CM felicitates scholars & litterateurs of Sanskrit

Published By : Admin | June 20, 2012 | 17:00 IST

અષાઢસ્ય પ્રથમ દિવસે : ત્રિદલમ્‍ - ૨૦૧૨

મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારા સાથી શ્રી ફકીરભાઈ વાઘેલા, શ્રી જયસિંહભાઈ ચૌહાણ, આજે જેમનું સન્માન થયું એવા સંસ્કૃત અને સંસ્કૃતિને સમર્પિત સર્વે મહાનુભાવો, ઉપસ્થિત સંસ્કૃતપ્રેમી નાગરિક ભાઈઓ-બહેનો અને સંસ્કૃત પ્રત્યે પૂરી શ્રદ્ધા સાથે જીવનની નૌકા ચલાવવાનો નિર્ધાર કરનાર સૌ વિદ્યાર્થી મિત્રો..!

કમનસીબે આપણા દેશમાં બારસો વર્ષની ગુલામીના કાર્યકાળનો પ્રભાવ એટલો બધો રહ્યો છે કે જેના કારણે આપણી પાસે કેવી શ્રેષ્ઠ વિરાસત પડી છે, માનવજીવનને આજના યુગમાં પણ ઉપકારક થાય એવી કેટલી બધી વાતો આપણી પાસે ઉપલબ્ધ છે અને સંસ્કૃત પ્રત્યેની ઉપેક્ષાને કારણે, અજ્ઞાનને કારણે એ આખોય ખજાનો હજુ એમને એમ માનવજાતની સેવા કરવા માટે પ્રતીક્ષા કરી રહ્યો છે. અનેક સંકટોનો સામનો કરવો હોય તો આપણા પૂર્વજોએ જીવનમાં સંબંધિત બધા જ શાસ્ત્રોને એ યુગમાં પોતાની રીતે અધ્યયન કરીને, સંશોધન કરીને, ઋષિઓએ - મુનિઓએ, જે એ યુગના વૈજ્ઞાનિકો હતા, એ યુગના વૈજ્ઞાનિકોએ આપણને એક અખૂટ વારસો આપેલો છે. પણ જ્યાં સુધી એના પ્રત્યે આપણને ગૌરવ ન થાય, ત્યાં સુધી એના તરફ જોવાનો દ્રષ્ટિકોણ બનતો નથી.

બીજી બાજુ, જીવનની બધી ગતિવિધિ અર્થ સાથે જોડાયેલી હોય છે. આ અતૂટ ભંડાર હોય, અમૂલ્ય ભંડાર હોય, અખૂટ ભંડાર હોય, પણ જો જીવનના અર્થ વિભાગ સાથે એનો નાતો ન જોડી શકીએ તો કોણ એના માટે પ્રયાસ કરશે, આ એક સમસ્યા બનતી હોય છે. અને તેથી સમાજમાં એવી એક રચનાની પણ જરૂરિયાત પડે કે જેમાં સંસ્કૃતને સમર્પિત જીવન હશે તો એને ક્યારેય ભૂખે મરવાનો વારો નહીં આવવા દઈએ, એને પણ અન્ય શાસ્ત્રોના જાણકારની જેમ જીવન વિકાસ માટે પૂરતો અવસર મળશે. આજ આપણા પૂર્વજોના શાસ્ત્રો પૈકીનું એક શાસ્ત્ર જ્યોતિષ, અને એનો અર્થ સાથે બરાબર સંબંધ જોડાઈ ગયો છે..! અચ્છા અચ્છા લોકો લાઈનમાં ઊભા હોય. પોતાની જાતને મહાન નિરીશ્વરવાદી કહેતા હોય, આ દેશની સંસ્કૃતિને - પરંપરાને જેટલું ભાંડી શકાય એટલું ભાંડતા હોય, એ લોકોય ત્યાં લાઈનમાં જઈને ઊભા રહ્યા હોય અને ગમે તેટલી ફી લેવાતી હોય, એ આપતા હોય. એમાં એમને વાંધો નથી પડતો, કારણ એમાં એમના નિહિત સ્વાર્થની પૂર્તિની કોઈ સંભાવનાઓ દેખાય છે. જો સંસ્કૃતનો આ એક ભાગ આજના યુગમાં પણ જો રેલેવન્ટ હોય અને સંસ્કૃતનો આ એક હિસ્સો આજે પણ લોકોને આર્થિક કારણસર જોડતો હોય, તો એવા બીજા પણ ઘણા બધા ભાગો હોય કે જેને જોડી શકાય.

હવે આજે નાસા અવકાશની દિશામાં ઘણા બધાં કામ કરતું હોય, પણ આપણા પૂર્વજોએ પણ અવકાશ શાસ્ત્રમાં ખૂબ બધું કામ કર્યું છે. એ બંનેનો તાલમેલ કરવા માટેનો જો ઇનિશ્યેટીવ હિંદુસ્તાનનો હોય તો પછી આપણા પૂર્વજોએ આપેલું જ્ઞાન, આજનું વિજ્ઞાન, એમાં આ ટેક્નોલૉજી અને એમાં આ ઍસ્ટ્રૉનૉટ્સ જોડાય તો હું ચોક્કસ માનું છું કે કદાચ વિશ્વને નવું આપવાનું સામર્થ્ય આપણામાં ઊભું થાય. આજે વિજ્ઞાન જે બાબતો કહે છે ગ્રહોની પ્રદક્ષિણા બાબતમાં, સૂર્ય-પૃથ્વીની ગતિવિધિ બાબતમાં, એક ગ્રહથી બીજા ગ્રહના ડિસ્ટન્સ બાબતમાં... આ બધી જ બાબતો આપણા પૂર્વજોએ એ વખતે એમના શાસ્ત્રોના આધારે આજેપણ લિપીબદ્ધ કરીને મૂકેલી છે. હજાર વર્ષ પહેલાં કહેલું હશે કે બે હજાર વીસમાં ફલાણી તારીખે, ફલાણો ગ્રહ, ફલાણી જગ્યાએ હશે અને આ પ્રકારનું ગ્રહણ થવાનું છે કે આ પ્રકારનું ગ્રહણ આટલી મિનિટ રોકાવાનું છે... આ બધી જ બાબતો ઉપલબ્ધ છે અને એમાં ક્યાંય કોઈ ડિસ્પ્યૂટ નથી. એનો અર્થ એ થયો કે આ ભાષામાં ધરબોળાયેલું જે કંઈ શાસ્ત્ર છે, એ શાસ્ત્ર વિજ્ઞાનની કસોટીએ ખરું ઊતરેલું શાસ્ત્ર છે.

