પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ઉત્તર પ્રદેશમાં બારાબંકીથી બહરાઇચ સુધીના (101.515 કિમી) 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927 ના નિર્માણને હાઇબ્રિડ એન્યુઈટી મોડ (HAM) પર ₹6,969.04 કરોડના ખર્ચે મંજૂરી આપી છે.

ઉત્તર પ્રદેશમાં NH-927ના બારાબંકી-બહરાઇચ વિભાગના પ્રસ્તાવિત અપગ્રેડેશનથી બારાબંકી અને બહરાઇચ જિલ્લામાં બિલ્ટ-અપ વિસ્તારોમાં ગંભીર ભૌમિતિક ખામીઓ, તીક્ષ્ણ વળાંકો અને ભીડ દૂર થશે. સતત સર્વિસ રોડ સાથે એક્સેસ-નિયંત્રિત 4-લેન હાઇવે તરીકે ડિઝાઇન કરાયેલ, આ પ્રોજેક્ટ મુખ્ય રહેઠાણોને બાયપાસ કરશે, સરેરાશ મુસાફરી ગતિ વધારશે, મુસાફરીનો સમય લગભગ એક કલાક ઘટાડશે, અને એકંદર માર્ગ સલામતી, બળતણ કાર્યક્ષમતા અને વાહન સંચાલન ખર્ચમાં સુધારો કરશે, જેનાથી પ્રાદેશિક ગતિશીલતા અને સામાજિક-આર્થિક વિકાસમાં વધારો થશે.

આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના મુખ્ય આર્થિક, સામાજિક અને લોજિસ્ટિક્સ કેન્દ્રોને સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડે છે. વધુમાં, અપગ્રેડ કરેલ કોરિડોર 03 આર્થિક કેન્દ્રો, 02 સામાજિક કેન્દ્રો અને 12 લોજિસ્ટિક કેન્દ્રો સાથે જોડાઈને મલ્ટિ-મોડલ એકીકરણને વેગ આપશે, જે રૂપૈડીહા લેન્ડ પોર્ટ અને એરપોર્ટ્સ સાથે ઉન્નત મલ્ટિમોડાલિટી પ્રદાન કરશે, જેનાથી સમગ્ર પ્રદેશમાં માલસામાન અને મુસાફરોની ઝડપી અવરજવર સરળ બનશે. પૂર્ણ થયા પછી, આ પ્રોજેક્ટ વ્યુહાત્મક રીતે નેપાળગંજ સરહદ મારફતે ભારત અને નેપાળ વચ્ચે એક મહત્વપૂર્ણ ક્રોસ-બોર્ડર વેપાર અને પરિવહન કોરિડોર સ્થાપિત કરશે, જે રૂપૈડીહા લેન્ડ પોર્ટ સુધીની પહોંચમાં નોંધપાત્ર સુધારો કરશે. તે બહરાઇચ અને શ્રાવસ્તી જેવા અંતરિયાળ જિલ્લાઓમાં કનેક્ટિવિટી વધારશે, PM ગતિશક્તિ આર્થિક અને લોજિસ્ટિક્સ કેન્દ્રોને ટેકો આપશે અને કૃષિ-વેપાર, પ્રવાસન, સરહદ પારના વાણિજ્ય અને પ્રાદેશિક રોકાણને પ્રોત્સાહન આપશે.

કોરિડોરનો નકશો

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/barabankitobaharichCCEA18032026JZOM.jpg

પ્રોજેક્ટ વિગતો:

વિશેષતા

વિગતો

પ્રોજેક્ટનું નામ

બારાબંકીથી બહરાઇચ સુધી 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ નેશનલ હાઇવે-927

કોરિડોર

લખનૌ – રૂપૈડીહા

લંબાઈ (કિમી)

101.515

કુલ સિવિલ ખર્ચ (₹ કરોડ)

3485.49

જમીન સંપાદન ખર્ચ (₹ કરોડ)

1574.85

કુલ મૂડી ખર્ચ (₹ કરોડ)

6969.04

મોડ (પદ્ધતિ)

હાઇબ્રિડ એન્યુઈટી મોડ (HAM)

બાયપાસ

48.28 કિમી

જોડાયેલા મુખ્ય રસ્તાઓ

નેશનલ હાઇવે – NH-27, NH-330B અને NH-730; સ્ટેટ હાઇવે – SH-13 અને SH-30B

જોડાયેલા આર્થિક / સામાજિક / પરિવહન કેન્દ્રો

એરપોર્ટ્સ: લખનૌ અને શ્રાવસ્તી; રેલવે સ્ટેશનો: બારાબંકી, રસૌલી, જહાંગીરાબાદ, રફીનગર, બિન્દૌરા, બુરહવાલ, ચૌકાઘાટ, ઘાઘરાઘાટ, જરવાલ અને બહરાઇચ; લેન્ડ પોર્ટ: રૂપૈડીહા; આર્થિક કેન્દ્રો: 01 SEZ અને 02 મેગા ફૂડ પાર્ક; સામાજિક કેન્દ્રો: 02 આકાંક્ષી જિલ્લાઓ.

જોડાયેલા મુખ્ય શહેરો / નગરો

બારાબંકી, રામનગર, જરવાલ, કૈસરગંજ, કુંડાસર, ફખરપુર અને બહરાઇચ

રોજગારી સર્જનની સંભાવના

36.54 લાખ વ્યક્તિ-દિવસ (પ્રત્યક્ષ) અને 43.04 લાખ વ્યક્તિ-દિવસ (પરોક્ષ)

નાણાકીય વર્ષ 28 માં અંદાજિત ટ્રાફિક (AADT)

પેકેજ-1 માટે 28,557 અને પેકેજ-2 માટે 21,270 પેસેન્જર કાર યુનિટ્સ (PCU)

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Commendable performance of India’s marine exports amid uncertain times

Media Coverage

Commendable performance of India’s marine exports amid uncertain times
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 મે 2026
May 02, 2026

Viksit Bharat Unfolding: PM Modi Delivers Jobs, Clean Energy, Digital Justice & Economic Firepower