Congress has always been encouraging those who opposed the Sardar Sarovar Dam. People of Kutch can never forget such a party, which created hurdles for the people of Kutch: PM Modi in Anjar
The BJP does not consider border areas or border villages as the last village of the country but as the first village: PM Modi in Anjar

 


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
મુઝા કચ્છી ભા-ભાણો તી-આયો... (કચ્છી ભાષામાં)


અંજારકી ધરતીથી કચ્છના સૌ ભાઈઓ, બહેનોને એ, મારા રામ રામ...


ભાઈઓ, બહેનો,


આ કચ્છની ધરતી, કૌશલ્યની ધરતી છે, કર્તવ્યની ધરતી છે. આ સંકલ્પની ધરતી છે. અપરંપાર ઈચ્છાશક્તિની આ ધરતી છે. શક્તિની આ ધરતી છે.


ભાઈઓ, બહેનો,


2001માં જ્યારે કચ્છમાં ભયંકર ભુકંપ આવ્યો, કચ્છ સહિત આખું ગુજરાત,
સાથીઓ, હવે જગ્યા છે જ નહિ, જ્યાં છો, ત્યાં જ અટકી જાઓ. હવે આગળ આવવાની કોશિશ ના કરો. થોડી તકલીફ પડશે. મારો અવાજ પહોંચી જશે. ચિંતા ના કરો. અને આમેય હું દિલ્હીમાં હોઉં તોય મારો અવાજ તો કચ્છ પહોંચે જ છે. અને કચ્છનો અવાજ તો મને કાયમ સંભળાય, ભઈલા.


ભાઈઓ, બહેનો,


જ્યારે ભયંકર ભુકંપ આવ્યો હતો, કચ્છ સહિત, ગુજરાતના અનેક જિલ્લા, અનેક તાલુકા, અનેક ગામ તબાહીનો શિકાર બન્યા હતા. અને એ વખતે, લોકો એમ જ કહેતા હતા કે આ કચ્છ મોતની ચાદર ઓઢીને સૂતું છે. હવે આ કચ્છ બેઠું નહિ થાય. કચ્છમાં ફરી પ્રાણ નહિ પુરાય. પરંતુ ભાઈઓ, બહેનો, આ કચ્છની ખમીરવંતી પ્રજા અને રાજ્ય સરકારની નીતિઓ, એવી જબરજસ્ત જુગલબંદી, એવી જબરજસ્ત જુગલબંદી કે જોતજોતામાં બધી આશંકાઓને ધ્વસ્ત કરી દીધી. કચ્છ બેઠું થયું, એટલું જ નહિ, આજે આખા હિન્દુસ્તાનમાં તેજ ગતિથી દોડનારું મારું કચ્છ બની ગયું.
જ્યારે હું એમ કહું છું કે ભારતના જ્યારે 100 વર્ષ આઝાદીના થશે. આઝાદીના 75 વર્ષ થયા. આપણે આન, બાન, શાન સાથે ઉજવ્યા. હવે 100 વર્ષ થશે. આ 25 વર્ષનો અમૃતકાળ છે. અને હું સપનાં ને સંકલ્પ લઈને જીવું છું કે દેશની આઝાદીના 100 વર્ષ થાય, ત્યારે આ ભારત વિકસિત હોય. આપણું ગુજરાત વિકસિત હોય. આ અમૃતકાળ છે. જે લોકોને રતિભર બી શક હોય, કે આ પ્રધાનમંત્રી કહે છે, કેવી રીતે શક્ય બનશે? જેમને જરા પણ ઈફસ્ એન્ડ બટ્સ હોય એ લોકો માત્ર કચ્છની ગયા 20 વર્ષની વિકાસયાત્રા જોઈ લે. અને તમારે સ્વીકારવું પડે કે હા, અમે વિકસિત ભારત બનાવીને રહીશું. વિકસિત ગુજરાત બનાવીને રહીશું.


અને એટલા માટે ભાઈઓ, બહેનો, આ ચુંટણી 2002, 2007 કે 2012 કે 2017 વાળી નથી. આ ચુંટણી, 2022ની ચુંટણી અત્યંત મહત્વપૂર્ણ ચુંટણી છે. આ ચુંટણીમાં 5 વર્ષનો નિર્ણય નથી કરવાનો. 25 વર્ષનો નિર્ણય કરવાનો છે. અમારા કચ્છે 2002માં નિર્ણય કર્યો હતો કે આ મોદીની વહારે ચાલવું છે અને મોદીએ નક્કી કર્યું હતું કે આ કચ્છને પહેલા કરતા પણ આન, બાન, શાન સાથે ઉભું કરી દેવું છે, અને કરી દીધું, ભાઈઓ.


ભાઈઓ, બહેનો,


કચ્છમાં જ્યારે આવો ત્યારે, 50 લોકો મળ્યા હોય, તેમાં 49 લોકો નર્મદાની વાત લઈને આવ્યા હોય, પાણીની વાત લઈને આવ્યા હોય, અને કચ્છના લોકોને ભરોસો જ નહોતો કે કોણ એવું આવશે કે જે નર્મદાનું પાણી પહોંચાડશે? ભરોસો નહોતો, કારણ? બધા પંડિતો લખતા હતા, વિરોધીઓ લખતા હતા, કે આ બધા ગપગોળા છે, નર્મદાનું પાણી કચ્છ કોઈ દહાડો પહોંચે જ નહિ. વૈજ્ઞાનિક તારણો આપતા હતા. કોર્ટ-કચેરી પણ પ્રશ્નો પુછતી હતી. છાપાવાળા પણ એવું લખતા હતા કે દુનિયામાંથી આપણને એક કાણી પાઈ, કામ માટે, વ્યાજે પૈસા ન મળે. એટલા બધા વિપરીત વાતાવરણમાં કચ્છની સેવા કરવાનો નિર્ધાર હતો. આજે મા નર્મદા કચ્છની અંદર એનો અભિષેક થઈ ગયો છે, ભાઈઓ, આખા કચ્છમાં.


ભાઈઓ, બહેનો,


જે લોકો મેકણ દાદાની જગ્યાએ ગયા હશે, ત્યાં મેકણ દાદાએ લખેલું છે, 400 વર્ષ પહેલાં. 400 વર્ષ પહેલા લખેલું છે કે કચ્છની ધરતીમાં સિંધુ, નર્મદા અને સરસ્વતી, એનો સંગમ થશે. સિંધુ નદીનું પાણી જ્યારે ઓવરફ્લો થાય છે તો આપણા ખાવડા બાજુ આવે છે પાણી, આ બાજુ નર્મદાનું પાણી આવે છે, ને મા સરસ્વતી તો અંતર્ભૂત છે જ છે. મેકણ દાદાની વાત આજે સાચી પાડી દીધી છે, વહાલા. પણ ભાઈઓ, બહેનો, પાણી તો આવ્યું. અને પાણી પીઓ એટલે આંખોય જરા તેજ થઈ જાય. અને શુદ્ધ પાણી પીઓ ને, એટલે બધી રીતે તાકાત આવે. અને હવે કચ્છને નવી તાકાત મળી છે. કચ્છ મારું પાણીદાર બની ગયું છે.


અને કચ્છ જ્યારે પાણીદાર બન્યું છે ત્યારે જરાક કોંગ્રેસને ઝીણવટપૂર્વક જોવાની જરુર છે. છે કે નહિ? છે કે નહિ? આ કોંગ્રેસ એટલે કોણ ભાઈ? આ કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશ્મન. આ શબ્દો હું તીખા એટલા માટે વાપરું છું, કારણ કે કચ્છને પાણી, એ એની સૌથી પહેલી પ્રાથમિકતા હતી. અને કચ્છમાં પાણી ન પહોંચે, એના માટે જે લોકો ખેલ કરતા હતા, એમની જોડે એમની જુગલબંદી હતી. એમની જોડે દોસ્તી હતી. અને એના કારણે કચ્છને પાણી ન પહોંચે એના ષડયંત્રો થતા હતા. સરદાર સરોવર ડેમની ઊંચાઈ ન વધે, એના માટે ષડયંત્રો થતા હતા. રોડા અટકાવવાનું કામ થતું હતું. આ તમારો દીકરો જ્યારે ગાંધીનગર બેઠો ને, એણે નક્કી કર્યું, એણે નક્કી કર્યું કે આ લડાઈ હું લડીશ. અને ઉપવાસ પર બેઠા. સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારી.