અનેક વિદ્વજનો એમ કહે છે આજનું કોમ્પ્યુટર, જેણે જીવનની ઘણીબધી બાબતોમાં એણે મનુષ્યના એક અંગ તરીકે જગ્યા લઈ લીધી છે, પણ કોમ્પ્યુટરને સૌથી કોઈ અનુકૂળ ભાષા હોય તો એમ કહે છે કે તે સંસ્કૃત ભાષા છે. અગર આપ વિચાર કરો આપણને ઘણીવાર આઘાત લાગે કે આપણા દેશમાં રેડિયો આવ્યો, પણ રેડિયો પર સંસ્કૃતમાં સમાચાર સંભાષણ નહોતું થતું. આપણા દેશમાં ટી.વી. આવ્યું, પણ ટી.વી.માં સંસ્કૃત સમાચાર નહોતા. જગતમાં પહેલી વાર સંસ્કૃત સમાચાર જર્મનીમાં આવતા હતા, જર્મનીમાં. પછી હિંદુસ્તાનના લોકોને લાગ્યું કે ત્યાં સંસ્કૃત સમાચારો બોલાય છે, તો આપણા દેશમાં કેમ નહીં? અને પછી આપણે ત્યાં આવ્યું..! એટલે મને એમ લાગે છે કે એકવાર આપણી સંસ્કૃત ભાષા વાયા અમેરિકા જો લટાર મારીને આવી, તો સાહેબ આપણા દેશમાં શીરાની જેમ ગળે ઊતરી જશે લોકોને..! કારણકે આપણે ત્યાં જરા ફોરેન રિટર્ન હોય તો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. પણ આની જે તાકાત, આનું જે મહાત્મ્ય છે, એ મહાત્મ્યનું ગૌરવ થાય. અને તમે જોયું હશે કે આપણામાંથી કોઈ સંસ્કૃતના પંડિત ન હોઈએ તો પણ આ જે ભાષણ થયાં, ગુજરાતીમાં થયાં હોય અને જે રીતે સમજીએ, એમ બધાને સમજણ પડતી હતી. બધા તાલી પાડવાની હોય ત્યાં જ તાલી પાડતા હતા, કોઈ મોડા નહોતા પાડતા. એનો અર્થ કે આપણને એમાં પોતાપણાનો ભાવ થાય છે અને આપણને થાય એવું નહીં, આસામનો નાગરિક અહીં બેઠો હોતને તો એણે પણ તાલી એવી રીતે જ પાડી હોત, કેરલનો નાગરિક બેઠો હોત તો એણે પણ એટલા જ ભાવથી પાડી હોત, તમને સમજવામાં જેટલો સમય લાગ્યો એટલી જ ફ્રેક્શન્ ઑફ સેકન્ડમાં એણે પણ સમજી લીધું હોત એનો અર્થ એ થયો કે આપણને બધાને ભાવાત્મક રીતે જોડવાની તાકાત આનામાં પડેલી છે. આ ભાવાત્મક બંધનોથી બાંધવાનું જે સામર્થ્ય છે ને એ મહામૂલી મૂડી છે મિત્રો, મહામૂલી મૂડી છે.

 

હવે આપણે એ પણ જોઈએ કે બારસો વર્ષના ગુલામીના કાલખંડમાં આ ભાષાના વિકાસ માટે અવસર ન મળ્યો, જે કંઈ પ્રયત્નો થયા એ એનું રક્ષણ કરવા માટેના થયા, જે પણ જીવનો ખપ્યાં એ એનું રક્ષણ કરવા માટે ખપ્યાં છે. બારસો વર્ષના ગાળાના ગૅપ પછી પણ જે ભાષા આજે પણ સ્તુત્ય હોય, જો બારસો વર્ષ દરમિયાન એનો ક્રમિક વિકાસ થયો હોત તો કદાચ આજે વિશ્વમાં કઈ ઊંચાઈએ આ ભાષા હોત..! હિસાબ લગાવીએ તો ક્યાં જઈને ઊભો રહે? તો બારસો વર્ષના ગૅપ પછી પણ આટલું જ રેલેવન્સ હોય એનું, આ ઘટના નાની નથી. એનો અર્થ એ કે એનામાં કાંઈક તો ઓજ અને તેજ પડ્યાં હશે, અંતર્નિહિત કોઈ ચેતનતંત્ર તો પડ્યું જ હશે કે જેના કારણે આજે પણ એના સામર્થ્યથી આપણે અભિભૂત થઈ શકતા હોઈએ અને જો માનવ જાતનું દુર્ભાગ્ય, હું માનું છું માનવજાતનું દુર્ભાગ્ય, માત્ર હિંદુસ્તાનનું નહીં, માનવજાતનું પણ દુર્ભાગ્ય ન હોત અને બારસો વર્ષ દરમિયાન એણે એનો ક્રમિક વિકાસ કર્યો હોત તો આજે જગતની ઘણીબધી સમસ્યાઓનાં સમાધાન આ જ શાસ્ત્રમાંથી ઉપલબ્ધ થયાં હોત. વૈદિક ગણિત, હિંદુસ્તાનમાં વૈદિક ગણિતની વાત કરો તમે તો સવાર-સાંજ તમારા માથાના વાળ ખેંચી લે લોકો. તમે સાંપ્રદાયિક છો, વૈદિક ગણિત ક્યાંથી લઈ આવ્યા? તમે પુરાણપંથી છો, તમે અઢારમી સદીમાં દેશને ઢસડી જવા માગો છો, આજનો જમાનો જુદો છે, કોમ્પ્યુટરનો છે, વિજ્ઞાન જ્યાં ચાલતું હોય ત્યાં વૈદિક ગણિત ક્યાંથી લઈ આવ્યા..? હવે એણે વૈદિક ગણિત જોયુંયે ન હોય, એને ખબરેય ન હોય ભાઈઓ, પણ એમાં કંઈક સંસ્કૃત નામ આવ્યું નથી ને તમારા ઉપર તૂટી પડ્યા નથી..! મિત્રો, આજે યુરોપના અનેક દેશોમાં વૈદિક ગણિત એ ત્યાંના વિદ્યાર્થીઓના સિલેબસનો હિસ્સો બન્યો છે. જે ઝડપે કોમ્પ્યુટર વિજ્ઞાનનું ગણિત ગણે છે, એટલી ઝડપે વૈદિક ગણિત જાણનારો નાનકડો વિદ્યાર્થી કરે છે. આપણે ત્યાં ગુજરાતમાં વિજ્ઞાનમેળા જ્યારે થાય છે ત્યારે, આ પ્રકારનું સંસ્કૃત પરંપરામાં પડેલું જે ગણિત અને વિજ્ઞાનનું શાસ્ત્ર છે એના પ્રયોગો કરવા માટે બાળકોને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. અને મેં જોયું હમણાં છેલ્લો જે વિજ્ઞાનમેળો જોવા હું ગયેલો, તો બાળકોએ વૈદિક ગણિતના આધારે નાનાં નાનાં નાનાં મૉડ્યૂલ્સ બનાવેલાં હતાં. અને એ મૉડ્યૂલના આધારે બાજુના કોમ્પ્યુટર કરતાં વધારે સ્પીડે સાતમા, આઠમા, નવમા ધોરણનાં બાળકો ગણિતની પઝલો ઉકેલતા હતા અને બધાને અચરજ થતું હતું. એનું કારણ શું? એમના હાથમાં વૈદિક ગણિત હતું. અગર જો આટલો મહાન ભંડાર પડ્યો હોય, પણ કેમ કે એ સંસ્કૃત પરંપરાનો છે માટે અછૂત થઈ જાય, એ જે વિકૃત માનસિકતા દેશમાં ગુલામીએ પકડી રાખેલી છે એના કારણે આપણી આ મહાન વિરાસતને લોકો ભૂલી ગયા છે.

