પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેન્દ્રીય મંત્રીમંડળ સમિતિએ આજે આંધ્રપ્રદેશના નવા પાટનગર અમરાવતી ખાતે સેન્ટ્રલ ગવર્નમેન્ટ જનરલ પૂલ ઓફિસ એકોમોડેશન (CGGPOA) ના નિર્માણને મંજૂરી આપી દીધી છે.

આ પ્રોજેક્ટ અમરાવતીના નવા ગ્રીનફિલ્ડ શહેરમાં એક સીમાચિહ્નરૂપ પહેલ છે, જેને વિશ્વ-કક્ષાના શહેરી કેન્દ્ર તરીકે વિકસાવવાની પરિકલ્પના કરવામાં આવી છે. આ દરખાસ્તનો ઉદ્દેશ્ય વિવિધ કેન્દ્રીય સરકારી કચેરીઓને એક જ છત નીચે લાવીને તેમની કચેરીઓ માટેની આવાસની વધતી જતી માંગને પહોંચી વળવાનો છે. આ એકીકરણથી આંતર-વિભાગીય સંકલન મજબૂત થશે અને કેન્દ્ર સરકાર દ્વારા આંધ્રપ્રદેશ રાજ્યને પૂરી પાડવામાં આવતી સેવાઓની કાર્યક્ષમતા અને અસરકારકતામાં સુધારો થશે.

આંધ્રપ્રદેશના નવા પાટનગર અમરાવતી ખાતે CGGPOAનું આયોજન 5.53 એકર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ CGGPOA બે બ્લોક ધરાવે છે: પ્લોટ C-9 પર એક બ્લોક ગ્રાઉન્ડ + 13 માળનો (સેવાઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર, પોડિયમ પાર્કિંગ માટે ત્રણ માળ અને ઓફિસ સ્પેસ માટે દસ માળ), અને પ્લોટ C-8 પર બીજો બ્લોક ગ્રાઉન્ડ + 10 માળનો (સેવાઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર, પોડિયમ પાર્કિંગ માટે ત્રણ માળ અને ઓફિસ સ્પેસ માટે સાત માળ) હશે. આ સુવિધા અંદાજે 8,000 અધિકારીઓ અને કર્મચારીઓને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આશરે 1,800 ઇક્વિવેલેન્ટ કાર સ્પેસ માટે પોડિયમ પાર્કિંગની જોગવાઈ પ્રસ્તાવિત છે. આ પ્રોજેક્ટનું કુલ બિલ્ટ-અપ ક્ષેત્રફળ 23,25,000 ચોરસ ફૂટ (2,16,032 ચોરસ મીટર) છે.

સમગ્ર વિશ્વમાં, પર્યાવરણીય રીતે ટકાઉ અને સંસાધન-કાર્યક્ષમ બાંધકામ પદ્ધતિઓ પર ભાર વધી રહ્યો છે. આ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતા, આંધ્રપ્રદેશના નવા પાટનગર અમરાવતી ખાતે પ્રસ્તાવિત CGGPOAનું આયોજન અને ડિઝાઇન ભારતમાં પ્રવર્તમાન સર્વોચ્ચ ગ્રીન બિલ્ડિંગ ધોરણો અનુસાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ટકાઉ સાઇટ પ્લાનિંગ, ઉન્નત ઉર્જા કાર્યક્ષમતા, જળ સંરક્ષણ, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સામગ્રીના ઉપયોગ અને તેમાં રહેનારાઓના સર સ્વાસ્થ્ય તેમજ આરામ દ્વારા પર્યાવરણીય પ્રભાવને ન્યૂનતમ કરવાનો છે. આ કેમ્પસને ન્યૂનતમ GRIHA 4-સ્ટાર રેટિંગ મેળવવા માટે ડિઝાઇન, નિર્માણ અને રજીસ્ટર કરવામાં આવશે અને તે એનર્જી કન્ઝર્વેશન એન્ડ સસ્ટેનેબલ બિલ્ડિંગ કોડ 2024ની નવીનતમ જોગવાઈઓનું પાલન કરશે.

આંધ્રપ્રદેશના નવા પાટનગર અમરાવતી ખાતે CGGPOA આવશ્યક નાગરિક અને સામુદાયિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં એટીએમ સાથેની બેંક, પોસ્ટ ઓફિસ, ઘોડિયાઘર, મનોરંજન ખંડ, લેડીઝ રૂમ, 100ની બેઠક ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ હોલ, 500ની બેઠક ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ અને કર્મચારીઓ તેમજ મુલાકાતીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ચાર કેન્ટીનનો સમાવેશ થાય છે.

લાગુ પડતા સુલભતાના નિયમો અને ધોરણોના પાલનમાં, દિવ્યાંગજનો માટે સુલભતા, સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે આ કેમ્પસમાં અવરોધ-મુક્ત બિલ્ટ એન્વાયર્નમેન્ટનો સમાવેશ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટથી કુશળ, અર્ધ-કુશળ અને અકુશળ શ્રમિકો માટે નોંધપાત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. બાંધકામના તબક્કા દરમિયાન, રોજગાર સર્જન વાર્ષિક અંદાજે 7,00,000 માનવ-દિવસો હોવાનો અંદાજ છે, જ્યારે કાર્યરત તબક્કા દરમિયાન વાર્ષિક આશરે 50,000 શ્રમદિવસ જનરેટ થવાની અપેક્ષા છે.

પ્રોજેક્ટ ખર્ચ અને ભંડોળ આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1,299.08 કરોડ છે, જે ભારત સરકાર દ્વારા હેડ ઓફ એકાઉન્ટ: 4059 કેપિટલ આઉટલે ઓન પબ્લિક વર્ક્સ હેઠળ બજેટરી સહાય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

પ્રી-પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ આ પ્રોજેક્ટ હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ મારફતે અમલમાં મૂકવામાં આવશે. પ્રી-બિડ પ્રવૃત્તિઓ અગાઉથી જ શરૂ થઈ ગઈ છે, અને ટેન્ડર દસ્તાવેજો તૈયાર કરવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે.

આંધ્રપ્રદેશના નવા પાટનગર અમરાવતી ખાતે પ્રસ્તાવિત સેન્ટ્રલ ગવર્નમેન્ટ જનરલ પૂલ ઓફિસ એકોમોડેશન

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha

Media Coverage

Gyan Bharatam Portal Houses Over 88,800 Manuscripts, Government Informs Lok Sabha
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 જુલાઈ 2026
July 25, 2026

Make in India Goes Global: How PM Modi’s Vision is Turning Trust into Trade & Investment