{A Joint Venture of Hindustan Petroleum Corporation Limited (HPCL) and Government of Rajasthan}

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ (HRRL) પ્રોજેક્ટ ખર્ચને ₹43,129 કરોડથી સુધારીને ₹79,459 કરોડ કરવા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા ₹8,962 કરોડના વધારાના ઇક્વિટી રોકાણને મંજૂરી આપી છે. વધારા બાદ HPCLનું કુલ ઇક્વિટી રોકાણ ₹19,600 કરોડ થશે.

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યો:

HRRL રિફાઇનરીએ 26% થી વધુ પેટ્રોકેમિકલ પ્રોડક્ટ સ્લેટ ધરાવતી અત્યંત જટિલ રિફાઇનરી છે. 1 MMTPA પેટ્રોલ, 4 MMTPA ડીઝલના ઉત્પાદન સાથે, તે 1 MMTPA પોલીપ્રોપીલીન, 0.5 MMTPA LLPDE (લીનિયર લો ડેન્સિટી પોલીઇથિલિન), 0.5 MMTPA HDPE (હાઈ ડેન્સિટી પોલીઇથિલિન) અને આશરે 0.4 MMTPA બેન્ઝીન, ટોલ્યુએન અને બ્યુટાડાઇનનું ઉત્પાદન કરશે. આ તમામ ઉત્પાદનો પરિવહન, ફાર્મા, પેઇન્ટ્સ, પેકેજિંગ ઉદ્યોગો વગેરે જેવા ક્ષેત્રોમાં આપણી ઊર્જા અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટ ઊર્જા સ્વતંત્રતા તરફ દોરી જશે અને પેટ્રોકેમિકલ ક્ષેત્રની આયાત નિર્ભરતા ઘટાડશે. નિર્ધારિત કોમર્શિયલ ઓપરેશન ડેટ (SCOD) 1 જુલાઈ, 2026 છે.

રોજગાર નિર્માણ ક્ષમતા સહિતની મુખ્ય અસરો:

દેશની વધતી જતી ઊર્જા જરૂરિયાતો અને પેટ્રોકેમિકલ જરૂરિયાતો અને વિશેષતા ધરાવતી પ્રોડક્ટ્સના ઉત્પાદનને ધ્યાનમાં લેતા HRRL એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જેનાથી આયાત પર દેશની નિર્ભરતા ઘટશે, જેના પરિણામે વિદેશી હૂંડિયામણની બચત થશે. તદુપરાંત, આ પ્રોજેક્ટ પછાત વિસ્તારના ઔદ્યોગિકીકરણ, સ્થાનિક રીતે ઉપલબ્ધ મંગલા ક્રૂડના ઉપયોગમાં પણ ફાળો આપશે અને ભારતને રિફાઇનિંગ હબ તરીકે પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન, HRRL એ રિફાઇનરી યુનિટ્સના નિર્માણમાં રોકાયેલા વિવિધ હિતધારકો દ્વારા તૈનાત કરવામાં આવેલા અંદાજે 25,000 કામદારો માટે રોજગારીની તકો ઊભી કરી છે.

પૃષ્ઠભૂમિ:

HRRL, પચપદ્રા, જિલ્લો - બાલોતરા, રાજસ્થાન, એ 2.4 MMTPA પેટ્રોકેમિકલ ઉત્પાદન ક્ષમતા સાથે 9 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA) ગ્રીનફિલ્ડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે. આ પ્રોજેક્ટ HRRL દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જે HPCL અને રાજસ્થાન સરકાર (GoR) નું સંયુક્ત સાહસ (JV) છે જેમાં અનુક્રમે 74% અને 26% ઇક્વિટી હિસ્સો છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Railways to operate over 300 special trains for Jagannath Rath Yatra, 100 for Onam: Ashwini Vaishnaw

Media Coverage

Railways to operate over 300 special trains for Jagannath Rath Yatra, 100 for Onam: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 જુલાઈ 2026
July 07, 2026

PM Modi Elevating India’s Global Standing Through Diplomacy and Development