આ રાજ્ય સરકારનો પ્રયાસ છે કે એને માત્ર રક્ષિત કરવી એવું નહીં, એના વિકાસ માટે, એના વિસ્તાર માટે ભરપૂર પ્રયાસ કરીએ. મિત્રો, કદાચ દુનિયામાં હું એક જ પોલિટિકલ ફિલ્ડનો માણસ એવો છું કે જેની વેબસાઈટ અંગ્રેજીમાં પણ છે, હિન્દીમાં પણ છે, ગુજરાતીમાં પણ છે અને, સંસ્કૃતમાં પણ છે. અને મારા પોતાના મનના આનંદ માટે છે. મેં એના લીધે સંસ્કૃતની સેવા કરી દીધી એવો મારો દાવો નથી, પણ આ મહાન પરંપરા સાથેના મારા ગૌરવભાવની અભિવ્યક્તિ માટેનું એક માધ્યમ છે મારું. ઘણીવાર આધુનિક યુગના લોકો પોતાની વાતને જરા બહુ તાકાતથી રજૂ કરવી હોયને તો શેર-શાયરીનો ઉપયોગ કરતા હોય છે, ગઝલનો ઉપયોગ કરતા હોય છે જેથી પોતાની વાત જરા બરાબર તાકાતથી મૂકાય. મિત્રો, આપણે બધા નિશાળમાં જયારે ભણતા હતા અને જે સંસ્કૃત સુભાષિતો છે, શાયદ એક આખું છાપું ભરીને લખાયેલી ચીજો હોય એ જ સંસ્કૃત સુભાષિતમાં એ વ્યક્ત કરવાનું સામર્થ્ય આપણા પૂર્વજો આપણા હાથમાં મૂકી ગયા છે. ઇવન બાળકોને કે જીવનને સંસ્કાર કરવા માટેના સરળ ઉપાયો જો કોઈ મને પૂછે કે ભાઈ, આ અમારા બાળકનું ઘડતર કરવું છે તો કઈ કઈ બાબતોમાં ધ્યાન આપીએ? તો હું એમ કહીશ કે તમે વધારે નહીં, એને પાંચસો સંસ્કૃત સુભાષિત શિખવાડી દો અને બરાબર એને બોલતાં, લખતાં, વાંચતાં, તર્ક આપતાં, દલીલ કરતાં આવડે એવાં કરાવી દો. મિત્રો, હું વિશ્વાસથી કહું છું, એ બાળક મોટું થશે અને જીવનમાં એણે આ કરવું કે તે કરવું, આમ જાવું કે તેમ જાવું એનો જ્યારે નિર્ણય કરવાનો આવશે, ત્યારે પેલું સંસ્કૃત સુભાષિત સામે આવીને ઊભું હશે અને સંસ્કૃત સુભાષિત એને કહેશે કે આમ કર. બારસો વર્ષ, પંદરસો વર્ષ પહેલાં, પાંચ હજાર વર્ષ પહેલાં લખાયેલું કોઈ સુભાષિત આજે પણ જીવનની દિશા બતાવી શકતું હોય તો એનાથી મહામૂલાં જીવનનાં મોતી કયાં હોઈ શકે? આ બધું ઉપલબ્ધ છે, પડ્યું છે આપણે ત્યાં. એને કેવી રીતે આપણે સમાજજીવનમાં પ્રભાવી ઢંગથી લાવીએ..! ગુજરાત સરકારે ગયા વખતે એક પ્રયાસ કર્યો, સ્વર્ણિમ જયંતી વર્ષમાં, એક લાખ લોકોને સંસ્કૃત બોલતાં શિખવાડવા. અને એ પ્રયોગ એટલો સફળ રહ્યો અને પોતે બોલતાં શીખ્યા એટલે એકલા પોતે જ શીખ્યા એવું નહીં, કારણકે એક કુટુંબમાંથી એકાદ જણ શીખવા આવ્યો હોય ને, તો એ પ્રૅક્ટિસ ઘરમાં જેને નહોતું આવડતું એમની જોડે જ કરતો હતો, એટલે ઘરના બીજા લોકોને બોલવા માટે મજબૂર કરતો હતો. એ એમ કહે કે, ‘અહં ગચ્છામિ’ એટલે પછી ઘરવાળાને સમજવું જ પડે કે ભાઈ, આ ગયો હવે, બીજા બધાને જોડાવું જ પડતું હતું..! એટલે ઇન્ અ વે, એક લાખ કુટુંબોમાં સંસ્કૃત બોલી શકાય છે, સમજી શકાય છે, સહજ સરળ છે, એ વિશ્વાસ પેદા કરવાનું કામ ગુજરાતમાં સ્વર્ણિમ જયંતી વર્ષમાં આપણે કરી શક્યા હતા.

