A letter Full of Agony

Published By : Admin | May 8, 2010 | 08:58 IST

પ્રિય મિત્રો,

પાછલા દિવસોમાં, ભાષણો અને લેખો ઉપર આધારીત પુસ્તક " સામાજિક સમરસતા"નું લોકાર્પણ થયું.

પુસ્તક ના દલિત લેખક અને મારા પરમ મિત્ર કિશોર મકવાણાનું અત્યંત પીડાસભર પત્ર આજે મળ્યો..

એક દલિતની પીડાને આ બ્લોગના માધ્યમ દ્વારા તમારા સુધી પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

 

શ્રી કિશોર મકવાણાનો અક્ષ્રરશઃ પત્ર...

સાદર પ્રણામ...,

આપને એક હકીકતથી વાકેફ કરવા આ પત્ર લખી રહ્યો છું.

હું દલિત સમાજમાં જનમ્યો છું, દલિત-પીડિત-વંચિત પરિવાર- સમુદાયોની સમાજમાં સદીઓથી કેવી દુઃખદાયક સ્થિતિ છે તેના પ્રત્યક્ષ અનુભવોથી મારી જીંદગી ભરેલી છે.

આથી જ, પીડિત-વંચિત માનવીના દુઃખ દર્દને કોઇ પોતાની સંવેદનાનો સ્પર્શ કરે ત્યારે, તેના પ્રત્યે આત્મિયતા આપોઆપ જન્મે છે.

મારું સદભાગ્ય છે કે સંઘર્ષોની વચ્ચે અને એને અતિક્રમીને, મને વિચાર-લેખનના વ્યવસાયનો અવસર મળ્યો.

છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વિચાર અને વ્યવહારને ખૂબ ઝીણવટથી જોતો આવ્યો છું. અંતઃકરણમાં પવિત્રભાવથી એ પીડિતજનોની સેવામાં લાગેલા છે. એમના જીવનકાર્યનું કેન્દ્રબદુ હંમેશા સમાજનો છેવાડાનો માનવી છે. શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના દલિત બાંધવો ર્આિથક રીતે પગભર થાય, શોષણથી મુકત થાય, સમગ્ર ગુજરાત સમરસ-એકરસ બને તે માટે પૂરા મનોયોગથી એક અર્થમાં ડો.બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નને જ ર્મૂિતમંત કરી રહ્યા છે. એમના વિચાર અને વ્યવહારમાં અંશ માત્રનો ભેદ મને ન દેખાયો ત્યારે લાગ્યું કે એમના સમાજ પ્રત્યેના  કર્તવ્યભાવ અને મમભાવને વ્યકત કરતા લેખો અને પ્રવચનો લોકો આગળ મૂકવા જોઇએ, આ વિચારમાંથી જ ‘સામાજિક સમરસતા’ પુસ્તકનું  સર્જન થયું. આ મારું પ્રથમ પુસ્તક નથી, અગાઊ બિરસા મુંડા, સંત રવિદાસ, સમર નહ સમરસતા, રાષ્ટ્રભકત ડો.બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ વગેરે વિષય પરના મારા ૧૩ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂકયા છે.

મારા માટે ગૌરવનો વિષય હતો કે ‘સામાજિક સમરસતા’ નામનું મારું ૧૪મું પુસ્તક લોકો વચ્ચે આવી રહ્યું હતું. ૨૬ એપ્રિલ,૨૦૧૦ના દિવસે સાંજે ૬-૩૦ વાગેે યોજાયેલા આ સમારોહમાં ગુજરાતના ક્રાંતિકારી સંત પૂ.સ્વામી સચ્ચિદાનંદ, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને જાણીતા કવિ-લેખક શ્રી સુરેશ દલાલ ઊપસ્થિત રહ્યા. મારા માટે આ આનંદનો અવસર હતો.

