વડનગરમાં હિન્દુસ્તાનના સૌથી મોટા ફૂડ પ્રોસેસિંગ ઉઘોગનું ઉદ્દધાટન કરતા મુખ્યમંત્રીશ્રી

હિમાલયા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝે રૂ. ૧૭૦ કરોડના રોકાણથી મશરૂમની ખાઘપેદાશરૂપાંતરપ્રક્રિયાસાથેખેતઉઘોગનીપહેલકરી

ઉત્તરગુજરાત વિશ્વના બજારોમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રેસિક્કોજમાવશે-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએઆજે મહેસાણા જિલ્લાના વડનગર નજીક હિન્દુસ્તાનના સૌથી મોટા એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ફૂડપ્રોસેસિંગપ્લાન્ટહિમાલયા ફ્રેશનું ઉદ્દધાટન કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારના ખાઘ પેદાશોના કૃષિઉઘોગઉત્તરગુજરાતના સુકા વિસ્તારોની ખેતીની અને લાખો કિસાનોનીજિંદગીબદલીનાંખશે.

વડનગરના સુલતાનપુરમાં હિમાચલ પ્રદેશની વિશ્વખ્યાત ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મે. હિમાલયા ઇન્ટરનેશનલે રૂ. ૧૭૦ કરોડના ખર્ચે મશરૂમ-યોગર્ટ-મીલ્કચીઝ અને પોટેટો ચીપ્સ, ફ્રેન્ચ ફ્રાયઝ જેવા ખાઘ પદાર્થોના રૂપાંતરનો ફૂડ પ્રોસેસિંગનો હિન્દુસ્તાનમાં સૌથી મોટોપ્લાન્ટકાર્યરત કર્યો છે. આ ખેતઉઘોગ પૂર્વ-મહેસાણામાં ઉઘોગોથી પછાત વિસ્તારમાં પહેલો ઔઘોગિક પ્રોજેકટ છે જેઉત્તરગુજરાતનીખેતીઅને ખેડૂતની જિંદગીમાં નવી રોનક લાવી દેશે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

મશરૂમની ખેતીને પ્રોત્સાહિત કરવા ૧૦,૦૦૦ કિસાનોને આ ખેત-ઉઘોગદ્વારાસહભાગીબનાવાશે તેની હિમાલયા ઉઘોગનાસંચાલકશ્રી મનમોહન મલિકની જાહેરાતનેઆવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ફૂડ પ્રોસેસિંગના વિશ્વ બજારોમાંઉત્તરગુજરાત પોતાનોસિક્કોજમાવશે.

મુખ્યમંત્રીશ્રીએઆગામીછઠ્ઠી મેથીસમગ્રગુજરાતમાં શરૂ થઇ રહેલાકૃષિમહોત્સવનુંઅભિયાનસફળબનાવવા ભરઊનાળેરાજ્યસરકારના એકલાખજેટલા કર્મયોગીઓ,વૈજ્ઞાનિકો અને સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ ખેતરે-ખેતરે ખેડૂતોસાથેબેસીને કૃષિવિકાસ, કૃષિઉઘોગ અને પશુસંવર્ધનના વૈજ્ઞાનિક પ્રયોગો અનેપ્રગતિશીલકૃષિઅર્થતંત્રમાટે પુરૂષાર્થ કરશે એમાં જોડાઇ જવા તેમણે આહ્્‍વાન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝદ્વારાઆસપાસનાગ્રામવિઘાર્થીઓ માટે ર૦૦ સ્કોલરશીપનીયોજનાઅને રમત-ગમતના ખેલાડીઓતૈયારકરવા માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના નિર્માણની જાહેરાતોને પણ આવકારી હતી.

હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષશ્રી મનમોહન મલિક અને તેમના પરિવારે મુખ્યમંત્રીશ્રીનાપ્રેરકપ્રોત્સાહનથી દેશનો આ સૌથી મોટો ફૂડ પ્રોસેસિંગપ્લાન્ટશરૂ થયો છે તેનીભૂમિકાઆપી જણાવ્યું કે ગુજરાત સરકારની પારદર્શી ઉઘોગ વિકાસની નીતિના કારણે જ ગુજરાત ઉઘોગોમાં હરણફાળ ભરી રહ્યું છે. ઉદ્દધાટનના અવસરે તેમણે આ પ્લાન્ટના કર્મયોગી કામદારો માટે ૧૦ટકાવેતનવૃધ્ધિનીજાહેરાતકરી હતી.

આ પ્રસંગે, જિલ્લાપ્રભારીઅનેમહેસૂલમંત્રીશ્રી આનંદીબેન પટેલ, ગુજરાત હાઉસિંગબોર્ડઅધ્યક્ષશ્રી જ્યંતીભાઇ બારોટ, વિસનગરના ધારાસભ્યશ્રી તથા અન્ય પદાધિકારીઓનું પણ હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ભાવભર્યુંસ્વાગતકર્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળના બહાદુર સહભાગીઓને શ્રદ્ધાંજલિ આપી
August 09, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કર્યા અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમની હિંમત અને દૃઢ નિશ્ચયને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કરીને તેમની હિંમત હંમેશા દરેક ભારતીય માટે પ્રેરણારૂપ રહેશે. મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી આપણા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.”