અહીંયાં જેમનું સન્માન કરવાનો અવસર મળ્યો. આપ વિચાર કરો, એક લાખ લોકોને સંસ્કૃત લખતાં શિખવાડ્યું એમણે..! આ નાની સેવા નથી. હું માનું છું કે આખી એક પેઢીને... અને મિત્રો, આજે તમે જુઓ, કેવા પ્રકારના માપદંડો છે. પુરાતત્વ વિભાગ, પંદરસો વર્ષ જુનો એક પથરો જડ્યો હોય, સહેજ એના પર કોતરકામ હોય, તો કોઈને એને હાથ અડાડવાનો અધિકાર નથી હોતો. એને એટલો બધો સુરક્ષિત રાખવા માટે સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચાય તો ખર્ચવા પડતા હોય છે. અને એમાં કોઈ સાંપ્રદાયિકતાનું આળ નથી લાગતું, કોઈ તમારી ઉપર આરોપ ના આવે. પણ પંદરસો વર્ષ જુની એક સંસ્કૃતની ચોપડી સાચવવા માટે, એને ડિજિટલ કરવા માટેનું બજેટ વિચાર્યું હોય તો ત્યાં પ્રશ્ન આવે કે સરકારના બજેટમાંથી આ બધું કરવાનું છે તમારે, ભાઈ? આટલી વિકૃતિ આવી છે, સાહેબ. એક પથરો સાચવવા માટે કોઈ નડે નહીં, કોઈ પૂછે નહીં તમને, પણ એક ગ્રંથ સાચવવો હોય તો તમને સવાલો પૂછવામાં આવે, એવા વિકૃતિના વાતાવરણની અંદર કામ કરવાનું છે.

ભાઈઓ-બહેનો, આર્કિયૉલૉજી પણ સંસ્કૃત સાથે જોડાયેલો આખો વિષય છે અને પુરાતત્વની રખેવાળી પણ એટલી જ મહત્વની છે, એનું મૂલ્ય ઓછું ન આંકવું જોઇએ. એક એક પથ્થરનું મૂલ્ય છે. અને કેટલું સામર્થ્ય... મને યાદ છે અહીંયાં એક ડૉ.ગોદાણી હતા. આ ડૉ.ગોદાણી પોતે તો મેડિકલ પ્રૅક્ટિશનર હતા પણ પુરાતત્વમાં એવું એમનું સમર્પણ હતું, ટોટલ ડેડીકેશન..! એકવાર હું એમને ખાસ મળવા ગયેલો, એમની બધી ચીજો જોવા ગયેલો. મને કહે કે ભાઈ, મેં વીસ ફિયાટ, એ વખતે ફિયાટ ગાડીનો જમાનો હતો, મેં વીસ ફિયાટ પથ્થરોની અંદર આથડવામાં ખતમ કરી નાખી છે. કારણકે શુક્ર, શનિ, રવિ હું મારી ફિયાટ લઈને ભટકતો જ હોઉં જ્યાં ને ત્યાં, એવા દુર્ગમ જંગલોમાં ને બધે જાઉં અને બધા પથરા શોધતો હોઉં અને કેવી કેવી ચીજો શોધી લાવેલા..! કદાચ બીજી કોઈ વ્યક્તિનો આટલો મોટો સંગ્રહ હોય એવું મેં સાંભળ્યું નથી. એમનો એક સ્લાઇડ શો મેં જોયેલો. એમાં કાર્બન ટેસ્ટિંગથી આઠસો વર્ષ જુના પથ્થરની ઘટના એમાં કંડારાયેલી હતી. એક પથ્થર પર કોતરકામ એવું હતું કે જેમાં એક સગર્ભા માતાનું કોતરકામ હતું. અને આઠસો વર્ષ પહેલાં કોઈ ડૉકટરોએ પથ્થર નહોતો કોતર્યો, સામાન્ય પથ્થર કોતરનાર કારીગરોએ કોતર્યો હતો. અને સગર્ભા માતાના પેટમાં બાળક કઈ પોઝિશનમાં છે એ આખું પથ્થર પર કંડારાયેલું હતું અને એના પેટ ઉપર ચામડીનાં કેટલાં લેયર હોય, એના લેયર પથ્થરમાં કંડારેલાં હતાં. આઠસો વર્ષ જુની આ કલાકૃતિ હતી. વિજ્ઞાને આ વાત માંડ દોઢસો વર્ષ પહેલા શોધેલી છે, હિંદુસ્તાનના પથ્થર કંડારનારના ટાંકણાથી આઠસો વર્ષ પહેલાં એ વિજ્ઞાન કંડારાયેલું પડ્યું હતું. એનો અર્થ કે જ્ઞાન હશે જ એ લોકોને, અને ચામડીનાં લેયર કેટલાં હોય ત્યાં સુધીનું પથ્થર પર તરાસેલું હોય એનો અર્થ એ થયો કે આપણા લોકો વિજ્ઞાનને કેટલું જાણતા હતા..!

