બર્ડ વોચર્સ ટુરિઝમ વિકાસાવાશે - મુખ્યમંત્રીશ્રી .

ગુજરાતનું ગૌરવ સિંહ છે પણ કેન્દ્ર સરકાર તેના સંરક્ષણ, સંવર્ધન માટે કોઇ સહાય નથી આપતી

 વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી બુકનું વિમોચન

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર સનત શોધનનના ફોટો કોફી બુકનું વિમોચન કરતા જાહેર કર્યું હતું કે બર્ડવોચર્સ એ સૌથી ઉત્તમ પ્રવાસનપ્રેમી છે અને ગુજરાતમાં પંખી સૃષ્ટિનો અપાર વૈભવ જોતા બર્ડ વોચર્સ ટુરિઝમનો વિશાળ અવકાશ છે અને વિકસાવવા ઉપર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

વન્ય પ્રાણી સૃષ્ટિ અને પ્રકૃતિપ્રેમી તસ્વીરકાર શ્રી સનત શોધને ૧૫ વર્ષમાં વિશ્વનું ભ્રમણ કરીને વન્યપ્રાણી સૃષ્ટિ અને પ્રકૃતિના અદભૂત દ્રશ્યોને કેમેરાની આંખે ક્લીક કરેલા છે તેવા પસંદગીના ૪૦૦ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફની અંગ્રેજી કોફીબુક ‘‘ પ્ક્ક થ્ં્યશ્વઁફૂક્ક જ્ઞ્ઁ દ્દં રૂજ્ઞ્શ્રફુ ’’ નું આ પુસ્તક અત્યંત આધુનિક ઇકોપ્રિન્ટીંગ ટેકનોલોજીથી પ્રકાશીત થયેલું છે.

કચ્છમાં તો અનોખું એવું ‘‘ફલેમિંગો સીટી’’ છે અને સારસ પક્ષીની સંખ્યા વિશ્વમાં છે તેની વીસ ટકા તો એકલી ગુજરાતમાં છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માર્મિકપણે જણાવ્યું કે શ્રી સનત શોધને બધું છોડીને ફોટોગ્રાફીનો શોખ અપનાવ્યો જ્યારે તેમણે (મુખ્યમંત્રીશ્રીએ) એક વેળાએ ફોટોગ્રાફીનો શોખ છોડીને કાર્યભારની દીશા લીધી છે. વન્ય પ્રાણી, પક્ષી સૃષ્ટિની તસવીરકલાની વિશેષતાઓ મુખ્યમંત્રીશ્રીએ સમજાવી હતી.

ગુજરાતમાં વન્ય પ્રાણી પક્ષી સૃષ્ટિના વિશિષ્ઠ વૈભવ વિશ્વ પવાસોઓ માટે અનેરૂ આકર્ષણ ધરાવે છે તેની વિશેષતાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગીરના અભ્યારણમાં વન્ય પ્રાણી સૃષ્ટિના રક્ષણ માટે વનવિભાગની નારી શકિત કર્મયોગી તરીકે જ છે નહીં ફોટોગ્રાફી પણ કરે છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતનું ગૌરવ સિંહ છે અને સિંહોની સંખ્યા વધીને ૪૧૧ પહોંચાડી છે પણ કેન્દ્રની વર્તમાન સરકાર વાઘના રક્ષણ માટે રૂા.૨૦૦ કરોડની કેન્દ્રીય સહાય આપે છે પણ ગુજરાતના સિંહ માટે એક રૂપિયો પણ આપતી નથી. શું ગુજરાતના સિંહ કોમ્યુનલ છે અને વાઘ સેકયુલર છે ? એવી માનસિકતાથી ભારત સરકાર પીડાય છે, એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રવાસનનો વિકાસદર સતત વધતો જ રહ્યો છે અને આજે તો ભારતના પ્રવાસનના વિકાસ કરતા ગુજરાતનો પ્રવાસન વિકાસદર વીસ ટકા છે. રણોત્સવથી તો કચ્છનું સફેદ રણ અને રાતની ચાંદનીના અદભૂત નજારાને જેમણે જોયો છે તેની પ્રસંશા કરતા થાકતા નથી. ગુજરાતના પ્રવાસન વૈભવને વિશ્વ સમક્ષ મૂકવામાં તસવીરકલાનું માધ્યમ પણ ખૂબજ પ્રેરક અને શ્રેયસ્કર છે.

આ પુસ્તક વિમોચન સનત શોધનના વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે ફોટોગ્રાફીના ૧૫ વર્ષને જીવંત બનાવે છે. આ સચિત્ર પુસ્તકમાં સમાવેશ કરાયેલા ફોટો માટે તેમણે વિશ્વના કેટલાય દેશના જંગલ પ્રદેશોની યાત્રા કરી છે. આ પુસ્તકમાં ૭ મહત્વના પ્રકરણ છે. જેમાં ૪૦૦થી વધારે સુંદર અને વિદેશી જંગલી પ્રાણીઓ અને જાતિઓના ફોટોગ્રાફસનો સમાવેશ કરવામાં આવ્યા છે, તેમની દરેક પ્રસ્તુતી ફોટોગ્રાફી ક્ષેત્ર છે.

ગુજરાત સરકાર તરફથી તેમની ઉત્કૃષ્ઠ સિધ્ધી માટે લલિત કલા ગૌરવ પુરસ્કાર મેળવનારા સનત શોધને કહ્યું ‘‘મારા જીવન ભવ્ય ક્ષણો અને અનુભવ જેને હું જીવ્યો છું તેને જીવંત બનાવવા માટે હું એચ.પી.સ્પ્રિન્ટ ટેકનોલોજીનો ખૂબ આભારી છું.’’ આપાદુરાઇ એ કહ્યું કે ‘‘શ્રી સનત શોધન સાથેનો સહયોગ મુલ્યવાન છે અને તેમનું કોઇ પણ બાંધછોડ વગરનું ગુણવત્તા ભર્યું કાર્ય અલગ ઓળખ ઉભી કરે છે.

આ પ્રસંગે ખ્યાતમાન તસવીરકારો તથા ફોટોગ્રાફીમાં રસ ધરાવનાર અનેક મહાનુભાવો ઉપસિથત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Oman, India’s Gulf 'n' West Asia Gateway

Media Coverage

Oman, India’s Gulf 'n' West Asia Gateway
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing of renowned writer Vinod Kumar Shukla ji
December 23, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled passing of renowned writer and Jnanpith Awardee Vinod Kumar Shukla ji. Shri Modi stated that he will always be remembered for his invaluable contribution to the world of Hindi literature.

The Prime Minister posted on X:

"ज्ञानपीठ पुरस्कार से सम्मानित प्रख्यात लेखक विनोद कुमार शुक्ल जी के निधन से अत्यंत दुख हुआ है। हिन्दी साहित्य जगत में अपने अमूल्य योगदान के लिए वे हमेशा स्मरणीय रहेंगे। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति।"