"વિકસિત ભારતના આ રોડમેપમાં આધુનિક માળખાગત સુવિધાઓની મોટી ભૂમિકા છે"
"અમે ભારતીય રેલવેની સંપૂર્ણ કાયાપલટ કરી રહ્યા છીએ. આજે દેશનાં રેલવે સ્ટેશનોને પણ એરપોર્ટની જેમ વિકસિત કરવામાં આવી રહ્યાં છે"
"કૃષિથી માંડીને ઉદ્યોગો સુધી, આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેરળમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે"
"અમૃત કાળમાં પર્યટનનો વિકાસ દેશના વિકાસમાં મોટી મદદ કરશે"
​​​​​​​"કેરળમાં મુદ્રા લોન યોજનાના ભાગરૂપે લાખો નાના ઉદ્યોગસાહસિકોને રૂ. 70 હજાર કરોડથી વધારે રકમ આપવામાં આવી છે"

કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી શ્રી પિનરાઈ વિજયન, કેરળ સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો, કોચીના મારા ભાઈઓ અને બહેનો!

આજે કેરળનો દરેક ખૂણો ઓણમના પવિત્ર તહેવારની ખુશીથી ભરાઈ ગયો છે. ઉત્સાહના આ અવસર પર, કેરળને 4600 કરોડ રૂપિયાથી વધુના કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ ભેટમાં આપવામાં આવ્યા છે. જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતામાં વધારો કરતા આ પ્રોજેક્ટ્સ માટે હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

આપણે ભારતીયોએ આઝાદીના અમૃતકાળના આગામી 25 વર્ષમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનો પ્રચંડ સંકલ્પ લીધો છે. વિકસિત ભારતના આ રોડમેપમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મોટી ભૂમિકા છે. આજે કેરળની આ મહાન ભૂમિ પરથી વિકસિત ભારત માટે વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.

સાથીઓ,

મને યાદ છે, મને જૂન 2017માં કોચી મેટ્રોના અલુવાથી પલારીવટ્ટોમ સેક્શનનું ઉદ્ઘાટન કરવાની તક મળી હતી. કોચી મેટ્રો ફેઝ-વન એક્સટેન્શનનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમજ કોચી મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. કોચી મેટ્રોનો બીજો તબક્કો J.L.N. સ્ટેડિયમથી ઈન્ફોપાર્ક સુધી. આ SEZ કોચી સ્માર્ટ સિટીને કક્કનડા સાથે પણ જોડશે. એટલે કે કોચી મેટ્રોનો બીજો તબક્કો આપણા યુવાનો માટે, વ્યાવસાયિકો માટે એક મોટું વરદાન સાબિત થવા જઈ રહ્યો છે.

સમગ્ર દેશના શહેરી વિકાસ, પરિવહન વિકાસને નવી દિશા આપવાનું કામ પણ કોચીમાં શરૂ થયું છે. કોચીમાં યુનિફાઇડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે. આ ઓથોરિટી મેટ્રો, બસ, વોટરવે જેવા તમામ પરિવહનના મોડ્સને એકીકૃત કરવા માટે કામ કરશે.

મલ્ટી મોડલ કનેક્ટિવિટીના આ મોડલથી કોચી શહેરને સીધા ત્રણ લાભ થશે. આનાથી શહેરના લોકોનો મુસાફરીનો સમય ઘટશે, રસ્તાઓ પરનો ટ્રાફિક ઘટશે અને શહેરમાં પ્રદુષણમાં પણ ઘટાડો થશે. પર્યાવરણના રક્ષણ માટે, ભારતે નેટ ઝીરોની પ્રચંડ પ્રતિજ્ઞા લીધી છે, તે તેમાં પણ મદદ કરશે, તે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે.

છેલ્લા આઠ વર્ષોમાં કેન્દ્ર સરકારે મેટ્રોને શહેરી પરિવહનનું સૌથી અગ્રણી મોડ બનાવવા માટે સતત કામ કર્યું છે. કેન્દ્ર સરકારે રાજધાનીથી રાજ્યના અન્ય મોટા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કર્યું છે. આપણા દેશમાં પ્રથમ મેટ્રો લગભગ 40 વર્ષ પહેલા ચાલી હતી. ત્યારપછીના 30 વર્ષોમાં દેશમાં 250 કિમીથી ઓછું મેટ્રો નેટવર્ક તૈયાર થયું હતું. છેલ્લા આઠ વર્ષમાં દેશમાં 500 કિલોમીટરથી વધુ મેટ્રોના નવા રૂટ તૈયાર કરવામાં આવ્યા છે અને 1000 કિલોમીટરથી વધુના મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે.