આખી એ વિરાસત, આ વારસો એનું ગૌરવગાન કરવા માટેનો આજનો દિવસ છે. જેમણે આને માટે જીવન ખપાવ્યું છે એમનું સન્માન કરવાનો અવસર છે, એમને પુરસ્કૃત કરવાનો અવસર છે અને આ વખત અમે એવી પરંપરા ઊભી કરી છે કે જૂની પેઢીએ આ કર્યું છે, એની સાથે સાથે નવી પેઢી આને માટે પ્રેરિત થાય, એમ બંને પેઢીને જોડીને એમને સન્માનિત કરવાનો એક નવો પ્રવાહ આપણે ઊભો કર્યો છે. જેથી કરીને જે યંગ જનરેશન છે એ જો સંસ્કૃત માટે કંઈક કરે, તો એને કરવાનું મન રહે, નહીંતર એ નેવું વર્ષનો થાય ને પછી શાલ ઓઢાડીએ ત્યારે કંઈ કરવા જેવું જ ન રહ્યું હોય..! પણ પચીસ, ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરે એ પણ જો સન્માનિત થાય તો એને ખબર પડે કે આગામી પચાસ-સાંઇઠ વર્ષ આના માટે હું ખપાવીશ અને બીજા પાંચ-પચાસને આમાં ખપાવવા માટે પ્રેરિત કરીશ. એક એવી પરંપરા ઊભી કરવાની મથામણ છે અને એના ભાગરૂપે જ ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ આ કાર્યક્રમની એક પરંપરા આપણે ઊભી કરી છે, એ કાર્યક્રમના ભાગ રૂપે સંસ્કૃત માટે જીવન ખપાવી દેનાર સૌ મહાનુભાવોને હું વંદન કરું છું, અભિનંદન કરું છું અને આપ સૌને પણ સંસ્કૃતને માટે યથાયોગ્ય યોગદાન આપવા માટે નિમંત્રણ આપું છું. આપણે સૌ સંસ્કૃતના ભલા માટે, સંસ્કૃત પ્રત્યેના ગૌરવ માટે કંઈક ને કંઈક કરવાનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા. ફરી એકવાર આપ સૌને શુભકામના..!

જય જય ગરવી ગુજરાત..!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s Agricultural Transformation: How India’s Agri sector transformed over the last decade

Media Coverage

India’s Agricultural Transformation: How India’s Agri sector transformed over the last decade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05, 2026
The launch of projects across healthcare, aviation, tourism and infrastructure marks a new development push for Daman that will transform lives across the UT: PM
The data released today reflects the strength of India's economy, with growth of 7.7% in FY 2025–26 and 7.8% in the quarter ending March 31: PM
Even amid severe global challenges, the collective efforts of 1.4 billion Indians have ensured that India is not only sustaining itself but also staying ahead of the curve: PM
The National Family Health Survey clearly reflects the government's focus on healthcare. While most deliveries in India earlier took place outside hospitals, today over 90% of all deliveries occur in hospitals: PM
Thanks to Mission Indradhanush, child immunization coverage in India has risen from 60% before 2014 to nearly 90% today: PM

ભારત માતા કી જય! ભારત માતા કી જય!

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ભાઈ પટેલ, સંસદમાં મારા સહયોગી કલાબેન ડેલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ દીપિકા ટંડેલ જી, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધર્મ બાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરેજી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસાર જી, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ હરીશ કપાયાજી, દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કોટિયા રંજીતાબેન અને અહીં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલા ભાઈઓ-બહેનો,

તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

સાથીઓ,

કેટલાક વર્ષો પહેલાં, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો, તો મેં કહ્યું હતું આ આપણું દમણ ઝડપથી મિની ઇન્ડિયા બની રહ્યું છે અને આજે હું જોઈ રહ્યો છું, ડાબી બાજુ આખું બંગાળ છે અને જમણી બાજુ આખું અસામ છે. દમણ મિની ઇન્ડિયાનું જીવતું-જાગતું ઉદાહરણ બની ચૂક્યું છે. અહીંની વિવિધતા, અલગ-અલગ ક્ષેત્રોના લોકોનું અહીં નિવાસ કરવું, આખા ભારતની સુંદર ઝલક તમારી વચ્ચે આવીને મળી જાય છે. તમે બધા આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા, હું આના માટે આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું.

 

ભાઈઓ-બહેનો,

મને કેટલીય વાર દમણ અને દીવ આવવાનો અવસર મળ્યો છે. દાદરા અને નગર હવેલી પણ આવતો રહું છું અને જ્યારે હું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નહોતો, ત્યારે તો બહુ વાર આવતો હતો. પરંતુ હવે જ્યારે હું અહીં આવું છું અને અહીંના સુશાસનને જોઈને, ગવર્નન્સ મોડલને જોઈને બહુ સારું લાગે છે. દર વખતે મને લાગે છે કે ગત વખતની સરખામણીમાં આ ક્ષેત્ર વિકાસની રાહ પર માઈલો આગળ વધી ગયું છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ દાયકાઓથી વિકાસના સપના જોયા હતા. જે સપના પહેલાં જોયા, એ પેઢીઓ તો ચાલી ગઈ. પરંતુ આજે જે પેઢી છે, તે પોતાની આંખોની સામે જોઈ રહી છે કે તેમના માતા-પિતા, દાદા-દાદી જે સપના જોતા હતા, એ આજે સપના પૂરા થતા તમે પોતાની આંખોથી જોઈ રહ્યા છો. આજે પણ અહીં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આનાથી જોડાયેલી અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયું છે. વિકાસના આ કામ દમણ અને આખી યુનિયન ટેરિટરી માટે અહીંના લોકોના જીવનને સરળ બનાવશે. આનાથી યુવાનો માટે નવા અવસરો તૈયાર થશે. આ કામોની પાછળ પ્રફુલ્લ ભાઈ પટેલની દ્રષ્ટિ, તેમની અને તેમની ટીમની મહેનત સાફ-સાફ નજરે પડે છે. હું આના માટે પણ પ્રફુલ્લ ભાઈ અને તેમની આખી ટીમની સરાહના કરું છું. હું બધાને લક્ષદ્વીપના લોકોને, દાદરા-નગર હવેલીના લોકોને અનેક-અનેક શુભકામનાઓ આપું છું, આપ સૌને વધામણી આપું છું.