અને ભાઈઓ, આ નહેરો પહોંચી કે ના પહોંચી? (ઑડિયન્સમાંથી હા...)
પાણી આવ્યું કે ના આવ્યું? (ઑડિયન્સમાંથી હા...)
હજુ કામ આગળ વધી રહ્યું છે કે નથી વધી રહ્યું? (ઑડિયન્સમાંથી હા...)


ભાઈઓ, બહેનો,


વાતોના વડા કરવાવાળા અમે લોકો નથી. અમે એક વાત કરીએ ને, તો કચ્છની ધરતીના રોટલા ખાધા છે, ભાઈઓ. ક્યારેય વાતમાંથી વિખુટા ન પડીએ. અમે વાતમાંથી વિમુખ ન થઈએ. કચ્છ બ્રાન્ચ કેનાલ, જીવન બદલી રહી છે, ભાઈઓ. આજે કચ્છ અનેક કૃષિ ઉત્પાદનો એક્સપોર્ટ કરી રહ્યું છે. અનાજ, ખજુર, કમલમ, કચ્છ કા કેસર ને આમ, દિલ્હીમાં, કચ્છની કેસર કેરી, દિલ્હીવાળાએ જોઈ ને તો બધા મને પ્રશ્નો પુછતા હતા કે સાહેબ, આ? હા, મેં કહ્યું કે કચ્છના રણમાં... આજે મારા કચ્છની પેદાવર, ખેતપેદાવર, દુનિયાના બજારની અંદર પોતાનો ડંકો વગાડી રહી છે.


ભાઈઓ, બહેનો,


આપણા આખા દેશમાં સીમાન્ત ખેડૂતો છે. 85 ટકા ખેડૂતો એવા છે કે જેમની પાસે વીઘુ, બે વીઘુ જમીન છે. કચ્છમાંય જમીન ઘણી હોય પણ ખબર હોય કે આંટો મારવા જઈએ, તોય કશું કામનું નહિ, એવી દશા હતી. મોટું અનાજ પાકે, જવાર, બાજરા, રાગી, આવું બધું. જાડું અનાજ જેને કહીએ આપણે. અંગ્રેજીવાળા એને મિલેટ કહે.


ભાઈઓ, બહેનો, આપણે એક નક્કી કર્યું, મેં યુનાઈટેડ નેશનને વિનંતી કરી કે આપણે 2023ને મિલેટ-ઈયર મનાવીએ. કારણ કે પોષણ માટે આ જાડું અનાજ બહુ કામમાં આવે. બધાના વિકાસ માટે આ જાડું અનાજ બહુ કામમાં આવે. દીકરીઓના વિકાસ માટે કામ આવે. જુવાનીયાઓના વિકાસ માટે કામ આવે. શારીરિક ક્ષમતા માટે કામ આવે, અને એટલા માટે આપણે જાડું અનાજ દુનિયામાં પ્રચારીત કરવું જોઈએ.


યુનાઈટેડ નેશને મારી વાત માની લીધી. અને 2023 આખી દુનિયા આ મોટા અનાજનું વર્ષ મનાવવાની છે. જાડા અનાજનું વર્ષ મનાવવાની છે. આપણા બાજરા, જુવાર, આપણું રાગી આખી દુનિયામાં ડંકો વાગવાનો છે, ભાઈઓ. એના કારણે આ અમારા દેશના નાના નાના ખેડૂતોને આખી દુનિયામાં જગ્યા મળવાની છે.


ભાઈઓ, બહેનો,


ઘણી વાર હું લોકોને આ રેગિસ્તાનની વાત કરું ને એની જોડે બન્નીના ઘાસની ચર્ચા કરું ને તો એમને આશ્ચર્ય થાય કે આવડું મોટું રણ અને આ... અરે, મેં કહ્યું, અમારી બન્નીની ભેંસ જુઓ. બે મારુતિ... એક બન્નીની ભેંસ આવે. બે મારુતિ લેવી હોય ને એટલા પૈસામાં એક બન્નીની ભેંસ આવે.


ભાઈઓ, બહેનો,


પશુપાલનની બાબતમાં અમારું કચ્છ જાણીતું, પરંતુ એને કાયમ માટે સાહેબ... તમે જુઓ, રોડ ઉપર તો આમ, ધણનાં ધણ જતાં હોય. પાણી નહિ. આજે તમને ગુજરાતના હાઈવે પર પશુઓના ધણ જોવા નથી મળતા. કચ્છના પશુપાલકે પોતાના પશુઓ લઈને 200 – 200, 300 – 300 કિલોમીટર ચાલવું નથી પડતું, ભાઈઓ, કારણ કે આપણે પાણી પહોંચાડ્યું. અને એ પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડની વ્યવસ્થા કરી. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકને મળે. ઓછા પૈસે બેન્કમાંથી એને વ્યાજે પૈસા મળે અને સમયસર પૈસા ભરે તો લગભગ વ્યાજ ઝીરો જેવું થઈ જાય. એના કારણે મારા પશુપાલકને તાકાત મળી.


સરકારે ફૂટ ટુ માઉથ ડીસીઝ માટે – ખરપકવા – આ રોગચાળા માટે ટીકાકરણ માટે 14,000 કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું છે. અને આજે પશુઓનું મફત ટીકાકરણ ચાલે છે. જેમ મનુષ્યના આધારકાર્ડ કાઢ્યા છે. એમ પશુઓને સેપરેટ આઈડેન્ટીટી નંબર આપવાનું કામ ચાલી રહ્યું છે. એક એક પશુની માવજતનું કામ ચાલી રહ્યું છે. એનો મોટો લાભ આ મારા કચ્છના પશુપાલકને મળવાનો છે, અને એના કારણે ડેરી ઉદ્યોગ, અમારી સરહદ ડેરી, સરહદ પાર અમારા સામર્થ્યનો પરિચય કરાવે એટલી તાકાત સાથે ઉભી થઈ રહી છે, ભાઈઓ.


અને એના માટે જીવનમાં એક મોટો બદલાવ, એના ગામડાના જીવનમાં, અને આની સાથે આપણી બહેનોનું જીવન આસાન થાય. અને જ્યારે હું, કામ કર્યું આપની વચ્ચે, ત્યારે, મારે તો મારા કચ્છની બહેનોનો આભાર માનવો છે. જ્યારે મેં પાણી સમિતિઓ બનાવી અને કચ્છની બહેનોએ મારી પાણી સમિતિઓનું કામ માથે લીધું. જે પાણીનું કામ મુશ્કેલ લાગતું હતું, એને મારી કચ્છની બહેનોએ સરસ રીતે ઉપાય કાઢ્યા, અને આજે આખા હિન્દુસ્તાનમાં મોડલ બની ગયું છે. આ પાણી સમિતિ જે આપણે બહેનોની બનાવી હતી, કચ્છથી શરૂઆત કરી હતી, એ આજે આખા હિન્દુસ્તાનનું મોડલ બની ગયું છે. આ મારી બહેનોની તાકાત.


