પીએમએ 90,000 કરોડ રૂપિયાથી વધુના આઠ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
પીએમએ નિર્દેશ આપ્યો કે તમામ મંત્રાલયો અને વિભાગો ખાતરી કરે કે લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ-આધારિત આધાર પ્રમાણીકરણ અથવા ચકાસણી દ્વારા કડક રીતે કરવામાં આવે
શહેરના વિકાસ માર્ગ સાથે સુસંગત વ્યાપક શહેરી આયોજન પ્રયાસોના મુખ્ય ઘટક તરીકે રિંગ રોડને સંકલિત કરવું જોઈએ: પીએમ
પીએમએ જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરી અને નિર્દેશ આપ્યો કે ક્રુઝ પર્યટનને વેગ આપવા માટે આ વિસ્તારોમાં મજબૂત સમુદાય જોડાણ સ્થાપિત કરવા માટે પ્રયાસો કરવા જોઈએ
પીએમએ સર્વગ્રાહી અને ભવિષ્યલક્ષી આયોજનને સક્ષમ બનાવવા માટે પીએમ ગતિ શક્તિ અને અન્ય સંકલિત પ્લેટફોર્મ જેવા સાધનોનો લાભ લેવાના મહત્વને પુનરાવર્તિત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવતા અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આઇસીટી-આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિની 46મી આવૃત્તિ બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં આઠ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ત્રણ રોડ પ્રોજેક્ટ્સ, રેલવે અને બંદર, શિપિંગ અને જળમાર્ગોના બે-બે પ્રોજેક્ટ સામેલ હતા. વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પથરાયેલા આ પ્રોજેક્ટ્સનો સંયુક્ત ખર્ચ આશરે રૂ. 90,000 કરોડ છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના (પીએમએમવીવાય)થી સંબંધિત ફરિયાદોના નિવારણની સમીક્ષા કરતી વખતે પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે, તમામ મંત્રાલયો અને વિભાગોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ-આધારિત આધાર પ્રમાણભૂતતા અથવા ખરાઈ મારફતે ચુસ્તપણે થાય. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં વધારાના કાર્યક્રમોને સંકલિત કરવાની સંભવિતતા ચકાસવાની પણ સૂચના આપી હતી. ખાસ કરીને બાળકોની સારસંભાળને પ્રોત્સાહન, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની પદ્ધતિઓમાં સુધારો કરવા, સ્વચ્છતા સુનિશ્ચિત કરવા અને માતા અને નવજાત શિશુની સંપૂર્ણ સુખાકારીમાં પ્રદાન કરતા અન્ય સંબંધિત પાસાંઓનું સમાધાન કરવાનું છે.

રિંગ રોડનાં વિકાસ સાથે સંબંધિત માળખાગત પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રિંગ રોડનાં વિકાસને વિસ્તૃત શહેરી આયોજનનાં પ્રયાસોનાં મુખ્ય ઘટક તરીકે સંકલિત કરવો જોઈએ. આ વિકાસનો સર્વગ્રાહી રીતે સંપર્ક સાધવો જોઈએ. જેથી એ સુનિશ્ચિત થાય કે તે આગામી 25થી 30 વર્ષોમાં શહેરના વિકાસના માર્ગ સાથે સુસંગત થાય અને તેને ટેકો આપે. પ્રધાનમંત્રીએ એવી પણ સૂચના આપી હતી કે, વિવિધ આયોજન મોડલનો અભ્યાસ કરવો જોઈએ, ખાસ કરીને સ્વ-ટકાઉપણાને પ્રોત્સાહન આપતા મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમાં પણ ખાસ કરીને રિંગ રોડની લાંબા ગાળાની વ્યવહારિકતા અને કાર્યદક્ષ વ્યવસ્થાપનના સંદર્ભમાં. તેમણે જાહેર પરિવહન માટે પૂરક અને ટકાઉ વિકલ્પ તરીકે શહેરના પરિવહન માળખામાં સર્ક્યુલર રેલ નેટવર્કને સંકલિત કરવાની શક્યતા ચકાસવા પણ વિનંતી કરી હતી.

જલ માર્ગ વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ક્રુઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે આ પટ્ટાઓ સાથે એક મજબૂત સામુદાયિક જોડાણ સ્થાપિત કરવા માટેનાં પ્રયાસો થવા જોઈએ. તે વ્યાવસાયિક વિકાસ માટે તકોનું સર્જન કરીને, ખાસ કરીને 'એક જિલ્લા એક ઉત્પાદન' (ઓડીઓપી) પહેલ અને અન્ય સ્થાનિક હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે એક જીવંત સ્થાનિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે. આ અભિગમનો હેતુ માત્ર સામુદાયિક જોડાણમાં વધારો કરવાનો જ નહીં, પરંતુ જળમાર્ગને અડીને આવેલા પ્રદેશોમાં આર્થિક પ્રવૃત્તિ અને આજીવિકા ઉત્પાદનને ઉત્તેજીત કરવાનો પણ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનાં આંતરિક જળમાર્ગો પ્રવાસન માટે પણ પ્રેરકબળ હોવાં જોઈએ.

પ્રધાનમંત્રીએ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી ગતિશક્તિ અને અન્ય સંકલિત પ્લેટફોર્મ જેવા સાધનોનો ઉપયોગ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. જેથી સંપૂર્ણ અને ભવિષ્યલક્ષી આયોજનને સક્ષમ બનાવી શકાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રકારનાં સાધનોનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં સમન્વય સ્થાપિત કરવા અને માળખાગત સુવિધાનાં અસરકારક વિકાસને સુનિશ્ચિત કરવા મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ વધુમાં તમામ હિતધારકોને એ સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી કે, તેમના સંબંધિત ડેટાબેઝને નિયમિતપણે અપડેટ કરવામાં આવે અને ચોકસાઈપૂર્વક જાળવવામાં આવે, કારણ કે સુમાહિતગાર અને અસરકારક આયોજન માટે વિશ્વસનીય અને વર્તમાન ડેટા આવશ્યક છે.

પ્રગતિની બેઠકોનાં 46માં સંસ્કરણ સુધી આશરે રૂ. 20 લાખ કરોડનાં કુલ ખર્ચ ધરાવતાં 370 પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report

Media Coverage

Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets people on the occasion of Ram Navami
March 26, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings to the people on the auspicious occasion of Ram Navami. Shri Modi said that the life of Maryada Purushottam Lord Ram, marked by sacrifice, penance and self-restraint, continues to inspire people to face every situation with strength and determination.

Emphasising the enduring relevance of Lord Ram’s ideals, the Prime Minister noted that these values will remain a guiding force not only for the people of India but for the entire humanity for all times to come.

The Prime Minister wrote on X;

“देशभर के मेरे परिवारजनों को रामनवमी की असीम शुभकामनाएं। त्याग, तप और संयम से भरे मर्यादा पुरुषोत्तम के जीवन से हमें हर परिस्थिति का पूरे सामर्थ्य से सामना करने की प्रेरणा मिलती है। उनके आदर्श अनंतकाल तक भारतवासियों के साथ-साथ संपूर्ण मानवता के पथ-प्रदर्शक बने रहेंगे। मेरी कामना है कि भगवान राम की कृपा से सबका कल्याण हो, जिससे विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि का मार्ग प्रशस्त हो।”