સાથીઓ,

આજે તમારી વચ્ચે આવ્યો છું, તો એક સુખદ સમાચાર આવ્યા છે. હું તો આજે સવારે દિલ્હીથી નીકળી ચૂક્યો હતો, પરંતુ અત્યારે જે આંકડા સામે આવ્યા છે, જે સમાચાર આવ્યા છે, તે ખરેખર પ્રસન્નતા આપનારા છે અને હું પણ ઈચ્છું છું, આ ખુશી તમારી સાથે પણ વહેંચું. આજે જે આંકડા આવ્યા છે, એ આંકડાઓથી સાફ છે કે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો કેટલો મજબૂત છે. વર્ષ 2025-26 માં એટલે કે જે ફાઇનાન્સિયલ યર પાછલું પૂરું થયું, વર્ષ 2025-26 માં ભારતે 7.7 પર્સન્ટનો ગ્રોથ રેટ હાસલ કર્યો છે, 7.7 અને પાછલો ક્વાર્ટર જે 31 માર્ચે ખતમ થયો, તેમાં પણ ભારતનો ગ્રોથ 7.8 પર્સન્ટ રહ્યો છે, 7.8 અને આ દુનિયામાં તેજ ગતિથી આગળ વધનારી મોટી ઇકોનોમી છે. દરેક ભારતીયને ગર્વ થાય, આ છે તેની ગતિ. આજે દેશ જે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી રહ્યો છે, આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે આટલો વિકાસ થઈ રહ્યો છે, ગરીબ કલ્યાણને લઈને આટલા મોટા સ્તરે જે કામ ચાલી રહ્યું છે, આ બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે દેશ મોટી ઇકોનોમીમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ, દુનિયા સંકટોમાં ઘેરાયેલી છે, આખી દુનિયાની અર્થવ્યવસ્થા સવાલોના નિશાનો નીચે દબાયેલી પડી છે, વૈશ્વિક સંકટના આ ખરાબમાં ખરાબ દોરમાં પણ 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત પોતાની જાતને સંભાળી તો રાખી જ રહ્યું છે, પરંતુ સાથે-સાથે સૌથી આગળ રહેવામાં પણ તેના પ્રયાસો સફળ થતા જઈ રહ્યા છે. હું દેશવાસીઓને આર્થિક ક્ષેત્રની આ નવી ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે ખૂબ-ખૂબ વધામણી આપું છું અને હું દેશને ફરી આશ્વસ્ત કરું છું કે દેશ દુનિયાભરમાં ચાલી રહેલા આ સંકટોનો સામનો કરતા Reform, Perform અને Transform ના રસ્તા પર આવી જ રીતે દ્રઢ સંકલ્પની સાથે, તેજ ગતિથી આગળ વધતો જ રહેશે, આ મારી દેશવાસીઓને ગેરંટી છે.

સાથીઓ,

આજે આપણા માટે વિકાસ જેટલો જરૂરી છે, એટલું જ મહત્વનું છે કે આપણું વિકાસનું મોડલ સસ્ટેનેબલ હોય. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે આપણા અહીં યુનિયન ટેરિટરી સ્ટેટ આ સંકલ્પને સાકાર કરી રહ્યું છે. આજે એક તરફ અહીં હજારો કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. સાથે જ અહીં આશરે એક લાખ એક વૃક્ષ માતાના નામે, એક લાખ છોડ પણ વાવવામાં આવી રહ્યા છે. મને ગર્વ છે કે એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેણે સરકારી ઈમારતોમાં શત પ્રતિશત, 100 પર્સન્ટ સૌર ઊર્જાના ઉપયોગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આજે દીવમાં દિવસમાં જેટલી વીજળીની ડિમાન્ડ હોય છે, તે સોલર પાવરથી જ પૂરી થઈ રહી છે અને આપણે તો આને હજુ આગળ લઈને જવાનું છે. ઘરોમાં પણ સોલર ઊર્જાથી વીજળી મળે, એટલું જ નહીં વધારાની વીજળીથી પરિવારની આવક પણ થાય, તેના માટે રૂફટોપ સોલર પ્લાન્ટ્સ લગાવવાની પહેલ શરૂ થઈ છે. હું આ ઉપલબ્ધિઓ માટે પણ આપ સૌની સરાહના કરું છું.

 

સાથીઓ,

સાથે-સાથે મને એ પણ જણાવવામાં આવ્યું છે, દમણના લોકો આ દિવસોમાં અહીં સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહ્યા છે. આ દર્શાવે છે કે સ્વચ્છતા કઈ રીતે દમણના જનજીવનમાં સંસ્કાર બની ચૂકી છે અને આ સંસ્કાર સ્વચ્છતામાં નજરે પડી રહ્યા છે. હું આ જનભાગીદારીના તમારા પ્રયાસો માટે દમણના લોકોનું અભિનંદન કરું છું.

સાથીઓ,

દાદરા નગર હવેલી, દમણ અને દીવ, આ સંઘ શાસિત પ્રદેશ હોવાની સાથે જ ભારતની ઓળખ અને વિરાસત પણ છે. એટલા માટે, આના વિકાસ માટે અમારા લક્ષ્ય પણ સાધારણ નથી. મને યાદ છે, જ્યારે હું ગયા વર્ષે સિલવાસા આવ્યો હતો, ત્યારે મેં તમને સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. મેં કહ્યું હતું કે એક સમયે સિંગાપોર માછીમારોનું નાનું એવું ગામ હતું. પરંતુ, સિંગાપોરના લોકોએ એક સપનું જોયું, ત્યાંના લોકોએ મોટું લક્ષ્ય નક્કી કર્યું અને આજે એ જ સિંગાપોર દુનિયાનું સૌથી મોટું બિઝનેસ હબ બની ચૂક્યું છે. આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ પણ એ જ સપનું જોઈ રહ્યા છે. આ નમો એરપોર્ટ, દમણગંગા નદી પર બનનારો આઇકોનિક બ્રિજ, ‘બીચ ફ્રન્ટ’ તેના પર બનનારો કન્વેન્શન સેન્ટર, આવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આપણે ભવિષ્યના મોટા સંકલ્પોનો પાયો નાખી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ્સ દ્વારા લોકોની અવરજવર સરળ થશે. અહીં બિઝનેસ માટે નવી સંભાવનાઓ બનશે. દમણના બંને કિનારા પર વિકાસની ગતિ હજુ વધુ તેજ થશે.