સંપૂર્ણ લોકાર્પણ સમારોહ અત્યંત ગરિમામય રહ્યો.  મારા પત્રકાર મિત્રોએ ઊમળકાથી અખબારો, પ્રેસ મીડિયામાં બીજા દિવસે, આ પુસ્તક વિમોચનના સમાચારને ખૂબ સારી રીતે પ્રસિદ્ધિ આપી. મારા જેવા દલિત લેખક-સર્જક માટે જીવનની આ ચિરસ્મરણીય એવી સૌથી યશદાયી ઘટના હતી. પરંતુ એક દલિતના આ આનંદના અવસરને કાગ્રેસે કલંકિત કરવાનો, એને વિકાૃતિના રંગે રંગવાનો હિન પ્રયાસ કર્યો. શ્રી નરેન્દ્ર મોદીએ એમના સમગ્ર પ્રવચનમાં કયાંય-કોઇ પણ સ્વરૂપે દ્ધસમાજ માટે કોઇપણ પ્રકારની હલકી વાત કરી નથી. મોદી જે બોલ્યા જ નથી તેવી વાત તેમના મોંઢામાં મૂકી કાગ્રેસે વિકૃત અને મનઘડંત ઊપજાવી કાઢેલા નિવેદનો કર્યા.   કાગ્રેસી આગેવાનોએ સામાજિક સમરસતાના ભાવપૂર્ણ પ્રસંગને સરાસર જુઠ્ઠાણાં દ્વારા કલંકિત કરવાનો પ્રયાસ કર્યો.

પવિત્ર ભાવથી દલિત સમાજની ઊન્નતિ માટે કર્તવ્યરત શ્રી નરેન્દ્ર મોદી અંગે કાગ્રેસના વિકૃત અને જુઠ્ઠા નિવેદનથી કેવળ મને જ નહી પણ સમગ્ર દલિત સમાજને આઘાત લાગ્યો છે. શ્રી નરેન્દ્ર મોદીના આખે-આખા પ્રવચનની  વિડીયો-ડીવીડી અને વેબસાઇટ ઊપર ટ્રાન્સસ્ક્રીપ્ટઆજે પણ ઊપલબ્ધ છે. મારા દલિત બાંધવોને નમ્ર વિનંતી છે કે  તે જોઇ જવી જોઇએ,  જેથી આપ સત્ય જાણી શકો.

હિન્દુસ્તાનના અગ્રીમ હરોળના અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’ માં પ્રબુદ્ધ તંત્રીશ્રી એન.રામનો અહેવાલ અહ ટાંકુ છું.

એમણે કાગ્રેસીઓની ઢાગી દલિત ભકિત અને  વિકૃતનો પર્દાફાશ કર્યો છે.

‘હિન્દુ’ એ લખ્યું છે કે ‘સામાજિક સમરસતા પુસ્તક વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના પ્રવચનમાં હળાહળ જુઠ્ઠાણાં ઊમેરીને કાગ્રેસ પોતાની આબરુ જ હણી રહી છે. શ્રી મોદીએ દલિતોની વિરુદ્ધ આખા પ્રવચનમાં એક પણ શબ્દ ઊચ્ચાર્યો નથી કે નથી મીડીયા રીપોર્ટરના પ્રસિદ્ધ થયેેલા અહેવાલોમાં આવી કોઇ વાત. તદ્ન વજૂદ વગર શ્રી નરેન્દ્ર મોદી સામે આવા ઇરાદાપૂર્વકના આવા જૂઠ્ઠાણાં ફેલાવવાથી કાગ્રેસ દલિતોની હામી થઇ શકવાની નથી. કાગ્રેસ તો દેશ માટે ભયજનક વોટ બેન્ક પોલીટીકસને જ વરેલી છે અને એણે કયારેય દલિતોના હિતોની પરવા કરી જ નથી. માત્ર અને માત્ર દલિતોનો અને સમાજના વંચિત વર્ગનો ઊપયોગ કરીને સત્તામાં ચીટકી રહેવું છે, ચૂંટણી સમયે ખાસ કરીને પોતાના સત્તા સ્વાર્થી હેતુ માટે દલિતોને સાધન બનાવી દીધા છે.’

જો કે જે કાગ્રેસે ડો.બાબાસાહેબ આંબેડકરને જીવનભર અપમાનિત કર્યા, દલિતોને કાયમ મૂરખ બનાવી એમનો વોટબેન્ક તરીકે જ ઊપયોગ કર્યો છે. એની પાસે બીજી કોઇ અપેક્ષા ના રાખી શકાય. ડો.બાબાસાહેબ જ્ઞાતિવીહીન-એકરસ સમાજ ઇચ્છતા હતા.પરંતુ કાગ્રેસ એની સ્થાપના કાળથી જ જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેરનું વાવેતર કરતી આવી છે.

