મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય કૃપલાણીને તેમની જન્મજ્યંતિએ સ્મરણાંજલિ

પ્રિય મિત્રો,

આજના દિવસે આપણે આઝાદી પહેલા અને બાદ ભારતના ઈતિહાસમાં અત્યંત અગત્યનું યોગદાન આપનાર બે પ્રેરણાદાયી સપૂતોને યાદ કરીએ. મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે.બી.કૃપલાણીને તેમની ૧૨૫મી જન્મજ્યંતિ પર શ્રધ્ધાંજલિ પાઠવીએ. એક જ વર્ષે જન્મેલા આ બંને મહાપુરુષોએ તેમનું સમગ્ર જીવન દેશની સેવા કાજે ખર્ચી કાઢ્યુ.

Remembering Maulana Abul Kalam Azad and Acharya JB Kripalani on their birth anniversary

મૌલાના અબુલ કલામ આઝાદને પરિચયની જરૂર નથી. નિયતીએ કદાચ જીવનના શરૂઆતના વર્ષોથી જ તેઓ ક્રાંતિકારી કાર્યોને અંજામ આપે એમ નિર્ધારિત કર્યું હતુ. ૧૯૧૨ માં તેમણે અલ-હિલાલ અખબાર શરૂ કર્યું, જેમાં કોઈ ખચકાટ રાખ્યા વિના સામ્રાજ્યવાદી શાસકોનો વિરોધ કરવામાં આવ્યો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તેમણે કોંગ્રેસમાં મહત્વના પદ સંભાળ્યા. ૧૯૪૦ ના દાયકાની મધ્યના નિર્ણાયક વર્ષો દરમ્યાન તેમણે પક્ષ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો. તેમણે ભારતના સૌપ્રથમ શિક્ષણમંત્રી તરીકે સેવાઓ આપી અને તેમના કાર્યકાળ દરમ્યાન જ ખડગપુરમાં પહેલી આઈઆઈટીનું ઉદઘાટન કરવામાં આવ્યું. ભારતના ભાગલાના તેમના અડગ વિરોધને કારણે પણ તેમને યાદ કરવામાં આવે છે.

ગરીબમાં ગરીબ લોકોની સેવા માટે કાયમ કટિબધ્ધ અને કડક સિધ્ધાંતોના માણસ એવા આચાર્ય કૃપલાણીએ મહાત્મા ગાંધીની આગેવાનીમાં ચંપારણ સત્યાગ્રહમાં ઝંપલાવ્યુ, અને ત્યારબાદ તેમણે પણ કોંગ્રેસમાં મહત્વની ભુમિકા ભજવી. આઝાદી બાદ તેમણે કોંગ્રેસ છોડીને કિસાન મજદૂર પ્રજા પાર્ટીની સ્થાપના કરી, જે આગળ જતા સોશિઅલિસ્ટ પાર્ટી સાથે ભળી ગઈ અને પ્રજા સોશિઅલિસ્ટ પાર્ટીનું નિર્માણ થયું.

૧૯૬૩ માં પંડિત જવાહરલાલ નહેરુની સરકાર સામે સૌપ્રથમ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને આચાર્ય કૃપલાણીએ ઈતિહાસ સર્જી દીધો. ચીન સામે ભારતની અપમાનજનક હાર થઈ હતી, જે માટે દેશના પ્રથમ વડાપ્રધાન ઉપરાંત તત્કાલિન સંરક્ષણમંત્રી શ્રી વી.કે.મેનનના ખોટા આદર્શવાદ અને તૈયારીનો અભાવ જેવા કારણો ગણાવાયા હતા. આ કારણસર તેમણે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. આચાર્ય કૃપલાણી લોકસભામાં પણ ઘણા પ્રસંગોએ કૃષ્ણ મેનન સામે ટીકાત્મક રહ્યા હતા. ૧૯૬૨ માં તેમણે સામ્યવાદીઓને બાદ કરતા અન્ય તમામ વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર તરીકે ઉત્તર બોમ્બેથી કૃષ્ણ મેનનને લડત આપી. તેઓ કટોકટીના પણ કટ્ટર વિરોધી રહ્યા. ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ સાથે પણ આચાર્ય કૃપલાણી નજદીકથી જોડાયેલા રહ્યા.

આવા ઐતિહાસિક વ્યક્તિત્વોને ક્યાં તો સદંતર અવગણી દેવામાં આવ્યા છે, કે પછી ઈતિહાસના પુસ્તકોમાં તેમને પૂરતુ મહત્વ આપવામાં આવ્યુ નથી. આવા મહાન વ્યક્તિત્વોને યાદ કરવાના અમારા પ્રયાસોથી અન્ય લોકો પણ ચર્ચામાં શામેલ થઈ જશે. આ બ્લોગ વાંચ્યા પછી તમને કદાચ ટેલીવિઝન ઉપર કે સોશિયલ મીડિયા ઉપર એવી ટિપ્પણીઓ પણ થતી જોવા મળે કે ‘મોદી અને આ લોકો વચ્ચે શું સામ્યતા છે’ કે પછી ‘પણ આ લોકો મોદીની પાર્ટીના તો નહોતા’, વગેરે.

મિત્રો, આપણે આ જ માનસિકતાને બદલવાની જરૂર છે.