સાથીઓ,

અહીં સગવડતાના અર્થતંત્રથી જોડાયેલા અવસરો વધશે અને સાથે જ ટ્રાન્સપોર્ટ નગર જેવી સુવિધાથી વ્યાપાર, લોજિસ્ટિક્સને પણ નવી ગતિ મળશે.

 

સાથીઓ,

આ ક્ષેત્રમાં બ્લુ ઇકોનોમી માટે અમે જે વિઝન તૈયાર કર્યું છે, તે વિઝન પણ હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાતથી જ સાકાર થશે. એટલા માટે જ, લક્ષદ્વીપના કલપેની અને કદમત દ્વીપોમાં પણ આજે જ આધુનિક પોર્ટ્સની આધારશિલા રાખવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસો બ્લુ ઇકોનોમીમાં દેશની તાકાતને વધારશે અને જેવું મેં કહ્યું આ લક્ષદ્વીપનું ભાગ્ય બદલનારા પગલાં છે.

સાથીઓ,

ભાજપની સરકારમાં, એનડીએની અમારી સરકારમાં અમારા માટે વિકાસની પહેલી કસોટી છે- ગરીબ, વંચિત, આદિવાસી અને મિડલ ક્લાસના જીવનમાં બદલાવ! આના માટે, હેલ્થ સેક્ટર અમારી બહુ મોટી પ્રાથમિકતા છે. વિતેલા વર્ષોમાં દેશ હેલ્થ કેર માટે હોલિસ્ટિક વિઝન લઈને આગળ વધ્યો. અમે ઈલાજથી જોડાયેલી દરેક ચિંતાનું સમાધાન કર્યું છે. આજે ગરીબમાં ગરીબ પાસે પણ આયુષ્માન કાર્ડની સુવિધા છે. તેમની પાસે 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજનો ભરોસો છે. બીમારીની સમયસર તપાસ થઈ શકે, તેના માટે, પ્રધાનમંત્રી આયુષ્માન આરોગ્ય મંદિરોની વ્યવસ્થા છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ પણ મળી રહી છે. આ સુવિધાઓ હજુ બહેતર થાય, હજુ આધુનિક થાય, તેના માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા આજે સ્વાસ્થ્ય સેવાઓને ટેકનોલોજીથી જોડવામાં આવી રહી છે.

સાથીઓ,

આયુષ્માન કાર્ડ અને જન ઔષધિ કેન્દ્રોથી જ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થતા બચ્યા છે.

ભાઈઓ-બહેનો,

કેન્દ્ર સરકારની નીતિઓનો બહુ લાભ આ ક્ષેત્રના લોકોને પણ થયો છે. એક સમયે અહીં ઈલાજની સારી સુવિધાઓનો પણ અભાવ હતો. અહીં મેડિકલ કોલેજ સુધી નહોતી. પરંતુ, હવે મેડિકલ કોલેજ પણ છે અને તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર પણ શરૂ થઈ ગયું છે. સિલવાસાની નમો હોસ્પિટલ ગયા વર્ષથી હજારો લોકોની સેવા કરી રહી છે. આજે દમણમાં પણ નમો હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આ ક્ષેત્રના લોકોને પણ હવે હજુ બહેતર હેલ્થ કેરનો લાભ મળશે.

 

સાથીઓ,

અમારી સરકાર કેવી રીતે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા ચાલી રહી છે, આનું એક પ્રમાણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પરિણામોમાં પણ મળે છે. એક સમયે ભારતમાં મોટાભાગના બાળકોની ડિલિવરી હોસ્પિટલમાં નહોતી થતી. આજે દેશમાં 90 ટકાથી વધુ ડિલિવરી હોસ્પિટલોમાં થઈ રહી છે, જેના કારણે માતા મૃત્યુ કે નવજાતની મૃત્યુમાં બહુ મોટી અટકાવ આવી છે. મિશન ઇન્દ્રધનુષના કારણે બાળકોના રસીકરણના ક્ષેત્રમાં પણ ભારતે સારી પ્રગતિ કરી છે. 2014 પહેલાં માત્ર 60 ટકા બાળકોનું પૂર્ણ રસીકરણ થઈ શકતું હતું. આજે આ આંકડો વધીને આશરે 90 ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં પણ મોટો બદલાવ આવ્યો છે. 2014 પહેલાં 30 ટકાથી પણ ઓછા પરિવારો સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા હતા. આજે આયુષ્માન ભારતે, એ આંકડાઓને પણ બદલી દીધા છે. હવે 60 ટકાથી વધુ પરિવારોને આ સુરક્ષા મળી રહી છે.

સાથીઓ,

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સરકારના આ પ્રયાસોનો લાભ જો કોઈને સૌથી વધારે મળ્યો છે, તો તે મારા દેશની નારી શક્તિ છે.

સાથીઓ,

પહેલાં આ ક્ષેત્રના યુવાનોને હાયર એજ્યુકેશન માટે પણ બહાર જવું પડતું હતું. પરંતુ, આજે અહીં નેશનલ લેવલની, એક નહીં કેટલીય ઇન્સ્ટિટ્યૂટ બની ચૂકી છે. પાછલા વર્ષોમાં અહીં શાળાઓની નવી બિલ્ડિંગ્સ બની છે, શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ પણ બન્યા છે. 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહ્યો છે. મને ખુશી છે કે કેન્દ્રશાસિત પ્રદેશ ધીમે-ધીમે એજ્યુકેશનના ક્ષેત્રમાં આગળ આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન હબ જેવા કેટલાય નિર્માણ અહીં થઈ રહ્યા છે.

ભાઈઓ-બહેનો,

આ શિક્ષણ ક્રાંતિમાં આપણી દીકરીઓ પાછળ ન રહે, આ પણ મારો સંકલ્પ છે. આના માટે કેટલાય મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરસ્વતી સાયકલ સ્કીમ, સરસ્વતી વિદ્યા યોજના, અહીંની દીકરીઓને બહુ મદદ કરી રહી છે.

