કોંગ્રેસે સત્તાપર આવ્યાનાં ૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચનઆપ્યું હોવા છતાં આજે પણ સામાન્યલોકોમોંઘવારીમાં કચડાઇ રહ્યાં છે

સામાન્ય જનને વિકાસકાર્યોનું કેન્દ્રબિંદુ બનાવીને ગુજરાત એક ‘મોડેલ સ્ટેટ’ તરીકે ઉભરી આવ્યું છે

ગુજરાતના વિવિધ કાર્યક્રમોની દેશ-વિદેશમાં સરાહના કરવામાં આવી છે

 


તફાવત

 બિલકુલ સ્પષ્ટ છે- એક બાજુ જ્યારે કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને દેશના કુદરતી સ્ત્રોતોનો ગેરવહીવટ કરી રહી છે ત્યારે બીજી બાજી ગુજરાત વિકાસના જ્વલંત ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે.

આ રહ્યાં કોંગ્રેસના ‘આદર્શ’ કુશાસન દરમિયાન થયેલાં કેટલાંક કૌભાંડોઃ-
કોમનવેલ્થ ગેમ્સકૌભાંડ  ૭૦,૦૦૦કરોડ
કોલસાકૌભાંડ  ૧,૮૬,૦૦૦કરોડ
૨જીકૌભાંડ ૧,૭૬,૦૦૦કરોડ
વાસીઅન્નકૌભાંડ ૫૮,૦૦૦૦કરોડ
ગોવામાંગેરકાયદેમાઇનિંગકૌભાંડ ૧૦,૦૦૦કરોડ
આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારેઆદર્શસોસાયટીકૌભાંડપણ આચર્યું છે, જેમાં મંત્રીઓ અને અમલદારોએ કારગીલ યુદ્ધના જવાનોની વિધવાઓ માટેના મકાનો પોતાના નામે કરી લીધા હોવાનોઆક્ષેપછે. આમ કોંગ્રેસ સરકાર આમ આદમીની નહીં, પરંતુ કૌભાંડીઓની સરકાર છે.કોંગ્રેસસરકારવર્ષ૨૦૦૯થી જેજાહેરખબરચલાવી રહી છે, એ માત્રને માત્ર હાસ્યસ્પદ લાગશે.