આપણા કેટલાક મિત્રોએ આઝાદીની લડતના આવા દિગ્ગજોને માત્ર અમુક-તમુક વિચારધારા સાથે સાંકળીને તેમને સિમિત બનાવી રાખ્યા છે તે જોઈને મને ભારે દુ:ખ થાય છે. આવા દિગ્ગજોને રાજકીય પક્ષાપક્ષીની સંકુચિત દ્રષ્ટિથી જોવા એથી વધુ આપણા ઈતિહાસની કુસેવા બીજી કોઈ નથી.

નાત, જાત કે પક્ષના સીમાડાઓમાં સિમિત ન રહેલા આવા આગેવાનોના યોગદાનને આપણે સમજએ તેનો સમય આવી ગયો છે. તેમના આદર્શો અને વારસો માત્ર કોઈ એક પાર્ટી પૂરતા મર્યાદિત નથી, પણ સમગ્ર દેશ તેમાંથી પ્રેરણા લઈ શકે તે માટે છે.

મહાન વ્યક્તિઓએ શું કહ્યું હતુ અને શું કર્યુ હતુ તે નક્કી કરવાની સત્તા કેટલાક જાણિતા ઈતિહાસકારો પોતાના હાથમાં લઈને અનુમાનો લગાવ્યા કરે એવું અડસટ્ટે ઈતિહાસ લખવાનું વલણ પણ એટલું જ ચિંતાજનક છે.

સરદાર વલ્લભભાઇ પટેલ અને મૌલાના અબુલ કલામ આઝાદના સંબંધોની જ વાત કરીએ તો બંને વચ્ચે કેટલાક મુદ્દાને લઇને મતમતાંતર હતા તે સત્ય હકીકત છે. પરંતુ તેની સાથે સાથે એ પણ સત્ય છે કે બંને રાષ્ટ્ર પરત્વે પ્રતિબદ્ધ હતા અને કેટલાક પ્રસંગોમાં મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ બંનેએ એકસાથે કામ કર્યું હતું. આખરે ચર્ચા-વિચારણા અને મતમતાંતર એ લોકશાહીનો જ એક ભાગ છે. પૌરાણિક ગ્રંથો કહે છે કે શિખવું તે નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જ્ઞાન અને સમજશક્તિ સમય સાથે વિકસવી જ જોઇએ અને તે કાળની કોટડીઓમાં પૂરાઇને ન રહેવા જોઇએ.

મૌલાના આઝાદે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા વીન્સ ફ્રિડમ’માં સરદાર વલ્લભભાઇ પટેલ વિશે કહ્યું છે તે અહીં ફરી કહેવા માંગુ છું. પોતે કોંગ્રેસ અધ્યક્ષપદ માટે સ્પર્ધામાં ન ઉતર્યા તે તેમની પ્રથમ ભૂલ હોવાનું મૌલાના આઝાદે આ પુસ્તકમાં જણાવ્યું છે. જ્યારે બીજી ભૂલ વિશે તમણે લખ્યું છે કેઃ “મારી બીજી ભૂલ એ હતી કે મેં સરદાર પટેલને ટેકો ન આપ્યો. અમારી વચ્ચે કેટલાય મુદ્દે મતમતાંતર હતા પરંતુ મને વિશ્વાસ હતો કે તેઓ કેબિનેટ મિશન પ્લાનના સફળતાપૂર્વકના અમલીકરણની નોંધ જરૂર લેશે. જવાહરલાલ નહેરૂએ મી.જીન્નાહને આખી યોજનાને ઉંધી વાળવાને જે તક આપી તે સરદાર વલ્લભભાઇ પટેલે આપી જ ન હોત. હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. જો આ ભૂલો મેં કરી જ ન હોત તો છેલ્લા દસકાનો ઈતિહાસ કઇક અલગ જ હોત.”

સાથે સાથે એ પણ સત્ય છે કે તેઓ એક ખાસ પરિવારના સદસ્ય ન હોવાના કારણે એક ઐતિહાસીક હસ્તીનું નામ જનમાનસના મગજમાંથી ભૂંસી નંખાયું છે. અસંખ્ય પુરૂષો અને મહિલાઓની રાષ્ટ્રની સ્વતંત્ર્યતા માટેની જીવનભરની લડત એટલે ભારતનો ઈતિહાસ.

શું આ મહાનુભાવો કોઈ ખાસ પરિવારમાંથી આવતા નહોતા માત્ર એ જ કારણસર તેમનું અસ્તિત્વ જનમાનસમાંથી ભૂંસી કાઢવું જોઈએ અને તેમને ઓછા યાદ કરાવા જોઈએ?

મૌલાના આઝાદના જીવનની ઝાંખી કરાવતા ઓનલાઇન પોર્ટલને કેન્દ્ર દ્વારા આજે લોંચ કરાયું છે. આ એક આવકારદાયક પગલું છે, પરંતુ આટલા દાયકા સુધી તેમના પ્રદાનને માત્ર શાબ્દિક અંજલિ જ કેમ આપવામાં આવતી હતી તેવો પ્રશ્ન કોઇને પણ થઇ શકે છે ? શું ઓનલાઇન પોર્ટલ જેવું પગલું વહેલું લેવાની જરૂર ન હતી?

ભારતના સાર્વભોમત્વ માટે તેઓ અને તેમના જેવા કેટલાય સ્વાતંત્ર્યવીરોના સ્વપ્ન સમાન ભારતના નિર્માણ માટે પ્રાર્થનાની સાથે-સાથે મૌલાના આઝાદ અને આચાર્ય કૃપલાણીને સર્વશ્રેષ્ઠ અંજલિ આપીને હું અહીં જ વિરામ લઉં છું.

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost

Media Coverage

'Make in India' radar programme to help Tejas track targets gets Rs 2,205 crore boost
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.