ડો.બાબાસાહેબ આંબેડકરે લખેલ ‘કાગ્રેસે અસ્પૃશ્યો માટે શું કર્યું ’ ગ્રંથ વાંચવા જેવો છે. આ ગ્રંથમાં અનેક  હકીકતો અને ઘટનાઓ વર્ણવી કાગ્રેસના દલિત વિરોધી અસલી ચહેરાને ડો.બાબાસાહેબે  ઊઘાડો પાડ્યો છે. અમદાવાદ જિલ્લાના કાવિઠા ગામમાં અસ્પાૃશ્ય બાળકોના શાળા પ્રવેશ બાબતે ગામ લોકોએ અસ્પાૃશ્યોનો બહિષ્કાર કરેલો. એ વખતે સ્વયં બાબાસાહેબે કાવિઠા ગામ આવી દરમિયાનગીરી કરી હતી. પરંતુ કાગ્રેસે ગામલોકોને સમજાવવાના બદલે અસ્પાૃશ્યોને જ ગામ છોડી જવાની સલાહ આપી હતી. ડો.બાબાસાહેબ મુંબઇ થી અમદાવાદ આવ્યા ત્યારે કાલુપુર રેલ્વે સ્ટેશને કાગ્રેસી કાર્યકરોએ કાળા વાવટા ફરકાવી તેમને અપમાનિત કર્યા હતા.

ડગલે ને પગલે ડો.બાબાસાહેબ પર માનસિક અત્યાચાર કરનાર અને દલિતોનો વોટ બેન્ક તરીકે ઊપયોગ કરનાર કાગ્રેસ જેવી રાજકીય પાર્ટી અમારા દલિત, વંચિત, શોષિત, પીડિત સમાજની પીડા નિવારવી તો દૂર રહી પણ આ પરાઇ પીડાના જાણતલ એવા શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા સમરસ સમાજના શ્રેયકર ચતક સામે સરાસર જૂઠ્ઠાણાં દલિતોના નામે ફેલાવે ત્યારે કાગ્રેસની આ નીતિ-રીતિ સામે દલિતોનો આક્રોશ સ્વાભાવિક પ્રગટે જ.

અહીં એક વાત તરફ પણ આપનું ધ્યાન દોરવા માંગુ છું, છેલ્લા આઠ વર્ષથી ગુજરાત અને શ્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવાની એક પણ તક ગુજરાત વિરોધીઓ ચૂકતા નથી. આવા સમયે દેશ, ગુજરાત અને સમાજમાં વિખવાદ કરનારા તત્વોને ઓળખી લેવા જોઇએ.

પોતાનો સ્વાર્થ સાધવા કાગ્રેસ કઇ હદે જઇ શકે છે એ જણાવવા જ મારી વાત આપની સમક્ષ પત્ર દ્વારા પહાચાડી રહ્યો છું. મારી આ લાગણીમાં આપ સહભાગી બનશો જ એવી અપેક્ષા છે. આભાર સહ...

આપનો, કિશોર મકવાણા સામાજિક સમરસતા પુસ્તક

 

 


આપનો,

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
APEDA Facilitates First Export Of Premium Areko Cherries And Scentrose Plums From J&K To Singapore

Media Coverage

APEDA Facilitates First Export Of Premium Areko Cherries And Scentrose Plums From J&K To Singapore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ભારતની એકતા અને પ્રગતિ માટે સમર્પિત જીવન
July 06, 2026

આજે, 6 જુલાઈનો દિવસ રાષ્ટ્રવાદ અને નિઃસ્વાર્થ સેવાના આદર્શોને હૃદયથી માનનારા અસંખ્ય લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આજે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમનું જીવન મા ભારતી પ્રત્યેની હિંમત અને અતૂટ પ્રતિબદ્ધતાનું એક શાશ્વત ઉદાહરણ બની રહ્યું છે. આધુનિક ભારતમાં બહુ ઓછા નેતાઓએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેટલી ઊંડાણપૂર્વક બુદ્ધિપ્રતિભા, જાહેર સેવા અને નૈતિક દ્રઢ વિશ્વાસના અવિરત સંગમને સાકાર કર્યો છે.

