REPM ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા, આત્મનિર્ભરતા વધારવા અને વૈશ્વિક REPM બજારમાં ભારતને મુખ્ય ખેલાડી તરીકે સ્થાન આપવા માટે ભારત સરકારની પ્રથમ પ્રકારની પહેલ
આ યોજના સિન્ટર્ડ REPM ના 6,000 MTPAના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, ઓટોમોટિવ, સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રો માટે સપ્લાય ચેઇનને મજબૂત કરશે અને આત્મનિર્ભર ભારત અભિયાન તેમજ ભારતના નેટ ઝીરો 2070 લક્ષ્યને ટેકો આપશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે રૂ. 7,280 કરોડના નાણાકીય ખર્ચ સાથે 'સિન્ટર્ડ રેર અર્થ પર્મનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની યોજના' ને મંજૂરી આપી છે. આ પોતાની પ્રકારની પ્રથમ પહેલનો ઉદ્દેશ ભારતમાં 6,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MTPA)ની સંકલિત (integrated) રેર અર્થ પર્મનન્ટ મેગ્નેટ (REPM) ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાનો છે, જેનાથી આત્મનિર્ભરતા વધશે અને ભારતને વૈશ્વિક REPM બજારમાં એક મુખ્ય ખેલાડી તરીકે સ્થાન મળશે.

REPMs એ સૌથી મજબૂત પ્રકારના પર્મનન્ટ મેગ્નેટમાંના એક છે અને તે ઇલેક્ટ્રિક વાહનો, અક્ષય ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ એપ્લિકેશન્સ માટે આવશ્યક છે. આ યોજના સંકલિત REPM ઉત્પાદન સુવિધાઓની રચનાને સમર્થન આપશે, જેમાં રેર અર્થ ઓક્સાઇડને ધાતુઓમાં, ધાતુઓને એલોયમાં અને એલોયને ફિનિશ્ડ REPMs માં રૂપાંતરિત કરવાનો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રિક વાહનો, અક્ષય ઊર્જા, ઔદ્યોગિક એપ્લિકેશન્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની ઝડપથી વધતી માંગને કારણે, 2025 થી 2030 સુધીમાં ભારતમાં REPMs નો વપરાશ બમણો થવાની અપેક્ષા છે. હાલમાં, ભારતની REPMs ની માંગ મુખ્યત્વે આયાત દ્વારા પૂરી થાય છે. આ પહેલ સાથે, ભારત તેની સૌપ્રથમ સંકલિત REPM ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરશે, રોજગાર પેદા કરશે, આત્મનિર્ભરતાને મજબૂત કરશે અને 2070 સુધીમાં ' નેટ ઝીરો' પ્રાપ્ત કરવાના રાષ્ટ્રના સંકલ્પને આગળ વધારશે.

યોજનાનો કુલ નાણાકીય ખર્ચ રૂ. 7,280 કરોડ છે, જેમાં પાંચ (5) વર્ષ માટે REPM વેચાણ પર રૂ. 6,450 કરોડનું વેચાણ-સંલગ્ન પ્રોત્સાહન (sales-linked incentives) અને REPM ઉત્પાદન સુવિધાઓના 6,000 MTPA ના કુલ એકત્રીકરણને સ્થાપવા માટે રૂ. 750 કરોડની મૂડી સબસિડી (capital subsidy) નો સમાવેશ થાય છે.

આ યોજના વૈશ્વિક સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા પાંચ લાભાર્થીઓને કુલ ક્ષમતાની ફાળવણીની કલ્પના કરે છે. દરેક લાભાર્થીને 1,200 MTPA સુધીની ક્ષમતા ફાળવવામાં આવશે.

યોજનાનો કુલ સમયગાળો એવોર્ડની તારીખથી 7 વર્ષનો રહેશે, જેમાં સંકલિત REPM ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે 2-વર્ષનો નિર્માણ સમયગાળો (gestation period) અને REPM ના વેચાણ પર પ્રોત્સાહન વિતરણ માટે 5 વર્ષનો સમાવેશ થાય છે.

