસામર્થ્યબહારઆવ્યું અને કોંગ્રેસનાં કવચમાં પડેલી ફાટો ઉઘાડી પડી ગઈ હતી.

મિત્રો, મારે મન કટોકટીવિરુધ્ધનું આ સમગ્રઆંદોલનજનશક્તિનું પરિચાયકહતું. આ લડતે આપણને લોકશાહીનું મુલ્ય સમજાવ્યું. કટોકટીકાળ એ એવા અનેક બહાદુર લોકોની કહાણી છે જેમણે ભારતમાતા માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું હતું. આજનાં આ દિવસે લોકશાહી અને વાણીસ્વાતંત્ર્યનાં મૂલ્યો સાથે ચેડા કરનાર સરકાર સામે લડત છેડનાર એ તમામ બહાદુર ભાઈ-બહેનોને યાદ કરીએ.

કટોકટીકાળ સાથેસંકળાયેલી ઘણી યાદો મારી અંદર પણ પડેલી છે. મારા પુસ્તક આપાતકાલ મે ગુજરાત માં મેં આ યાદોને વણી લીધી છે. આ પુસ્તકમાં મેંઐતિહાસિકસંદર્ભ ઉપરાંત આ જનઅભિયાન સાથે સંકળાયેલાવિવિધ વય તથા વર્ગનાં લોકોની એકતા, સ્વાંત્ર્યનાં મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતા અને શૌર્યગાથાઓનુંનિરૂપણ કર્યું છે. મને આશા છે કે આ પુસ્તક વાંચવું તમને ગમશે.

 

આપનો,

નરેન્દ્ર મોદી

 

Read 'Apatkalme Gujarat', Shri Narendra Modi's absorbing work on Gujarat during the dark Emergency days

Also Read in Gujarati : "Sangharshma Gujarat"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.