યુવા શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ એવા પરિવારમાં થયો હતો, જ્યાં તેમને સુખ-સુવિધાસભર અને સુરક્ષિત જીવન સરળતાથી મળી શકતું હતું. તેમના પિતા સર આશુતોષ મુખર્જી તેમના સમયના અગ્રણી શિક્ષણવિદ્ અને પ્રખર બુદ્ધિજીવી હતા. તેમ છતાં, ભાગ્યે તેમને વિશેષાધિકારોનો માર્ગ આપ્યો હોવા છતાં, તેમનો અંતરાત્મા તેમને બલિદાન અને રાષ્ટ્ર સેવાના માર્ગ તરફ દોરી ગયો. તેઓ દ્રઢપણે માનતા હતા કે તેઓ તેમના સમયની ઉથલપાથલના મૂક પ્રેક્ષક બનીને ન રહી શકે, પછી તે સંસ્થાનવાદ, કોમવાદ, માનવતાવાદી પડકારો અને અન્ય બાબતો સામે લડવાનું કેમ ન હોય. જીવનની આ સફર દરમિયાન તેમણે અનેક ગંભીર વ્યક્તિગત આઘાતો પણ સહન કર્યા. તેમણે પોતાનું બાળક અને પછીથી તેમની પત્નીને ગુમાવવા સહિતની ઊંડી અંગત કરૂણાંતિકાઓ સહન કરી. છતાં, આ કરૂણાંતિકાઓએ તેમના સંકલ્પને વધુ ઊંડો બનાવ્યો અને સેવા કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને મજબૂત કરી.

જો કોઈ એક આદર્શે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જાહેરજીવનને સૌથી વધુ વ્યાખ્યાયિત કર્યો હોય, તો તે ભારતની અખંડિતતા પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હતી. પશ્ચિમ બંગાળ ભારતનો અભિન્ન ભાગ રહે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વિભાજનની ઉથલપાથલ દરમિયાન મક્કમ રહ્યા હતા. થોડા વર્ષો પછી, તે જ દ્રઢ વિશ્વાસ તેમને જમ્મુ અને કાશ્મીર તરફ દોરી ગયો. જેલવાસ તેમને અટકાવી શક્યો નહીં અને એકલતા પણ તેમના મનોબળને નબળું પાડી શકી નહીં. અસંખ્ય લોકોના હિતને પોતાનું ધ્યેય બનાવનાર આ મહાન વ્યક્તિત્વનું જીવન અટકાયતમાં અચાનક સમાપ્ત થયું. ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો આવે છે, જ્યારે કોઈ વ્યક્તિનું સર્વોચ્ચ બલિદાન રાજકારણની સીમાઓને વટાવીને રાષ્ટ્રીય સ્મૃતિનો ભાગ બની જાય છે. ડૉ. મુખર્જીની અંતિમ યાત્રા પણ આવી જ એક ઐતિહાસિક ક્ષણ તરીકે યાદ કરવામાં આવે છે. આચાર્ય વિનોબા ભાવેએ જણાવ્યું હતું કે ડૉ. મુખર્જીએ એવા હેતુ માટે પોતાનું બલિદાન આપ્યું જેમાં તેઓ શ્રદ્ધા ધરાવતા હતા. વર્ષો પછી, 2019માં કલમ 370 અને 35(A) નાબૂદ કરવી એ તેમની શહાદત માટે સૌથી યોગ્ય શ્રદ્ધાંજલિ હતી.

ડૉ. મુખર્જીએ ઈન્ડિયા ફર્સ્ટ (ભારત સર્વોપરી) અને ભારતીય મૂલ્યોને પ્રથમ સ્થાન આપ્યું. અને તેમણે તે સમયની પરંપરાગત માનસિકતાને પડકારતી સંસ્થાઓનું નિર્માણ કરીને અને પ્રણાલીઓનું સંવર્ધન કરીને કર્યું. તેઓ કલકત્તા યુનિવર્સિટીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા. તેમની અનન્ય શૈલીમાં, તેઓ હકારાત્મક ફેરફારો લાવ્યા જે દેશભક્તિથી સભર અને ભવિષ્યવાદી હતા. શિક્ષણવિદોની એક પરિષદને સંબોધતા, ડૉ. મુખર્જીએ ખૂબ જ સુંદર રીતે કહ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓને સંભવિત ક્લાર્ક અને ઓછા પગારવાળા સ્ટાફ ઊભા કરતી ફેક્ટરીઓ તરીકે જોવી તે ખોટું છે. આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના છે જેઓ આપણી સ્વાયત્ત સંસ્થાઓ, જેવી કે મ્યુનિસિપલ કોર્પોરેશન, પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ હોય અને જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નાણાકીય, વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્રોની બાબતોનું સંચાલન કરવા માટે પણ સક્ષમ હોય.”