આજે પ્રધાનમંત્રી આવાસ યોજના. પાકા ઘર મળે. ઝુંપડામાં રહેનાર માણસને પાકું ઘર મળે, અને ઘર એટલે? કોંગ્રેસના જમાનામાં પેલી ચાર દીવાલો ઉભી કરતા હતા, એવું નહિ. ઘરમાં સંડાસ-બાથરૂમ હોય, વીજળીની વ્યવસ્થા હોય, ગેસનું કનેક્શન હોય, નળ હોય, નળમાં પાણી આવતું હોય, આમ આજે દેશમાં લગભગ 3 કરોડ ઘર આપણે બનાવી દીધા. 70 વર્ષમાં આટલા ટૂંકા સમયમાં આટલા ઘર નથી બન્યા, ભાઈઓ. અને ગરીબ પરિવારને ઘર મળ્યું, પાકી છત મળી.


અને આપણે જેમ ભુકંપ વખતે એક નિર્ણય કર્યો હતો કે ભુકંપમાં જેટલા ઘર ખતમ થઈ ગયા હતા એ ઘર બનાવીશું પરંતુ એની ઉપર માતાઓ, બહેનોના નામે ઘર બનાવીશું. અને આપણે... નહિ તો આપણા સમાજમાં રિવાજ કેવો? ઘર હોય, તો પુરુષના નામ પર, ગાડી હોય, પુરુષના નામ પર, ખેતર હોય, પુરુષના નામ પર, દુકાન હોય, પુરુષના નામ પર. પતિના નામે હોય, પતિ ગુજરી જાય તો દીકરાના નામે થાય. બહેનોના નામે કંઈ હોય જ નહિ. આ ચીલો આપણે બદલી નાખ્યો. અને મકાન બહેનોના નામે કરવાનું નક્કી કર્યું.


આજે બહેનોનું સશક્તિકરણ કરવાનું કામ કર્યું, ભાઈઓ. અને એના દ્વારા આ મારી માતૃશક્તિ, આ કોરોનાકાળમાં આટલા બધા સંકટ વચ્ચે જીવવાનું કોને તકલીફ પડે? પાણી ના હોય તો મુસીબત કોને? ઘરમાં માને. ભોજન ના હોય તો ઘરમાં મુસીબત કોને? માને. મહેમાન આવે ને કંઈ આપી ન શકાય એમ હોય તો મુસીબત કોને? માને. આ બધી ચિંતા દૂર કરવાનું કામ, અને મારી માતાઓ, બહેનોના સશક્તિકરણનું કામ કર્યું.


ભાઈઓ, બહેનો,


આ કચ્છનો વિકાસ. કોઈએ કલ્પના કરી હતી કે કચ્છમાં આટલું બધું પર્યટન વિકસે, ભાઈઓ? કેટલી બધી સંભાવનાઓ પડી છે, અને હું તો કહું છું, આખું રાજસ્થાન જોવા માટે જેટલા દહાડા જોઈએ ને, એના કરતા વધારે દહાડા કચ્છ જોવા માટે જોઈએ. એટલું બધું કચ્છમાં છે. અમારો માતાનો મઢ, અમારા કુળદેવી આશાપુરા મા, આ અમારું કચ્છનું નારાયણ સરોવર, અમારું કોટેશ્વર, અમારો લખપતનો ફોર્ટ, આ લખપતનો ગુરુદ્વારા, આ કચ્છમાં પિંગલેશ્વર બીચ, આ માંડવી બીચ, આ વીર અબજામડાની વાત, કચ્છમાં ક્રાન્તિતીર્થ, અમારા શ્યામજી કૃષ્ણ વર્માનું, આ અમારો માંડવીનો વિજય વિલાસ પેલેસ, આ અમારા કચ્છમાં ધીણોધર ડુંગર અને અમારો કાલા ડુંગર, આ ભુજમાં, ભુજમાં નવું બનાવેલું સ્મૃતિવન, આ અમારો આયના મહેલ, આ અમારું હમીરસર તળાવ, આ અમારું ધોરડોનું સફેદ રણ, આ અમારી એની સફારી, આ અમારી કચ્છમાં જેસલ તોરલની સમાધિ, આ અમારા અંજારની અંદર, અંજારની અંદર, બાલસ્મારકોનું, અને અમારું ભુજીયા ડુંગર પર સ્મૃતિવન...


ભાઈઓ, બહેનો,


અને એ બધાને ચાર ચાંદ લગાવે એવું અમારું વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા. શું નથી મારા કચ્છ પાસે, ભાઈ... આ ટુરિઝમના માટે આખા દેશ ને દુનિયાને મારે અહીં ખેંચી લાવવી છે, ભાઈઓ. કચ્છ નહિ દેખા, તો કુછ નહિ દેખા. અને કચ્છમાં વધુને વધુ ટુરિસ્ટ આવે, એના માટે લગાતાર આપણે કામ કરી રહ્યા છીએ.


કનેક્ટિવિટી માટે કામ કરી રહ્યા છીએ. મનોરંજનના સાધનો, રિક્રિએશન માટેના સાધનો, એની ચિંતા કરી રહ્યા છીએ. સડકો મોટી બનાવી રહ્યા છીએ. મને યાદ છે, જ્યારે ભુકંપ પછી સડકો બનાવવાની વાત ચાલતી હતી. વર્લ્ડ બેન્ક જોડે વાત ચાલતી હતી, આપણી. મોટી સડક બનાવો. મેં કહ્યું, ભઈ, આપણે સડક મોટી જ બનાવવી છે, તો મને બધા કહે, સાહેબ, કચ્છમાં એવી સ્થિતિ નથી. લોકો હિજરત કરી જાય છે, દર વર્ષે. આવડા મોટા મોટા રસ્તા બનાવીને શું કરશો? આટલા બધા રૂપિયા... મેં કહ્યું... મને દેખાય છે. આ રસ્તા કચ્છમાં પહોંચે છે, એવું નહિ. આ રસ્તે આખું હિન્દુસ્તાન કચ્છ જેવું બનવા માટેની નેમ લઈને ચાલશે, એવા અમારે રસ્તા... અને તમે જોયું, આવડા મોટા મોટા રોડ. શરૂઆતમાં લોકો મજાક ઉડાવતા હતા, આજે એ રોડ પણ નાના પડે ને, એવડો મોટો કચ્છનો વિકાસ કરી નાખ્યો છે, બહેનો, ભાઈઓ. આજે કચ્છની અંદર ધોરડામાં મારું ટેન્ટ સિટી. કનેક્ટિવિટી હોય તો કેટલા બધા લોકો આવે. ગુજરાતની ટુરિઝમ, આના કારણે પ્રોપર્ટી વિકસિત. આ કામ આપણે કર્યું. પ્રાઈવેટ સેક્ટર દ્વારા ભુંગા, ટેન્ટ, આની વ્યવસ્થા અમારા ધોરડોમાં થઈ. 500થી વધારે હોમ-સ્ટેના કામ, આજે કચ્છની અંદર થયા છે, ભાઈઓ. આ ઈલાકામાં 2-જીના એના ફાંફા પડતા હતા, 4-જીના ફાંફા પડતા હતા, હવે તો 5-જી તમારે દરવાજે ડંકો વગાડી રહ્યું છે, ભાઈઓ.


