મિત્રો,
આજે ૧૧ સૅપ્ટેમ્બર છે.
૧૮૯૩ માં આજના દિવસે જ શિકાગો ખાતે થયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનન્દે
વિશ્વ પ્રસિદ્ધ વ્યાખ્યાન આપ્યું હતું. આપણે તેને “દિગ્વિજય દિવસ” તરીકે મનાવી રહ્યા છિએ; આજના દિવસે સ્વામી વિવેકાનન્દે તેમના આધ્યાત્મિક પ્રયોગો દ્વારા વિશ્વ વિજય મેળવ્યો હતો, અને તે પણ તે સમયે જ્યારે ભારત સ્વતંત્ર પણ ન હતું..
આ પહેલી વાર થયું હતું કે સાર્વત્રિક ભાઈચારાનું સંદેશ તથા તેની સાચી સમજ પશ્ચિમી દુનિયાને આપવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છિએ કે સ્વામી વિવેકાનન્દે જ્યારે શ્રોતાઓને ‘અમેરિકાના ભાઈઓ તથા બહેનો’ કહીને સંબોધ્યા ત્યારે તેમના પર તેની આશ્ચર્યજનક અસર થઈ હતી. કારણકે આ માત્ર સંબોધવાની એક રીત જ ન હતી પરંતુ તે શબ્દો પાછળ ભારતની મહાન આધ્યાત્મિક શક્તિ હતી, જેણે તેના ૫૦૦૦ વર્ષ લાંબા ઇતિહાસમાં હમેશા સાર્વત્રિક ભાઈચારાનું એલાન કર્યું છે અને અપનાવ્યું છે.
જો વિશ્વએ સાર્વત્રિક ભાઈચારાના સંદેશનું અનુસરણ કર્યું હોત તો, કદાચ, ૧૦૦ વર્ષો પછી તેને વર્લ્ડ ટ્રેડ સેંટર પર થયેલ હુમલાઓનું ઘાતક દિવસ, ૧૧ સૅપ્ટેમ્બર, ૨૦૦૧, જોવો ન પડ્યો હોત. પરંતુ વિપરિતતા તો તે છે કે આવી મહાન ફિલસૂફી, જે વિશ્વને આતંકવાદનો ભય દૂર કરવા માર્ગ બતાવી શકે છે, તેને જ
“કેસરી આતંકવાદ” ( “સેફ્રન ટેરરિઝમ”) કહેવામાં આવી રહી છે. અને તે પણ અન્ય બીજા કોઈ નહીં પણ સ્વયં દેશના ગૃહમંત્રી દ્વારા. એવું લાગે છે કે ઉતરતી કક્ષાના પક્ષીય રાજકારણની કાર્યસૂચિ દ્વારા પ્રેરિત થઈને તથા માત્ર સંતુષ્ટિ માટે, તે શાંતિ અને વિકાસની બધી શક્યતાઓને તેમના મૂળથી ખેંચી કાઢવા માગે છે. આ વિકટ પરિસ્થિતિના સમયમાં દરેક વ્યક્તિની ફરજ બને છે કે તે આ સંદેશને સમજે, પોતાના જીવનમાં તેને આત્મસાત કરે અને તેને લોકો સુધી પહુંચાડે.
સ્વામી વિવેકાનન્દે સશક્ત ભારત માટે આખી માનવતાને માર્ગદર્શન આપવાનું કામ કર્યું હતું. સ્વામીજીએ પોતાના વ્યાખ્યાનોમાં સાર્વત્રિક ભાઈચારાનું આહવાન કર્યું. તેમણે કહ્યું કે પૃથ્વી પર માનવ ઘણા સમયથી ધર્માંધ રહ્યો છે જે પોતાનો ધર્મ જ સત્ય હોવાનું આગ્રહ કરે છે તથા અન્ય ધર્મોને અસત્ય બતાવતા કહે છે કે તેમને અસ્તિત્વનો અધિકાર નથી. તેમણે આ વાત પર પણ ભાર મૂક્યું કે જ્યાર સુધી આ પરિસ્થિતિ રહેશે ધર્મના નામ પર માત્ર રક્તપાત થશે, ભાઈચારો, જેને સાચા અર્થમાં ધર્મના પ્રયોગો દ્વારા રજૂ કરવામાં આવવો જોઈએ, તે સંભવ નહીં થાય. સૌ વર્ષો પછી ૧૧ સૅપ્ટેમ્બરની ડબ્લ્યુ.ટી.સી. ઘટના દ્વારા તે કેટલા મહાન ભવિષ્ય સૂચક પુરવાર થયા હતાં.
