આજે 7 ડિસેમ્‍બર - સશસ્‍ત્ર સેના ધ્‍વજદિવસ

ધ્‍વજદિવસ માટે ઉદાત હાથે ફાળો આપવા મુખ્‍યમંત્રીશ્રીની પ્રજાજનોને અપીલ

ભારતની સુરક્ષા અને સાર્વભૌમત્‍વ માટે સમર્પિત સેનાનીઓનું ઋણ અદા કરીએ

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્‍વ માટે સમર્પિત સેનાનીઓનું રૂણ અદા કરવા અને ઉદ્‌ાત હાથે સૈનિક કલ્‍યાણનિધિમાં ફાળો આપવા જાહેર અપિલ કરી છે.

મુખ્‍યમંત્રીશ્રીએ ભારતીય સશષાદળના ધ્‍વજદિન નિમિત્તે સૈન્‍યના, નૌસેનાના અને વાયુસેનાના બહાદુર જવાનો અને અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્‍યું છે કે આપણાં સશષા દળોની ફરજનિષ્‍ઠા અને કર્તવ્‍યભાવનાની સમગ્ર વિશ્વમાં આગવી પ્રતિષ્‍ઠા છે. રાષ્‍ટ્રના સાર્વભૌમત્‍વની સલામતી અને એકતા માટે દેશની સીમાઓના સંરક્ષણની વિકટતમ સંજોગોમાં પણ ફરજો અદા કરી રહેલા ત્રણેય સેનાના અધિકારીઓ-જવાનોએ કુદરતી કે માનવસર્જીત આફતો દરમિયાન હંમેશા ખડે પગે રહી સ્‍થાનિક પ્રસાશનની મદદ કરી છે.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાત જેવા સીમાવર્તી રાજ્‍યમાં કપરા સંજોગો અને વિકટ સ્‍થિતિમાં પણ આપણી સરહદોનું દિન-રાત રક્ષણ કરતા આ સેનાનીઓ અને અફસરો રાષ્‍ટ્રની સલામતીના એવા પહેરેગીરો છે જેનાથી સમાજની સુરક્ષા થાય છે તેનો વિશેષ ઉલ્લેખ કરી તેમની ઉમદા સેવાઓનો ઙ્ગણ સ્‍વીકાર કરવા ગુજરાતના તમામ નાગરિકોને ધ્‍વજદિન નિમિત્તે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London

Media Coverage

Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 મે 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India