ભાઈઓ, બહેનો,


કચ્છની અંદર ટુરિઝમની કેટલી બધી આવ-જા વધી છે. અને ટુરિસ્ટ આવે એટલે બધાની આવક વધે. રણોત્સવમાં, 3 મહિના રણોત્સવ ચાલે, 3 મહિના. 3 મહિનામાં 5 લાખ ટુરિસ્ટ આવે છે, ભાઈઓ. અને કચ્છની અંદર બધી બનાવટો આ 3 મહિનામાં વેચાઈ જાય છે. આ અમારું સ્મૃતિવન, અને આ સ્મૃતિવન એટલે એક પ્રકારે માનવની સામર્થ્યનો સૌથી મોટો ઈતિહાસ લખાણો છે, ત્યાં આગળ. આટલા લોકો મૃત્યુ પામ્યા, પરંતુ એમાંથી ફરી કેવી રીતે બેઠા થયા છે, એની આખી ઝીણવટભરી કથા, આ કચ્છના સ્મૃતિવનમાં છે. અને મારે ભુજના લોકોને કહેવું છે, કચ્છના લોકોને કહેવું છે, આ સ્મૃતિવન એટલે આ ભુજીયો ડુંગર એક જમાનામાં સૂકોભઠ્ઠ હતો. મનુષ્યના પ્રયત્નથી, સરકારના વિઝનથી ભુજને, કચ્છને એક નવું ફેફસુ મળ્યું છે. આ ભુજીયો ડુંગર એ નવા ફેફેસા તરીકે શુદ્ધ હવા આપવાનું કામ કરશે. એટલું મોટું જંગલ ત્યાં વિકસાવી રહ્યા છીએ, આપણે.


ભાઈઓ, બહેનો,


જે ભુકંપે જીવન લઈ લીધું, એ સ્મૃતિવન જીવનદાયિની બને એવડું મોટું જંગલ ત્યાં ઉભું થઈ રહ્યું છે, ભાઈઓ. અહીંયા પર્યટકોની સંખ્યા... સ્મૃતિવન, હજુ તો હમણા હું આવ્યો હતો, ઉદઘાટન કરવા. અત્યાર સુધીમાં એક લાખ લોકો ત્યાં જઈ આવ્યા છે, ભાઈઓ. અંજારની અંદર જે લોકો આવે, અમારા વીર બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે જાય છે. દેશભરના લોકોના હૃદયમાં પ્રેમ જાગે છે, ભાઈઓ. કચ્છની અંદર ટુરિસ્ટોનો લાભ અહીંની જનતાને મળી રહ્યો છે. અહીંના હસ્તશિલ્પીઓને મળી રહ્યો છે. અહીંના વણકરોને મળી રહ્યો છે. અહીંના કલાકારોને મળી રહ્યો છે. અહીંના દુકાનદારોને મળી રહ્યો છે, અને એના કારણે આવકના નવા નવા સાધનો ઉભા થઈ રહ્યા છે. નહિ તો પહેલા, ભાઈઓ, અહીંયા બનતું ને મુંબઈવાળા આવે, અને રૂપિયાનો માલ દસ પૈસામાં લઈ જાય અને ત્યાં જઈને બે રૂપિયામાં વેચી દેતા હતા. હવે તો તમારો માલ સીધો વેચાવા માંડ્યો છે. અને તમારી આવક વધવા માંડી છે.


ભાઈઓ, બહેનો,


આપણે હમણા બજેટમાં... હું તમારી પાસે કચ્છમાં જે શીખીને ગયો ને એના આધારે ગયા વખતે બજેટમાં એક વાત લાવ્યો છું. બોર્ડર વિલેજ માટે વાઈબ્રન્ટ વિલેજનું એક અભિયાન લઈ આવ્યો છું. ભારત સરકાર પૈસા ખર્ચવાની છે. સરહદી વિસ્તારમાં જે ગામડાં હોય એનો વિકાસ કરવા માટે. અને એના માટે યોજના બનાવી ત્યારે મારા ઓફિસરોની મીટીંગ હતી. મેં કહ્યું સરહદી વિસ્તારનું ગામડું કેવી રીતે વિકસાવાય, એ તમારે જોવું હોય તો ગુજરાત જાઓ. કચ્છના અમારા ધોરડામાં જોઈ આવો, કેવી રીતે વિકાસ થાય છે, અને બનાસકાંઠા, પાટણ જિલ્લાની અંદર મારી નડેશ્વરી માના નડાબેટ પર જઈ આવો, નડાબેટ ગામમાં જઈ આવો, અને તમને ખબર કે સીમાવર્તી વિસ્તારમાં કેવી રીતે વાઈબ્રન્ટ બનતું હોય છે. અને વાઈબ્રન્ટ વિલેજ વધુમાં વધુ બને, આખા હિન્દુસ્તાનના સરહદના ગામો પર, વાઈબ્રન્ટ ગામ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અને મેં તો કહ્યું છે, કે આ છેલ્લું ગામ છે જ નહિ. આ છેલ્લું ગામ છે જ નહિ, આ પહેલું ગામ છે. હિન્દુસ્તાનનું પહેલું ગામ. એ છે ને અંદરની તરફ જઈએ ત્યારે છેલ્લું ગામ આવે.


ભાઈઓ, બહેનો,
હમણા હું ઉત્તરાખંડ ગયો હતો, બદ્રીનાથ, કેદારનાથ. ત્યાં બાજુમાં ચીનની સીમા પર છેલ્લું ગામ છે, માણા. જેમ અહીંયા ધોરડો છે ને એમ માણા ગામ છે. ત્યાં હું ગયો હતો. ત્યાં મેં કહ્યું કે વાઈબ્રન્ટ વિલેજ બનાવવું છે, આપણે. અને એ લોકોને મેં અહીં મોકલ્યા હતા, કચ્છનું રણ જોવા માટે અને આપણું નડાબેટ જોવા માટે. એમાંથી એ લોકો શીખીને ગયા છે. હવે માણાનું ડેવલપમેન્ટ કરવાના છે. આ ગુજરાતની તાકાત છે, ભાઈઓ.


કોંગ્રેસની પાર્ટીને આની કોઈ સમજ... આ બધું મારા આવ્યા પછી નથી બન્યું. આ બધું હતું જ, ભઈ. આ સફેદ રણ મેં આવીને બનાવ્યું છે? આ ધોળા વીરા મારા કારણે બન્યું છે? બધું હતું જ. પણ એમને નહોતું દેખાતું અને મને દેખાતું હતું. ફરક આટલો જ છે. એમને આ તાકાત નહોતી દેખાતી, એમને આ કચ્છ બોજ લાગતું હતું. મને કચ્છની અંદર તાકાત દેખાય છે. મને કચ્છના લોકોમાં તાકાત દેખાય છે, ભાઈઓ. અને એના કારણે હું વિચાર કરતો હોઉં છું.


ભાઈઓ, બહેનો,
આ દેશના મહાપુરુષો, એમને એમ થાય છે કે એમના દેશના કોઈ મહાપુરુષનું નામ ક્યાંય મોટું થશે તો પછી એમને કોણ પુછશે? એની ચિંતામાં પડેલા છે, બોલો. શ્યામજી કૃષ્ણ વર્માનું કેટલું મોટું યોગદાન. અમારા માંડવીનું સંતાન. એણે વિશ્વમાં આ દેશનો ડંકો વગાડ્યો હતો. અને જીવ્યા ત્યાં સુધી આઝાદી માટે ઝુઝતા રહ્યા અને મારું એ ગૌરવ છે કે એમના અસ્થિ હું જઈને લઈ આવ્યો. અને ઈન્ડિયા હાઉસ બનાવ્યું, મેં માંડવીમાં. આજે ત્યાં પણ લાખો, લગભગ 24 લાખ લોકો, ખાલી શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક જોવા ગયા છે, ભાઈઓ. ઘેર ઘેર વાત પહોંચી છે કે આવા એક મહાપુરુષ હતા.
આજે એક વૈશ્વિક ધરોહર તરીકે વિકસિત થઈ રહ્યું છે, ભાઈઓ. અમારું ધોળા વીરા, આજે દુનિયાની અંદર હેરિટેજ તરીકે સ્થાન પામ્યું છે. અને આજે ધોળા વીરાના વિકાસ માટે હું પુરી શક્તિથી લાગ્યો છું, ભાઈઓ. જે અહીંના રોજગારની ચિંતા કરવાનું છે, ભાઈઓ. કનેક્ટિવિટીના બધા પ્રશ્નો ઉકેલીને, વધુમાં વધુ સુવિધા મળે એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. ધોળા વીરા પર્યટનનું, સમગ્ર દુનિયા માટે પર્યટનનું કેન્દ્ર બને એ દિશામાં કામ કરી રહ્યા છીએ.