પણ ક્યાર સુધી માનવતા આ ધર્માંધતાના રક્તમાં તરબોળ રહેશે ? હાલની પરિસ્થિતિમાં પ્રતીત થાય છે કે ધર્માંધતા અને આતંકવાદે આખા વિશ્વને ઘેરી લીધું છે., હકીકતમાં આ તે આગ છે જે બુઝતાં પહેલાં સૌથી વધુ તીવ્રતાથી ઝબૂકે છે. સ્વામી વિવેકાનન્દે કહ્યું હતું, “સાંપ્રદાયિકતા, અભિપ્રાયોની અયોગ્ય અભિવ્યક્તિ અને તેના આઘાતજનક પરિણામો તેમજ ધર્માંધતાએ, આ સુન્દર સંસારને લાંબા સમયથી વશમાં કરી રાખ્યો છે. તેમણે આ પૃથ્વીમાં હિંસા ભરી દીધી છે, વારંવાર માનવ રક્ત વહ્યુ છે, સભ્યતાઓ નષ્ટ કરી છે અને આખા દેશને નિરાશામાં ઝંપલાવી દીધો છે. જો આ દુષ્ટતા શક્ય ન હોત તો માનવ સમાજ જે આજે છે તેનાથી કેટલો વધું આગળ હોત ? પરંતુ હવે તેમનો વખત આવી ગયો છે...”
તેમણે સાર્વત્રિક ભાઈચારાનું માત્ર આહવાન જ ન કર્યું હતું તથાપિ તે પણ સૂચિત કર્યું હતું કે સાર્વત્રિક ભાઈચારો વ્યાપક અભિગમ વગર શક્ય થશે નહીં. આજે માનવતા ત્રણ પડકારોનો સામનો કરી રહી છે, મૂળ રૂપમાં વ્યાપક અભિગમની ખોટને લીધે –
૧. બહુવિધ વિશ્વાસ અને સભ્યતાઓનું સહ અસ્તિત્વ
૨. કુદરતને સંગત રહીને વિજ્ઞાન અને અર્થશાસ્ત્રનું સ્થિર વિકાસ
૩. યુદ્ધખોર તથા સ્પર્ધાત્મક દેશોમાં ભૂસ્તરીય રાજનૈતિક સહિષ્ણુતા
આ બધા પડકારોનો એક જ ઉકેલ છે, અતિ સમૃદ્ધ સભ્યતાના મૂલ્યો પર આધારિત સશક્ત ભારત દેશ. આપણા ઋષિઓ દ્વારા આપવામાં આપેલ તત્વજ્ઞાન ‘સર્વે ભવંતુ સુખિનાઃ’ – સૌનું ભલું થાઓ – તે જ એક માર્ગ છે. તે બધાય યુગમાં સનાતન છે. તે આજે પણ તેટલો જ સંગત છે જેટલો તેમના સમયમાં હતો, કદાચ તેનાથી પણ વધુ. પરંતુ પ્રશ્ન તે ઉભો થાય છે કે શુ તે આજના યુગમાં શક્ય છે ?
આને ગુજરાતમાં શક્ય કરવા અમે શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છિએ અને હું અમારા પ્રયત્નોની સફળતાથી ખુશ છું.“ગુજરાત વ્યાપક વિકાસનો નમૂનો” મૂળ રૂપે સુસંગત વિકાસનો ભારતીય નમૂનો છે. આજે કોઈ પણ જોઈ શકે છે કે બધી જાતની અડચણો વચ્ચે પણ આ નમૂનાનો સતત અનુસરણ કર્યા પછી ઉપરોક્ત ત્રણ પડકારો સામે લડવામાં ગુજરાત કેટલું સફળ થયું છે.
દ્વેષભાવો ભર્યા અસત્યો નીચે દબાયેલ સત્યને જો કોઈ ઉઘાડીને જુએ તો સ્પષ્ટ દેખાશે કે ‘માત્ર સંતુષ્ટિ પ્રદાન કરવાને બદલે સિદ્ધિ હાંસલ કરવાની’ ગુજરાતની નીતિએ જાતિ, સંપ્રદાય તથા ધર્મના ભેદ વગર, વિકાસ માટે એક શાંત વાતાવરણ ઉભું કર્યું છે. ગુજરાત સાચા અર્થમાં ‘સર્વ ધર્મ સમભાવ’ના સિદ્ધાંતને આસક્ત છે. ન માત્ર બહુવિધ વિશ્વાસોનું સહ અસ્તિત્વ, પણ જાતિ અને સંપ્રદાયથી દૂર સમાજના બધા વિભાગોનું સુસંગત વિકાસ. જ્યારે વારંવાર ગુજરાતના વ્યાપક વિકાસનો નમૂનો વિવિધ લોકો દ્વારા વિવિધ મંચો પર વખાણાય છે, ત્યારે થોડા મત ભેગા કરવા ગુજરાત વિરુદ્ધ નિન્દા કરનાર લોકોના મોં પર લાફો પડે છે. ન્યાયાધીશ રાજિન્દર સચર સમિતિનો અહેવાલ એક દસ્તાવેજ છે જે દર્શાવે છે કે
મુસલમાન ગુજરાતમાં સૌથી વધુ ખુશ છે .
જ્યારે લોકો સ્થિર વિકાસની સલાહ આપવામાં વ્યસ્ત છે, ગુજરાતની પ્રતિબદ્ધતાએ કેટલાંક ક્ષેત્રોમાં પરિણામો બતાવવા શરુ કરી દીધા છે – ભલે તે કૃષિ વિકાસ હોય કે માનવ વિકાસ સૂચિ અથવા જી.ડી.પી. સંસાર માટે જરૂરી પરિવર્તનો માટે
સ્થિર વિકાસ નવીનીકરણ, સહકાર અને સંકલ્પશક્તિની માંગણી કરે છે .