ભારત સરકારની આ પહેલ સ્થાનિક REPM ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને વૈશ્વિક બજારોમાં સ્પર્ધાત્મકતા વધારવા તરફનું એક સીમાચિહ્નરૂપ પગલું છે. REPM ઉત્પાદનમાં સ્વદેશી ક્ષમતાઓને પ્રોત્સાહન આપીને, આ યોજના માત્ર સ્થાનિક ઉદ્યોગો માટે REPM સપ્લાય ચેઇનને સુરક્ષિત કરશે એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રના નેટ ઝીરો 2070 લક્ષ્યને પણ સમર્થન આપશે. તે વિકસિત ભારત @ 2047 ના વિઝન સાથે સુસંગત, તકનીકી રીતે આત્મનિર્ભર, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ ઔદ્યોગિક આધાર બનાવવાના સરકારના અવિચલન પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi makes India stand tall

Media Coverage

PM Modi makes India stand tall
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Renaming of Adampur Airport is a fitting tribute to the timeless ideals of Shri Guru Ravidass Maharaj Ji: PM Modi
February 01, 2026

The Prime Minister, Shri Narendra Modi stated that it is a matter of immense honour and pride that today, on the auspicious occasion of Sant Ravidass Jayanti, it has been decided that the Adampur Airport will now onwards be known as Shri Guru Ravidass Maharaj Ji Airport. Shri Modi added that it is a fitting tribute to the timeless ideals of Shri Guru Ravidass Maharaj Ji and his message of equality, compassion and service continues to motivate us all greatly.

The Prime Minister posted on X:

"It’s a matter of immense honour and pride that today, on the auspicious occasion of Sant Ravidass Jayanti, it has been decided that the Adampur Airport will now onwards be known as Shri Guru Ravidass Maharaj Ji Airport. This is a joyous day for countless people. It is a fitting tribute to the timeless ideals of Shri Guru Ravidass Maharaj Ji. His message of equality, compassion and service continues to motivate us all greatly."

"ਇਹ ਬੇਹੱਦ ਮਾਣ ਅਤੇ ਫਖ਼ਰ ਵਾਲੀ ਗੱਲ ਹੈ ਕਿ ਅੱਜ ਸੰਤ ਰਵਿਦਾਸ ਜਯੰਤੀ ਦੇ ਪਵਿੱਤਰ ਮੌਕੇ ਇਹ ਫ਼ੈਸਲਾ ਲਿਆ ਗਿਆ ਹੈ ਕਿ ਆਦਮਪੁਰ ਹਵਾਈ ਅੱਡੇ ਨੂੰ ਹੁਣ ਤੋਂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਹਵਾਈ ਅੱਡੇ ਵਜੋਂ ਜਾਣਿਆ ਜਾਵੇਗਾ। ਇਹ ਅਣਗਿਣਤ ਲੋਕਾਂ ਲਈ ਬਹੁਤ ਖ਼ੁਸ਼ੀ ਦਾ ਦਿਨ ਹੈ। ਇਹ ਸ੍ਰੀ ਗੁਰੂ ਰਵਿਦਾਸ ਮਹਾਰਾਜ ਜੀ ਦੇ ਸਦੀਵੀ ਆਦਰਸ਼ਾਂ ਨੂੰ ਢੁਕਵੀਂ ਸ਼ਰਧਾਂਜਲੀ ਹੈ। ਬਰਾਬਰੀ, ਦਇਆ ਅਤੇ ਸੇਵਾ ਦਾ ਉਨ੍ਹਾਂ ਦਾ ਸੰਦੇਸ਼ ਸਾਨੂੰ ਸਾਰਿਆਂ ਨੂੰ ਵੱਡੀ ਪ੍ਰੇਰਨਾ ਦਿੰਦਾ ਹੈ।"

"ये हमारे लिए सौभाग्य और गौरव की बात है कि आज संत रविदास जयंती के पावन अवसर पर एक महत्वपूर्ण निर्णय लिया गया है। अब पंजाब के आदमपुर एयरपोर्ट को ‘श्री गुरु रविदास महाराज जी’ एयरपोर्ट के नाम से जाना जाएगा। ये हम सबके लिए अत्यंत खुशी का दिन है। ये श्री गुरु रविदास महाराज जी के शाश्वत आदर्शों के प्रति विनम्र श्रद्धांजलि है। समानता, करुणा और सेवा का उनका संदेश हम सभी को गहराई से प्रेरित करता है।"