ભાઈઓ, બહેનો,
કોઈએ કલ્પના નહિ કરી હોય કે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ થઈ જાય. અહીંયા કચ્છના કેટલાક વિસ્તારો તો એવા છે ને, મુંબઈમાં જે ચોરસ ફુટે ભાવ હોય ને જમીનનો, એના કરતા વધારે કચ્છના કેટલાક વિસ્તારમાં થઈ ગયો છે, ભાઈઓ... પ્રગતિ કેમ થાય, એની તાકાત બતાવી છે. સારી સડકો, હાઈવે, એરપોર્ટ, આજે કચ્છમાં પાંચ પાંચ એરપોર્ટ છે, ભઈલા. પોર્ટ-લેડ ડેવલપમેન્ટ, એની ચિંતા આપણે કરીએ છીએ. અને ગુજરાત પ્રગતિના રસ્તા પર જઈ રહ્યું છે.


અને તમને હું કેટલાક આંકડા કહું ને, તમને આશ્ચર્ય થશે, ભાઈ. આપણું આ કંડલા, 25 વર્ષ પહેલાં ત્યાં 7 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થતું હતું, 7 કરોડ રૂપિયા. આંકડો યાદ રહેશે, કચ્છના ભાઈઓ? 20 – 25 વર્ષ પહેલા 7 કરોડ રૂપિયા. પાંચ અને બે સાત... આજે ત્યાંથી 9,000 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે.


હવે તમને મોદી ગમે કે ના ગમે, કહો? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)


તમને ફાયદો થાય કે ના થાય? (ઑડિયન્સમાંથી હા...)
ભાજપની સરકાર વારંવાર બનવી જોઈએ કે ના બનવી જોઈએ? (ઑડિયન્સમાંથી હા...)
આટલું બધું કામ થાય, બધાને ફાયદો થાય, કોણ ના પાડે, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
આ મુન્દ્રા, દેશના કાર્ગો હેન્ડલિંગમાં આજે નંબર વન પર પહોંચી ગયું છે. આ મારા કચ્છની રોનક વધારે છે. પોર્ટ-લેડ ડેવલપમેન્ટના કારણે અમારા હજારો સાથીઓને રોજગાર મળે છે, ભાઈઓ...
અને જેમ સમુદ્રતટ, ઉદ્યોગો, માછીમાર, બધા માટે વિકસી રહ્યું છે, એમ હવે કચ્છમાં એક નવી તાકાત ઉભી થઈ છે. અને એ છે, રિન્યુએબલ એનર્જી. જે રણ મુસીબતમાં દેખાતું હતું એ રણ આજે હિન્દુસ્તાનનું તોરણ બની ગયું છે, ભાઈઓ. આ રણને તોરણ બનાવવાનું સપનું, 2002માં બોલ્યો હતો હું. અને આજે કરી બતાવ્યું છે. આજે રિન્યુએબલ એનર્જી, એના માટે કચ્છ દુનિયાનું શ્રદ્ધા કેન્દ્ર બનવાનું છે.


અને જે ગ્રીન હાઈડ્રોજનનું અભિયાન ઉપાડ્યું છે ને... ભવિષ્યમાં ગ્રીન હાઈડ્રોજનથી ગાડીઓ ચાલવાની છે. આ વીજળી જે કામ કરે છે, એ ગ્રીન હાઈડ્રોજન કરવાનું છે. આ ગ્રીન હાઈડ્રોજનનું હિન્દુસ્તાનનું મોટામાં મોટું હબ એ આપણા કચ્છમાં બનવાનું છે, ભાઈ. અને શક્યતા ખરી કે દુનિયાનું પણ મોટામાં મોટું પુરવાર થાય. પરંતુ રિન્યુએબલ એનર્જી, વિન્ડ એનર્જી હોય, સોલર એનર્જી હોય, હાઈબ્રિડ પાર્ક, આ સમૃદ્ધિની દિશામાં એક નવા નવા અધ્યાય આપણે ઉમેર્યા છે. દોઢ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવવાનું છે, ભાઈઓ. આના કારણે હજારો નવા રોજગાર પેદા થવાના છે.


અને ભાઈઓ, બહેનો,


એના કારણે વીજળી, વીજળીના કારણે થનારા નવા ઉદ્યોગો એક નવું નિર્માણ થવાનું છે, ભાઈઓ. વિકાસની બાબતમાં હવે કચ્છ ચારેય દિશામાં ફલી-ફુલી રહ્યું છે. હવે પાછળ વળીને જોવાનું નથી, ભાઈઓ. અને વિકસિત ભારતના સપનામાં આ કચ્છ જેવા મોડલ કામમાં આવવાના છે. વિકસિત ગુજરાત બનાવવાના સપનાં પુરા કરવા કચ્છની તાકાત કામમાં આવવાની છે. અને એટલા માટે હું આવ્યો છું, આપની પાસે. આપના આશીર્વાદ લેવા આવ્યો છું.


અને એટલા માટે આ વખતે ચુંટણીમાં કચ્છની બધી સીટો ઉપર કમળ ખીલશે? (ઑડિયન્સમાંથી હા...)
પુરી તાકાતથી બોલો, ખીલશે? (ઑડિયન્સમાંથી હા...)
આજે અંજારનો રુઆબ જોઈને તો મને લાગે છે કે ખીલવાનું, તમે નક્કી કરી દીધું છે. (ઑડિયન્સમાંથી હા...)
ભાઈઓ, આ ચુંટણી તમે જ લડી રહ્યા છો, અમે તો નિમિત્ત છીએ. ચુંટણી આપ જ લડી રહ્યા છો. કારણ કે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ અમારા જેટલા જ પ્રતિબદ્ધ છો. એના કારણે આ શક્ય બન્યું છે. પરંતુ ચુંટણીની છએ છ સીટો જીતવી હોય, તો એક કામ કરવું પડે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પોલિંગ બુથમાં સૌથી વધારે મતદાન થવું જોઈએ.
જુના બધા રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
પોલિંગ બુથમાં બરાબર જામીને બેસી જશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાંથી ભાજપને જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
કમળ ખીલવશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
હવે એક મારું અંગત કામ. કહું? (ઑડિયન્સમાંથી હા...)
તમે જરા હા પાડો તો કહું, ભાઈ... (ઑડિયન્સમાંથી હા...)
મારું અંગત કામ કહેવાનો કચ્છ ઉપર હક્ક મારો ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તમારો મારી પર પ્રેમ ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તમારા મારી પર આશીર્વાદ ખરા કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
તો એક અંગત કામ કહેવું છે, આજે... કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો, હાથ ઊંચા કરીને બોલો... (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરજો. હજુ ચુંટણીમાં બધે મળવા જશો, પોલિંગ બુથમાં ઘેર ઘેર તમે જશો, તો બધા વડીલોને મળજો. અને મળીને એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. શું કહેશો? શું કહેશો? યે પી.એમ. સાહેબ આવ્યા હતા, એવું નહિ કહેવાનું, હોં. યે પ્રધાનમંત્રી આવ્યા હતા, એવું નહિ કહેવાનું. એ બધું તો દિલ્હીમાં. અહીં તો આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા.
બરાબર? (ઑડિયન્સમાંથી હા...)
કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જઈને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ અંજાર આવ્યા હતા, અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જઈને કહેવાનું, હોં... (ઑડિયન્સમાંથી હા...)
આ વડીલોને તમે પ્રણામ મારા પહોંચાડજો. એમના મને આશીર્વાદ મળશે, અને એમના આશીર્વાદ એ જ મારી ઊર્જા છે. મારે દિવસ-રાત કામ કરવું હોય, પગ વાળીને બેસવું ન હોય, એના માટેની શક્તિ આ વડીલોમાંથી મળે છે, એમના આશીર્વાદમાંથી મળે છે. એટલા માટે દરેક વડીલને જઈને મારા પ્રણામ પાઠવજો, કે નરેન્દ્રભાઈ આવ્યા હતા, અંજાર આવ્યા હતા અને આપણા નરેન્દ્રભાઈએ આપને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કરશો ને? (ઑડિયન્સમાંથી હા...)
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ, ભઈલા.
(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)

