મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આજે તાઇવાનના ઉચ્ચસ્તરીય વાણિજ્ય પ્રતિનિધિમંડળના ઉપક્રમે તાઇવાન ઇન્સ્ટીટયુટ ફોર ઇન્ફોરમેશન ઇન્ડસ્ટ્રીઝ (IIIT) અને મેન્યુફેકચરર્સ એસોસિયેશન ફોર ઇન્ફોરમેશન ટેકનોલોજી (MAIT) ઓફ તાઇવાન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વના સમજૂતિના કરાર થયા હતા.

આજે મુખ્યમંત્રીશ્રી અને ચાઇનીઝ નેશનલ એસોસિયેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ (CNAIC) ના અધ્યક્ષ શ્રીયુત થીઓડોર હુઆંગ (Mr. THEODORE HUANG) ના નેતૃત્વમાં તાઇવાનના ૧પ સભ્યોના ઉચ્ચ સ્તરીય વાણીજ્ય પ્રતિનિધિમંડળ વચ્ચે ફળદાયી બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને તાઇવાન વચ્ચે ઇન્ફરમેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાતને આઇ.ટી અને ઇલેકટ્રોનિકસ ઉઘોગ માટેના ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવા, ગુજરાતમાં ઇ-ગવર્નન્સનું સેન્ટર ફોર એકસેલન્સ સ્થાપવા અને આઇટી-ઇલેકટ્રોનિકસ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટેની ટેકનોલોજી એન્ડ ડિઝાઇનનો સહયોગ આપવા સહિત કુશળ માનવ સંસાધન વિકાસનું આયોજન કરવા માટે થયેલા સમજૂતિના આ કરારને આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાત અને તાઇવાન વચ્ચે નવાં ક્ષેત્રોમાં સહભાગીતાની નવી દિશા ખૂલી છે. તાઇવાન હાર્ડવેર આઇટી-ઇલેકટ્રોનિકસ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફ્રાસ્ટ્રકચરનો પ્રભાવ ધરાવે છે જ્યારે ભારતમાં ગુજરાત સોફટવેર નોલેજ મેનપાવર ધરાવે છે. આ બંનેનો સમન્વય થાય તો ઇન્ફરમેશન-કોમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ગુજરાત અને તાઇવાનની ભાગીદારી નવી કેડી કંડારશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તાઇવાનના વ્યાપાર ઉઘોગ અને સરકારના પદાધિકારીઓને આવકારતાં એમ પણ જણાવ્યું કે ગુજરાત શિપ-બિલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધી રહ્યું છે અને તાઇવાનની ટેકનોલોજી શિપ બિલ્ડીંગ ક્ષેત્રમાં પણ ગુજરાત સાથે નવા સંબંધો વિકસાવશે.

દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર (DMIC) અને તેની સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીયન (SIR) તેમજ બંદર સંલગ્ન વિકાસની વ્યૂહરચનાની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ન્યુ સિટી કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે જેમાં GIFT CITY, નોલેજ સિટી, ટ્રાન્સપોર્ટસિટી, હેલ્થ સિટીના નિર્માણ માટે તાઇવાનના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ડેવલપર્સને ગુજરાતમાં આવવાનું આમંત્રણ તેમણે આપ્યું હતું.

ગુજરાત સરકારે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની નવી પહેલ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.

તાઇવાન ડેલીગેશનના પ્રમુખ શ્રીયુત થિયોડોર હુઆંગે ગુજરાત અને તાઇવાન વચ્ચેની સહભાગીતા ભારત અને તાઇવાનના પરસ્પરના સંબંધોને વધુ સુનિヘતિ દિશામાં લઇ જનારૂ પ્રેરક બળ બનશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાત સરકારના વિકાસ માટેના પ્રગતિશીલ અભિગમ અત્યંત પ્રસંશનિય છે.

તાઇવાન સરકારના પૂર્વમંત્રી શ્રીમતી મેઇ યુએહ હો (Mrs. MEIYUEH Ho)એ પણ ગુજરાતના વિકાસની પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, સાયન્સ ટેકનોલોજી અગ્રસચિવ શ્રી રવિ સકસેના, ઉઘોગ અગ્રસચિવશ્રી એમ. શાહુ, MAIT ડિરેકટર શ્રી વી. મહેતા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્યક્ષ અને પ્રબંધ સંચાલક શ્રી પંકજ કુમાર, ઉઘોગ કમિશ્નરશ્રી બી. બી. સ્વૈન, ઇન્ડેક્ષ્ટ-બી ના વાઇસ ચેરમેન શ્રી ભાગ્યેશ જ્હા, શ્રી એન. વિઠ્ઠલ વગેરે હાજર રહ્યા હતા.

Explore More
आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी

लोकप्रिय भाषण

आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी
PLI scheme for food processing creates 3.39 lakh jobs, disburses ₹2,162 crore in Incentives

Media Coverage

PLI scheme for food processing creates 3.39 lakh jobs, disburses ₹2,162 crore in Incentives
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
प्रधानमंत्री ने केरलम के त्रिशूर स्थित पटाखा फैक्ट्री में हुए हादसे में हुई जनहानि पर शोक व्यक्त किया
April 21, 2026
पीएम ने पीएमएनआरएफ से अनुग्रह राशि देने की घोषणा की

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने केरलम के त्रिशूर स्थित एक पटाखा फैक्ट्री में हुए हादसे की वजह से हुई लोगों की मौतों पर गहरा दुख व्यक्त किया है। श्री मोदी ने हादसे में घायल हुए लोगों के शीघ्र स्वस्थ होने की भी कामना की है।

प्रधानमंत्री ने प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (पीएमएनआरएफ) से प्रत्येक मृतक के परिजनों को 2 लाख रुपये और घायलों को 50,000 रुपये की अनुग्रह राशि देने की घोषणा की।

प्रधानमंत्री ने सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर पोस्ट करते हुए लिखा:

"केरलम के त्रिशूर में एक पटाखा फैक्ट्री में हुए हादसे के कारण हुई जनहानि के बारे में सुनकर दुख हुआ। उन लोगों के साथ मेरी गहरी संवेदनाएं हैं जिन्होंने अपने प्रियजनों को खोया है। घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं।"

प्रधानमंत्री ने घोषणा की है कि पीएमएनआरएफ से प्रत्येक मृतक के निकटतम परिजन को 2 लाख रुपये की अनुग्रह राशि दी जाएगी। घायलों को 50,000 रुपये दिए जाएंगे।

 

"തൃശൂരിലെ പടക്ക നിർമാണശാലയിലുണ്ടായ അപകടത്തിൽ നിരവധി ജീവനുകൾ പൊലിഞ്ഞ വാർത്തയറിഞ്ഞതിൽ ദുഃഖമുണ്ട്. പ്രിയപ്പെട്ടവരെ നഷ്ടപ്പെട്ടവരുടെ വേദനയിൽ പങ്കുചേരുന്നു. പരിക്കേറ്റവർ എത്രയും വേഗം സുഖം പ്രാപിക്കട്ടെ: പ്രധാനമന്ത്രി

@narendramodi."

"മരിച്ച ഓരോ വ്യക്തിയുടെയും കുടുംബത്തിന് പ്രധാനമന്ത്രിയുടെ ദേശീയ ദുരിതാശ്വാസ നിധിയിൽ (PMNRF) നിന്ന് 2 ലക്ഷം രൂപ ധനസഹായം നൽകുമെന്ന് പ്രധാനമന്ത്രി അറിയിച്ചു. പരിക്കേറ്റവർക്ക് 50,000 രൂപ വീതം നൽകും."