મહામહિમ, રાષ્ટ્રપતિ જોકો વિડોડો,

મહામહિમ,

મહાનુભાવો,

નમસ્કાર

આપણી ભાગીદારી તેના ચોથા દાયકામાં પ્રવેશી રહી છે.

આ સંદર્ભે, ભારત-આસિયાન શિખર સંમેલનની સહ-અધ્યક્ષતાથી મને ઘણો આનંદ થાય છે.

આ સમિટના શાનદાર આયોજન માટે, હું રાષ્ટ્રપતિ વિડોડોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું.

હું આસિયાન જૂથના સક્ષમ નેતૃત્વને પણ અભિનંદન આપું છું.

હું કંબોડિયાના પ્રધાનમંત્રી મહામહિમ હુન માનેટને તાજેતરમાં પદ સંભાળવા બદલ મારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

હું આ બેઠકમાં નિરીક્ષક તરીકે તિમોર-લેસ્ટેના પ્રધાનમંત્રી મહામહિમ ઝાનાના ગુસ્માઓનું પણ સ્વાગત કરું છું.

મહામહિમ,

આપણો ઇતિહાસ અને ભૂગોળ ભારત અને આસિયાનને જોડે છે.

સહિયારા મૂલ્યોની સાથે પ્રાદેશિક એકતા,

શાંતિ, સમૃદ્ધિ અને બહુધ્રુવીય વિશ્વમાં સહિયારી માન્યતા પણ આપણને એક સાથે બાંધે છે.

ASEAN એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો કેન્દ્રીય આધારસ્તંભ છે.

ભારત ASEAN કેન્દ્રિયતા અને ઈન્ડો-પેસિફિક પર આસિયાનના દૃષ્ટિકોણને સંપૂર્ણ સમર્થન આપે છે.

ભારતની ઈન્ડો-પેસિફિક પહેલમાં ASEAN અગ્રણી સ્થાન ધરાવે છે.

ગયા વર્ષે, આપણે ભારત-આસિયાન મિત્રતા વર્ષની ઉજવણી કરી હતી અને આપણા સંબંધોને 'કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' સુધી ઉન્નત કર્યા હતા.

મહારાજ, મહામહિમ,

આજે વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ આપણા પરસ્પર સહયોગમાં દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે.

આ આપણા સંબંધોની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતાનો પુરાવો છે.

આ વર્ષની ASEAN સમિટની થીમ 'ASEAN Matters: Epicentrum of Growth' છે.

ASEAN મહત્વ ધરાવે છે કારણ કે અહીં દરેકનો અવાજ સંભળાય છે અને ASEAN વિકાસનું કેન્દ્ર છે કારણ કે આસિયાન ક્ષેત્ર વૈશ્વિક વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

'વસુધૈવ કુટુંબકમ' - 'એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય', આ ભાવના ભારતના G-20 પ્રેસિડેન્સીની થીમ પણ છે.

મહારાજ, મહામહિમ,

21મી સદી એશિયાની સદી છે. તે આપણી સદી છે.

આ માટે, કોવિડ પછીની વિશ્વ વ્યવસ્થા અને માનવ કલ્યાણ માટે બધા દ્વારા પ્રયાસો કરવા માટે નિયમ આધારિત નિર્માણ કરવું જરૂરી છે.

મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકની પ્રગતિ અને ગ્લોબલ સાઉથના અવાજને ઊંચો કરવો એ બધાના સામાન્ય હિતમાં છે.

હું માનું છું કે આજની ચર્ચાઓ ભારત અને આસિયાન ક્ષેત્રના ભવિષ્યને મજબૂત કરવા માટે નવા સંકલ્પો તરફ દોરી જશે.

કન્ટ્રી કોઓર્ડિનેટર સિંગાપોર, આગામી અધ્યક્ષ લાઓ પીડીઆર, અને તમારા બધા સાથે,

ભારત તમારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરવા પ્રતિબદ્ધ છે.

આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman

Media Coverage

21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting significance of mutual dependence
July 14, 2026

The Prime Minister, Shri Narendra Modi shared a Sanskrit Subhashitam-

“प्रभया हि विना यद्वद् भानुरेष न विद्यते।

प्रभा च भानुना तेन सुतरां तदुपाश्रया॥”

The Subhashitam conveys that just as the Sun cannot be perceived without its light, so too light cannot exist without the Sun. Thus, the entire existence and power of the Sun and its light are entirely dependent upon each other.

The Prime Minister wrote on X;

प्रभया हि विना यद्वद् भानुरेष न विद्यते।

प्रभा च भानुना तेन सुतरां तदुपाश्रया॥