Explore More
Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya

Popular Speeches

Today, the entire country and entire world is filled with the spirit of Bhagwan Shri Ram: PM Modi at Dhwajarohan Utsav in Ayodhya
 PLI schemes attract over Rs 2.16 lakh crore investment, generate 14.39 lakh jobs

Media Coverage

PLI schemes attract over Rs 2.16 lakh crore investment, generate 14.39 lakh jobs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Uttar Pradesh has now emerged as one of the states with the highest number of international airports in India: PM Modi in Jewar
March 28, 2026
The inauguration of Phase-I of Noida International Airport marks a major step in Uttar Pradesh’s growth story and India’s aviation future: PM
UP has now emerged as one of the states with the highest number of international airports in India: PM
Airports are not just basic facilities in any country, they give wings to progress: PM
Our government is making unprecedented investments in modern infrastructure to build a Viksit Bharat: PM

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय।

उद्धघाटन हो गया? उद्धघाटन हो गया? नहीं, अभी आधा काम हुआ है। मैंने सिर्फ वो पर्दा हटाया है, लेकिन मैं आज चाहता हूं इस एयरपोर्ट का उद्धघाटन यहां जो भी उपस्थित हैं, आप सब करें, और इसलिए आप अपना मोबाइल फोन निकालिये, अपने मोबाइल फोन का फ्लैश लाईट कीजिए और आपका इसका उद्धघाटन कर रहे हैं। आप दीया जलाकर के यहां उपस्थित हर व्यक्ति, आज इस एयरपोर्ट का उद्धघाटन कर रहा है। ये आपकी अमानत है, ये आपका भविष्य है, ये आपका पुरूषार्थ है और इसलिए इसका उद्धघाटन भी आपके हाथों से हो रहा है, आप अपने भारत माता की जय बोलकर के, हाथ ऊपर करके, फ्लैश लाईट पूरी तरह से दिखाइये। भारत माता जी जय। भारत माता जी जय। भारत माता जी जय। बहुत-बहुत धन्यवाद। अब उद्धघाटन हो गया।

उत्तरप्रदेश की राज्यपाल आनंदीबेन पटेल, यहां के मुख्यमंत्री योगी आदित्यनाथ जी, उप-मुख्यमंत्री केशव प्रसाद मौर्या, ब्रजेश पाठक, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी श्री राममोहन नायडू जी, पंकज चौधरी जी, ज्यूरिक एयरपोर्ट के चेयरमैन जोसेफ फेल्डर जी, अन्य मंत्रिगण, सांसद, विधायक, अन्य महानुभाव और मेरे प्यारे भाइयों और बहनों।

मैं देख रहा हूं, आज जहां भी मेरी नजर पड़ रही है, सारे युवा मुझे नजर आ रहे हैं, उत्साह से भरे युवा हैं, जोश से भरे हुए युवा हैं, क्योंकि इन युवाओं को पता है, ये जो काम हो रहा है ना, ये नौजवानों के भविष्य को नई उड़ान देने वाला काम हो रहा है। आज हम विकसित यूपी-विकसित भारत अभियान का एक नया अध्याय शुरू कर रहे हैं। देश का सबसे बड़ा प्रदेश, आज देश के सबसे अधिक इंटरनेशनल एयरपोर्ट्स वाले राज्यों में से एक हो गया है। और आज मेरे लिए गर्व और प्रसन्नता के दो कारण हैं। एक तो ये है कि इस एयरपोर्ट का शिलान्यास भी करने का सौभाग्य आप सबने मुझे दिया था और आप सबने इस एयरपोर्ट के उद्धघाटन का सौभाग्य भी मुझे दिया, लेकिन मैंने उस सौभाग्य को आपके साथ बांट दिया और आपके हाथों से उद्धघाटन करवा दिया। दूसरा, जिस उत्तर प्रदेश ने मुझे अपना प्रतिनिधि चुना, जिस उत्तर प्रदेश ने मुझे सांसद बनाया, उसकी पहचान के साथ, उस उत्तर प्रदेश की पहचान के साथ इस भव्य एयरपोर्ट का नाम भी जुड़ गया है।

साथियों,

नोएडा का ये एयरपोर्ट, आगरा, मथुरा, अलीगढ़, गाजियाबाद, मेरठ, इटावा, बुलंदशहर, फरीदाबाद, इस पूरे क्षेत्र को बहुत बड़ा लाभ होने वाला है। हिन्दुस्तान को और उत्तर प्रदेश को तो होना ही होना है। ये एयरपोर्ट पश्चिमी उत्तर प्रदेश के किसानों, छोटे और लघु उद्योगों, यहां के नौजवानों के लिए, अनेक नए अवसर लेकर आने वाला है। यहां से दुनिया के लिए विमान तो उड़ेंगे ही, साथ ही, ये विकसित उत्तर प्रदेश की उड़ान का भी प्रतीक बनेगा। मैं उत्तर प्रदेश को, विशेष रूप से पश्चिम उत्तर प्रदेश की जनता को इस भव्य एयरपोर्ट के लिए बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

आज का ये कार्यक्रम, भारत के नए मिज़ाज का प्रतीक है। आप सभी देख रहे हैं कि आज पूरा विश्व कितना चिंतित है। पश्चिम एशिया में एक महीने से युद्ध चल रहा है। युद्ध की वजह से कई सारे देशों में खाने-पीने के सामान, पेट्रोल-डीज़ल-गैस, खाद, ऐसी कई ज़रूरी चीज़ों का चारो तरफ संकट पैदा हो गया है। हर देश इस संकट का सामना करने के लिए कुछ न कुछ कोशिश कर रहा है, प्रयास कर रहा है। और हमारा भारत भी इस संकट का पूरी शक्ति से मुकाबला कर रहा है, देशवासियों की ताकत के भरोसे कर रहा है। भारत तो बहुत बड़ी मात्रा में कच्चा तेल और गैस, ये जहां युद्ध चल रह है ना, इस युद्ध से प्रभावित इलाके से मंगाता रहा है। इसलिए सरकार हर वो कदम उठा रही है, जिससे सामान्य परिवारों पर, हमारे किसान भाई-बहनों पर, इस संकट का बोझ न पड़े।

साथियों,

संकट के इस समय में भी, भारत ने अपने तेज़ विकास को निरंतर जारी रखा है। मैं सिर्फ पश्चिमी उत्तर प्रदेश की ही बात करुं, तो पिछले कुछ सप्ताह में ही, ये चौथा बड़ा प्रोजेक्ट है, जिसका शिलान्यास या लोकार्पण हुआ है। इन कुछ ही सप्ताह में, इस दौरान नोएडा में बहुत बड़ी सेमीकंडक्टर फैक्ट्री का शिलान्यास हुआ, इसी कालखड में देश की पहली दिल्ली-मेरठ नमो-भारत ट्रेन ने गति पकड़ी, इसी कालखंड में मेरठ मेट्रो का विस्तार किया गया, और इतने कम समय में आज नोएडा इंटरनेशनल एयरपोर्ट का आप सबके हाथों से उद्धघाटन भी हो गया।