તેમના નેતૃત્વ હેઠળ, કલકત્તા યુનિવર્સિટીએ લાયબ્રેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો, વિજ્ઞાનમાં સંશોધનને પ્રોત્સાહન આપવું, કલાકૃતિઓના અભ્યાસને પ્રોત્સાહિત કરવો અને કૃષિ ક્ષેત્રે અભ્યાસક્રમો શરૂ કરવા જેવા કેટલાક અનન્ય પ્રયાસો હાથ ધર્યા. તેમણે રમતગમત, શિક્ષક પ્રશિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ જેવા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવા માટે, તેમણે 24મી જાન્યુઆરીને યુનિવર્સિટીના સ્થાપના દિવસ તરીકે ઉજવવાની પ્રથા શરૂ કરી હતી. તેમણે અન્ય કોઈને નહીં પરંતુ ગુરુદેવ ટાગોરને યુનિવર્સિટી માટે એક ગીત કંપોઝ કરવા વિનંતી કરી હતી.

આ ભાવનાનું બીજું એક ઉદાહરણ તેમના જીવનના પછીના ભાગમાં જોઈ શકાય છે, જ્યારે તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. એવા સમયે જ્યારે કોંગ્રેસ પક્ષ સર્વવ્યાપી હતો, ત્યારે તેમને લાગ્યું કે ભારતના વિકાસની વકાલત કરે અને સાથે સાથે દેશના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલો રહે એવો વૈકલ્પિક રાજકીય અવાજ હોવો અત્યંત જરૂરી છે. કદાચ એ જ કારણસર પક્ષના ચૂંટણી પ્રતીક તરીકે દીવો પસંદ કરવામાં આવ્યો હતો. માટીનો એક નાનો દીવો ભલે સામાન્ય લાગે, પરંતુ તેની પાસે પોતાની ક્ષમતાથી અનેકગણો અંધકાર દૂર કરવાની શક્તિ હોય છે. ભારતીય જનસંઘે પણ પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન અને ત્યારબાદ પણ આ જ ભાવનાને સાર્થક કરી હતી.

ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી તરીકે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો કાર્યકાળ એક એવા રાજનેતાને પ્રગટ કરે છે જેમની વિકાસની વિભાવના નોંધપાત્ર રીતે વ્યાપક અને માનવીય હતી. તેઓ ઉદ્યોગને માત્ર આર્થિક વિકાસનું સાધન નહીં, પરંતુ નવા સ્વતંત્ર બનેલા રાષ્ટ્રમાં ગૌરવ, તકો અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના માધ્યમ તરીકે જોતા હતા. તેઓ સંપત્તિના સર્જન અને મૂલ્યવર્ધનના દૃઢ સમર્થક હતા. દામોદર વેલી કોર્પોરેશન, સિંદરી ફર્ટિલાઈઝર પ્લાન્ટ અને મજબૂત ઔદ્યોગિક નીતિ જેવી અગ્રણી પહેલો દ્વારા આધુનિક ઔદ્યોગિક ભારતનો પાયો નાખતી વખતે, તેમણે સાથે સાથે એ પણ સુનિશ્ચિત કર્યું કે ભારતની પરંપરાગત શક્તિઓની ઉપેક્ષા ન થાય. હેન્ડલૂમ, કુટિર ઉદ્યોગો, કારીગરો અને કાપડ કામદારોને તેમનામાં સમાન રીતે પ્રતિબદ્ધ હિમાયતી મળ્યા.

અહીં, હું એક વ્યક્તિગત અનુભવ શેર કરવા માંગુ છું. સિંદરી પ્લાન્ટ, જેને ડૉ. મુખર્જીએ આત્મનિર્ભરતાના સ્પષ્ટ વિઝન સાથે સ્થાપવા માટે કામ કર્યું હતું, તેની દેશ ચલાવનારાઓ દ્વારા કેટલાક દાયકાઓ સુધી ઉપેક્ષા કરવામાં આવી હતી. હું સન્માનિત અનુભવું છું કે અમારી સરકારને તેના પુનરુત્થાનમાં યોગદાન આપવાની તક મળી. તે કાર્યક્રમ માટે ત્યાં હાજર રહેવું ખરેખર સૌથી વિશેષ ક્ષણોમાંની એક હતી.