અમે ભારતીય રેલવેને સંપૂર્ણ રીતે બદલી રહ્યા છીએ. આજે દેશના રેલવે સ્ટેશનોને પણ એરપોર્ટની જેમ વિકસાવવામાં આવી રહ્યા છે. આજે કેરળને ભેટમાં આપવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં, કેરળના 3 મોટા રેલવે સ્ટેશનોને પુનઃવિકાસ કરવાની અને તેમને આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બનાવવાની પણ યોજના છે. હવે એર્નાકુલમ ટાઉન સ્ટેશન, એર્નાકુલમ જંક્શન અને કોલ્લમ સ્ટેશન પર પણ આધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.

કેરળની રેલ કનેક્ટિવિટી આજે એક નવી સીમાચિહ્ન પર પહોંચી રહી છે. તિરુવનંતપુરમથી મેંગલુરુ સુધીનો આખો રેલ માર્ગ ડબલ થઈ રહ્યો છે. સામાન્ય પ્રવાસીઓ તેમજ કેરળના શ્રદ્ધાળુઓ માટે આ એક મોટી સુવિધા છે. એટ્ટુમનૂર-ચિંગવાનમ-કોટ્ટાયમ ટ્રેકનું કામ બમણું થવાથી ભગવાન અયપ્પાના દર્શનની ઘણી સુવિધા થશે. લાખો ભક્તોની આ લાંબા સમયથી માગ હતી, જે હવે પૂરી થઈ છે. સબરીમાલાના દર્શન કરવા ઈચ્છતા દેશ અને દુનિયાના ભક્તો માટે આ આનંદનો પ્રસંગ છે. કોલ્લમ-પુનાલુર વિભાગનું વિદ્યુતીકરણ સમગ્ર પ્રદેશમાં પ્રદૂષણ મુક્ત, ઝડપી રેલ મુસાફરીને સક્ષમ બનાવશે. તેનાથી સ્થાનિક લોકોની સુવિધાની સાથે આ લોકપ્રિય પર્યટન સ્થળનું આકર્ષણ પણ વધશે. કેરળમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાના વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેરળમાં ખેતીથી લઈને ઉદ્યોગો સુધી રોજગારીની નવી તકો ઊભી કરશે, તેને ઊર્જા આપશે.

કેન્દ્ર સરકાર કેરળની કનેક્ટિવિટી પર ઘણો ભાર આપી રહી છે. અમારી સરકાર કેરળની લાઈફલાઈન કહેવાતા નેશનલ હાઈવે-66ને પણ 6 લેનમાં ફેરવી રહી છે. તેના પર 55,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આધુનિક અને સારી કનેક્ટિવિટીનો સૌથી વધુ ફાયદો પ્રવાસન અને વેપારને મળે છે. પ્રવાસન એક એવો ઉદ્યોગ છે, જેમાં ગરીબ, મધ્યમ વર્ગ, ગામ, શહેર, સૌ જોડાય છે, દરેક કમાય છે. આઝાદીના અમૃતકાળમાં પ્રવાસનનો વિકાસ થવાથી દેશના વિકાસમાં ઘણી મદદ મળશે.

કેન્દ્ર સરકાર પણ પ્રવાસન ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતા માટે ઘણું પ્રોત્સાહન આપી રહી છે. મુદ્રા યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન ઉપલબ્ધ છે. કેરળમાં આ યોજના હેઠળ લાખો નાના ઉદ્યમીઓને 70 હજાર કરોડ રૂપિયાથી વધુની મદદ આપવામાં આવી છે. આમાંથી ઘણા પ્રવાસન ક્ષેત્રે છે.

આ કેરળની વિશેષતા રહી છે, અહીંના લોકોની વિશેષતા એ રહી છે કે કાળજી અને ચિંતા અહીંના સમાજ જીવનનો એક ભાગ છે. થોડા દિવસો પહેલા મને હરિયાણામાં મા અમૃતાનંદમયી જીની અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાની તક મળી. હું પણ કરુણાથી ભરપૂર અમૃતાનંદમયી અમ્માના આશીર્વાદ મેળવીને ધન્ય થયો. આજે હું કેરળની ધરતી પરથી ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું.

સાથીઓ, અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મૂળ મંત્ર પર કામ કરીને દેશનો વિકાસ કરી રહી છે. આઝાદીના આ અમૃતકાળમાં, આપણે સાથે મળીને વિકસિત ભારતના માર્ગને મજબૂત કરીશું, આ ઈચ્છા સાથે, વિકાસની યોજનાઓ માટે ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ફરી એકવાર બધાને ઓણમની શુભેચ્છા.

ખુબ ખુબ આભાર !

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship

Media Coverage

In a first, NCERT adds Emergency to Class 9 textbooks; chapter details rights suspension and press censorship
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Gujarat meets the Prime Minister
June 25, 2026

Governor of Gujarat, Shri Acharya Devvrat met with the Prime Minister Shri Narendra Modi, today.

The Prime Minister posted on X;

Governor of Gujarat, Shri @ADevvrat met Prime Minister @narendramodi today.