साथियों,

ये सारे प्रोजेक्ट्स, यूपी के विकास के लिए, डबल इंजन सरकार के प्रयासों का शानदार उदाहरण हैं। सेमीकंडक्टर फैक्ट्री, भारत को टेक्नोलॉजी में आत्मनिर्भर बना रही है। मेरठ मेट्रो और नमो भारत रेल, तेज और स्मार्ट कनेक्टिविटी दे रही है। और ये हमारा जेवर एयरपोर्ट, पूरे उत्तर भारत को दुनिया से जोड़ रहा है। और आपने अभी वीडियो में देखा, ये ऐसा एयरपोर्ट बन रहा है, हर दो मिनट में एक जहाज उड़ेगा, हर दो मिनट में एक जहाज उड़ेगा। पहले सपा वालों ने नोएडा को अपनी लूट का ATM बना लिया था। लेकिन आज भाजपा सरकार में वही नोएडा, यूपी के विकास का सशक्त इंजन बन रहा है।

साथियों,

जेवर का ये एयरपोर्ट, डबल इंजन सरकार की कार्यसंस्कृति का भी बहुत अच्छा उदाहरण है। अब आप सोचिये, इस एयरपोर्ट को अटल बिहारी वाजपेयी जी की सरकार ने 2003 में ही फाइल में मंजूरी दे दी थी। 2003 में, आपमें से बहुत होंगे जिसका जन्म नहीं हुआ होगा, बहुत वो लोग होंगे जो उस समय 25-30 साल के 35 साल के हुए होंगे और आज रिटायर भी हो गए, लेकिन एयरपोर्ट नहीं बना। लेकिन केंद्र में कांग्रेस और यहां की पहले की सरकारों ने सालों तक इस एयरपोर्ट की नींव तक नहीं पड़ने दी। 2004 से 2014 तक ये एयरपोर्ट फाइलों में ही दबा रहा। जब हमारी सरकार बनी तो यूपी में सपा की सरकार थी। शुरु के दो-तीन सालों में सपा वालों ने इस पर काम नहीं होने दिया। लेकिन जैसे ही यहां भाजपा-NDA की सरकार बनी, दिल्ली में भाजपा-एनडीए की सरकार बनी, तो जेवर एयरपोर्ट की नींव भी पड़ी, निर्माण भी हुआ और अब ये शुरु भी हो गया है।

साथियों,

एयरपोर्ट के अलावा ये क्षेत्र देश के दो बड़े फ्रेट कॉरिडोर्स का भी हब बन रहा है। ये फ्रेट कॉरिडोर मालगाड़ियों के लिए बिछाई गई स्पेशल पटरियां हैं। इससे उत्तर भारत की बंगाल और गुजरात के समंदर से कनेक्टिविटी बेहतर हो गई है। और दादरी वो स्थान है जहां ये दोनों कॉरिडोर्स आपस में मिलते हैं। यानी यहां किसान जो उगाते हैं, यहां उद्योग जो कुछ बनाते हैं, वो जमीन से, हवाई मार्ग से, दुनिया के कोने-कोने तक तेज़ी से जा पाएगा। ऐसी मल्टी-मोडल कनेक्टिविटी के कारण, यूपी दुनियाभर के निवेशकों के लिए बहुत बड़ा आकर्षण बन रहा है।

साथियों,

जिस नोएडा को पहले अंधविश्वास के कारण अपने हाल पर छोड़ दिया गया था, कुर्सी जाने के डर से पहले के सत्ताधारी यहां आने से डरते थे, मुझे याद है यहां की सपा सरकार थी और मैंने नोएडा आने का कार्यक्रम बनाया, तो मुख्यमंत्री इतने डरे हुए थे कि वो उस कार्यक्रम में नहीं आए और मुझे भी डराने की लोगों ने कोशिश की, कि नोएडा मत जाओ मोदी जी, अभी-अभी प्रधानमंत्री बने हो। मैंने कहा इस धरती का आशीर्वाद लेने जा रहा हूं, जो मुझे लंबे अर्से तक सेवा करने का मौका देगा। अब वही इलाका पूरी दुनिया का स्वागत करने के लिए तैयार है। ये पूरा क्षेत्र, आत्मनिर्भर भारत के संकल्प को सशक्त कर रहा है।

साथियों,

इस क्षेत्र की अर्थव्यवस्था में, खेती-किसानी का बहुत महत्व है। मैं आज उन मेरे किसान भाई-बहनों का विशेष रूप से आभार व्यक्त करता हूं, जिन्होंने इस प्रोजेक्ट को साकार करने के लिए अपनी जमीनें दी है। उन किसानों के लिए जोरदार तालियां बजाइये दोस्तों, मेरे किसान भाई-बहनों के लिए जोरदार तालियां बजाइये। मेरे किसान भाई-बहन, आपके इस योगदान से ही, इस पूरे क्षेत्र में विकास का एक नया दौर शुरु होने जा रहा है। आधुनिक कनेक्टिविटी का जो विस्तार यहां हो रहा है, उससे पश्चिमी यूपी में फूड प्रोसेसिंग की संभावनाओं को और बल मिलेगा। अब यहां के कृषि उत्पाद दुनिया के बाज़ारों में और बेहतर तरीके से जा पाएंगे।

साथियों,

यहां मैं अपने किसान साथियों का एक और बात के लिए भी आभार व्यक्त करना चाहता हूं। आपके गन्ने से जो इथेनॉल बनाया गया है, उससे कच्चे तेल, कच्चे तेल पर देश की निर्भरता कम हुई है। अगर इथेनॉल का उत्पादन ना बढ़ता, पेट्रोल में उसकी ब्लेंडिंग ना बढ़ती, तो देश को हर वर्ष साढ़े चार करोड़ बैरल, साढ़े चार करोड़ बैरल यानी लगभग 700 करोड़ लीटर कच्चा तेल विदेशों से मंगवाना पड़ता। किसानों के परिश्रम ने देश को इस संकट के समय में इतनी बड़ी राहत दी है।

साथियों,

इथेनॉल से देश को तो फायदा हुआ ही है, किसानों को भी बहुत बड़ा लाभ हुआ है। इससे करीब डेढ़ लाख करोड़ रुपए की विदेशी मुद्रा बची है। यानी इथेनॉल न बनाते तो ये पैसा विदेश जाना जय था। बीते वर्षों में इतना सारा पैसा, देश के किसानों को मिला है, गन्ना किसानों को मिला है।

साथियों,

यहां के गन्ना किसानों ने तो पहले के वो दिन भी देखे हैं, जब कई-कई सालों तक गन्ने का बकाया लटका रहता था। लेकिन आज भाजपा की डबल इंजन सरकार के प्रयासों से गन्ना किसानों की स्थिति बेहतर हुई है।

साथियों,

किसी भी देश में एयरपोर्ट सिर्फ एक सामान्य सुविधा नहीं होता। ये एयरपोर्ट प्रगति को भी उड़ान देते हैं। साल 2014 से पहले, देश में सिर्फ 74 एयरपोर्ट थे। आज 160 से अधिक एयरपोर्ट्स देश में हैं। अब महानगरों के अलावा, देश के छोटे-छोटे शहरों में भी हवाई कनेक्टिविटी पहुंच रही है। पहले जो सरकारें रही हैं, वे मानती थीं कि हवाई यात्रा सिर्फ अमीरों के लिए ही होनी चाहिए। लेकिन भाजपा सरकार ने, सामान्य भारतीय के लिए हवाई यात्रा को आसान बना दिया है। हमारी सरकार ने उत्तर प्रदेश में हवाई अड्डों के नेटवर्क का तेज़ी से विस्तार करते हुए उनकी संख्या बढ़ाकर सत्रह कर दी है।