ગુજરાતે તેની દરેક પહેલમાં તે દર્શાવ્યું છે. જેમ કે બધા શહેરો તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં આખો દિવસ થ્રી ફેજ વિજળી પૂરી પાડવી, પી.પી.પી. માર્ગ દ્વારા સંસ્થાકીય વિતરણ, નદીઓનું જોડાણ, સૂક્ષ્મ સિંચાઈ, બી.આર.ટી.એસ., રિવરફ્રંટ, આબોહવા પરિવર્તન પહેલ, સાંજની અદાલતો તથા અન્ય વધુ. અમે ગુજરાતને એવું અર્થતંત્ર અને સમાજ બનાવવાનું નક્કી કર્યું છે જ્યાં ઓછું કાર્બન સ્ત્રાવ હોય તથા એક સમૃદ્ધ તેમજ સ્વસ્થ ભાવી હોય.
ગુજરાતે
સમરસ ગ્રામ જેવી પહેલ પણ કરી છે જ્યાં એક ગામને પુરસ્કાર આપવામાં આવે છે જો ત્યાં સ્થાનિક સ્વાયત્ત સરકાર સર્વસંમતિથી રચવામાં આવી હોય. રાજ્યના સ્વર્ણિમ જયંતિ વર્ષના પ્રથમ દિવસે છેલ્લા ૫૦ વર્ષોના ગુજરાતના બધા ભૂતપૂર્વ અને વર્તમાન વિધાનસભા સભ્યો અને સંસદ સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં અને વગર કોઈ રાજનૈતિક મતભેદોએ સ્વર્ણિમ જયંતિ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અનિવાર્ય મતદાન વિધાનનો પરિચય પણ એક સ્વસ્થ પ્રજાતંત્ર તેમજ સ્પર્ધાત્મક રાજકારણ ઉભું કરવાનો એક પ્રયત્ન છે.
આજનું ભારત યુવાનોની ધરતી છે. તથા યુવાનોમાં દેશ માટે કઈંક કરવાનું જોશ અને તાકાત બન્ને છે. તેઓ પ્રગતીશીલ જ્ઞાન અને તકનીકીથી સશક્ત છે. આપણો
સમય દાન કાર્યક્રમ હોય કે
મુખ્યમંત્રી સાથીમંડલ કાર્યક્રમ અથવા હજારો
ઈમેલ્સ જે યુવાનો દ્વારા મને રોજ મળે છે, તેમનામાં તાજા ઉત્સાહ અને જોશ જોઈને ભારતના ભવિષ્યની ચિંતા દૂર થાય છે
.સ્વામીજીની ૧૫૦મી જયંતિ આવી રહી છે. અમેરિકાના એલીનોર સ્ટાર્કે તેમની પુસ્તક “ધ ગિફ્ટ અનઓપન્ડ”માં સ્વામીજીને માનવતા માટેની એક અનુપમ ભેંટ બતાવ્યા છે જે અત્યાર સુધી ખોલવામાં આવી નથી. આવો આ અવસર પર મળીને આ પ્રતિજ્ઞા કરીએ કે આપણે સ્વામીજીના સંદેશ પર જીવન જીવીને આ ભેંટ ખોલીશું.“દિગ્વિજય દિવસ” ઉજવવા માટે આપણે સ્વામીજીના સંદેશને અનુસરવો જોઈએ. એક સારા ભાવી માટે આપણે માત્ર શબ્દો દ્વારા જ નહીં પરંતુ કર્મો દ્વારા અનુસરણ કરવું જોઈએ. આવો, તેમના પદચિન્હો પર ચાલતાં, તેમના સશક્ત ભારતના સ્વપ્ન ને સાકાર કરવાનું પ્રયત્ન કરીને આપણે આ મહાપુરુષનું સમ્માન કરીએ.
આનું ઉત્તમ અંત સ્વામી વિવેકાનન્દના જ શબ્દોથી કરી શકાય છે, “જેમ આખો બોજો તમારા જ ખભા પર હોય તેમ વિચારીને બધાય આ પૃથ્વી અને આખા વિશ્વની મુક્તિનો માર્ગ શોધો. વેદોના પ્રકાશ અને જીવનને દરેક બારણે લઈ જાઓ અને દરેક આત્મામાં સંતાયેલા દૈવત્વને જગાડો. ત્યારે, તમને જેટલી પણ સફળતા મળે, તમને સંતોષ રહેશે કે તમે એક મહાન હેતુ માટે જીવ્યા,કાર્ય કર્યું અને મર્યા. આ હેતુની સફળતામાં, જે કોઈ પણ રીતે પ્રાપ્ત કરવામાં આવી હોય, માનવતાની મુક્તિ નિહિત છે; આજે અને હમેશા.”
જય જય ગરવી ગુજરાત ! જય જય સ્વર્ણિમ ગુજરાત ! વસુધૈવ કુટુમ્બકમ ! આખું સંસાર એક પરિવાર છે.
તમારો,