આ જાહેરખબરમાં કોંગ્રેસ મોટા દાવા કરતી હોવા છતાંહકીકતએ છે કે કોંગ્રેસના શાસનમાં ભાવો મોટા પાયે વધવા પામ્યા છે.
પેટ્રોલના ભાવમાંવધારો રૂ. ૩૩ થી રૂ. ૭૨
ડીઝલના ભાવમાંવધારો રૂ. ૨૨ થી રૂ. ૫૨
એલપીજી સિલિન્ડરના ભાવમાંવધારો રૂ. ૨૪૦ થી રૂ. ૪૧૪
પેટ્રોલ,ડીઝલવગેરેનાભાવોમાંવધારોથવાના લીધેવાહનવ્યવહારનો ખર્ચો વધે છે તેથીજીવનજરૂરિયાતની અન્ય વસ્તુઓનો ભાવ પણ વધી જાય છે. જો કોંગ્રેસની જાહેરખબર આજે ફરી બનાવવામાં આવે તો ખુર્શીદ, વાડ્રા, કલમાડી અને રાજા જેવા લોકો જલસા કરતાં જોવા મળશે. જ્યારે બીજી બાજુ સામાન્ય જનને પોતાની પરસેવાની કમાણી મોંઘવારીમાં લુંટાવી પડે છે. જ્યારે ગુજરાતમાંસામાન્યમાણસરાજ્યસરકારની તમામ યોજનાઓનું કેન્દ્રબિંદુ બન્યો છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ ગુજરાત સરકારેગરીબકલ્યાણમેળાઓનોપ્રારંભકર્યો છે, જેમાં રૂ. ૧૨,૫૦૦કરોડજેટલી માતબરસહાય૮૫લાખગરીબ લાભાર્થીઓને એક હજાર જેટલાં ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી આપવામાં આવી છે. કૃષિમહોત્સવ,ગરીબકલ્યાણમેળા, વનબંધુવિકાસયોજના, સાગરખેડ઼ૂ વિકાસ યોજના વગેરેનાહકારાત્મકપરિણામો જોવા મળ્યાં છે. કોંગ્રેસના કુશાસનનો ભોગ માત્રઆમઆદમી જ નથી બન્યો, પણ ભારતનીછબીપણ ખરડાવા પામી છે. મહાત્મા ગાંધી,સરદારપટેલ અને સ્વામી વિવેકાનંદ જેવી મહાન હસ્તીઓને કારણેજાણીતી ભારતની ભુમિ હવે કલમાડી, રાજા, વાડ્રા અને કાયમ મુંગા રહેતાં વડાપ્રધાન ડો. મનમોહન સિંઘના કારણે બદનામ થઇ છે! શ્રી મોદી સાચુ જ કહે છે કે છેલ્લાં આઠ વર્ષથી દિલ્હીથી જે ખબરો આવે છે તે માત્રકેન્દ્રસરકારના કૌભાંડો અંગેની જ હોય છે, જેના કારણે વિશ્વમાં ભારતનીછાપખરડાઇ છે. ટાઇમ મેગેઝિનની સત્તાના દુરુપયોગ અંગેની યાદીમાં ભારતનાં ૨જી કૌભાંડને ટોપ-૧૦ માં મુકવામાં આવ્યુ છે.  
ભારત અને તેના રાજકારણીઓ અંગેની કેટલીક ખબરો: ભારતનાં કોમનવેલ્થનાં વડાઓની ધરપકડ: બીબીસી ભારતનાં વડાપ્રધાન એક સંતાપિત વ્યક્તિ, દેશ ભ્રષ્ટાચારનાં કાદવમાં ખૂંપ્યો: વોશિંગ્ટન પોસ્ટ ભારતમાંલાંચઅંગેનાં આરોપોનીતપાસકરતું વોલમાર્ટ: ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ભ્રષ્ટાચાર મામલે વિશ્વમાં ભારતનોક્રમ  ૯૫મો: ઈન્ડિયન એક્સપ્રેસ કોલસા કૌભાંડમાં ભારતનાં વડાપ્રધાન મનમોહન સિંઘંનીછબીખરડાઈ: મોરોક્કો વર્લ્ડ ન્યુઝ
સામીબાજુગુજરાત દેશ માટે આશાનુંકિરણબની રહ્યું છે. વર્લ્ડ બેંક, વિશ્વઆરોગ્યસંસ્થાઅને યુનેસ્કોએ ગુજરાતનાં કાર્યક્રમોને બિરદાવ્યા છે. ટાઈમ મેગેઝિન, ફાઈનાન્સિયલ ટાઈમ્સ, ઉપરાંત બ્રુકિંગ્સ ઈન્સ્ટીટ્યુટ, કેટો ઈન્સ્ટીટ્યુટ, કેપીએમજી, લેગાટમ ઈન્સ્ટીટ્યુટ અને સીએલએસએ વગેરેએ પણ ગુજરાતનાંવિકાસકાર્યોનીનોંધલીધી છે અને તેને બિરદાવ્યા છે. એસોચેમનાં કહેવા મુજબગુજરાત દેશ અને વિદેશનાં ખાનગીક્ષેત્રમાંથી સૌથી વધુમૂડીરોકાણઆકર્ષે છે. ઈન્ડિયા ટુડેનાં 
સ્ટેટ ઓફ ધી સ્ટેટ એવોર્ડ ૨૦૧૨અંતર્ગત ગુજરાતનેસતત બીજીવાર ‘બેસ્ટ બીગ સ્ટેટ (ઓવર-ઓલ)’જાહેર કરવામાં આવ્યુ છે. શ્રી મોદી સતતશ્રેષ્ઠ મુખ્યમંત્રીઓની યાદીમાં ટોચનુંસ્થાન મેળવી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ગુજરાતની વિશ્વભરમાંપ્રશંસાથઈ રહી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry

Media Coverage

Auto sector reports strong sales momentum; SUVs and exports drive growth across industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Haryana meets the Prime Minister
April 02, 2026

Chief Minister of Haryana, Shri Nayab Saini met with the Prime Minister Shri Narendra Modi, today, at New Delhi.

The Prime Minister posted on X;

“Chief Minister of Haryana, Shri @NayabSainiBJP had a meeting with Prime Minister @narendramodi.”

@cmohry