साथियों,

भाजपा सरकार का निंरतर प्रयास रहा है कि एयरपोर्ट भी बने और किराया-भाड़ा भी सामान्य परिवारों की पहुंच में रहे। इसलिए, हमने उड़ान योजना शुरु की थी। इस स्कीम के कारण, बीते कुछ सालों में एक करोड़ साठ लाख से अधिक देशवासियों ने उड़ान योजना से टिकट लेकर सस्ती दरों पर हवाई यात्रा की है। और मैं आपको एक और जानकारी देना चाहता हूं। हाल में ही केंद्र सरकार ने उड़ान योजना को और विस्तार दिया है। इसके लिए लगभग 29 हज़ार करोड़ रुपए की स्वीकृति दी गई है। आने वाले वर्षों में इसके तहत, छोटे-छोटे शहरों में 100 नए एयरपोर्ट और 200 नए हेलीपैड बनाने की योजना है। यूपी को भी इससे बहुत अधिक लाभ होगा।

साथियों,

भारत का एविएशन सेक्टर, बहुत तेज़ से गति और विकास कर रहा है। जैसे-जैसे भारत में नए-नए एयरपोर्ट बन रहे हैं, वैसे-वैसे नए हवाई जहाज़ों की ज़रूरत भी बढ़ती जा रही है। इसलिए देश की अलग-अलग एयरलाइन्स ने सैकड़ों नए जहाजों के ऑर्डर दिए हैं। ये जो नई सुविधाएं हैं, नए जहाज आ रहे हैं, इनको उड़ाने वाले, इनमें सर्विस देने वाले, मेंटनेस से जुड़े, ऐसे हर काम के लिए बहुत बड़ी संख्या में वर्कफोर्स की ज़रूरत रहेगी। ये युवाओं के लिए बहुत बड़ा अवसर है। इसलिए हमारी सरकार, एविएशन सेक्टर में ट्रेनिंग की सुविधाओं का भी विस्तार कर रही है।

साथियों,

आप जब अपनी कोई गाड़ी खरीदते हैं, तो ये जरूर देखते हैं कि उस गाड़ी बनाने वाली कंपनी का सर्विसिंग सेंटर आसपास है या नहीं है। आप जानकर हैरान हो जाएंगे कि हमारे देश में हवाई जहाजों की सर्विसिंग, यानी उनके मैंटनेंस, रिपेयर एंड ओवरहॉल की पुख्ता व्यवस्थाएं ही नहीं थीं। भारत के 85 एयरपोर्ट, 85 परसेंट हवाई जहाजों को आज भी मैंटनेंस, रिपेयर एंड ओवरहॉल यानी MRO के लिए, इस काम के लिए विदेश भेजना पड़ता है। इसलिए हमारी सरकार ने ठाना है कि MRO सेक्टर में भी भारत को आत्मनिर्भर बनाएंगे। अब भारत में ही, बहुत बड़े पैमाने पर MRO सुविधाएं विकसित की जा रही हैं। आज यहां जेवर में भी MRO सुविधा का शिलान्यास हुआ है। ये सुविधा जब तैयार हो जाएगी, तो ये देश-विदेश के विमानों को सेवा देगी। इससे देश को कमाई भी होगी, हमारा पैसा भी देश में ही रहेगा, और युवाओं को अनेक रोजगार भी मिलेंगे।

साथियों,

आज हमारी सरकार की प्राथमिकता देश के नागरिकों की सुविधा है। देश के नागरिक का समय बचे और उसकी जेब पर ज्यादा बोझ भी न पड़े, ये हमारा लक्ष्य है। मेट्रो और वंदे भारत जैसी आधुनिक रेल सेवाओं का इसी भाव से ही विस्तार किया जा रहा है। दिल्ली-मेरठ नमो भारत रेल, इसका कितना फायदा हो रहा है, ये भी हम सब देख रहे हें। अभी तक नमो भारत, ढाई करोड़ से अधिक लोग सफर कर चुके हैं। दिल्ली-मेरठ के जिस सफर में पहले घंटों लग जाते थे, अब वो सफर मिनटों में ही पूरा हो रहा है।

साथियों,

विकसित भारत के विकसित आधुनिक इंफ्रास्ट्रक्चर पर हमारी सरकार अभूतपूर्व निवेश कर रही है। बीते 11 वर्षों में इंफ्रास्ट्रक्चर का बजट छह गुणा से अधिक बढ़ाया गया है। इन वर्षों में 17 लाख करोड़ रुपये हाईवे और एक्सप्रेसवे पर खर्च किए गए हैं, एक लाख किलोमीटर से अधिक के हाईवे का निर्माण किया गया है। 2014 तक रेलवे में सिर्फ 20 हजार किलोमीटर रूट का बिजलीकरण हुआ था। जबकि 2014 के बाद से 40 हजार किलोमीटर से ज्यादा रेलवे ट्रैक का बिजलीकरण किया गया है। आज ब्रॉडगेज नेटवर्क का लगभग शत-प्रतिशत बिजलीकरण हो चुका है। आज कश्मीर घाटी हो या नॉर्थ ईस्ट की राजधानियां, ये पहली बार रेल नेटवर्क से जुड़ रही हैं। पोर्ट यानी बंदरगाहों की क्षमता, बीते दशक में दोगुने से अधिक हुई है। देश में नदी जलमार्गों की संख्या भी लगातार बढ़ रही है। विकसित भारत के निर्माण के लिए जरूरी हर क्षेत्र में भारत तेज़ी से काम कर रहा है।

साथियों,

विकसित भारत बनाने के लिए सबका प्रयास बहुत ज़रूरी है। ये आवश्यक है कि 140 करोड़ देशवासी कड़े से कड़ा परिश्रम करे, और वैश्विक संकटों का एकजुट होकर सामना करें। अभी जो युद्ध चल रहा है, इससे पैदा हुए संकटों का सामना कैसे करना है, इसके बारे में मैंने संसद में भी विस्तार से बताया है। मेरी कल देश के सभी मुख्यमंत्रियों से भी लंबी चर्चा हुई है और बड़ी सकारात्मक चर्चा हुई है। मैं आज आप सभी जनता-जनार्दन से फिर कहूंगा, मैं देशवासियों से फिर से कहूंगा। हमें शांत मन से, धैर्य के साथ, एकजुटता के साथ, मिल जुलकर के, इस संकट का सामना करना है। ये पूरे विश्व में परेशानी पैदा करने वाला संकट है। हमें अपने देश की सबसे ज्यादा चिंता करनी है। और यही हम भारतीयों की सबसे बड़ी ताकत है। मैं यूपी के, देश के सभी राजनीतिक दलों से भी आग्रहपूर्वक कहना चाहता हूं, विनती पूर्वक कहना चाहता हूं, इस प्रकार के संकट में ऐसी बातें करने से बचें, जो देश के लिए नुकसानदायक हैं। जो भारतीयों के हक में है, जो भारत के हित में है, वही भारत सरकार की नीति और रणनीति है। राजनीति के लिए गलत बयानबाज़ी करने वाले, राजनीतिक बहस में तो कुछ नंबर पा लेंगे, लेकिन देश को नुकसान पहुंचाने वाली हरकतों को देश की जनता कभी माफ नहीं करती। कोरोना के महासंकट के दौरान भी, कुछ लोगों ने अफवाहें फैलाईं, वैक्सीन को लेकर झूठ बोले, ताकि सरकार का काम मुश्किल हो, देश को नुकसान हो। परिणाम क्या हुआ? जनता ने चुनावों के दौरान ऐसी राजनीति को नकार दिया, ठुकरा दिया। मुझे पूरा भरोसा है, कि देश के सभी राजनीतिक दल भी इससे सबक सीखेंगे और देश के एकजुट प्रयासों को वो बल देंगे, ताकत देंगे। इसी आग्रह के साथ, एक बार फिर से उत्तर प्रदेश को इस शानदार एयरपोर्ट के लिए बहुत-बहुत शुभकामनाएं।

मेरे साथ बोलिये-

भारत माता की जय!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

वंदे मातरम्!

बहुत-बहुत धन्यवाद।