ભારતની સંસ્કારી પરંપરાએ લાંબા સમયથી સંવાદ અને ચર્ચાઓની ઉજવણી કરી છે. ડૉ. મુખર્જીએ આ લોકશાહી ભાવનાને સાકાર કરી હતી. તેઓ પંડિત નહેરુની કેબિનેટમાં જોડાયા હતા, એમ માનીને કે શરૂઆતના વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણનું કાર્ય રાજકીય મતભેદોથી ઉપર છે. તેમણે નિષ્ઠા અને રચનાત્મક ભાવનાથી સેવા આપી હતી. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે રાષ્ટ્રીય મહત્વના પ્રશ્નો માટે અલગ માર્ગની જરૂર છે, ત્યારે તેમણે ગૌરવપૂર્વક પદ છોડી દીધું અને દેશહિતમાં જરૂરી હોવાનું તેઓ માનતા હતા તેવા રાજકીય કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા.

75 વર્ષ પહેલાં પંડિત નેહરુએ પ્રથમ સુધારો રજૂ કર્યો હતો, જેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો પ્રહાર માનવામાં આવ્યો હતો. ડૉ. મુખર્જી તેના સૌથી પ્રખર વિવેચકોમાંના એક હતા. તેઓ કોંગ્રેસ શું કરી શકે છે તેની સંપૂર્ણ સમજ ધરાવતા હતા અને સમય જતાં તેમની આ ચેતવણી સાચી પણ સાબિત થઈ. 75 વર્ષ પહેલાં પ્રથમ બંધારણીય સુધારો લાવનારી કોંગ્રેસે 1975માં દેશમાં કટોકટી લાદી હતી અને 50 વર્ષ પહેલાં 42મો બંધારણીય સુધારો અમલમાં મૂક્યો હતો, જેને ફરી એકવાર ઉદાર લોકશાહી મૂલ્યોના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રહાર તરીકે જોવામાં આવ્યો.

ડૉ. મુખર્જી તેમના માનવતાવાદી પ્રયાસો માટે પણ અલગ તરી આવતા હતા. જ્યારે 1943માં બંગાળમાં સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે ડૉ. મુખર્જી પ્રભાવિત લોકોની સેવામાં લીન થઈ ગયા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકોને ભોજન કરાવવા માટે અસંખ્ય કેન્ટીન અને રાહત કેન્દ્રો ખોલવામાં આવે. એક તરફ, તેઓ પોતાના લોકોની દુર્દશાથી ખૂબ જ હચમચી ગયા હતા, તો બીજી તરફ, તેઓ વસાહતી શાસકોની અસંવેદનશીલતાથી નારાજ હતા. તેમણે એક પુસ્તક પણ લખ્યું, 'પંચાશેર મનવંતર', જેમાં તેમણે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જ્યારે 1942માં મેદિનીપુરમાં સુપર સાયક્લોન આવ્યું ત્યારે સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો વ્યાપકપણે પ્રશંસા પામ્યા હતા.

કોલકાતાની એક કોલેજમાં બોલતા, ડૉ. મુખર્જીએ યુવાનોને આગ્રહ કર્યો હતો કે, “તમે જે પણ કામ હાથ લો, તે ગંભીરતાથી, સંપૂર્ણ રીતે અને સારી રીતે કરો; તેને ક્યારેય અડધું કે અધૂરું ન છોડો, જ્યાં સુધી તમે તમારું સર્વશ્રેષ્ઠ ન આપ્યું હોય ત્યાં સુધી ક્યારેય સંતુષ્ટ ન થાઓ.” ભારત જ્યારે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તેમને આપી શકીએ તેવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એ છે કે તે મજબૂત, સંયુક્ત, આત્મવિશ્વાસુ અને કરુણાથી સભર ભારતનું નિર્માણ કરવા માટે દરરોજ પ્રયત્નશીલ રહીએ જેમાં તેઓ ખૂબ જ ગાઢ વિશ્વાસ ધરાવતા હતા. આજની યુવા પેઢીને જોઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ જવાબદારીને સફળતાપૂર્વક નિભાવશે અને આ સંકલ્પને સાકાર કરશે.