 

સાથીઓ,

આજે ભારતની કોશિશ છે કે દેશના યુવાનોને ડિગ્રીની સાથે જ સાચી દિશા પણ મળે. તેમને એવો એક્સપોઝર મળે, જે લોકલ ટેલેન્ટને ગ્લોબલ અવસરોથી જોડે. ડિઝાઇન, લો, એન્જિનિયરિંગ, મેડિકલ એજ્યુકેશન, આઈટી, ડ્રોન અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આપણી આજની તૈયારી ભારતની વર્કફોર્સને મજબૂત બનાવશે. એટલા માટે પ્રોફેશનલ સંસ્થાઓનો વિસ્તાર બહુ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે NIFT ના અઢારમાં કેમ્પસની આધારશિલા રાખવામાં આવી છે. આ સંસ્થાન અહીંના યુવાનોને ગ્લોબલ એક્સપોઝરથી જોડશે. આઈ.ટી.આઈ. દમણમાં ડ્રોન ટેકનિશિયન જેવા નવા કોર્સીસ પણ શરૂ થયા છે. પીએમ વિશ્વકર્મા અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, આનાથી જોડાયેલા ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો લાભ પણ યુવાનોને મળી રહ્યો છે.

સાથીઓ,

દેશમાં રમતગમતને પણ નવી વિચાકધારા સાથે આગળ વધારવામાં આવી. આપણી રમતો હવે માત્ર મોટા શહેરો કે મોટા સ્ટેડિયમો સુધી સીમિત નથી. ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસોએ યુવાનોને પોતાની પ્રતિભા દેખાડવાનો નવો મંચ આપ્યો છે. આનાથી નાના-નાના ક્ષેત્રોમાં નેશનલ લેવલ પર રમત જગતમાં આપણા બાળકો આગળ આવી રહ્યા છે અને આનો પણ લાભ આ ક્ષેત્રને થયો છે. દીવ આજે બીચ સ્પોર્ટ્સનું એક મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ઘોઘલા બીચ પર થયેલી બીચ ગેમ્સે પણ દેશનું ધ્યાન આ ક્ષેત્ર તરફ ખેંચ્યું છે. આજે અહીં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત કામ થઈ રહ્યું છે. ખાનવેલમાં ફૂટબોલ સેન્ટર અને દમણમાં વોલીબોલ ટ્રેનિંગ સેન્ટર અહીં રમત સંસ્કૃતિને મજબૂત કરી રહ્યા છે.

સાથીઓ,

આજે દેશનું બહુ મોટું ફોકસ ટુરિઝમ પર પણ છે. અમારો પ્રયાસ છે કે ટુરિઝમથી સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે. નાના-નાના સ્થાનોને પણ મોટા-મોટા અવસરોથી જોડી શકાય. ‘દેખો અપના દેશ’ જેવા પ્રયાસે લોકોને દેશની વિવિધતા વિશે જાણવા માટે પ્રેરિત કર્યા છે. આજે ભારતમાં હેરિટેજ ટુરિઝમ, ‘બીચ ટુરિઝમ’, ઇકો-ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, આ સેક્ટર્સને નવી ઊર્જા મળી રહી છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં તો પર્યટન પણ એટલી અસીમ સંભાવનાઓવાળું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્રને પ્રાકૃતિક સુંદરતાનું અદ્ભુત વરદાન મળ્યું છે. એટલા માટે જ પર્યટનને લઈને દેશે જે નીતિઓ પર કામ કર્યું છે, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવને તેનો મોટો લાભ મળી રહ્યો છે. 2021 માં અહીં આશરે 6 લાખ ટૂરિસ્ટ આવ્યા હતા. 2025 માં આ સંખ્યા વધીને લગભગ 50 લાખ સુધી પહોંચી ગઈ છે. એટલે કે કેટલાક જ વર્ષોમાં ટુરિઝમ ફૂટફોલમાં આશરે 10 ગણો વધારો થયો છે. આ સારૂં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સાફ-સુથરા ‘બીચ’ ના કારણે સંભવ થયું છે. દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સી-ફ્રન્ટ, નમોપથ સી-ફ્રન્ટ, નાની દમણ ફોર્ટ, ગંગેશ્વર ટેમ્પલ કોમ્પ્લેક્સ, આવા અનેક સ્થાનો આજે આખા ક્ષેત્રની નવી ઓળખ બનાવી રહ્યા છે.

 

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, આના સપનાઓને પૂરા કરવા માટે આપણે અહીંની ઔદ્યોગિક તાકાતને પણ વધારવાની છે. આ પણ ગર્વની વાત છે કે આ યુનિયન ટેરિટરીએ મેન મેડ ફાઈબર ના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. દાદરા અને નગર હવેલીને નેશનલ મેન મેડ ફાઈબર કેપિટલના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્લાસ્ટિક એક્સપોર્ટમાં પણ આ ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. સરકારે અહીં ઇન્ડસ્ટ્રીઝ અને MSMEs ને સપોર્ટ આપવા માટે પણ સતત પ્રયાસો કર્યા છે. અહીં MSMEs અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાથી વધુની આર્થિક સહાયતા આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો માટે નવા અવસરો ખુલી રહ્યા છે. મને વિશ્વાસ છે, આવનારા સમયમાં આ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે.

સાથીઓ,

જ્યારે વિકાસના વિઝનની સાથે સંવેદનશીલ ગવર્નન્સ જોડાય છે, તો પરિવર્તન તેજ ગતિથી જમીન પર ઉતરે છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં આપણા આ પ્રયાસોનો પ્રભાવ જોઈને સંતોષ થાય છે. મને આ ધરતીના લોકો પર પૂરો વિશ્વાસ છે. અહીંના યુવાનો, અહીંની માતાઓ-બહેનો, અહીંના ખેડૂતો, કારીગરો, શ્રમિકો અને ઉદ્યમીઓ, આવનારા વર્ષોમાં આ વિકાસ યાત્રાને હજુ આગળ લઈ જશે. હું તમને ભરોસો અપાવું છું, તમારા સપનાઓને પૂરા કરવા માટે કેન્દ્ર સરકાર ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. આ જ વિશ્વાસની સાથે, હું એકવાર ફરી વિકાસ પરિયોજનાઓ માટે તમને ખૂબ-ખૂબ વધામણી આપું છું. મારી સાથે બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!

ખૂબ-ખૂબ ધન્યવાદ.